એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'અનુભૂતિ'

પાછલી ઉંમરનો પ્રેમ

August 2nd, 2017 Posted in અનુભૂતિ

Discover something new.

હ્યુસ્ટનના એક ‘બહુનામી કાકા’ -નવીન બેન્કર-

August 2nd, 2017 Posted in અનુભૂતિ

Discover something new.

શાંતિકાકાને લાધ્યું જ્ઞાન

August 2nd, 2017 Posted in અનુભૂતિ

Make yourself at home.

‘ના’ કહેવાની કળા – નવીન બેન્કર

August 28th, 2015 Posted in અનુભૂતિ

 ‘ના’ કહેવાની કળા                  – નવીન બેન્કર

‘ના’  કહેવાની પણ એક કળા છે, જે ઘણાંને સાધ્ય નથી હોતી. સામાને ખરાબ ન લાગે એવી રીતે વિવેકપુર્ણ ના કહી દેવાથી ઘણી મૂશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે તમારી જાતને બચાવી શકો છો.
 
મારા એક મિત્ર પ્રવિણભાઇ છે. એ કોઇને ‘ના’ કહી જ શકતા નથી. હું એમને છેક બાળપણથી ઓળખું છું.  શાળામાંથી ગુલ્લી મારીને, પ્રતાપ સિનેમામાં પાંચ આનાની ટીકીટમાં પિક્ચર જોવા માટે હું ‘પાવલા’ને ( એ વખતે હું એને પાવલો કહીને બોલાવતો અને એ , મને  નવલો કહેતો.એનામાં ગુલ્લી મારવાની હિંમત જ નહી. પણ મને ના ન પાડી શકતો અને પછી ઘેર ગયા બાદ એની મા-જયામાસી- એની ધોલાઇ કરતા અને હું મારા ઘરમાં સાંભળું એમ મોટેથી કહેતા- ‘ખબરદાર..ખરાબ છોકરાઓની વાદે ચડીને ફિલમ-નાટકને રવાડે ચડ્યો  છું તો !’  કોઇ ઉછીના માંગે તો યે, આનો-બે આના ઉધાર આપી દે. પાછળથી એ બેંકનો મોટો ઓફીસર થઈ ગયેલો અને રીટાયરમેન્ટ સમયે, કોઇ ધપલા માટે એની ધરપકડ થયેલી અને પોલીસ-કસ્ટડીમાં પોલીસના ધોલ-ધપ્પા તેમજ  ડંડા ખાવા પડેલા. જો કે પાછળથી એની નિર્દોષતા સાબિત થતાં છૂટકારો થયેલો.પણ આના મૂળમાં યે, કાગળો તપાસ્યા વગર સહી કરી દેવાની અને ‘ ના’ નહીં પાડી શકવાનું  કારણ જ હતું.
મારા એક બીજા મિત્ર તો અમેરિકામાં જ છે. એકદમ સીધા, સાદા, ભગવાનના માણસ. પુરી પ્રામાણિકતાથી એક સ્ટોર ચલાવે.  એમના સાળાઓ મોટેલના અને ગેસ-સ્ટેશનના ધંધામાં ખુબ કમાયા એ જોઇને એમણે પણ એ ધંધાઓમાં ઝુકાવી દીધું. આ બન્ને ધંધામાં ખુબ પૈસા છે એ સાચું,પણ એ કમાવા માટે કેટલીક પાયાની આંટીઘુંટી આવડવી જોઇએ. એ આવડત  આ મિત્રમાં ન મળે. ભાગીદારો ધંધો ચલાવે અને બેન્કના જે કાગળો પર સહીઓ કરાવે ત્યાં વિશ્વાસે સહીઓ કરી નાંખે. ના કહેવાની આવડત જ નહીં. પરિણામે એપાર્ટમેન્ટમાં રહેનારા એ નોકરિયાતો, ભાગીદારો બનીને પાંચ પાંચ મોટલોના માલિક અને ઇન્ડીયામાં મોટી મોટી પ્રોપર્ટીઓના બિલ્ડરો બની ગયા.અને એ સજ્જન મિત્ર આજે ય મોટેલોની બેન્ક લોનના હપ્તા, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીઓ ચૂકવ્યા કરે છે. એના મૂળમાં ય આ ‘ના’ કહેવાની કળાનું અજ્ઞાન હતું એમ મને લાગે છે.   

દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો. તમારા પાડોશી મંછામાસીનો જ દાખલો લો. તમારા કહેવા પ્રમાણે તમે તમારી સીડી ઉતરીને કાર પાસે આવો ત્યાં તો, મંછામાસી દોડતા આવીને તમારી પાસે લીફ્ટ માંગે છે. કોઇપણ જરુરિયાતમંદને લીફ્ટ આપવી જોઇએ પણ અહીંતો, મંછામાસીના હસબંડ પાસે ય કાર છે, એમના બે દીકરાઓ પાસે ય કાર છે અને પુત્રવધૂ પાસે ય કાર છે. છતાં મંછામાસી તમારી પાસે જ કેમ લીફ્ટ માંગે છે ? મંછામાસીને બધા અવગણે છે, એમની પાસે જોબ કરાવવી છે, એમની પાસે રસોઇ કરાવવી છે, પણ એમને મંદીરે લઇ જવા કે સિનિયર્સની મીટીંગમાં લઈ જવા કોઇ તૈયાર નથી. તમે ના કહેવાની કળા જાણતા નથી એટલે તમારા અગત્યના કામની એપોઇન્ટમેન્ટને ભોગે પણ તૈયાર થઈ જાવ છો અને મંછામાસી એનો લાભ ઉઠાવ્યા કરે છે.

બીજો દાખલો તમારી બહેનપણી અને પાડોશી પેલી હંસા અને રીના નો છે. તમને બન્ને નથી ગમતી. એમના અને તમારા વિચારોમાં આસમાન-જમીનનો તફાવત છે.તમારી વચ્ચે કશું સામ્ય નથી. ઉપરથી એ બન્ને તમારી ઇર્ષ્યા કરે છે, અને તમને બદનામ કરવાની એકે ય તક છોડતી નથી. છતાં તમે એમને મળો છો, એમની સાથે ન જવા જેવી જગ્યાઓ પર પણ જાવ છો. શા માટે ?

હું આ બધું તમને કહું છું પણ હું યે ક્યારેક ‘ના’ કહેવાની કળા નહોતો જાણતો એટલે મેં ય ઘણાં પૈસા ગુમાવ્યા જ છે. દસેક વર્ષ પહેલાં એક મિત્રને રેસ્ટોરન્ટ ખરીદવા મેં લોન આપેલી. એ રેસ્ટોરન્ટ ન ચાલી અને બંધ કરવી પડી. આજસુધી એ પૈસા નથી ચૂકવી શક્યો. ઇન્ડીયામાં મંદીના સમયે કોઇ મિત્રને ધંધા માટે પૈસા આપેલા એ હજુ પાછા નથી મળ્યા.

હવે કોઇ પૈસા ઉછીના માંગે તો હું સવિનય અને શબ્દો ચોર્યા વગર ‘ના’ પાડી દઉં છું.  અમેરિકામાં ૩૩ વર્ષ રહ્યા પછી કોઇ કહે કે મારી પાસે પૈસા નથી તો કોઇ ના માને. ( હા ! અમેરીકાની સરકાર જરુર માને. તમારા પૈસા બેન્કમાં ન હોવા જોઇએ. સરકાર તમને મેડીકેઈડ અને ફૂડ કુપન્સ આપે  એ અલગ વાત છે.)

 હવે, હું કહી દઉં છું કે-‘ ભાઇ, મારી પાસે પૈસા તો છે. પણ આપવાની મારી દાનત નથી.હું એ પૈસા મારી સાથે ઉપર લઈ જવાનો નથી પણ એ અંગે મેં વ્યવસ્થા કરી રાખેલી છે. અને હવે, આ ઉંમરે તમને આપીને, મારે સિરદર્દ લેવું નથી. મારી પાસે ઉછીના આપેલા પાછા મેળવવાનો સમય પણ રહ્યો નથી. અને મારી પત્નીને, પોતાના જ પૈસા માટે પાછલી ઉંમરે ટળવળવાનો કે કરગરવાનો વારો આવે એવું હું નથી ઇચ્છતો. એટલે તમે બીજે ક્યાંકથી સગવડ કરી લેજો.’

આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છે -એમને અવગણવાનો અને સ્પષ્ટપણે કહી દેવાનો કે આઇ એમ નોટ કમ્ફર્ટેબલ વીથ યુ. લીવ મી એલોન. ડુ નોટ કોલ મી એન્ડ ડુ નોટ ડીસ્ટર્બ મી. 

ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી જ નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે જ કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે. 

 સતત કાવાદાવાઓમાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જુઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિને ઓળખી લીધા પછી એનાથી કિનારો જ કરી લેવામાં મજા છે. 

સામા માણસને એકવાર ખોટુ લાગશે પણ પછી શાંતિ થઈ જશે.

 

સુખી થવું હોય તો સવિનય ‘ના’ કહેતાં શીખો.

એક્ષપાયર્ડ થઇ ગયેલ ગ્રીન કાર્ડ રીન્યૂ કરવા માટેનો પ્રોસીજર

January 4th, 2014 Posted in અનુભૂતિ

 

V

એક્ષપાયર્ડ થઇ ગયેલ ગ્રીન કાર્ડ રીન્યૂ કરવા માટેનો પ્રોસીજર 

સીનીયર સીટીઝન્સ એસોસિયેશનની મીટીંગમાં એક ૭૦ વર્ષના માજીએ એક કેઇસ હિસ્ટરી કહી. અને ગાઇડન્સ માંગ્યું.

મને ૨૦૦૫માં ગ્રીનકાર્ડ મળ્યું જેની એક્ષ્પાયરી ડેઈટ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીની હતી. હું ઇન્ડીયા ગઈ અને ચાર વર્ષ સુધી પા્છી અમેરિકા ન આવી. લોકોએ કહ્યુ કે એક વર્ષમાં પાછા ન આવ્યા એટલે ગ્રીનકાર્ડ લેપ્સ થઇ જાય એટલે હું વીઝીટર વીસા લઈને અમેરિકા આવી. છ માસમાં પાછી ઇન્ડીયા જતી રહી. ૨૦૧૨માં વીઝીટર વીસા પર જ અમેરિકા આવી.પણ મારા ગ્રીનકાર્ડ પર એક્ષપાયરી ડેઇટ તો સપ્ટેમ્બર ૨૦૧૨ હતી. એટલે મારે રીન્યૂ કરાવવું છે. તો રીન્યૂ થઈ શકે ? એ માટે  શું કરવું પડે ?

એક જાણીતા ખ્યાતનામ ઇમીગ્રેશન એટર્નીએ ૩૦ મીનીટના ફ્રી કન્સલ્ટેશનમાં સલાહ આપી કે તમે ગ્રીનકાર્ડની એક્ષપાયરી  ડેઇટ પહેલા પાછા અમેરિકા આવી ગયા છો એટલે સહેલાઇથી એક્ષપાયર્ડ થયેલું તમારું ગ્રીનકાર્ડ રીન્યૂ થઈ શકે. માત્ર ઇમીગ્રેશન

ઓફિસમાં I-90 form ભરવું પડે અને ૪૫૦ ડોલરની ફી ભરવી પડે. વકીલ મારફતે કાર્યવાહી કરવી હોય તો એની ફી જૂદી લાગે.

___________________________________________________________________

ઇમીગ્રેશન ઓફિસનું સરનામુ નીચે પ્રમાણે છે-

૧૨૬, નોર્થપોઇન્ટ ડ્રાઈવ, હ્યુસ્ટન, ટેક્ષાસ ૭૭૦૬૦.

I-45 North   Exit 60B  First Right on Northpoint Drive . 

