હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- શ્રી નવીન બેન્કર-
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯),૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે, Community Center, Eldridge Park, Sugarlandના સભાગૃહમાં યોજવામાં આવી હતી.
આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક “જનરલ બોડી મીટીંગ” માટે ફાળવવામાં આવેલ હતા.
બરાબર બપોરના એક વાગ્યે, છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન લીધા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે હાજર રહેલા સૌ સભ્યોનું આવકાર પ્રવચન કર્યું અને ભાવનાબેન દેસાઇએ સરસ્વતી વંદનાથીશરૂઆત કરી.
સંસ્થાના એક બુઝુર્ગ સભ્ય અને કવિશ્રી. ગિરીશભાઇ દેસાઇનું , ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયા અંગે સૌ સભ્યોએ પ્રથમ બે મિનિટનું મૌન પાળ્યું હતું.
ત્યારપછી ગુ.સા.સ.ના નવા, આકર્ષક અને સાહિત્યસભર બેનર હેઠળ સભાનો પ્રારંભ થયો.
સૌથી પ્રથમ ચીમનભાઈ પટેલે, ‘એવી ખબર થોડી જ હોય’ એ શિર્ષક હેઠળ એક હઝલ સંભળાવી. ભાવનાબેન દેસાઈએ, પોતે જ સ્વરાંકન કરેલ, સંસ્થાના જ એક સભ્ય કવયિત્રી દેવિકા ધ્રુવની કવિતા ‘પૂરવનો જાદૂગર” મધુર કંઠે ગાઈ સંભળાવી.દેવિકા ધ્રુવે, મોનોઈમેજ કાવ્યપ્રકારનાં ઉદભવ, તેના ક્રમિક ઈતિહાસ અને આ કાવ્યપ્રકાર અંગે ટૂંકમાં ખૂબ સરસ વાતો કરી. સાથે સાથે, શ્રી મધુ કોઠારી અને પ્રીતમ લખલાણીના મોનોઈમેજ કાવ્યો ઉદાહરણ તરીકે રજૂ કર્યા.વિજયભાઇ શાહે એક સ્વરચિત ટૂંકી વાર્તા વાંચી સંભળાવી અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા.
મુકુંદભાઈ ગાંધીએ ‘પ્રેમ’ અંગેની કેટલીક હાસ્યપ્રેરક વ્યાખ્યાઓ અને ટૂચકા રજૂ કરીને શ્રોતાઓને હસાવ્યા.
પ્રેમ એટલે ‘આવીજા’ થી ‘આઘી જા’ સુધીની સફર.
પ્રેમ એટલે ‘તારા જેવી કોઇ નથી’ થી ‘ તારા જેવી સેંકડો જોઇ છે’ સુધીની સફર.
પ્રેમ એટલે ‘માની જા’ થી લઈને ‘તેલ પીવા જા’ સુધીની સફર.
પ્રેમ એટલે ‘આમ આવો’ થી ‘આઘા જાવ’ સુધીની સફર… અને…એવું તો કંઇક…..
‘ગુજરાત ગૌરવ’ના તંત્રી શ્રી.નુરૂદ્દીન દરેડિયાએ , શકુર સરવૈયા લિખિત એક કાવ્ય રજૂ કર્યું હતું. શૈલા મુન્શાએ, ‘વીતેલી ક્ષણો…જીવનસંધ્યા..કોરી કિતાબ.. ઝૂરાપો.. વગેરેવિષયક હાઈકુ વાંચી સંભળાવ્યા. શ્રી. સુરેશ બક્ષીએ રાબેતા મુજબ કેટલાંક મુકતકોની લ્હાણ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા તો ફતેહ અલી ચતુરે, પ્રેમ અને ઇર્ષ્યા વિશેની શૂન્ય પાલનપુરીની એક ગઝલ રજૂ કરી હતી. શ્રી. કિરીટ ભક્તાએ પણ પોતાની એક કૃતિ રજૂ કરી હતી. શ્રી. પ્રશાંત મુન્શાએ, સ્વ, ગિરીશ દેસાઇના કાવ્યસંગ્રહ‘મારી મનોગંગા’માંથી એક રચના સંભળાવી હતી.
ભારતીબેન મજમુદારે બે અવસાન ના સમાચાર અને બે પૌત્રીના જન્મ અંગેના સમાચાર આપ્યા હતા. હ્યુસ્ટનના મૂકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે મૂકેશનું એક સદાબહાર ગુજરાતી ગીત ‘આપણ સૌએ, હરતાં ફરતાં પિંજરા, ઉપર બનાવ્યો મોર રૂડો ને એમાં ભર્યા નર્યા ચીંથરા રે….’ રજૂ કરીને શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી. શ્રી. મનસુખ વાઘેલાએ વોટ્સ અપ પર આવેલ એક હિન્દી વાતનું ગુજરાતી ભાષાંતર વાંચી સંભળાવ્યું હતું. તો પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે ચિત્ર પરથી રચેલ એક ફોટોકુ રજૂ કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી કમ ખજાનચી એવા શ્રી. સતિષ પરીખે ‘જીવન નીકળતું જાય છે’જેવા શબ્દો વાળું એક કાવ્ય વાંચ્યું હતું. અને સ્વ. ગિરીશ દેસાઇ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા હતા.
શ્રી. મુકુંદ ગાંધીએ, કલાકુંજ સંસ્થાના ઉપક્રમે અગિયારમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર એક, નૃત્ય અને સંગીતના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમના બીજા દૌરમાં, ‘જનરલ બોડી મીટીંગ’ અને ૨૦૧૭ના વર્ષ માટેની કમિટી નીમવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું. સેક્રેટરી અને હિસાબનીશ એવા સતિષ પરીખે ૨૦૧૬ના વર્ષના નાણાંકિય હિસાબોના લેખાજોખા સમજાવ્યા. પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન પોતાની કમિટી દ્વારા સંપન્ન થયેલા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં ખ્યાતનામ સર્જકો નીલમ દોશી, પન્ના નાયક, ભાગ્યેશ ઝા, બળવંત જાની તથા અનિલ ચાવડા પધાર્યા હતા તે સમગ્ર બાબતોને આવરી લેતો વાર્ષિક અહેવાલ સૌની જાણકારી માટે સરસ રીતે રજૂ કર્યો હતો.
