એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 8

નવીન બેંકર—–એક પરિચય લેખ


clip_image002

   નવીન બેંકર

નવીનભાઈનો જન્મ ૧૯૪૧ માં અમદાવાદ નજીકના ભુડાસણ ગામમાં થયેલોપિતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલોઅને એક મીલમાં નોકરી કરતા હતામાતા ચાર ધોરણ સુધી ભણેલા હતા એક મધ્યમવર્ગી કુટુંબ હતુંનવીનભાઈનું શાળા કોલેજનું ભણતર અમદાવાદમાં જ થયેલું.
કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા    માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલાએમના જ શબ્દોમાં લખું તો, “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશમાં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છેરસ્તા પર બુમો પાડીનેછાપાં વેચ્યા છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોનેઉઘાડા પગેછાપાં પહોંચાડ્યા છેસ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના    વધારા ભરબપોરે વેચ્યા છેએટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અનેઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો સમય દરમ્યાનફેરિયાઓ સાથે મારામારી પણ થતીમફતિયા પોલીસોનો માર પણ ખાધો છે.
૧૯૫૮ માં નવીનભાઈએ S.S.C. ની પરીક્ષા પસાર કરી૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વર્ષ અમદાવાદની એચ.એલકોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી અમદાવાદની એચ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસકર્યો સમય દરમ્યાન લો કોલેજ ગાર્ડનમાં  વખતે ચાલતી બીઝી બી રેસ્ટોરન્ટમાં ૫૦ રુપિયાના પગારે વેઇટરની પાર્ટ ટાઈમ નોકરી પણ કરી હતી.
નવીનભાઈએ ૧૯૬૨ માં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડીટીંગ સાથે બીકોમની ડીગ્રી મેળવી.
સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે નવીનભાઈને  લેખનનો છંદ લગાડ્યો અને પછી તો   જીવનનો રંગ બનીગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળ,રમણલાલ જોશીઅશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલુંત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકાઅને દિલ એક મંદિર’ ‘ વાર્તા ચાંદની’ માં પ્રગટ થઈત્યારથી વાર્તાલેખનમાં વેગઆવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટઆરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહીતેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ    વાર્તાસંગ્રહો બન્યાં. ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી.
૧૯૬૨ માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાંઓડીટર તરીકે નોકરી મળી.
clip_image004
      (નવીનભાઈ અને કોકિલાબહેન લગ્ન સમયે)
૧૯૬૩માં નવીનભાઈના કોકિલાબહેન સાથે લગ્ન થયાપોતાના લગ્ન વિશે નવીનભાઈ કહે છે, “એ એક ગરીબમાણસના લગ્ન હતા,  બેન્ડ ન બાજા બારાત  રીસેપ્શન,  ભોજન સમારંભ, સોનું દાગીના કંઈ જ નહીં લગ્નના માત્ર છ બ્લેક એન્ડ વાઈટ ફોટા મિત્રોએ પાડેલા. ચાર   દોસ્તોંને બે બે રૂપિયા ચાંલ્લામાં  આપેલા. પત્ની કોકિલા સીધી સાદીભલીભોળીદસ ચોપડી ભણેલીમા વગરનીલોકોને આશરે , ઘરના કામ કરીનેહડસેલા ખાઇનેમોટી થયેલી  ગરીબ છોકરી હતી.”   વખતે પોતાની પરિસ્થિતિ વિશે તેઓ કહે છે, “હું બહોળા કુટુંબમાંએકમાત્ર કમાનાર૧૬૧ રુપિયા અને ૬૨ પૈસા નો માસિક પગાર લાવતો માણસ હતોભાડાના ઘરમાં  ચોકડીમાં સ્નાન કરતા.એક  ખાટલો હતો જે દાદીમા વાપરતાબીજા ફર્શ પર પથારીઓ નાંખીને સૂઇ જતા અને સવારે ડામચીયા પર ગોદડા નાંખી દેતા.”  પત્ની વિશે તેઓ કહે છે, “પત્ની ખુબ સારા સ્વભાવની અને હરહંમેશ સુખદુખમાં સાથ આપનાર મળી છે.ક્યારેય સાડીઓ કે ઘરેણા માંગ્યા નથીઅત્યારે ૭૨ વર્ષની વયે શ્રીનાથજીના સત્સંગ અને ભજન સિવાય ક્યાંયે જતી નથી.
clip_image006
         (લગ્નના ૫૦ વર્ષ બાદ)
૧૯૬૪થી ૧૯૭૭ સુધી નવીનભાઈએ  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  ‘નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા.
૧૯૭૯ માં નવીનભાઈના અમેરિકા સ્થિત બહેન ડો. કોકિલા પરીખની સ્પોન્સોરશીપ મળતાં નવીનભાઇ અને પત્ની કોકિલા બહેનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું. ભારતની નોકરી ચાલુ રાખીને ગ્રીન કાર્ડના નિયમ અનુસાર ૧૯૭૯ અને ૧૯૮૬ વચ્ચે ત્રણ ચાર વાર અમેરિકા આવવું પડેલું. પ્રત્યેક વખતે આવીને તરત  કોઇ દેશીના સ્ટોર પર કેઅમેરિકન ફેક્ટરીમાં કામ મળી જતુંઇન્ડિયન વિસ્તારમાં એક સ્ટુડીયો અપાર્ટમેન્ટ ભાડે રાખી લેતા અને દસબારમહિના કાઢી નાંખતાઓફીસમાંથી નોટીસો આવે એટલે પાછા અમદાવાદ અને ડ્યુટી જોઇન કરી લેતાપાછા અગિયારમે મહિને ત્રણ માસની રજા લઈને અમેરિકા ભેગો થતા. આખરે ૧૯૮૬ માં સ્વેછીક નિવૃતિ લઈને કાયમ માટે અમેરિકા આવી ગયા.
૧૯૮૬થી અમેરિકા આવીને ડોક્ટર કોકિલાબેનની ઓફીસમાં  એકાઉન્ટ્સ મેનેજરની નોકરી કરી.  અમેરિકા આવીને એમની ઇતર પ્રવૃતિઓ વધારે ખીલી ઊઠી. ફિલ્મોગુજરાતી નાટકો વગેરેના અહેવાલ અને અવલોકનો વિષય પરનાતેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં૧૯૮૬માંન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલુંજેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારતના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલેના કાલિયાનો રોલ કરેજૂની રંગભૂમિના નાટકોથી માંડીને આજના    નાટકો સુધીનુંતેમનું જ્ઞાન અજોડ છે.
clip_image008
                       (બેંકર દંપતિ જયા ભાદુરી સાથે)
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ નવીનભાઈ જોડાયા.દરેકસંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે ભારતથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટની મુલાકાતે આવેલા સિનેમા અને નાટકો અથવા સંગીત જગતના કલાકારોમાંથી ભાગ્યે જ કોઇ એવું હશે કે જેમની મુલાકાત નવીનભાઈએ ન લીધી હોય.
આટલી બહોળી પ્રસિધ્ધી હોવા છતાં નવીનભાઈ કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ  લેકોઇ કમિટીમાં મેમ્બર  ન બને.પોઝીશનનો જરા યે મોહ નહિ, માત્ર મૂક સેવક રહેવાનું વધારે પસંદ કરે૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના  પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોરએવોર્ડ’  ભારતના કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાંએનાયત કર્યો હતો
તેમનો ‘ એક અનૂભુતિ  એક અહેસાસ’ નામનો એક બ્લોગ પણ છે જેમા મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં એમણે ખુલ્લા કર્યા છેકેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યેઓછપનીક્યારે  ફરિયાદ કર્યા વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો એ એમનો જીવન મંત્ર છે.