છતાં સાવચેતી ખાતર ઇન્ટરનેટ પર વ્યવસ્થિત રીતે મેપક્વેસ્ટ દ્રાઇવિંગ ડાયરેક્શન કાઢીને જવું. સાથે તમારું ગ્રીનકાર્ડ, સોશિયલ સીક્યોરીટી કાર્ડ, ગ્રીનકાર્ડની બે ઝેરોક્ષ કોપીઓ, વેલીડ પાસપોર્ટ, જરુરી વીગતો રાખવી. શક્ય હોય તો ઇન્ટરનેટ પરથી ગ્રીનકાર્ડ રીન્યુઅલ અંગેની સૂચનાઓ, ફોર્મ આઇ-૯૦  ડાઉનલોડ કરી લઈને ઘેરથી જ જરુરી વિગતો ભરીને, બે પાસપોર્ટ ફોટાઓ અને હજારેક ડોલર સાથે રાખીને જવું.

આ બધી પળોજણ ઘેરથી પણ ઇન્ટરનેટ પર USCIS Office પર જઈને, સુચનાઓ અને ફોર્મ આઇ-૯૦ લાઉનલોડ કરીને, જે સરનામે ફોર્મ મોકલવાનું કહ્યું હોય ત્યાં ફોર્મ અને ફી મોકલી દેવાથી, ઘેરબેઠા પણ  ગ્રીનકાર્ડ,   રીન્યૂ થઇને આવી જાય.

મેં અંગત રીતે એ માજીની વ્યક્તિગત કેઇસ-હિસ્ટરી જાણીને, તેમને સલાહ આપી કે-

(૧)  જો ઇન્ડીયામાં તમારે નામે મોટો બંગલો હોય, તમારો દીકરો સારુ કમાતો હોય, અને વહુ,પૌત્રો,પૌત્રીઓ સાથેનો બહોળો સંસાર હોય તો અહીં અમેરિકામા રહીને, કોઇના ઘેર બેબી-સીટીંગ અને રસોઈ-પાણી જેવા કામ કરવા આ ૭૦ વર્ષની ઉંમરે દીકરા-વહુ, બહેનો, બનેવીઓની ના-મરજી હોવાં છતાં, માથે પડીને , દીકરાવહુ વચ્ચે ઝગડા કરાવવા માટે શા માટે રહેવું ? છતાં , એ તમારી વ્યક્તિગત અંગત વાત છે.

(૨) તમારે માટે ઘણા ડ્રોબેક્સછે. તમને અંગ્રેજી આવડતું નથી. કાર ચલાવી શકતા નથી. લોકોની રાઇડ્સ પર આધાર રાખવો પડે છે.તમે આ દેશમાં રહો એ તમારા દીકરાને ,વહુને, બહેનોને, બનેવીઓને ગમતું નથી અને કોઇ આ અંગે સહકાર આપવા તૈયાર નથી. તમારી ટપાલ અને ટેલીફોન મેસેજીસ પણ ગેરવલ્લે જવાની પુરી સંભાવના છે. ઇમીગ્રેશન ઓફીસ, વકીલની ઓફીસના ચક્કરો કાપવા માટે ઘરના કોઇ સભ્યો તૈયાર ન હોય તો બહારના કોઇ ૨૦-૨૫  માઇલ ડ્રાઇવ કરીને ગાંઠનું પેટ્રોલ બાળીને, પોતાનો કિંમતી સમય કાઢીને, ધક્કા ખાવા કોણ તૈયાર થાય ? તમારી પાસે પોતાનો મોબાઇલ ફોન સુધ્ધાં નથી. તમારો કોન્ટેક્ટ, તમારા દીકરા-વહુથી ખાનગી કોઇ શા માટે કરે ?

–   સોરી, બહેન !  તમે સલાહ માંગી અને અમે યોગ્ય વ્યક્તિની ફ્રી સલાહ તમને અપાવી. અમે ય, ૭૦ વટાવી ગયેલા છીએ અને અમારે ય અમારા લીમીટેશન્સ છે. હવે શું કરવું, કેવી રીતે કરવું એ તમારો પ્રશ્ન છે.  We can’t help it.

આપને શું લાગે છે મેં સાચો જવાબ આપ્યો ને ?    આપના પ્રતિભાવો આવકાર્ય છે.

 

’૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી

January 4th, 2014 Posted in અનુભૂતિ

૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી

હમણાં એક વાર્તામાસિકમાં શાંત મનથી ,પલંગ પર ટાંટીયા લાંબા કરીને, રીલેક્ષીંગ મૂડમાં, એક વાર્તા વાંચતો હતો. એમાં આવેલા એક વાક્યએ મારા શાંત ચિત્તતંત્રને ઝકજોરી નાંખ્યું.