સતિષભાઇએ વર્ષ દરમ્યાન વિવિધક્ષેત્રે સાથ આપનાર સૌ સભ્યો અને ખાસ તો આજનીબેઠકમાં સહાયભૂત થનાર સૌ મિત્રોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતમાં, સર્વાનુમતે ૨૦૧૭ ના વર્ષ માટે નીચે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી.
(૧) શ્રી. સતિષ પરીખ, પ્રમુખ
(૨) શ્રી. નિતીન વ્યાસ, ઉપપ્રમુખ
(૩) શ્રી. મનસુખ વાઘેલા, ખજાનચી/હિસાબનીશ
(૪) શ્રી. અશોક પટેલ, સલાહકાર.
એકંદરે હ્યુસ્ટન માટે અસાધારણ ઠંડીના આ દિવસે પણ ઘણાં સાહિત્યરસિકોએ હાજરી આપી બેઠકને સુંદર રીતે માણી હતી..સામૂહિક ફોટો લીધા બાદ સૌ વિખરાયા હતા.
અસ્તુ.
નવીન બેંકર
તદ્દન નગ્ન- લેખક ચંદ્રકાંત બક્ષી
તદ્દન નગ્ન : ત્યાગની ચરમ સીમા
: ચંદ્રકાંત બક્ષી
ત્યાગનું મહત્ત્વ લગભગ દરેક ધર્મે સ્વીકાર્યું છે. હિંદુ ધર્મગુરુ જે વસ્ત્રો પહેરે છે, ધોતી કે લુંગી કે કુરતું, કે જે ચાદર લપેટે છે એનો રંગ ભગવો છે, કારણ કે ભગવો હિંદુ રંગ છે. બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે પણ મને એ રંગ હિંદુસ્તાનની મિટ્ટીનો લાગ્યો છે અને આ ભગવો રંગ કેસૂડાં કે ગુલમોરથી ઘઉં અને કેરીથી બદામ કે ચણા સુધીના વિવિધ હિંદુસ્તાની રંગો સુધી ફેલાઈ જાય છે. હજ પર જનાર મુસ્લિમનો લિબાસ સીવ્યા વિનાનું સફેદ કપડું હોય છે, કહેવાય છે કે મુસ્લિમ જીવંત હોય છે અને કફન પહેરીને પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરે છે, બધાં જ સગાંસંબંધીઓની ક્ષમા માગીને અને જીવ્યા–મર્યાના જુહાર કરીને, ત્યાગને દરેક ધર્મમાં બહુ ઊંચા આસને મૂકવામાં આવ્યો છે પણ ત્યાગની પરાકાષ્ઠા કઈ ? નગ્નતા, સંપૂર્ણ નગ્નતા, નિર્વસ્ત્ર થઈ જવાની સ્થિતિ, સાધ્ય અને સાધકની વચ્ચે વસ્ત્રનો, આવરણનો, પોશાકનો પણ અવરોધ શા માટે ?
ખ્રિસ્તી ધર્મમાં સંત ફ્રાન્સિસ ઓફ એસીસીનું સ્થાન અત્યંત સન્માનનીય છે. ૧૩મી સદીમાં ફ્રાન્સિસે એક દૈવી સંદેશ સાંભળ્યો કે મનુષ્યની સેવા કરવા કરતાં ઈશ્વરની સેવા કર. ફ્રાન્સિસે દુનિયાની સ્વાર્થી પ્રવૃત્તિઓ છોડીને રક્તપિત્તિયાં, રુગ્ણોની, ભૂખથી પીડિત મુફલિસોની, અસહાયોની સેવા કરવી શરૂ કરી. પિતાને આ નાપસંદ હતું. એમણે પુત્રને કોર્ટમાં ઘસડી લાવીને ફરિયાદ કરી કે મારો પુત્ર આડી લઈને ચડી ગયો છે, એને સજા કરો! ફ્રાન્સિસ ત્યાં જ તદ્દન નગ્ન થઈ ગયા, સંપૂર્ણ ભૌતિક ત્યાગ, એ ઈશ્વર માટે જેને જીવન સમર્પણ કરવામાં આવ્યું. આ માણસે ખ્રિસ્તી ધર્મનો ‘ઓર્ડર ઓફ ફ્રાન્સિસ મેનર‘ સ્થાપ્યો. એમનું દેહાવસાન સન ૧૨૨૬માં થયું અને બે વર્ષ પછી એમને ખ્રિસ્તી ધર્મના સેઇન્ટ(સંત) બનાવવામાં આવ્યા. સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી વિશ્વની ધર્મપરંપરાઓમાં એક જ્વલંત નામ છે.
કાશ્મીરના ઇતિહાસમાં એક સ્ત્રીનું નામ આદરથી લેવાય છે. એ કોઈ ખાસ એક ધર્મની પુરસ્કર્તા ન હતી પણ અન્ય ધર્મીઓ પણ એની પૂજા કરતા હતા. એ સ્ત્રીનું નામ લલ્લા હતું અને કાશ્મીરમાં એવી કહેવત પડી ગઈ હતી કે બે જ વ્યક્તિઓની પૂજા થાય છે, એક અલ્લાહ અને બીજી લલ્લા! લલ્લાના ઘણા અનુયાયીઓ હતા અને એ એક રૂપસી સ્ત્રી હતી. કાશ્મીરની પૂજ્ય લલ્લા સમસ્ત જીવન તદ્દન નગ્ન જીવી હતી…
ગ્રીસના ઇતિહાસમાં ફિલસૂફ ડાયાજિનિસનું બહુ ઊંચું સ્થાન છે. ડાયાજિનિસ ચક્રમ પ્રકારનો પણ અત્યંત મેધાવી ફિલસૂફ હતો. એ મહાન એલેકઝાંડરના સમયમાં વિદ્યમાન હતો અને પ્રજામાં એને માટે બહુ માન હતું. એક વાર એલેકઝાંડરને ઇચ્છા થઈ ડાયાજિનિસને મળવાની અને નલસૂફને કોઈ જરૂર હોય તો સહાયતા કરવાની. એલેકઝાંડર એના રસાલા સાથે ડાયાજિનિસને મળવા ગયો ત્યારે ગ્રીક ફિલસૂફ ધૂપમાં નદીકિનારે બેઠો હતો. એ તદ્દન નગ્ન હતો. સમ્રાટ એલેકઝાંડરે પાસે આવીને ઝૂકીને ફિલસૂફ ડાયાજિનિસને પૂછયું કે પ્રભુ, હું તમારી શું સેવા કરી શકું છું? ડાયાજિનિસે કુતૂહલથી એલેકઝાંડર તરફ જોઈને કહ્યું : તું ખસી જા, દૂર ઊભો રહે… તું મારો તડકો રોકી રહ્યો છે !