-પી. કે. દાવડા

c

 

મોહભંગ (વાર્તા) – નવીન બેન્કર –

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

 

 

 

PASSPORT PHOTO

 

મોહભંગ  (વાર્તા)   –    નવીન બેન્કર

 
તમે પેલા શાન્તીકાકાને તો હવે ઓળખો છો ને ? પેલા ગરોળીવાળા ! સંડાસમાં રાત્રે ત્રણ વાગ્યે, ગરોળી સાથે પુરાઈ ગયેલા એ ઘટના પછી સોસાઈટીમાં હવે બધા તેમને શાંતિલાલ ગરોળીવાળા તરીકે જ ઓળખે છે.
આ શાંતિલાલને થોડા વર્ષો પહેલાં એ જ્યારે અમેરિકાથી આવી જ રીતે અમદાવાદ આવેલા ત્યારે કોઇ આધેડ ઉંમરની એકલી રહેતી સ્ત્રી સાથે- દિલ લાગી ગયું હતું- દિલ લાગવા માટે ઉંમરનો બાધ નથી હોતો. દિલ તો ગમે તે ઉંમરે લાગી જાય. પણ મોટાભાગના સિનીયરો ( વયસ્ક સ્ત્રીપુરુષો ) પોતાની એ લાગણી છૂપાવી છૂપાવીને, માત્ર ચક્ષુ____( યુ નો વોટ આઈમીન ! ) થી મનને સમજાવી લેતા હોય છે. સિનીયર્સની મીટીંગમાં કોઇ વયસ્ક પુરુષ ગાયક માઈક પકડીને ગીત રજૂ કરતો હશે ત્યારે એનું સમગ્ર ફોકસ બહેનોના ગ્રુપ તરફ જ હશે. જોક્સ પણ સ્ત્રીવૃંદ તરફ જ ફેંકશે.  હવે તમે એ માર્ક કરજો.
 
હાં… તો આપણે આડી વાતે ઉતરી ગયા. શાંતિકાકા જુવાનીના દિવસોથી દિલફેંક જ રહ્યા છે. ઘણી બધી અફેર્સ તેમના ખાતે નોંધાયેલી છે.
 
શાંતિકાકાની સોસાઈટીની બહાર, ૧૦૦ ફુટના નવા ડેવેલપ થયેલા રોડ પર, એક કોમ્પ્લેક્ષના ભોંયતળીયાના ફ્લેટ પર , એક સ્ટોર બનાવી દઈને, પંચાવન વર્ષની વયના ડાયવોર્સી જિગીષાબેન  ઝેરોક્સના બે મશીન અને જંક ફુડના પેકેટો, પેન, પેન્સીલ એવું બધું રાખીને  બિઝનેસ કરતા હતા. લગભગ એટલી જ ઉંમરના શાંતિકાકા ઝેરોક્સ કરાવવા ઘણીવાર એમના સ્ટોર પર જાય. જિગીષાબેન ગૌર વર્ણના, ઉંચી કાઠીના કાઠિયાવાડી  જાજરમાન સ્ત્રી હતા. વીસેક વર્ષથી છૂટાછેડા લઈને, ખુમારીપુર્વક એકલા જીવન વ્યતિત કરતા હતા.. પાછલા રુમમાં રહે અને આગળના રુમમાં સ્ટોર કરેલો . પહેલીવાર શાંતિકાકા એમના સ્ટોરપર ઝેરોક્સ કરાવવા ગયા ત્યારે જરા ચણભણ થઈ ગયેલી. જિગીષાબેન એક રુપિયો છુટ્ટો આપવાનો આગ્રહ કરે અને કાકા પાસે દસની નોટ. અમેરિકામાં પરચુરણની આવી કોઇ તકલીફ નહીં જોયેલી એટલે કાકા તો વરસી પડ્યા  લેક્ચર આપવા. અમારે અમેરિકામાં તો આમ ને તેમ અને અહીં ઇન્ડીયામાં તો પરચુરણની મારામારી..ખિસ્સામાં રોકડા લઈ લઈને ફરવું પડે..સાલુ બધુ કાળા નાણાંનું જ ચલણ….ટ્રાફિક સેન્સ જ ના મળે સાલા ઇન્ડીયનોમાં…..મોદી શું મોદીનો બાપ આવે તો ય ભ્રષ્ટાચાર નાબુદ ના થાય.. ને  એવું બધું  લેક્ચર ઝાડી દીધેલું. પછીની વાત ટુંકી છે. જિગીષાબેન પણ નરમ પડ્યા અને ‘કાકા’ સાથે વાતચીતનો સંબંધ બંધાયો. પછી સુખદુખની વાતો પણ થવા લાગી. શાંતિકાકા કાંઇ ધોતિયા-ઝભ્ભાવાળા ‘કાકા’ નથી. હા !  માથાના ઝુલ્ફાની જગ્યાએ તાલ જરુર પડી ગઈ છે. અને પગે આર્થરાઈટીસને કારણે જરા લંઘાતું ચાલે છે બાકી હજુ આકર્ષક વ્યક્તિત્વના માલિક છે. જબાન તો જોરદાર ચાલે છે. જિગીષાબેને એમના સ્વતંત્ર સ્વભાવને કારણે, પતિ સાથે અણબનાવ થતાં ડાયવોર્સ લીધા હતા. જો કે હવે આ ઉંમરે એકલતા સાલે છે અને કોઇ યોગ્ય પાત્ર મળી જાય તો ગોઠવાઈ જવા ઇચ્છતા હતા.જુવાનીમાં તો બધુ ચાલી જાય પણ પાછલી ઉંમરે, ખાસ કરીને મેનોપોઝ અને થાયરોડની તકલીફો શરુ થતાં સ્ત્રીઓને એકલતા અને અસલામતીનો ડર એટલો સતાવવા લાગે છે કે એ બધી બાંધછોડ કરીને થાળે પડવા ઇચ્છતી હોય છે.
 
શાંતિકાકાને કાંઇ જિગીષાબેન સાથે ઘર માંડવાની ઇચ્છા ન હતી પણ થોડી મજા કરી લેવાય તો  ‘શ્રીરામ શ્રીરામ’ કરી લેવાની ઇચ્છા ખરી. શાંતિકાકા મોટેભાગે તો,’પતિ, પત્ની ઔર વોહ’ ફિલ્મના પેલા સંજીવકુમારની જેમ પોતાની પત્ની અંગેના અસંતોષની વાતો કરીને જિગીષાબેનની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરે. જિગીષાબેન પણ એમને સધિયારો આપે.  જિગીષાબેન જૈન ધર્મ પાળે એટલે વૈષ્ણવ શાંતિકાકા એમને ‘જય જિનેન્દ્ર’ કરીને જ વાત કરે. આ જિગીષાબેનનું આબેહુબ ચિત્ર તમારે જોવું હોય તો ‘સોની’ ટીવી ચેનલ પર, ‘ઇતના કરો ના મુઝે પ્યાર’ સિરીયલની પેલી નિહારીકા ને જોવી પડે. શાંતિકાકાને એની પાતળી, લાંબી ગ્રીવા ખુબ ગમતી. શાંતિકાકા એમના જેવા સ્ત્રીલોલુપ મિત્રો આગળ એ અંગે  રસિક વાત કરે ત્યારે કહેતા કે સાલીને જો કીસ કરવા મળે તો શરુઆત એના ડાબા કાન નીચેથી કરીને એની ગ્રીવા પર થઈને પછી એના હોઠ ચૂમી લઉં.’ આગળની વાત, તમારા જેવા સુજ્ઞ વાંચકોની લાગણી દુભાવે એટલે નહીં કરું.
 
થોડાક દિવસોની આ મુલાકાતો પછી, એક દિવસ  ગાંધીનગર અને ચિલોડા ચોકડીથી પાંચ કિલોમીટરના અંતરે નેશનલ હાઈ વે નંબર આઠ પર, ધણપ ગામ નજીક આવેલા, જૈનોના ધર્મસ્થાન ‘ચંદ્રપ્રભ લબ્ધિ ધામ’ ખાતે દર્શન કરીને ત્યાં ત્રણ ચાર કલાક વિશ્રાંતિ લેવાનું નકી કર્યું. જિગીષાબેને હા પાડી એટલે અનુભવી શાંતિલાલ સમજી ગયા કે હવે એ સમય આવી ગયો છે.
 