વાક્ય હતું– ‘ ૭૩ વર્ષના વયોવૃધ્ધ એવા મારા દાદાજીએ  મને પ્રતિજ્ઞા લેવડાવી હતી’.

૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજીશબ્દએ મને હચમચાવી મૂક્યો.

મને ૭૩ વર્ષ થયા છે. શું હુંવયોવૃધ્ધ દાદાજીથઈ ગયો ? હું હમણાંરામલીલાફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મના હીરોહીરોઇનના ઉત્કૃષ્ટ લવસીન્સ જોઇને મને તો મઝા આવતી હતી. ઘણાં દ્રશ્યોમાં તો રણવીરસીંઘની જગ્યાએ હું મનોમન મને કલ્પી લઈને, દીપિકાના શરીરસ્પર્શના કાલ્પનિક સુખનો અનુભવ કરતો હતો. થીયેટરમાંથી ફિલ્મ જોઇને બહાર નીકળતાં અને પોલો ટી શર્ટ અને ગોગલ્સ પહેરેલા મારા ચહેરાને કારની વીન્ડોના કાચ પર મારું પ્રતિબિંબ નિહાળતાં, મને તો મારામાં પેલો રણબીરસીંઘ દેખાતો હતો.

ઔર….સાલા મૈં ૭૩ સાલકા વયોવૃધ્ધ દાદાજી ?…શ્રીરામશ્રીરામ

મારી નાની બહેન સુષમા મને ફિલ્મ ગોસીપ્સની ક્લીપ્સ મોકલે છે એમાં , રીનારોય, પરવીન બાબી, અનુ અગરવાલની ક્લીપ્સ જોઇને, એમના છેલ્લા દિવસોની હાલત જોઇને હું હસતો હતો અને ત્યાં પાછા પેલા  ‘૭૩ વર્ષના વયોવૃધ્ધશબ્દો યાદ આવી ગયા અને મારું હાસ્ય વિલાઇ ગયું. હું યથાર્થમાં આવી ગયો. પેલી રુપાળી મિત્ર ઘણીવાર વાતવાતમાંતમે સિનિયરો’, તમે ઘૈડાઓ’, ‘બુઢીયાઓજેવા શબ્દપ્રયોગો કરી બેસે છે ત્યારે મારી ઉત્તેજના સાવ ઠંડી પડી જાય છે.

બહેને મોકલાવેલી બધી ક્લીપ્સ જોઇને મને થયું-‘ મારે પણ હવે યથાર્થનો સ્વીકાર કરી લઈને ,ધમપછાડા બંધ કરી દઈને, માત્ર વિશાળ પેનોરેમીક સ્ક્રીન પર દીપીકા, કેટરીના કે બિપાશાની સાથે પ્રણયદ્રશો ભજવતા યુવાન રુપાળા હીરોની જગ્યાએ જાતને મનોમન ગોઠવી દઈને, કલ્પનાજન્ય સુખ ભોગવી લઈને, બેઅઢી કલાકની આભાસી જિન્દગી ભોગવીને, સુખી થવાની જરુર છે. ફિલ્મ પુરી થતાં, બહાર નીકળીને  ‘કેમ છો બહેનજય શ્રી. કૃષ્ણ’….’ કરતા પાછા વાસ્તવિક૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજીબની જવાનું  રહ્યું છે.

પ્રજ્ઞાચક્ષુ,સંગીતજ્ઞ શ્રી અરુણ પટેલને શ્રધ્ધાંજલિ

January 29th, 2013 Posted in અનુભૂતિ

Eulogy expressed by Navin Banker at Memorial Service/Prayer Meeting for Shri Arunbhai Patel, on January 29, 2013 from Houston, Texas.

Distinguished family members of Bankers, Dhruva, Dharia , Shah,Parikh,Patel and all other Friends and Well-Wishers of Late Shri. Arunbhai Chhotalal Patel

To-day, we all grieve passing away of our lonf-time friend Shri. Arun Patel.. It is but natural for us to

feel sadness as the soul of an Individual whom we admire, love and respect departs from us. But in fact, as we pay homage to this great human being, we are celebrating his life. Arunbhai’s life remains as a beacon of inspiration for all of us.