નગ્નતા ઘણા પ્રાચીન ફિલસૂફોએ અપનાવી હતી. આપણે ત્યાં નાગા બાવાઓની એક પ્રશાખા છે જે હંમેશાં દરેક ઋતુમાં સંપૂર્ણ નગ્ન રહે છે. નાગા રહેવું એ ત્યાગની પરિસીમા છે જ્યારે અહંકારનું અંતિમ બુંદ ઓગળી જાય છે ત્યારે વ્યક્તિ નગ્ન થઈ જાય છે. નગ્નતા શરીરનું સત્ય સ્વરૂપ છે.
ભારતીય દર્શનશાસ્ત્રમાં નાગર્જુન એ નામ છે જે એના શૂન્યવાદ માટે પ્રસિદ્ધ છે. નાગાર્જુન એક બૌદ્ધ ભિક્ષુક હતા અને બૌદ્ધ ધર્મના અતિ પ્રસિદ્ધ નગ્ન ભિક્ષુ હતા. એ નગ્ન રહેતા હતા, એમણે કરેલી ચર્ચાઓનાં પ્રમાણો આજે પણ ઉપલબ્ધ છે. ચીનના તાઓવાદ પર નાગર્જુનના શૂન્યવાદની અસર છે એવી વાત છે. નાગર્જુનને એક રાણીએ રત્નજડિત સુવર્ણનું ભિક્ષાપાત્ર આપી દીધું એ પણ એમણે નિષ્પક્ષભાવે લઈ લીધું. પછી એ એક ખંડિયેરમાં ગયા અને એક ચોરને જોઈને એ રત્નજડિત સુવર્ણપાત્ર પણ એમણે ફેંકી દીધું કે જેથી ચોરને કામ આવે! નાગર્જુનનો વિચારસંબંધ સાધુતા સાથે હતો, ચોરીની પ્રકૃતિ સાથે ન હતો. નાગાર્જુનના શૂન્યવાદમાં બુનિયાદી વાતો હતી. ઘડો શું છે? અંદર જે ખાલી છે, જે શૂન્ય છે એ ઘડો છે, બહારની સપાટી ઘડો નથી. ઘર શું છે? બાહ્ય દીવાલો પર નથી, અંદર જે ખાલી જગ્યા છે, જેમાં જીવી શકાય છે એ ખાલીપણું, એ શૂન્યતા પર છે. મનુષ્યના દેહની અંદર જે ખાલીપણું છે, એ આત્મા છે, એ ચેતના છે. પદાર્થની અંદરની શૂન્યતા એ જ પદાર્થત્વ છે.
જૈનોના ૨૪ તીર્થંકરોમાં એક તીર્થંકરનું નામ છે : મલ્લિનાથ! આ તીર્થંકર પુરુષ નથી પણ સ્ત્રી છે અને એમનું નામ મલ્લિ હતું. મલ્લિબાઈ જૈન ધારાની અત્યંત પ્રતિભાવાન વિભૂતિઓમાં સ્થાન પામે છે. તત્કાલીન જૈન સાધુસમાજ અને શ્રાવકોના સમૂહોની વચ્ચે આ સ્ત્રી તદ્દન નગ્ન રહેતી હતી એ બતાવે છે કે એમનામાં વજ્ર જેવી સાહસવૃત્તિ હશે. જૈન ધર્મમાં જ્યાં સુધી નગ્નતા આવતી નથી ત્યાં સુધી અંતિમ અને ચરમ મુક્તિ નથી. મલ્લિબાઈ નગ્ન રહ્યાં અને પ્રજા માટે પૂજનીય અને સ્વીકાર્ય બન્યાં. એમના અવસાન પછી તરત જ એમનું નામ બદલી નાખવામાં આવ્યું અને આ તીર્થંકર મલ્લિનાથ બની ગયાં.
પણ નગ્નતાને સર્વોચ્ચ આધ્યાત્મિક ઊંચાઈ જે નામે આપી છે એ નામ છે : ભગવાન મહાવીર. જૈન ધર્માચાર્યોમાં મહાવીર કરતાં ઊંચું નામ નથી. જૈન ધર્મ શબ્દ દિગમ્બરનો અર્થ પણ સૂચક છે. દિગમ્બર શબ્દ સામાન્યતઃ નગ્ન માટે વપરાય છે પણ એનો શબ્દાર્થ થાય છે એ વ્યક્તિ જેને માટે દિક્(દિશાઓ) એ જ અંબર(વસ્ત્ર) છે. દિશાઓ જેનાં વસ્ત્રો છે એ પ્રજા પણ જૈનધર્મીઓની એક પ્રમુખ શાખા છે : દિગમ્બર જૈનો. મહાવીર સ્વામીએ જ્યારે એમની સ્વદમન સાધના શરૂ કરી ત્યારે એ સંપૂર્ણ નગ્ન બની ગયા અને મૂઢ લોકોએ એમને નગ્ન જોઈને પથ્થરો માર્યા હતા! અને એક દિવસ આવે છે જ્યારે પથ્થરો મારનારા જ પૂજા–અર્ચના કરે છે.
ભારતીય બૌદ્ધિક ધારામાં મહાવીરનું એક પ્રચંડ યોગદાન રહ્યું છે. જૈન અનુયાયીઓમાં શ્વેતાંબરો અને દિગમ્બરો નામની બે શાખાઓ છે અને દિગમ્બર મતાનુયાયીઓ માને છે કે મહાવીર દિગમ્બર હતા. એ નગ્નવસ્થામાં જીવતા હતા. એ દૃષ્ટિએ દિગમ્બરોની વાત વિશેષ તર્કગત અને પ્રમાણિત લાગે છે. લગભગ સમગ્ર જૈન ર્મૂિતવિદ્યાન નગ્ન, ધ્યાનસ્થ, પદ્માસનમાં બેઠેલી પ્રતિમાઓનું છે. નગ્નતા ત્યાગની અંતિમ ગતિ છે એ વિશે મતાંતરને કોઈ અવકાશ નથી. નગ્નતા એ પ્રામાણિકતા છે જે માણસને ર્નિિવચાર કરી શકે છે. પૃથ્વી પરનું દરેક ફૂલ, દરેક વનસ્પતિ, દરેક પશુ, દરેક જળચર, દરેક ખેચર, દરેક જંતુ, દરેક કીટાણુ નગ્ન છે. માત્ર મનુષ્યને જ પરિગ્રહ છે પોશાકનો. પોશાક વાસનાને જન્મ આપે છે? નગ્નતાવાદીઓનું તો એમ જ કહેવું છે…
So fresh and so clean.