 આગલી રાત્રે ફોન પર વાત કરતાં શાંતિલાલે એમની શાંતા કેવી તકલીફો આપે છે એની હૈયાવરાળ  ઠાલવી ત્યારે જિગીષાબેને એનો પ્રતિભાવ આપતાં અસ્સલ કાઠિયાવાડી જબાનમાં  કહ્યું- ‘“બા..ય..ડી… ‘સો ?  સુટા થઈ જાવ એનાથી.”
 
અને…શાંતિકાકાનો મોહભંગ થઈ ગયો.
 
શાંતિકાકા આમ છૂટાછવાયા ગતકડા કરી લે ખરા પણ એમની શાંતાથી છૂટા થવાની વાત તો કદી સ્વપ્ને પણ ના વિચારે. લાંબા સમયના લગ્નજીવનની સંગાથી શાંતા એમને વહાલી છે. પોતે થોડા કાછડીછૂટા ખરા પણ પત્ની યે વહાલી. એમને ભાન થઈ ગયું કે પોતે આગ સાથે રમત રમી રહ્યા છે. આ ઉંમરે આ રીતે આગળ વધવામાં જોખમ છે. અસ્સલ કાઠિયાવાડી સ્ટાઇલમાં બોલાયેલા એ શબ્દોએ એમને ભાનમાં લાવી દીધા અને તબિયતનું બહાનુ કરીને જૈન ટેમ્પલનો કાર્યક્રમ રદ કરી દીધો તથા બીજા દિવસથી ઝેરોક્સ સ્ટોરનો રસ્તો પણ જુદો કરી દીધો. મોબાઈલ ફોનનું સીમકાર્ડ પણ બદલી નાંખ્યું અને પંદર દિવસમાં તો  અમેરિકા ભેગા થઈ ગયા હતા.
 
બે શબ્દો – ‘બાયડી ‘સો’ એ એમનો મોહભંગ કરી નાંખ્યો હતો.
 
લખ્યા તારીખ- ૬ એપ્રિલ ૨૦૧૫
 
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
.
,

મહાભારતની એક રોમેન્ટીક કથા – નવીન બેન્કરની નજરે

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

મહાભારતની  એક  રોમેન્ટીક કથા-  નવીન બેન્કરની નજરે

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય  અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની,  તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી  આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ?  માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!)  તત્પર થઈ જાય છે. એ વખતે પેલી  ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન)  બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા  મહારાજા શાંતનુ  એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ  પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને  ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને  અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને  NRI  હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા  એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ !  અને… એ જમાનામાં  DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ  શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે  મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની  સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.
આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.

 

 
                     .
,

મેસેજ મળી ગયો ( વાર્તા) લેખક- શ્રી. નવીન બેન્કર

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

મેસેજ મળી ગયો ( વાર્તા)                લેખક- શ્રી. નવીન બેન્કર

 

નોંધ- આ વાર્તા દિલથી યુવાન હોય એવા સ્ત્રીપુરુષો માટે જ છે. પ્રેમ, સેક્સ, સ્ત્રીપુરુષના જાતિય મનોભાવોના આલેખનથી તમારુ નાકનું ટીચકુ ઉંચુ થઈ જતું હોય તો આ વાર્તા ના વાંચશો. પુરુષની સ્ત્રીલોલુપ વૃત્તિ પર કટાક્ષ કરતી આ વાર્તાનો વિષય આપણા હ્યુસ્ટનના શિષ્ટ બ્લોગર્સની વાર્તાઓથી જુદો છે. અલબત્ત, આ વાર્તા અશ્લીલ નથી જ. હું તો લગ્નેતર સંબંધોના વિષયો પર લખવામાં એક્ષ્પર્ટ છું એવું હું માનું છું.
************************************************************************************************************************* 

હ્યુસ્ટનના ઇન્ડિયા હાઉસમાં પેલા  ‘આપ’થી જાણીતા થઈ ગયેલા કવિ. લેખક અને હિન્દી ભાષાના પુરસ્કર્તા એવા કુમાર બિશ્વાસનો કાર્યક્રમ હતો.

એ દિવસે  બીજી ઓગસ્ટ  અને શનિવાર હતો.

નચિકેત, પાર્કીંગ લોટમાં આમંત્રિતોની કારોનું વ્યવસ્થિત  પાર્કીંગ કરાવવા માટે વોલન્ટીયર તરીકે ફરજ બજાવતો હતો. હ્યુસ્ટનની ખ્યાતનામ હસ્તીઓ ગાડીઓ લઈને આવતી હતી..શ્રી. રવિ કંકરીયા, શ્યામ પંજવાણી, વિજય સિરોહી,આભા દ્વિવેદીજી,  કવિશ્રી. નૌશા અસ્સાર, પત્રકાર વંશિકા વિપીન…ને એવા તો ઘણાં જાણીતા ચહેરાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમ શરુ થવાની તૈયારીમાં જ હતો અને પાર્કીંગ એરિયા ભરચક થઈ ગયો હતો ત્યાં જ એ અત્યંત સ્વરુપવાન  સ્ત્રી કાર લઈને પ્રવેશી. નચિકેત એને જોઇને મંત્રમુગ્ધ થઈ ગયો.  વી.આઈ.પી.માટે સ્પેશ્યલ કોરીડોરમા જગ્યા રાખેલી ત્યાં, એ રુપાળી સ્ત્ર્રીની કાર પાર્ક કરાવીને, નચિકેતે કૃતકૃત્યતા અનુભવી હતી.

હેન્ડસમ  કુમાર બિશ્વાસ, શાયરાના અંદાઝમાં બમ્બૈયા સ્ટાઇલથી, શાયરી ફટકારી રહ્યા હતા-

કોઇ  દિવાના  કહેતા હૈ,  કોઇ પાગલ સમજતા હૈ,

મગર, ધરતીકી બેચેનીકો બસ બાદલ સમજતા હૈ.

મૈં તુઝસે દૂર કૈસે હૂં, તૂ મૂઝસે  દૂર કૈસે  હૈ,

યે તેરા દિલ સમજતા હૈ યા મેરા દિલ સમજતા હૈ..

શ્રોતાઓ સ્ટેન્ડીંગ ઓવેશન સાથે વાહ વાહ પોકારી રહ્યા હતા.

પાર્કીંગનું કામ પુરુ થઈ જતાં, નચિકેત પણ હોલમાં આવીને પાછલી સીટ પર ગોઠવાઇ ગયો હતો. પેલી શાયરી પર સ્ટેન્ડીંગ ઓવેશન વખતે  નચિકેત અને પેલી ખુબસુરત નાઝનીનની નજરો મળી અને ઔપચારિક પરિચય થયો હતો. એનું નામ સુહાસિની હતું.  નિર્દોષ ડાયવોર્સી હતી અને, જ્યાં દેશી લોકો વધુ રહેતા હતા એવા વિસ્તારમાં એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. બાળકોની જંજાળ ન હતી. કોઇ કન્વીનીયન્સ સ્ટોરમાં કાઉન્ટર સંભાળતી હતી.

નચિકેત પણ  એની ઉંમરની ચાલીસીમાં છે. યુવાન અને વાચાળ માણસ છે. પરિણીત પણ છે. પત્ની સીધી સાદી  ‘શાન્તાબેન’ છે. સારી છે. પણ  મોટાભાગના રસિક પુરુષોને  ‘SEVEN  YEARS  ITCH’ નો અનુભવ થતો જ હોય છે. એકધારી જિન્દગીમાં થોડીક થ્રીલ અને રોમાંચ અનુભવવા માટે  મોટાભાગના પુરુષો તલપાપડ થતા જ હોય છે.  હા ! કોઇ શરમાળ હોય, હિમ્મત વિનાના હોય, ધર્મભીરુ હોય એ જ આખી જિન્દગી ઘરના દાળભાત ખાઈને જીવતા હોય છે.