Lifetime of his accomplishments, his passion for Music, his wisdom, his guidance and his interests in multitude of activities will constantly remind us of his presence and motivate us to rejoice with him. He was a good Music Teacher.

It is an honor for me to have an opportunity to pay a tribute to an individual who devoted his life in pursuit of imparting true values of life.

I have been privileged to know Arunbhai since the time I migrated to Houston from India in 1979.

When we take a glimpse at his life, it immediately strikes us that he was a highly intelligent and talented man with multifaceted interests. We were of the same age. He was , may be, one year elder than me. It was so interesting to listen to him sing a beautiful song at various occasions of our family gatherins, our family-members’ marriage ceremonies and in public shows also.

As he told us,he had lost his eyes when he was only three years old. He did not see this world as we see, but he had seen the world more than us. He learnt music. He was playing on Harmonium and singing also. He worked with Late shanker-Jaikishan Group in Bombay for eight years. He had numberous rememberences with musicians and film-dignitories, especially with Shashi Kapoor. In 1980’s, when Shashi Kapoor visited New York with some Musical Show, I had a chance to see him with Arunbhai. I had shared his Apartments in Queens Area for some time also. We both used to go for shopping, watch movies and enjoy Musical Programmes. He was not able to see movie, but he had some peculiar sense to enjoy movie by his ears. He was recognizing speeches of Actors.

He had a habbit to eat apple daily. He was fond of GINGER-TEA. ( ADRKWALI CHAAY ).

In 1980s’ he was a part of Musical Institution ‘ SVARTARANG’where my younger brother Virendra, my younger sister Sangita (Who is now ancor of Azaad Radio in Dallas ), were also singing. They performed many shows.

2

He was born in 1940. He was diagnosed with MESOTHELIOMA- a type of Lung Cancer, in June 2010. Most recently, he suffered a hip-fracture and progressively became ill thereafter. He embraced his journey to his next life at 5.45 P.M. on January 25, 2013 in New York.

Arunbhai has been known for his generosity, kindness and KHUDDARI. I am sorry, my English is poor. So I do not know the meaning of this word’ KHUDDARI. He did not like to take someone’s help in his day-to-day activities. I had witnessed some incidents where he was offered assistance being a blind-man. In a restaurant, some waitor asked him to prepare his tea. He asked him –‘ Why ? Can I not prepare my tea ?’ Thank you .’This is called Khuddari.

I personally have enjoyed lively and intelligent conversations with him and experienced his deep thoughtfulness and directions. I could go on to talk about many instances to describe greatness of his life, but let me say in summation that:

Arunbhai was a man with integrity and honesty.

A man with vision and character.

A man with a strong will who fought against many odds due to several of his medical problems.

A man with great devotion to our family and to the community.

We shall remember him as a man with a kind and gentle heart and compassion for others.

Arunbhai leaves an abundance of memories for us to enjoy and cherish

With a very heavy heart, we bid farewell to our beloved Arunbhai.. May his soul rest in peace. May god give strength to all of us to bear the loss.

Thank you.

Navin Banker

6606 Demoss Dr. Aptt # 1003

Houston, Tx 77074

832-499-0399

सब कुछ सीखा हमने,ना सीखी होशियारी…

July 6th, 2012 Posted in અનુભૂતિ

અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક

સંસ્ક્રુત શ્લોકો,સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો

-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને  આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને

એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં -હાટડીઓમાં- ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી

પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા 

 ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો

અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.

હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.

ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા

માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો

બાજીગર, એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા

દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને

અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા

 તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને,

આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો

ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ

નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છપવાનું મશીન ચાલુ-

ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે

એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.

પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ

 કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો

આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને

 મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ

મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને

મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ પ્રભુકે દેવતાકે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ

નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા પ્રભુને

શોધતા !!! આ  બાબતમાં આપણા દેશીઓને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ડેની‘,’ કેલી‘, ‘માઇક‘,

રોબર્ટલખતા  ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !

ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ.

પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી

હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી

 ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી

પડી જાય !!!!

આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને

 ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો.  મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય.

એક જ જવાબ તમને મળશે કે-આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો

 પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને

 ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની ક્રુપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….

શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

September 22nd, 2010 Posted in અનુભૂતિ

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

 

હ્યુસ્ટન શહેરમાં મેં ઘણા બધાની અવસાન-નોંધો, શ્રદ્ધાંજલીઓ લખી છે અને વર્તમાનપત્રોમાં છપાવી પણ છે.પણ આજે જેની શ્રદ્ધાંજલી લખવી છે તેને તો હું પચાસ વર્ષ પહેલા ઓળખતો હતો અને છેલ્લા પચાસ વર્ષોમાં જેને જોઈ પણ નથી,ફોન પર પણ વાત કરી નથી કે કોઈ પત્રવ્યવહાર સુદ્ધાં થયો નથી.અને…છતાં..આ લાંબા ગાળા દરમ્યાન પણ પ્રસંગોપાત તેના સમાચારો મને હરહંમેશ મળતા રહ્યા જ છે.  આજે ૭૦ વર્ષની વયે હું મારી સમવયસ્ક કહી શકાય તેવી એક ભુતપૂર્વ દોસ્તના સંસ્મરણો વાગોળવા બેઠો છું જે ચાર દિવસ પહેલા જ અવસાન પામી ચુકી છે-પાછળ ચાર પરિણીત પુત્રીઓ અને એક પરિણીત પુત્રને છોડીને.

ચારેક માસ પહેલા એક કોમન મિત્રનો ફોન આવ્યો હતો કે હેમલતા સખ્ત બિમાર છે. તેને આંતરડા પર ચાંદા પડી ગયા છે અને સ્થુળ ભોજન લઈ શકતી નથી. શરીર ક્રુશકાય, જિર્ણ થઈ ગયું છે અને બાથરૂમ જવા પણ સહારો લેવો પડે છે.શરીરમા લોહી રહ્યું જ નથી અને તેનુ રૂપ વિલાઈ ચૂક્યું છે. જિવવાની શક્યતાઓ ઘટતી જાય છે. ગયે વર્ષે તેનો પતિ પણ ગુજરી ગયો.દિકરો અને વહૂ ચાકરી કરે છે. 

જેને પાંચ દાયકાઓથી જોઈ પણ નથી એના આવા દુખદ સમાચાર જાણીને મન પચાસ વર્ષ પહેલાની દૂનીયામાં ગોથા ખાવા લાગ્યું.મારી નજર સમક્ષ ભુતકાળના દ્રષ્યો ચિત્રપટની જેમ ફેરફૂદડી ફરી રહ્યા.મનનું આકાશ ભૂતકાળના બનાવોથી ઘટાટોપ ઘેરાઈ રહ્યું.મન એ ઘૂમરીઓમાં તણાવા લાગ્યું. ભૂતકાળને ઉડો ઉલેચીને હું ઊડો ઉતરવા લાગ્યો છું.

 ૧૯૬૧નું એ વર્ષ….ત્યારે એ વ્રુદ્ધા ન હતી.૧૮-૨૦ વર્ષની ઉંમરની એની યુવાનીનો સમય હતો.પાતળી સપ્રમાણ દેહલતા…ગૌર ત્વચા..નવી ઢબે હોળેલા અંબોડામાં સદાય રહેતું સફેદ મોગરાનું ફૂલ..ચપળતા દર્શાવતી મોટી, મોટી  આંખો…મરક મરક થતા હોઠ..પાતળી લાંબી ગ્રીવા..અને.. આકર્ષક ચાલ…અઢાર વીસ વર્ષની ઊમ્મર જીવનનો એવો તબક્કો હોય છે જ્યારે માણસને પતંગિયા પકડવાનું મન થાય છે.કુમળા ચળકતા ફૂલો અને લીલા પાંદડા તોડવાની ઇચ્છા થાય છે..પક્ષીઓની પેઠે ગીતો ગાવાનો ઉમળકો થઈ આવે છે.ઝરમર ઝરમર વરસાદમાં  ભિંજાવાનું દિલ થવા લાગે છે.