મારા સ્ફોટક વિચારો
મારા સ્ફોટક વિચારો
ફ્રેન્કલી સ્પીકીંગ, મને ફોટોકુ અને હાયકુમાં બિલકુલ રસ પડતો નથી.
ખાલી શિષ્ટાચાર ખાતર, ‘સરસ’ એવો પ્રતિભાવ લખું છું અને તરત જ ડીલીટ કરી નાંખું છું. મને સીધેસીધુ ગદ્યસર્જન જ વધુ ગમે છે. ઇવન, કાવ્યોમાં ય અમુક વિષયના કાવ્યો ગમે.
આપે મીટીંગમાં રજુ કરેલ ‘મારે શું કરવું’ જેવા કાવ્યો ગમે. ‘પ્રકૃતિ અને પ્રભુને’ લગતા કાવ્યો ન ગમે. મને પ્રભુના અમુક સ્વરૂપોમાં ક્યારેય સૌંદર્ય દેખાતું જ નથી. રાધા-કૃષ્ણ ના પ્રેમપ્રસંગોને ગ્લોરીફાય કરતા ગીતો , કાવ્યો કે ભજનો નો હું પુરસ્કર્તા નથી. ટીવી પર આવતી ‘મહાબલી બજરંગબલી’ કે ‘સુર્યપુત્ર કર્ણ’ની કપોળકલ્પિત વાર્તાઓ જોવાની મજા જરૂર આવે , બાકી એમાંની એકે ય વાતને હું સત્ય સમજતો નથી. એ જમાના ના લેખકો /કવિઓએ રચેલી કલ્પિત વાર્તાઓથી વિશેષ કશું જ વધારે મહત્વ મારે માટે નથી. ઇવન, રામાયણ કે મહાભારત પણ મારે મન, તો કપોળકલ્પિત નવલકથાઓ જ છે. કોઇ ધર્મગ્રંથો નથી. બાળપણથી મને મૂર્તિપૂજામાં શ્રધ્ધા નથી. મંદીરમાં પ્રસ્થાપિત કરેલી કોઇ જ ભગવાનની મૂર્તિને હું ભગવાન સમજતો નથી. મારી શ્રધ્ધાવાન પત્નીની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એટલા ખાતર, એની સાથે મંદીરમાં જઈને મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભા રહેવાનો અભિનય હું કરૂં છું.ભજનો ગાતી વખતે પણ એના સંગીત અને ઢાળને કારણે એ ગમે, પણ એમાં પ્રભુની પ્રશસ્તિને હું દિલથી સ્વીકારતો નથી. ધર્મના વિવિધ સમ્પ્રદાયોમાં મને શ્રધ્ધા નથી.કોઇ જ સંપ્રદાયના ગુરૂને હું, ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરૂપ માનતો નથી.
હું નાસ્તિક નથી. કોઇ એક સર્વશક્તિમાન પ્રભુના અસ્તિત્વને હું માનું છું. છેક નાનપણથી મારા મન-મસ્તિષ્કમાં પ્રભુની એક મૂર્તિ-સ્વરૂપ દ્રઢ થયેલું છે તે શિવજીનું છે. ભલે એ કલ્પિત હોય, પણ જ્યારે હોસ્પિટલમાં, મને સ્ટ્રેચર પર નિર્વસ્ત્ર કરીને સર્જરિ વખતે, સર્જરિના વોર્ડમાં સુવડાવે છે અને સર્જન, એનેસ્થેશિયોલોજીસ્ટ મારી આસપાસ ઉભા હોય છે અને હું ફરી ભાનમાં આવીશ કે મારી આંખો કદી નહીં ઉઘડે એવી દ્વિધા વખતે જે મૂર્તિનું મારાથી સ્મરણ થઈ જાય છે તે માત્ર શિવજીનું જ કાલ્પનિક સ્વરૂપ હોય છે. ભવિષ્યમાં, મારી પત્ની ના રહે ત્યારે, હું બધા જ સ્વરૂપોના ફોટાઓ અને મૂર્તિઓ ને ગાર્બેજ કરી નાંખીને, માત્ર એક શિવજીની નાનકડી છબી જરૂર રાખું. એટલો આસ્તિક હું જરૂર છું.
પરસ્પરની સંમતિથી થયેલા શરીરસંબંધને હું પાપ માનતો નથી. પછી ભલે એ લગ્નેતર સંબંધ કેમ ન હોય ! It is my body and I have right to use it as I wish ! ‘લગ્ન’ એ શારીરિક સંબંધ કરવા માટેનું સામાજિક લાયસન્સ માત્ર છે. એક પુરૂષ બે સ્ત્રીઓને પ્રેમ કરતો હોય અને પત્નીને હર્ટ કર્યા વગર બન્ને સંબંધોને , અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં રાખીને જિન્દગી જીવતો હોય તો ઇટ્સ ઓલરાઈટ ! એવું જ વાઇસાવર્સા માનવું.
આજના જમાનામાં, એક સ્ત્રી, પ્રેમ કર્યા વગર કોઇને પરણી હોય અને વર્ષો સુધી એના પતિ અને બાળકો સાથે જીવન વિતાવ્યા પછી એના જીવનમાં બીજો, મનને ગમતો માણિગર પ્રવેશે અને પરસ્પરની સંમતિથી શરીરસુખ ભોગવવાની તક ઉભી થાય તો મારા મતે કોઇ પાપ નથી. બશર્તે કે એના પતિને જાણ ન થાય અને સંસારમાં બખેડો ઉભો ન થાય ! આપની રચનામાં, આપ કહો છો તેમ-
‘સમજાય ના જે પ્રેમપત્રો, એ વાંચીને મારે શું કરવું’
‘સમજી ના શકું જે રાગને, એ જાણી મારે શું કરવું’
ગદ્યમાં પણ ગુજરાતી ભાષામાં લખાયેલું ગદ્ય વધુ ગમે. અંગ્રેજીમાં લખાયેલા ગદ્યની ભાષા મને સ્પર્શતી નથી.