 બાકી કલાકાર હોય, લેખક હોય, કવિ હોય, સંગીતકાર હોય, વાચાળ હોય, સ્માર્ટ હોય તો ક્યારેક ને ક્યારેક તો એના જીવનમાં પેલી ‘નિવેદીતાઓ’ આવતી જ હોય છે. કોઇ સ્વીકારે કે ના સ્વીકારે. (‘નિવેદીતા’ એટલે ‘ઇતના ના કરો પ્યાર’ સિરિયલની અભિનેત્રી). ઇન્ડીયા હાઉસ અને એવી અન્ય સંસ્થાઓમાં  નચિકેત વોલન્ટીયર તરીકે સેવા આપે, સેલીબ્રીટીઝના ફોટા પાડે, ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે ઇન્ટરવ્યુ લે એટલે ચહેરાથી કોમ્યુનિટીમાં બધા ઓળખે. એ દિવસે તો કશી વાત થઈ શકી ન હતી પણ બીજી મુલાકાત ગુજરાતી સમાજની પોંક પાર્ટી વખતે થઇ.

  સુહાસિની પોંક, ઉંધીયુ અને જલેબીની ડીશો તૈયાર કરતી હતી અને  નચિકેત દેશીઓના ટોળાને લાઇનમાં વ્યવસ્થિત ઉભા રહેવા આગ્રહભરી વિનંતિ કરતો હતો ત્યારે  કોમન ટોપીક પર વિચારવિનિમય કરતાં, વાતચીતનો સંબંધ બંધાયો. ‘ આપણા સાલા દેશી લોકો શિસ્તમાં સમજતા જ નથી. એક વ્યવસ્થિત લાઇન કરવાને બદલે, ચાર ચાર લાઇનો કરી નાંખે અને ટોળામાં જ, ઘુસવાની આદ્ત છે એમને. હેન્ડીકેપ્ડ પાર્કીંગમાં પણ ગાડીઓ પાર્ક કરી નાંખે. નાટકમાં પણ મોડા આવીને ખોટી સીટો પર બેસી ગયા હોય. અમદાવાદમાં તો જમીનના એટલા પૈસા આવી ગયા છે અને બ્લેકમનીને કારણે ઘેરેઘેર ગાડીઓ આવી ગઈ છે પણ ટ્રાફિકસેન્સ વગરના સાલા દેશીઓ……વગેરે વગેરે… જેવા બળાપાના સૂરો વચ્ચે , ફોન નંબરની આપ-લે થઈ ગઇ.

સુહાસિનીના સ્ટોર પર બે-ચાર મુલાકાતો પણ થઈ. એ પછી, નચિકેતને થયું કે હવે ખોટી લાળ પાડ્યા વગર એને સિનેમા જોવાનું આમંત્રણ આપીને, આગળ વધવું જોઇએ.

આમે ય, જિન્દગીની ચાલીસીએ પહોંચેલા પુરુષો, પેલા ટીન એજર છોકરાઓની જેમ છ છ મહિના સુધી ફીલ્ડીંગ ના ભરે. અને જે કામ કરતા ટીનએજર છોકરાઓને બે જ મીનીટ લાગે  એ કામ ચાલીસીએ પહોંચેલા અનુભવી પ્રેમીઓ-  યુ નો આઇ મીન !

સિનેમા થિયેટર એ પ્રેમીજનો માટે મળવાનું આદર્શ સ્થળ ગણાય. એક જમાનામાં, અમદાવાદમાં ભીખાભાઇ પાર્કના કે વિક્ટોરીયા ગાર્ડનના અંધારા બાંકડા કે યુનિવર્સિટી પાછળના ખુલ્લા ખેતરો  પ્રેમીઓના આદર્શ મિલનસ્થળો હતા. હ્યુસ્ટનમા  એ.એમ.સી. થીયેટર્સના પહેલા શો આવા આદર્શ સ્થળ ગણાય. ડોલરિયા દેશમાં ડોલરની લાહ્યમાં બપોરના પહેલા શોમાં કાગડા જ ઉડતા હોય. અમિતાભ કે સલમાનના નવા પિક્ચરના પ્રિમિયમ શોમાં  પણ પરાણે પાંચ દેશીઓ જોવા મળે. છોકરી ફિલમ જોવા આવવાનું  આમંત્રણ સ્વિકારે એટલે સમજી જવાનું કે હવે  સ્વાભાવિક લાગે  એવા અછડતા સ્પર્શથી શરુ કરીને ક્રમિક તબક્કે છૂકછૂક ગાડી આગળ વધી શકે.

‘તમે  મૂવી જુઓ છો કે નહીં ?’

‘જોઇએ ક્યારેક  બે ડોલરમાં  ડુપ્લીકેટ  ડીવીડી  લાવીને ફુરસદના સમયે.’

‘મને તો ડીવીડીમાં મૂવી જોવાની મજા જ ના આવે. થીયેટરના વિશાળ પડદા પર સ્ટીરીયોફોનિક સાઉન્ડ અને ફુલ સાઇઝની બિપાશા બાસુ કે કેટરીના કૈફને અંગોને હિલોળા આપી આપીને ડાન્સ કરતી જોવાની મજા થિયેટરમાં જ આવે, બાકી.’

‘તમે તો બહુ બેશરમ છો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ કહ્યું.

‘તમને વાંધો ન હોય તો આપણે ,તમારી રજાના દિવસે એક વખત એ/એમ/સી માં ‘મીસ્ટર એક્સ’ જોવા જઈએ. અદ્ર્ષ્ય થઈને વીલનોની ધોલાઇ કરતા  કીસીંગ એક્સપર્ટ ઇમરાન હાશ્મીનું લેટેસ્ટ  મૂવી છે. તમે આવશો ?’

‘જોઇએ હવે. સમય મળે એના પર આધાર છે. તમે ફોન કરજો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ, તોફાની આંખો નચાવતા જવાબ આપ્યો. છોકરીઓ જાણતી જ હોય છે કે સિનેમાના અંધકારમાં કેવા ગલગલીયા થતા હોય છે !

નચિકેતને હવે સ્વર્ગ હાથવેંતમાં લાગ્યું.

સુહાસિની…સુહાસિની..સુહાસિની..એમ મોટેથી બુમો પાડીને એ નાચી ઉઠ્યો.

રુપાળી સ્ત્રીના સાન્નિધ્યમાં ગૂસપૂસ ગૂસપૂસ વાતો કરતાં કરતાં, મૂવી જોવાની ક્ષણોના રોમાંચની કલ્પના માત્ર એની ચાલીસીએ ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરીને ચાર્જ કરવા પુરતી હતી.

પોતાની પત્નીને સવારથી જ કહી રાખ્યું હતું કે આજે સાંજે પ્રેક્ષા મેડીટેશન સેન્ટરમાં હરીશ ભાવસારે એના નવા નાટકના ગ્રાન્ડ રીહર્સલમાં મને બોલાવ્યો છે એટલે જરા મોડુ થશે. નચિકેત જેવા માણસોને આવા જુઠ ડગલે ને પગલે બોલવા જ પડતા હોય છે.

સુહાસિની મોટેભાગે ચળકતુ બ્લ્યુ કે ગુલાબી રંગના વસ્ત્રો પરિધાન કરે છે એટલે પોતે પણ ગુલાબી રંગનું શર્ટ અને બ્લ્યુ કલરનું પેન્ટ પહેરીને તૈયાર થઈને બેઠો. છેક સાંજે જ, ક્લીન શેવ દાઢી કરી અને પુછોની કટ પણ કરી દીધી. બૂટને પોલીશ કરી દીધું. હાથની આંગળીઓના નખ પણ કાપી દીધા.

સાંજે સાત વાગ્યે ફોન કરીને પુછ્યું કે  ‘નીકળે છે ને ?’  સામેથી જવાબ મળ્યો-‘‘આજે તો જોબ પર ખુબ કામ હતું તેથી થાકી ગઈ છું. આજે અનુકૂળ નહીં પડે. કાલે જઇશું.’

બીજે દિવસે ફરી તૈયાર થઈને ફોન કર્યો તો સામેથી જવાબ આવ્યો-‘ મેનોપોઝનો દુખાવો શરુ થયો છે. હવે કાલે વાત.’