મહેન્દ્ર પુનાતરનો એક લેખ
સુખ અને દુ:ખ આપણી પોતાની સર્જત છે. જેવી આપણી આકાંક્ષા હોય એવું મળે છે. કામ, ક્રોધ, લોભ અનેમોહ આપણને સારું હકીકતમાં જેવું છે તેવું જોવા દેતો નથી.માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છે. શક્તિ અને ક્ષમતા મુજબ જે કાંઈમળવાનું હતું તે મળી જાય છે. પછીના જે વર્ષો હોય છે તે નફાના હોય છે. નફાને નુકસાન ગણીને ચાલીએ તોદુ:ખી થઈ જઈએ. જીવનના આ વર્ષોમાં જંજાળ ન છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંતસમયે અફસોસ કરીએ તો કેમ ચાલે. આપણે શા માટે જીવીએ છીએ, ધન એકઠું કરવા માટે? કીર્તિ અનેપ્રસિદ્ધિ માટે? સંતાનોને સલાહ આપવા માટે? હજુ કયા માન, ચાંદ મેળવવાના બાકી છે? અત્યાર સુધી જેજીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતું? શરૂઆતના વર્ષોમાં ધન, પદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામાકરવાના હતા તે કરી નાખ્યા. જુઠ્ઠી શાન શોહરતમાં અને આડંબરમાં જીવ્યા અને જીવનના કિંમતી વર્ષોગુમાવી દીધાં. હવે બાકીનાં વર્ષોમાં જીવનને માણીએ. મસ્ત બનીને રહીએ. જે આપણને મળ્યું છે અને જેઆપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએ. સંતોષથી રહીએ. ચિંતા, ભય, રાગ–દ્વેષ છોડીને શાંતિ અનેઆનંદથી જીવન પસાર કરીએ.
જીવનનાં બધાં કામો યોગ્ય સમયે કરી લેવાના હોય છે. સમય અને સંજોગો બધા સમયે સરખા રહેતા નથી.પરિસ્થિતિ પલટાયા કરે છે. કાળનું ચક્ર ફર્યા કરે છે. તમારી પાસે શું છે અને કેટલું પ્રાપ્ત કર્યું છે તેનું બહુમહત્ત્વ નથી. પણ તમે તેનો કેટલો આનંદ માણ્યો તેમાંથી કેટલું સુખ મેળવ્યું તેનું મહત્ત્વ છે. જીવનની બધીજ આપાધાપી સુખ મેળવવા કરીએ છીએ અને છેવટે દુ:ખ વહોરી લઈએ છીએ, કારણ કે સુખને આપણે ધન,પદ, કીર્તિ અને પ્રસિદ્ધિમાં સિમીત કરી નાખ્યું છે. આપણે એમ સમજીએ છીએ આ બધું. મળે એટલે સુખી થઈગયા, પરંતુ જ્યારે આ બધું મળી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ધારતા હતા એવું સુખ આમાં નથી. માણસવિચાર કરે છે ધન, દૌલત, સંપત્તિ બધું મેળવી લઈએ પછી સુખેથી જીવશું, પરંતુ એવો સમય કોઈને માટેકદી આવતો નથી. ઉંમર થાય પછી શક્તિઓ ક્ષીણ થતી જાય છે. કહેવાતું સુખ હોય તો પણ માણી શકાતુંનથી.જીવન માટે ભવિષ્યનું કોઈ મહત્ત્વ નથી. વર્તમાન જ મહત્ત્વનો છે. આજે આપણી પાસે જે કાંઈ છે તેનોઉપયોગ કરી લેવો જોઈએ. ભવિષ્યની ચિંતામાં આજના સુખને જતું કરવા એ ખોટનો સોદો છે. વર્તમાનમાંરહેવામાં અને માણવામાં જીવનની સાર્થકતા છે. ધર્મ, પુણ્ય અને કોઈ સારું કામ કરવું હોય તો આજ કરી લેવુંજોઈએ. આજનો ભાવ કાલ પર ઠેલી શકાય નહીં. આજે જે અવસર છે તે કાલે આવવાનો નથી.
પ્રતિક્ષણ જગત બદલાયા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે. સમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે.એટલે ઘણું કરવાનું બાકી રહી જશે. પરંતુ તેનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. કાલ આવશે ત્યારેમાણસ વધુ કમજોર બની ગયો હશે. આજે જે કામ, ક્રોધ, ઘૃણા અને જલન છે તે કાલે વધુ માત્રામાં હશે.સમયની સાથે માણસ નબળો પડતો જાય છે અને દુર્ગુણોની જડ વધુ મજબૂત બનતી જાય છે.
મનુષ્યએ ઘણી પ્રગતિ કરી છે. સુખ સગવડતાના અનેક સાધનો હાંસલ કર્યા છે. આમ છતાં રાગ–દ્વેષ, માન–અભિમાન, દુ:ખ પીડા, ચિંતા – એકલતા અને શાંતિ માટેની ઝંખના વગેરે એના એ જ રહ્યા છે. જગતમાં શુંબની રહ્યું છે. તેના કરતાં આપણી અંદર શું બની રહ્યું છે. તે વિચારવું જોઈએ. જીવનના બધા સુખો મળશે,પરંતુ પ્રેમ, સ્નેહ અને સહાનુભૂતિ જો નહીં મળે તો આ સુખનો આનંદ માણી શકાશે નહીં. પ્રેમ એ જીવનનુંઅમૃત છે. ઘણાં માણસો પ્રેમ, સ્નેહ હૂંફ ન મળવાના કારણે સમય કરતા વહેલા મરતા હોય છે. સ્વાર્થ, લોભઅને અહંકાર સાથે પ્રેમ રહી શકતો નથી. આ બધું વિસર્જિત થાય ત્યારે પ્રેમ પ્રગટ થાય છે. જેને પ્રેમ–સ્નેહમળે છે તેને બીજા કશાની જરૂરત રહેતી નથી. પ્રેમ જેટલો વિસ્તૃત બને, જેટલો વહેંચાય એટલો વધે છે.આપણે જે આપીએ છીએ તે પાછું આપણા તરફ એક યા બીજા સ્વરૂપે આવે છે. આપણે જે મેળવવા ઈચ્છતાહોઈએ તેની સામે કાંઈક આપવું પડે. આપણે સુખ મેળવવા માગતા હોઈએ તો બીજાને સુખ આપવું પડે.કંટકો વાવીને પુષ્પો મેળવી શકાય નહીં.જીવનમાં સુખ–દુ:ખ, ચડતી–પડતી સફળતા–નિષ્ફળતા આવ્યા કરે છે. સુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે.તેમાં સમયનો ખ્યાલ રહેતો નથી. દુ:ખ લાંબુ ચાલે છે કારણ કે તેને આપણે મનમાંથી દૂર કરી શકતા નથી.જે વસ્તુ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી આપણી રહે છે. તેમાંથી આનંદ લુપ્ત થઈ જાય પછી તેની કોઈ કિંમતરહેતી નથી. તિજોરીમાં કે બેન્કોમાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તેને માણી શકાતા નથી. તેના વિચારથીસુખ દુ:ખ અનુભવી શકાય છે. મોટા ભાગના સુખો ધારણાના હોય છે.
જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છે. એક જન્મ અને બીજું મૃત્યુ. જે આપણા હાથમાં નથી. કાળને કોઈ રોકીશકતું નથી. શુભ ભાવ રાખવો, સારું ચિંતન કરવું. પ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવો. કોઈ વસ્તુપ્રત્યે આસક્તિ રાખવી નહીં. કવિ દલપતરામે લખ્યું છે તેમ… ‘એક દિન હાથી, એક દિન ઘોડા, એક દિનપાવસે ચલનાજી. એક દિન લડ્ડુ, એક દિન રોટી, એક દિન ફક્કમ ફક્કાજી’. સારું ખાધું, સારું પીધું. સુખ–ચેનથીરહ્યા એક દિવસ કોઈ ચીજ ન મળી તેથી શું? જીવનમાં કેટલીક વસ્તુઓમાં ચલાવી લેતા પણ શીખવું જોઈએ.જીવતા આવડે તો જીવન આનંદ ઉત્સવ છે, નહીંતર દુ:ખનો દરિયો.
ઘણું છોડ્યા પછી, થોડાની સાથે જીવવાનું છે,ફગાવી દો વજન, નૌકાની સાથે જીવવાનું છે. ( રઈશ મનીઆર )(મહેન્દ્ર પુનાતરના એક લેખને આધારે )Navin Banker (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.Kindly remove my name and address before forwarding this e-mail. We have no control over who will see forwarded messages! This keeps all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers..
,
—
શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ- સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.
,
- 4 Attachments
- View all
- Download all
-
Bhikhu & Pt. Jasraj.JPG
-
Bhikhu Bhavsar.JPG
-
Hemant,Ravin & Navin.JPG
-
Ravin Naik-Singer.JPG
ફોટોકુ, હાયકુ અને ફેઇસબુક
My Blog : navinbanker.gujaratisahityasarita.org
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.
ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેનકડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેનશાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.
૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.
બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા.
શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું. ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.
પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર કરી મૂક્યું. શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.
બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-
પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
સલાહકારઃ શ્રી. અશોક પટેલ
નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.
છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.
અહેવાલ – શ્રી. નવીન બેન્કર (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)
મારી વિદુષી બહેન દેવિકા ધ્રુવ ના સંસ્મરણો
આ લખવાની પણ એક ચાનક હોય છે. રમણકાકા વિશે વિચારું તે પહેલાં શકુની ઈમેઈલ વાંચી મોટાભાઈ વિશે લખવા પ્રેરાઈ.અમેરિકન જેવો નાક-નક્શો ધરાવતા મોટાભાઈનો ચહેરો આકર્ષક હતો. તેમનું વ્યક્તિત્વ ધારદાર અને આરપાર હતું. એ લાગણીશીલ હતા પણ લાગણીને વશ ન હતા. એ સ્વપ્નશીલ હતા,પણ સ્વમાનને ભોગે નહિ..એમના સ્વમાને એમના ક્રોધ પર રાજ્ય કર્યું હોત તો જગત ખૂંદી વળ્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પ બની શક્યા હોત.પણ એ ક્રોધ પર કાબૂ ન રાખી શક્યા તો પ્રારબ્ધે એમના પુરુષાર્થને પાડી દીધો.સમજણી થઈ ત્યારથી આ વાત મનમાં વસી ગઈ અને ગુસ્સાથી સભાન બનતી રહી.
આનાથી વિરુધ્ધ, બીજી બાજુ, તેઓ નામ પ્રમાણે રંગીલા રસીલા પણ હતાં. બાને એ વિદુ કહેતા અને કમુને ‘બેરી’ કહેતા. વિરુને લઈ બધે વાંસળી વગાડવા જવાનું તેમને ખુબ જ ગમતું. ઘણીવાર વિરુ ના પાડે તો છાનામાના જાય. બહારથી એ આવે કે તરત જ સંગી એમને આખા દિવસની, કહેવાની કે ના કહેવાની, બધી વાતો કરી દે. શકુને પણ કદી લઢ્યા હોય તેવું મને યાદ નથી.આર્થિક લાચારીના સમયમાં મને એવું સ્મરણ છે કે એ કોકિબેનથી ડરતા. નવીનભાઈ સાથે ઝાઝુ બનતું નહિ. જમી પરવારી મારી સાથે રાત્રે પત્તા રમવા બેસતાં. એક રંગની રમી રમવામાં એમને મઝા આવતી. એમ લાગે છે કે બાએ તેમને નાનપણમાં લાડ લડાવ્યાં હશે.નહિ તો બાળપણમાં બાપની છત્રછાયા ગુમાવેલ છોકરામાં ગંભીરતા અને યોગ્ય માર્ગ પર રહેવાની વૃત્તિ સબળ હોય. જો કે, સારી નોકરીને ગુસ્સાને કારણે લાત માર્યા પછી,આપણને બધાને તકલીફ ન પડે તે માટે તે ઠેકઠેકાણે,દૂર દૂર સુધી (Banglore)ગયાં, એકલાં રહ્યાં,ખાવા-પીવાથી માંડીને ઘણી જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યાં. પણ નસીબે એમને યારી ન આપી તે ન જ આપી. છેવટે, આર્થિક સંકડામણ વચ્ચેની એ નિષ્ફળતા અને કેટલીક કુટેવોની અસર શરીર પર પડી ને વહેલાં પટકાયા.