અનુભવી નચિકેત સમજી ગયો કે મેનોપોઝનો દુખાવો એટલે ચાર દિવસનો ત્રાસ. એટલે ચાર દિવસ પછીના રવિવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું.

વહેલી સવારે, કોમ્યુટર પર, ગુગલમાં, એ.એમ.સી-૩૦ ડનવેલ ના શો ટાઇમીંગ ચેક કરી લીધા. આખા દિવસના બધા જ શોનું લીસ્ટ બનાવી રાખ્યું. કદાચ સુહાસિની આજે ય કોઇ બહાનુ કાઢે કે સવારનો શો અનુકૂળ નહીં પડે તો પાછળના બીજા બધા શોમાંથી એકાદ કહી શકાય.

ફરી રીપીટેશન…નવી બ્લેડથી શેવ કર્યું…હાથની આંગળીઓના નખ કાપ્યા..ગુલાબી શર્ટ અને બ્લ્યુ પેન્ટ પર ઇસ્ત્રી ફેરવી લીધી.. અને દસ વાગ્યે ફોન કર્યો-

સામેથી જવાબ આવ્યો- ‘ છ દિવસની જોબ પછી એક રજા આવી એમાં કામનો ઢગલો થઈ ગયો છે. લોન્ડ્રી કરવાની છે. ઘર સાફ કરવાનું છે.ગ્રોસરી લાવવાની છે. મેનોપોઝનો દુખાવો પણ ચાલુ જ છે. એટલે આજે તો નહીં ફાવે. ફરી ક્યારેક.’

નચિકેતે મૂવીનું લીસ્ટ ફાડી નાંખ્યું.

એને મેસેજ મળી ગયો હતો. *********************************************** 

નવીન બેન્કર                                     લખ્યા તારીખ- ૨૦ એપ્રિલ ૨૦૧૫

.
,

ઓહ….અમેરિકા !! -નવીન બેન્કર-

ઓહ….અમેરિકા !!                 -નવીન બેન્કર-

અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છે- ગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.

કેટલાકને આ વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓ ‘અશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે એ હું સમજું છું.

પણ, મેં ‘દરેક પુરુષ’ કે ‘દરેક રસિક પુરુષ’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોં !  આગળ ‘સ્ત્રીલોલુપ’ એવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી જ આ રસિક લેખ વાંચશો.

આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનના ‘હ્યુસ્ટન ક્રોનિકલ’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અને ‘ નયા પડકાર’ ના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે આ માહિતી આપને જણાવું છું- અલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.

હાં…તો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અને…અમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ  પોતાના પુત્ર કે જમાઇને   કોઇ  ‘અવેઇલેબલ ગોરી’ અંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે- ‘બાપુ… તમારે અમેરિકામાં  કોઇ  ‘ગોરી’ અવેઇલેબલ ખરી ?’   અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી જ રહેવાના.

સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો એ કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી  ગોરી મેક્સીકનો કે  ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકે- જો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.

ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને  એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં જ તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.

હા…એપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.

હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામ-ઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા જ છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એક ‘ધોળી’નો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર જ ‘આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી જ વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે  એ પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી જ પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી.  બીજીની મદદથી  જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.

આ તો જાવેદમિંયાના સદનસીબે એ બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષી-પુરાવાનો નાશ જ કરી નાંખવામાં આવતો હોય છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.

બીજો એક કિસ્સો તો એનાથી ય વધુ રસિક છે. ‘ નયા પડકાર’ના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં આ છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર  ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે  હ્યુસ્ટનના એક ઇન્ડીયન-પાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, આ બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં જ એક રૂપાળી લલનાએ આવીને કહ્યું- ‘હા…ય..’.

કાકા પાણી પાણી થઈ ગયા.

મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ જ પુછ્યું- ‘ હાઉ  મચ ?’

ધોળીએ કહ્યું- ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’

કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ ન હતી અને ધોળી પાસે પોતાની જગ્યા ન હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબ’થી જ સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કે ‘આ ‘બ્લો જોબ’ એટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .

એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખ’ માણવાની તૈયારી કરી ત્યાં તો…તેમના ગળા પર છરીની અણી દાબીને પેલી ‘માયા’ બોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’  ( અલબત્ત, આ વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )

કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.

ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.

કાકા શરમજનક  સ્થિતિમાં  ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ ન હતી એટલે ‘કોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયો’ એવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.

આમ તો આ વાતનો અહીં અંત આવી જાય. પણ ના…

એ કોમ્પ્લેકસમાં જ રહેતા એક  ‘દેશી’ સીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે  કહ્યું- ‘ કાકા…ગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી આ વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’

પણ કોઇ  કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ…

હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીં ‘કડીયાનાકા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.

‘આહ…અમેરિકા’ નો લ્હાવો માણવા જતાં, ક્યારેક ‘ઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !

નવીન બેન્કર.

તા.ક.  આપના પ્રતિભાવની મને હંમેશા અપેક્ષા હોય છે. મને જીવનને ઉન્નત કરે એવી કથાઓ લખવાનું નથી ફાવતું. અપુન કો તો ઐસા જ લિખનેકો કો મંગતા.

એકદમ  લાઈટ..દિલને ગલગલિયા કરાવે તેવું. અપુન કો ક્લાસ-વન રાઈટર બનકે, એમેઝોન પર નહીં જાણેકા. ગીનેસ બુકમેં અપુનકા નામ નહીં લીખવાણેકા…ડાયસ્પોરા સર્જકોકી યાદીમેં  નહીં જાણેકા. ક્યા બોલતા તુ ?

અપુનકો તો ખેડેવાલી આપાકા, કણભેવાલે સલ્લુમિંયાકે લફડેવાલી બાતોં મેં જ્યાદા રસ પડતા હૈ… ક્યા ?

 

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો □અહેવાલઃ ‘મહેક’ ટંકારવી

June 4th, 2015 Posted in સંકલન્

photo_102  photo_008

  ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો

રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો

અહેવાલઃ ‘મહેક ટંકારવી   

શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલહિકમાહ સેન્ટર ખાતે યુ.એસ..થી કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીની રજત જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન જેમાં બાટલીના ગઝલકારોની કાવ્યકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું અને Batley Bond અને Batley Buds જેમાં બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ મહેમાનો, કવિગણ તથા ઉપસ્થિત શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા પર ઘણી વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૦માં ફોરમની સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીનાં ૨૫ વર્ષોમાં ફોરમે દેશપરદેશના ઘણાં જાણીતા કવિઓને અહીં આમંત્રી તેમની ઉપસ્થિતિમાં અનેક મુશાયરાઓનું આયોજન કર્યું છે, સ્થાનિક કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા વર્કશોપ્સ (કાવ્ય શિબિરો) યોજી છે, કાવ્ય અને ગઝલસંગ્રહોનું પ્રકાશન કર્યું છે, અંગ્રેજ કવિઓને પણ પ્રવૃત્તિમાં સાંકળ્યા છે અને રીતે લોકોને ગઝલોહઝલોની લહાણી કરાવવા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીં બ્રિટનમાં અને ખાસ કરીને યોર્કશાયરમાં ગુજરાતી ભાષાની માવજત સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે.

અહમદ ગુલે મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે  ઔર કારવાઁ બનતા ગયા  જાણીતો શેર ટાંકીને પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. અહમદ ગુલની સેવાઓની કદર રૂપે પ્રસંગે તેમને તેમની પૌત્રી તરફથી ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર મહેક ટંકારવી કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે, તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે એમ કહી ગુલદાનના કવિઓની ગઝલોમાંથી કેટલાક શેરો તરન્નુમથી રજુ કરી જાણે મુશાયરાનું માહોલ સર્જી આપ્યું હતું. તેમણે ખાસ કરીને જેમની ગઝલોહઝલોના પડઘા હજી યોર્કશાયરની ખીણટેકરીઓમાં ગુંજે છે અને જેઓ પોતાની ગઝલોહઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહને પ્યારા થઇ ગયા છે તેવા મરહુમ હસન ગોરા ડાભેલી અને મુલ્લાં હથુરણીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિન્ગહામના કવિ પ્રફુલ્લ અમીને Batley Bond વિષે બોલતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષી આપણી નવી પેઢીઓને ધ્યાનમાં લઇ હવે બહુભાષી મુશાયરાઓ યોજવાનો સમય આવી ગયો છે. અંગ્રેજ કવિઓને પણ સાથે લઇને ચાલવાથી એકબીજા સાથે હળવાભળવાનો અને પરસ્પર વિચારોની આપલે કરવાનો મોકો મળી રહેશે. તેમણે સંગ્રહમાં સમાવિષ્ટ તમામ કવિઓને અંગ્રેજીમાં સુંદર કવિતાઓ પીરસવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યાર પછી Batley Budsf]=  ડેવીડ કૂપર અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના જુલિ હેઇગના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતી આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે investment in poets is an investment in our community. It binds together our communities. વિવિધ સમાજોને એકબીજાની નિકટ લાવવામાં સાહિત્ય અને કવિતા સારો એવો ભાગ ભજવી શકે છે.

ઝયનબ દાજીએ પોતાની અંગ્રેજી કવિતાનું વાંચન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. ત્યાર બાદ ૧૭ વ્યક્તિઓનું સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમના ઉમદા યોગદાન બદલ પ્લાક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના શ્રી વિપુલ કલ્યાણીએ બ્રિટનમાં ગુજરાતી ભાષા વિષે બોલતાં જણાવ્યું કે અહીંની અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓએ ગુજરાતી ભાષાને અહીં અંગ્રેજીના પ્રભુત્વવવાળા દેશમાં આજ પર્યંત જીવંત રાખવા ઘણું કર્યું છે. દુ: વાતનું છે કેે ગુજરાતથી હજારો માઇલ દૂર રહીને પણ રોજી રોટી કમાવાની સાથે સાથે ગુજરાતી ભાષા, સંસ્કૃતિસંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા પોતાની કલમ દ્વારા અહીંના કવિઓ, ગઝલકારો, વાર્તાકારો અને લેખકોએ જે મહેનત કરી છે તેની અત્યાર સુધી ગુજરાતમાં જોઇએ તેવી અને તેટલી નોંધ લેવાઇ નથી. ગુજરાતીના વર્ગો પહેલાં ચાલતા હતા જે હવે ચાલતા નથી, ગુજરાતીને અહીંની શાળા કોલેજોમાંથી પણ જાકારો આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા ઉપજે છે. આવા સંજોગોમાં ગુજરાતી આપણા ઘરોમાં બોલવાનું પણ ચાલુ રહે તો ગનિમત લેખાશે.

લેસ્ટરની લેખિકા અને દેવિકાની વર્ષો જૂની નિકટની સહેલી નયના પટેલે જેમણે લગ્ન પછી વર, ઘર અને બાળકો સાથે પણ લખવાનું ચાલુ રાખ્યું છે તેવા મુખ્ય મહેમાન દેવિકા ધ્રુવનો પરિચય આપ્યો હતો. પોતાનું વકતવ્ય શરૂ કરતાં કવયિત્રી દેવિકા ધ્રુવે ચમત્કારોના આવિષ્કારની વાત કરતાં જણાવ્યું કે અહીંયાં આવવું પણ મારા માટે એક ચમત્કાર જેવું થયું છે. જ્યાં જ્યાં ભરાતો શબ્દનો દરબાર ત્યાં મન દોરાતું એમ કહી અહમદ ગુલનું આમંત્રણ મળતાં મેં અહીં આવવાનું નક્કી કર્યું અને ભાવભીના સ્વરે ઉમેર્યું કે આજે લાગણીનું તાપણું કરી બેઠેલા આવા દિલાવર લોકો વચ્ચે મને ઘર આંગણા જેવું લાગે છે. હું ફોરમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિષે સાંભળી અને નિહાળીને ઘણીજ પ્રભાવિત થઇ છું અને અહમદ ગુલને ખોબા ભરીને દરિયા જેટલી શુભાશિષ આપું છું, અભિનંદન પાઠવું છું. વિશ્વની ભાષાઓમાં સમૃદ્ધિની દ્દષ્ટિએ ગુજરાતી પચાસમા નંબરે આવે છે એમ જણાવી મા (ગુજરાતી) વહાલી પણ માસી (અંગ્રેજી) પણ ગમે છે એમ કહી તેમણે બેઉ ભાષાઓનું ગૌરવ કર્યું હતું. એમણે આદિલ મન્સૂરીને યાદ કરતાં કહ્યું કે મને ગઝલ લખવાની પ્રેરણા આદિલ પાસેથી મળી હતી.

છેલ્લે વિરામ અને ભોજન બાદ મુશાયરાની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક ઇમ્તિયાઝ પટેલે હાજર રહેલા ૨૦ જેટલા કવિઓને પૂરતા સમયના અભાવે ઝડપથી રજૂ કરવાનું કપરુ કામ ઉપાડી લીધું હતું. મહેમાન કવયિત્રી દેવિકા ધ્રુવ ઉપરાંત બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિન્ગ્હામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કરી શ્રોતાઓને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી જકડી રાખ્યા હતા.

શબ્બીર કાઝી આભારવિધિ કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો અને સુંદર સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવા બદલ ઇકબાલ ધોરીવાલાનો તથા કાર્યકમના આયોજનની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઇ તેને સરસ રીતે પાર પાડવા બદલ અહમદ ગુલ અને સાથીઓનો આભાર માન્યો હતો. સાંજના વાગ્યે શરૂ થયેલો કાર્યક્રમ રાતના ૧૧.૩૦ વાગ્યે સમાપ્ત થયો હતો.  

   

થોડુંક લોજીક , થોડુંક મેજીક – ( નાટ્ય અવલોકન ) અહેવાલ – શ્રી. નવીન બેન્કર ____________________

June 4th, 2015 Posted in અહેવાલ

થોડુંક લોજીક , થોડુંક  મેજીક  ( નાટ્ય અવલોકન)

અહેવાલ –            શ્રી. નવીન બેન્કર    તસ્વીર સૌજન્ય–  શ્રી. ગૌતમ જાની

————————————————————————–——

મહાગુજરાત દિનેએટલે કે પહેલી મે , હ્યુસ્ટનના  જુના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરમાં, ટીકુ તલસાણિયા, અલ્પના બુચ, મનન શુક્લ અને અમી ભાયાણી અભિનિત એક સુંદર, અર્થસભર, વિચારશીલ અને છતાં મોજથી માણી શકાય એવું નાટક જોયું.

નાટકના મૂળ લેખક છે શ્રી. રાજુ શીંદે. સ્નેહા દેસાઇએ તેનું ગુજરાતી રૂપાંતર કર્યું છે.

પંદર વર્ષ ઘરડાઘર માં , સ્વૈચ્છીક પણે રહીને પાછા પોતાના ઘરમાં આવેલા ૭૫ વર્ષની વયના એક વયસ્ક પુરુષ  છગનલાલ ત્રિવેદી ( ટીકુ તલસાણિયા) અને તેમના પૌત્ર ચિંતન ( મનન શુક્લ) વચ્ચેના મતભેદ કે મનભેદની વાત રજૂ કરતા નાટકમાં લીવીંગ રીલેશન્સની વાત પણ ખૂબીપૂર્વક કહેવાઇ છે. ચિંતન અને તેની ગર્લફ્રેન્ડ જેની ઉર્ફે જાનકી ( અમી ભાયાણી) ના લીવીંગ રીલેશન્સની સાથે સાથે દાદાના પણ પોતાની બાળસખી શકુ (અલ્પના બુચ) સાથેના લીવીંગ રીલેશન્સની કથા એવી તો રમૂજભરી રીતે વણી લેવાઇ છે કે નાટક ક્યારેક ખુબ હસાવે છે તો ક્યારેક આંખ ભીની પણ કરી મૂકે છે.