બાની સરખામણીમાં મોટાભાઈમાં ઓછી પ્રતિભા અને ઓછા ગુણો. છતાં મને એમના માટે બા કરતાં થોડું વધારે ખેંચાણ ખરું. એટલા માટે કે મેં મોટાભાઈનો કમુ માટેનો પ્રેમ જોયો છે,અનુભવ્યો છે. લડવા-ઝઘડવા છતાં કમુને કામમાં મદદ કરતા હતાં. ઘરમાં જ્યારે જ્યારે કોઈ ન હોય ત્યારે ‘લાવ,તને થોડાં વાસણ મંજાવી લઉં’ હસીને કહેતાં અને કરતા પણ. પાણીની ડોલ પણ ખેંચી આપતા,ઘણીવાર સવારે ચહા બનાવતા અને ઘેર લાવેલા તાકામાંથી રેસા પણ કપાવતા. કમુ પરના ગુસ્સામાં તેમની લાચારીની વેદના જણાતી. થોડા પૈસા વધુ મળશે એ વિચારે (રેસા કાપવા જતી ત્યારે ) કમુ ઘેર મોડી આવે ત્યારે એ લડતા કારણ કે,તેમને કમુ માટે પ્રેમ હતો એવું મને તે સમયે પણ લાગતું અને આજે પણ સમજાય છે.કાશ ! એમના સ્વભાવમાં ગુસ્સો ન હોત તો !એ રીતે મને રમણકાકા ગમતા. એમણે કદી ગુસ્સો કર્યો નથી. એ ભલે ઓછી બુધ્ધિના ગણાતાં પણ તેમની સમજણ જેટલીહતી તેટલી સાચી હતી. એ હંમેશા કમુનો પક્ષ જ લેતા. કદી ઉંચા સાદે બોલતા નહિ. મંગુમાશીની જેમ જ શાંત રહેતા. એ કેમ ન ભણ્યા,ન કમાવા ગયા, કેમ ન પરણ્યાં…કશી જ ખબર નથી. ઉઠવું,ખાવું,પીવું બધું જ એકદમ નિયમિત. ઘડિયાળના કાંટે જ ચાલે. કોઈ જ એમને ગણતું નહતું કમુને ભાભી ભાભી કરતા. કમુ પણ એમને માનથી બોલાવતી અને એમના તરફ ભલી લાગણી રાખતી. કોઈ એમને ઘાંટા પાડે તે કમુને ગમતું નહિ.
સવારે ૯ વાગે કાકા ચાલવા જાય ત્યારે હંમેશા બંને હાથ પાછળ રાખીને ધીમુ ચાલતા. કલાકેક ચાલે પછી ઘેર આવે. હંમેશા ઝભ્ભો,ધોતિયું અને કાળી ટોપી પહેરતા. ખમીસ પહેર્યાનું સ્મરણ નથી. આ લખું છું ત્યારે એક મઝાની વાત યાદ આવે છે. કાકા ક્યારે ગુજરી ગયા તે વર્ષ તો યાદ નથી. પણ તેમના ગયા પછી એક સવારે હું દહીં લેવા નીકળી અને બરાબર એટલે બિલકુલ બરાબર તેમના જેવો જ એક માણસ લાખા પટેલની પોળેથી ચાલતો આવતો હતો.તેના પણ બંને હાથ પાછળ. એજ ધીમી ચાલ,નીચી નજર. હું બી ગઈ. દોડતી પાછી વળી ગઈ. સાંકુ માના ઓટલે ઉભી જોવા લાગી. તો આપણી પોળ પાસેથી પસાર થતાં તે માણસે નજર ફેરવી. બાપ રે! હું તો કમુને બોલાવી આવી ને બતાવ્યું સતત બે દિવસ સુધી એ જ ટાઈમે એ નીકળતો અને હું ને કમુ જોવા બહાર ઉભા રહેતા. હજી આજે પણ મને પ્રશ્ન છે કે એ માણસ કોણ હશે? કાકાના મૃત્યુ પહેલાં તો ક્યારે ય એને જોયો ન હતો!!‘હલોવીન’ Halloween આવે છે તેથી આ ખાસ યાદ આવ્યું અને લખ્યું.ચાલો, આવજો, વાંચજો અને તમારી પણ સ્મૃતિના દાબડામાંથી ઝવેરાતો કાઢી મોકલશો.નવીનભાઈના સંસ્મરણોમાં થોડું મારા તરફથી….નવીનભાઈની કમાલ કરતી કલમ કહું કે સંસ્મરણોનો જાદૂ ! આજે બસ, કવિતાને બદલે સંસ્મરણો જેવું જ કંઈક લખવાનું મન થયું. વિદ્યાબા અને રમણકાકાની સ્મૃતિઓ ફરી એકવાર ઝુંપડીની પોળે ખેંચી ગઈ.
બા તો બા જ હતા. પંડ્યા સાહેબે કહ્યું તે પ્રમાણે હા, એ સ્ત્રી દેહે પુરુષ હતાં. એમના વિષે લખવું ગમે, વાર્તાઓ કહેવી ગમે. મારાં પાંચે ગ્રાન્ડ-ચીલ્ડ્રનને મારી પહેલી વાર્તા, ચહેરાના હાવભાવ દ્વારા,બાની વાર્તાથી, આ રીતે લંબાણપૂર્વક શરુ થાય”My Grandma…. was a tall, fair and very strict lady.” હું જેવું શરું કરું કે એ લોકો તેમની આંખો વિસ્મયથી પહોળી કરી કરી સાંભળતા જાય અને હસતા જાય”હું બંધ કરું તો વધુ ને વધુ પૂછતા જાય.ખરેખર તો વિદ્યાબા મને રોજ જુદી જુદી વાર્તાઓ કહેતા. તેમની કહેવાની રીત ખુબ સરસ હતી. વર્ણન કરી કરી નાટકિય ઢબે એવી રીતે કહેતા કે આખી યે વાર્તાનું એક ચિત્ર ઉભું થતું અને આંખોમાં મઢાઈ જતું. બીજે દિવસે હું નિશાળમાં વહેલી જઈજઈને બેનપણીઓને એ જ રીતે કહેતી. શોભા, શાન્તુ, મંજુ વગેરેને પણ સાંભળવું ગમતું. બાની કલ્પના શક્તિ, યાદ શક્તિ અદભૂત હતી. તેમના જીવનમાં એક સરસ નિયમિતતા હતી. વહેલાં ઊઠવું, નહાવું, ધોવું, સેવા-પૂજા કરવી, રાંધવું બપોરે થોડું સૂઈ આરામ કરવો, સાંજે પોળના ઓટલે કે કાન્તા ફોઈને ઘેર જવું, મદદ કરવી, વહેલા જમીને સૂઈજવું..