નાટકના અંતમાં હું જ્યારે ટીકુભાઇને મળવા સ્ટેજ પર ગયો ત્યારે તેમણે મને વિનંતિ કરી કે નાટકની વાર્તા તમારા રીવ્યૂમાં લખશો અને તમને જે સંવાદો ખૂબ ગમ્યા છે તે પણ ના લખશો. એટલે હું એની વાત નહીં કરું.

નાટકના દિગ્દર્શક શ્રી. અનુરાગ પ્રપન્નનું દિગ્દર્શન પ્રશંસનિય છે. દ્રષ્યોને નાટ્યાત્મક રાખવાની સૂઝ એમણે દાખવી છે.દરેક પાત્રની લાક્ષણિકતા પણ રજૂ થાય એની કાળજી એમણે દ્રષ્યોની ગોઠવણી અને પાત્રોની પસંદગીમાં રાખી છે. ઘરનો દિવાનખંડ અને 

બગીચાના બાંકડાના દ્રષ્યોની ગોઠવણી દાદ માંગી લે છે. અલ્પના બુચે પણ શકુંતલા કોઠારીના પાત્રના મનોજગત સાથે તદાકાર થઈને વાચાળ થયા વગર અભિનય કર્યો છે. ટીકુની વિચક્ષણતા અને રમૂજવૃત્તિ પ્રભાવક વ્યક્તિત્વ ઉભું કરે છે. ભૂમિકા ભજવતો કલાકાર જો સજ્જ હોય તો, સમગ્ર કૃતિ નિરસ બની જાય. ભૂમિકા જાણે ટીકુ માટે લખાઇ હોય એવી પ્રતિતી થાય એટલી હદ સુધી ભૂમિકાને તેમણે આત્મસાત કરી છે.પૌત્રની ભૂમિકામાં શ્રી. મનન શુક્લ  પોતાનો આક્રોશ સરસ રીતે વ્યકત કરી શક્યા છે અને તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં  બહેન અમી ભાયાણી પણ વાતાવરણને હળવુ રાખવામાં ખુબ મદદરુપ થયા છે.

કળાકારોની પસંદગી, ટીમવર્ક અને રંગભૂષાની પસંદગીથી નાટકના પાત્રો અને વાતાવરણ જીવંત લાગે છે.

નાટકમાં એકરમણિકપણ છે જે ક્યારેય સ્ટેજ પર આવતો નથી. બિલાડો છે.

અમુક અમુક દ્રષ્યો વખતે બેકગ્રાઉન્ડમાંથી ફિલ્મી ગીતની સદાબહાર પંક્તિઓ સંભળાય છે

અજીબ દાસ્તાં હૈ યે, કહાં  શુરૂ કહાં ખતમ….’

વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ ગઈ’…..

જિન્દગી કૈસી હય પહેલી હાય…’દાદાજી પોતાના પૌત્રને, એની દાદીના મ્રુત્યુ વખતના સંવાદો કહે છે ત્યારે દરેક    

પ્રેક્ષકની આંખ સજળ થઈ ઉઠે છે.

૨૫ વત્તા ૫૦ એટલે ૭૫ નોટ આઉટ દાદાજી તરીકે ટીકુ તલસાણિયા પાત્રને જીવી ગયા છે.

બગીચાના બાંકડા પર ૭૫ વર્ષના દાદાજી અને તેમની, ચાલીમાં રહેતી પાડોશણ સાથેની  કિશોરવયની કુમળી કુમળી લાગણીઓની વાતો જેવી વાતો મને લાગે છે દરેકે દરેક વયસ્ક સ્ત્રીપુરુષો અનુભવી ચૂક્યા હશે.

નાટકનો પ્રધાન સંદેશ છે– ‘માઇન્ડ ઇઝ કરપ્ટ. હૃદય જે કહે તે કરો. બુધ્ધીનું ના સાંભળોલીસન ટૂ વોટ યોર હાર્ટ સેઝઘડપણમાં હસવાનું બંધ થવું જોઇએ. હસવાનું બંધ થાય એટલે ઘડપણ આવે.’ 

સહકુટુંબ જોવા જેવું સ્વચ્છ નાટક હ્યુસ્ટનમાં લાવવા બદલ શ્રી. અજીત પટેલ અને નિશા મિરાણીને અભિનંદન. આર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રમોશન્સ વાળા નેશનલ પ્રમોટર શ્રી.શશાંક દેસાઇ પણ અભિનંદનના અધિકારી છે.

અસ્તુ.

નવીન બેન્કર  ૭૧૩૮૧૮૪૨૩૯    લખ્યા તારીખ//૨૦૧૫

સાથે કુલ પાંચ ફોટા છે– 

સૌથી ઉપરના ફોટામાં અહેવાલ લેખક શ્રી. નવીન બેન્કર અને ટીકુ તલસાણિયા દેખાય છે.

એટેચમેન્ટના ચાર ફોટાઓમાં () ટિકુ તલસાણિયા અને અલ્પના બુચ  બગીચાના બાંકડા પર  -()  અને () માં  નાટકના દ્રષ્યમાં ચારે કલાકારો.  ()  નાટકના ચારે કલાકારોટીકુ,અમી ભાયાણી , મનન શુક્લ અને અલ્પના બુચ

તસ્વીર સૌજન્યશ્રી. ગૌતમ જાની.

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.    

પાનખરે ખીલ્યાં ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

June 4th, 2015 Posted in અહેવાલ

પાનખરે ખીલ્યાં ફૂલ         નાટ્યઅવલોકન–  શ્રી. નવીન બેન્કર 

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવળ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

 

આ પ્રતિભા રાવળે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

 

સંગીતકાર બાપુજીની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. બાપુજીના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે. સરિતા ( દીકરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર બાપુજીને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી નામની એક સ્ત્રીમિત્ર છે જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ. નાટકના અંતમાં શુભ્ર ધવલવસ્ત્રો માં આશાવરીનો પ્રવેશ થાય છે. અને કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, બાપ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી બાપુજીના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવળ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. બાપુજીના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદ્દોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

 

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

 

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો.

 

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !       Enclosure- 4 Photographs
 

નવીન બેન્કર           ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

                 .

 

અદિતિ દેસાઇ- મહિલા નાટ્ય દિગ્દર્શકની મુલાકાત શ્રી. નવીન બેન્કર

June 4th, 2015 Posted in અહેવાલ

અદિતિદેસાઇમહિલા નાટ્યદિગ્દર્શકની મુલાકાત

શ્રી. નવીન બેન્કર

ફેબ્રુઆરિમાર્ચ ૨૦૧૫ની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન મેં જે નાટકો જોયા એમાં કેટલાક નાટકો તો સાવ નોખી ભાત પાડતા નાટકો હતા, જેમાંનુ એક નાટક તેઅકૂપાર’. સૌરાષ્ટ્ર અને કચ્છનો માલધારી સમાજજંગલના દ્રષ્યો..સાવજની ત્રાડો

ખમીરવંતી છુંદણાવાળી અને મોટા મોટા બલોયા પહેરેલી ગ્રામ્ય સ્ત્રીઓની વાત કહેતા અકૂપારનાટકનો અર્થ થાય-‘કાચબો

આવા પ્રયોગશીલ નાટક નો ટીકીટ શો કરવો અને એનું પ્રોડકશન કરવું જિગરની વાત છે નાટક કર્યું એક સ્ત્રીદિગ્દર્શિકાએ. નાટ્યગુરુ શ્રી. જશવંત ઠાકરના દીકરી અદિતિએ.

હ્યુસ્ટનના શ્રી. કીરીટ મોદી  અને  ઇન્દીરાબેન મોદી પણ નાટક જોવા આવેલા. તેઓ પણ નાટક જોઇને ખુબ પ્રભાવિત થયેલા.