આ બધું જ નિયમિત સમયે. કદાચ એ નિયમિતતા જ એમના નિરોગી શરીરનું કારણ હશે.હું ૬-૭ વર્ષની હતી ત્યારથી મારી પાસે પગ દબાવડાવે. રોજ બપોરે વાર્તા કહેતા જાય અને પગ દબડાવતા જાય.૯ વર્ષની હતી ત્યારથી પોતાની થોડી રોટલીઓ કરી આખી કણેક મને સોંપી રોટલી કરાવતા. મારે રોટલી કરવી જ પડે. દાળ- શાકનો મસાલો કરે તો મને સામે બેસાડે. મારે જોવાનું ને શીખવાનુ. કમુને તો અડવા યે ના દે. ઘરમાં એમનું જ રાજ. એમના શબ્દોમાં કહું તો એમનો જ ‘ઓડકોયડો”ચાલતો. રોજ કહેતાં કે,” રાખીશ ખાંડાની ધાર પર, પણ ખવડાવીશ સોનાનો કોળિયો.”દર મહિને મને હાથમાં પાંચ થેલીઓ પકડાવે અને અનાજવાળાની દૂકાને લઈ જાય. ખીસામાં કંઇ ન હોય તો પણ રાણી વિકટોરિયાની જેમ પાટ પર બેસી, અનાજવાળા સાથે વાત કરી,હાથમાં કઠોળના દાણાને પરીક્ષકની નજરથી તપાસે અને સરખો ભાવતાલ કરી,થેલીઓમાં બરાબર તોળાવી ભરાવે. ઘેર આવીને તરત ને તરત જ સાફ કરી ભરાવે. પછી છીંકણીવાળાને ત્યાં મોકલી તેમની એક નક્કી કરેલી જગાએથી જ છીંકણી લેવા દોડાવે. હજી આજે પણ મને એ નાનું પડીકું યાદ આવે છે.અજાણે જ જીવનમાં એમ કેટલું બધું શીખાતું જાય! ૮૦ વર્ષની ઉંમરે પણ છજાની સીધી નિસરણીના ૧૨ પગથિયા ચડીને ધાબે જ સૂવા જાય. હિંમત અને હૂન્નર તો બાના જ. મેં ક્યારેય તેમને થાકતા, કંટાળતા,હારતા જોયા નથી. કાયમ જ રસ્તાઓ કાઢતા રહેતાં. રમૂજી અને નાટકિયો સ્વભાવ પણ ખરો.બા વિશે તો ઘણું બધું લખાય. એમના વિશે મને માન ખુબ જ. પણ મા પ્રત્યેનો તેમનો વ્યવહાર સતત યાદ આવતાં, પ્રેમની પાંદડી ખુલે ખુલે ને પાછી બીડાઈ જાય. નહિ તો આજે હું તેમની ચોક્કસ પૂજા કરતી હોત. મારામાં કમુ જેટલી મનની ઉદારતા ક્યારે ય ન આવી. કદાચ એટલે જ બા મને સ્વપનામાં ઘણી વખત આવ્યાં છે. પણ શું કરુ? ક્ષણે ક્ષણને મેં કમુ સાથે નિકટપણે વર્ષો સુધી સતત જીરવી છે અને રોજ સાંજે આશાપુરીના મંદિરમાં જઈ એની શાંતિ માટે ઝુરી છું.. કમુ વિશેની આડવાત પર પેન વળી જાય તે પહેલાં બાની થોડી વધુ વાતો કરી લઉં.
હા, તો હું એમ કહેતી હતી કે,બા મને સ્વપ્નમાં ઘણી વાર આવ્યાં છે.પણ ક્યારે ય ડરાવી નથી. એકવાર તો મેં ખરેખર અડધી રાત્રે છજામાં બાથરુમ જતા, ઉપરથી બાને નીચે ઉતરતા જોયા હતાં. આવા આભાસ તો એકથી વધુ વાર સાચા લાગે તેવી રીતે થયાં છે. ગમે તે કહો પણ બાએ આપણને સૌને ખુબ કાળજીથી ઉછેર્યા છે. નવીનભાઈ માટે તો અનહદ પ્રેમ. કોઈને એનો વાળ વાંકો કરવા ન દે. દૂધ તો માત્ર એને જ મળે. ફૂલકા રોટલી તો ખરી જ.બધા જ ભાઈબેનોની સારી-ખોટી તમામ સ્વભાવગત વિગતોને એમણે પ્રમાણી છે. બોલવામાં આખાબોલા. જે જેવું લાગે કે તરત કહી નાંખે. એક ઘા ને બે કટકા. હું ભણવામાં હોશિયાર હતી. કારણ કે, એમણે મને હમેશા પોરસાવી છે. રિઝલ્ટને દિવસે ‘ દેવલી તો લઈ આવશે પહેલો નંબર’ એમ જ કહે અને એમની વાતને સાચી પાડવા જ જાણે મેં ય પહેલાં જ નંબરને પકડી રાખ્યો!! કોકીબેનને એકલા ન રહેવું પડેતેથી એની સાથે પાટણ –મહેસાણા રહ્યાં હતાં. એને પરણાવવામાં બાનો મોટો ફાળો. સંગીને પણ મારી જેમ કામ બતાવતા, શકુને નહિ. એના વિશે તો ‘મૂઈ પોમલી છે’ એમ કહેતાં. વિરુ પાસે ટેપ કરાવતા એટલું જ યાદ આવે છે.આપણી મૂળ વાત હતી દાદા વિશે જાણવાની. તો મને તો બાના શબ્દો આ પ્રમાણે યાદ છે” નાની ઉંમરમાં પરણીને અમદાવાદ આવી, બે છોકરાં થયાં પછી તારા દાદા તો તાવમાં ઝલાયાં ને ઉપડી ગયાં.ત્યારથી આ ઘર ચલાવતી આવી છું. ઘરના ઘર હતાં, ઘોડાગાડી હતાં ને ખુબ પૈસો પેઢીએ હતો. આ પોળના બે ય મોટાં મકાનો તારા દાદાના હતાં. બધું વેચીને છોકરા મોટા કર્યાં”.હવે મને આજે એક સવાલ થાય છે કે એ જમાનામાં એવો તે કેવો તાવ, કે ચોખ્ખા ઘી-દૂધ ખાધેલો સાજો સમો સમૃધ્ધ માણસ, ભરજુવાનીમાં ચાલ્યો જાય?!!આવતે અંકે રમણકાકાની,…રેવાબાની વિગેરે વાતો. નવીનભાઈની સાંભળ્યા અને વાંચ્યા પછી..દેવિકા