 નાટકની મુખ્ય ભૂમિકામાં અદિતિબેનની સ્વરુપવાન દીકરી દેવકી હતી અને પુરુષપાત્રમાં શ્રી. અભિનય બેન્કર.

નાટક પુરુ થયા પછી બેકસ્ટેજમાં હું ત્રણે કલાકારોને વ્યક્તિગત રીતે મળ્યો ત્યારે શ્રીમતિ અદિતિ દેસાઇ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે, મારા હ્યુસ્ટનના નાટ્યરસિક મિત્રો સમક્ષ રજૂ કરું છું. વિધિસર મુલાકાત હતી એટલી ચોખવટ કરી દઉં.

પ્રશ્ન–  અદિતિબેન, વર્ષો પહેલાં,આપના પિતાશ્રી શ્રી. જશવંત ઠાકરનો ઇન્ટર્વ્યૂ મેંનવચેતનમાટે લીધેલો અને ૧૯૭૧ના કોઇ અંકમાં ફોટાઓ સહિત તે પ્રસિધ્ધ થયેલો. વખતે આપ તો કદાચ આઠદશ વર્ષની ઉંમરના હશો એમ હું માનું છું. આજે આપને મળીને મને આનંદ થાય છે. આપના કેટલાક નાટકો-‘અભિજ્ઞાન શાકુંતલ’, નટસમ્રાટમેં જોયેલા. ચારપાંચ સિરિયલોમાં પણ આપનો અભિનય જોયાનું યાદ છેઆપની શરુઆતની નાટ્યકારકિર્દી વિશે કંઇ કહેશો ?

ઉત્તરનાટ્યશિક્ષણ પિતાશ્રી પાસેથી મળ્યું. ભરતનાટ્યપીઠ સંસ્થામાં શ્રેષ્ઠ નાટકો કર્યા.  રાજુ બારોટ અને સપ્તસિંધુ સંસ્થા સાથે પણ નાટકો કર્યા. ‘રાઇનો પર્વતરાયનાટક માટે મને ક્રીટીક એવોર્ડ પણ મળેલો. સો ઉપરાંત શેરી નાટકો કર્યાનાટ્યતાલીમની શિબિરો કરીને નવા નવા કલાકારોને તૈયાર કર્યા. નાટકો અંગે પુસ્તકો અને લેખો લખ્યા છે.

પ્રશ્ન નાટકની હિરોઇન દેવકી આપની પુત્રી છે એના વિશે મને કાંઇ માહિતી નથી તો મને વિશે કંઇ કહેશો ?

ઉત્તરદેવકી એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હોવા ઉપરાંત, રેડિયો મીર્ચી પર રેડિયોજોકી (એનાઉન્સર) તરીકે લોકચાહના પ્રાપ્ત કરી રહી છેઅને.. નાટકમાં તમે એનું હીર તો જોયું ને ?

પ્રશ્નઆપે આપેલી માહિતી બદલ આભાર.

ઉત્તરથેન્ક યૂનવીનભાઇ !

——-બેકસ્ટેજમાં સેટ્સ ખોલવાની ધમાલની કારણે અમારી વાતચીત ત્યાં અટકી ગઈ. અમે ત્રણે મુખ્ય કલાકારો સાથે તસ્વીરો ખેંચાવીને વિદાય લીધી હતી.

સાથે ત્રણે તસ્વીરો એટેચમેન્ટમાં મૂકી છે.

અસ્તુ

નવીન બેન્કર        લખ્યા તારીખ૨૦ એપ્રિલ ૨૦૧૫

***************************************************************

 

 

કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું…

June 4th, 2015 Posted in અહેવાલ
pv     k
કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું.
 
હ્યુસ્ટનમાં એક પ્રેમાળ, લાગણીશીલ, જલારામબાપાના અનન્ય ભક્ત એવા એક કવિ-લેખક રહે છે. નામ એમનું પ્રદીપ બ્રહ્મભટ્ટ. કોઇ સંસ્થામાં કોઇ મહાનુભાવનું સન્માન થાય અગર કોઇ મહાનુભાવે કોઇ સિધ્ધી મેળવી હોવાના સમાચાર તેમને મળે એટલે, પોતાના નિવાસસ્થાને એ મહાનુભાવને નિમંત્રીને, પોતાના અંગત મિત્રમંડળ સાથે, તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવે. તેમના ધર્મપત્ની રમાબહેન પણ પતિના આ સેવાયજ્ઞમાં તનમનથી સહયોગ આપે. અને ગરમાગરમ તાજુ ભોજન આમંત્રિતોને પ્રેમથી જમાડે. સાહિત્યવર્તુળમાં બધા એમને ‘શીઘ્રકવિ’ તરીકે ઓળખે છે. તેમનો એક બ્લોગ પણ છે. મોટેભાગે ધાર્મિક કવિતાઓ અને સંસ્કારપ્રેરક લખાણો લખે છે.
 
તો… આ લાગણીશીલ કવિબાપાએ, મે માસના છેલ્લા અઠવાડીયામાં, હ્યુસ્ટનના બે મહાનુભાવોનું આવી રીતે સન્માન કર્યું.
 
૨૫ વર્ષથી નાસામાં ચીફ સાયન્ટીસ્ટ અને ડાયરેક્ટર ઓફ રીસર્ચ તરીકે સેવા આપતા, અને સુનિતા વિલિયમ્સ તથા કલ્પના ચાવલા જેવા એસ્ટોનોટ્સને તાલિમ આપનારા ડોક્ટર કમલેશ લુલ્લા કે જેઓએ ૨૦૦થી વધુ રીસર્ચ પબ્લીકેશન્સ અને  એસ્ટ્રોનોટ્સને લગતા દસેક જેટલા પુસ્તકોનું સંપાદન કર્યું છે, તેમને, ભારત સરકારે નવમી જાન્યુઆરિ ૨૦૧૫ના રોજ ગાંધીનગર મુકામે, મોસ્ટ પ્રેસ્ટીજીયસ એનઆરઆઇ  પ્રવાસી ભારતિય એવોર્ડ અને મેડલથી, ભારતના વાઇસ પ્રેસિડેન્ટના વરદ હસ્તે નવાજવામાં આવ્યા એ બદલ, ગયા મહિને ગુજરાતી સાહિત્ય સરિતાએ બહુમાન કર્યું હતું અને આ વખતે, કવિશ્રી. પ્રદીપ બ્રહમભટ્ટે સ્વરચિત કાવ્ય અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને , આમંત્રિત સરસ્વતિના સંતાનો અને કલમપ્રેમીઓની હાજરીમાં બહુમાન કર્યું હતું.
 
‘ગુજરાતી સાહિત્ય સરિતા’ના ઉત્થાન અને ઉત્કર્ષમાં જેમનો સિંહફાળો છે અને જેમણે હ્યુસ્ટનના ઘણાં સર્જકોને હાથમાં કલમ પકડતા કર્યા છે એવા શ્રી. વિજય શાહે પણ, બે-એરિયામાં  ગુજરાતી લીટરરી ગ્રુપ ‘બેઠક’ ના ઉપક્રમે, શુક્રવાર તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૫ ના રોજ, ‘ચાલો કરીએ સહિયારુ સર્જન’ કાર્યક્રમ અંતર્ગત એકસાથે ૧૨ પુસ્તકોના વિમોચનનું સુંદર આયોજન, મીલપીટાસ નગર ખાતેના ઇન્ડીયન કોમ્યુનિટી સેન્ટર ખાતે કર્યું એ અંગે  કવિશ્રી, પ્રદીપજીએ તેમનું પુષ્પગુચ્છ અને સ્વરચિત પ્રશસ્તિકાવ્ય અર્પણ કરીને સન્માન કર્યું હતું.
 
કાર્યક્રમના અંતે, સૌ આમંત્રિતો , રમાબહેન બ્રહ્મભટ્ટના ગરમાગરમ સમોસા, દાળવડા, મઠિયા અને અદરકવાલી ચાય નો રસાસ્વાદ કરીને છૂટા પડ્યા હતા.
 
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૯ મે, ૨૦૧૫

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.