હેમલતા પણ એવી જ એક ભોળી, નિર્દોષ, કુમળી કળી હતી ત્યારે….સ્વભાવે સાલસ..સભાન.અને સતર્ક…

કેટલાક  એને મીનાકુમારી કહેતા. મને એ મીનાકુમારી કરતાં કાનન કૌશલ વધુ લાગતી. પણ એને બધા મીનાકુમારી કહે એ વધારે ગમતું. શ્રીગોડ પવાળીયા જ્ઞાતીમા એમના જ ઘરમાં ભગવાને રૂપની લ્હાણ કરી હતી. એના મોટાભાઈ રાજકપૂરની કોપી હતા. ૧૯૬૨મા, અમદાવાદના ક્રિશ્ના સિનેમામા ફિલ્મ નજરાનારિલિઝ થઈ હતી એના ટાઇટલ પર મુકેલો રાજકપૂરનો ફોટો બીલકુલ બિપિનભાઇ ને મળતો હતો.  અમદાવાદના  રીગલ સિનેમામાં રિલિઝ થયેલીક્રિશ્ન-લીલાનામની હીન્દી ફિલ્મમાં આ બિપિન ભટ્ટે શેષનાગ પર લક્ષમીજી સાથે બીરાજેલા વિશ્નુ ભગવાનનો રોલ કરેલો એવું સ્મરણમાં છે. એ જ અરસામાં ટાઉનહોલમાં ભજવાયેલ નાટક ‘ દીયરવટુ માં બિપિનભાઈ અને હેમલતાએ ભૂમિકા ભજવેલી અને તેમાં હેમલતાના કંઠે હાસો મારો રામ રે શબ્દાંકન વાળા ગીતને રજૂ કરવામાં આવેલું ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૧ ના દિવસે ટાઊનહોલમાં જ કરો કંકુનાનાટક જોવા પણ અમે પાસ લઈને ગયા હતા એવું સ્મરણ છે.

એ જમાનામા એચ.કે. આર્ટ્સ કોલેજ નું નામ રામાનંદ કોલેજહતું. ત્યાં એસ.એસ. સી. પરીક્ષા માટે હેમલતાનો સીટ નંબર આવેલો અને તે ફીની રિસિપ્ટ ભૂલી ગયેલી. હું રામાનંદથી સાઈકલ પર ઢાલગરવાડમાં આવેલી તેની ગર્લ્સ સ્કૂલમાં જઈને આઇ,શાહ સાહેબ પાસેથી ડુપ્લિકેટ રિસિપ્ટ લઈને રામાનંદ કોલેજ પર જઈને આપી આવેલો.એ દિવસે તારીખ હતી ૨૭ માર્ચ ૧૯૬૧.એની શાળાએ એ વર્ષે ગુજરાત-તારુ ગૌરવનામે એક મહોત્સવ યોજેલો તેમા હેમલતાએ જસમા ઓડણની ભૂમિકા ભજવેલી અને તેમાં મા પડ મારા વીર, તુને ચોસઠ કોણ ચડાવશે શબ્દોવાળુ ગીત પણ ગાયેલું એ મને હજી પણ યાદ છે.

જેઠાભાઈની પોળમા આવેલા એક બાળમંદીરમા તે શિક્ષિકા તરીકે નોકરી કરે અને બપોરે છૂટીને અમારા સાંકડીશેરી વાળા ઘેર આવે, મારી દાદીમા સાથે અલકમલકની વાતો કરે.મારા દાદીમાને તે ખૂબ વહાલી લાગે. કોઇને પણ વહાલી લાગે એવી હતી હેમલતા.મીઠુ મીઠુ હસે..મીઠુ મીઠુ બોલે અને આંખડી તો જાણે અમીભરી…અમારુ ત્રણ-ચાર જણનું એક ગ્રુપ થઈગયેલું.ક્યારેક ક્યારેક અમે કોઈ સારી ફિલ્મ જોવા પણ જતા.અમારી આર્થિક સ્થિતી સારી નહીં તેથી હું તો પાંચ આના કે દસ આના વાળી ટિકિટમા જ ફિલ્મ જોતો પણ મારી જિંદગીમા પ્રથમ વખત મેં એક રૂપિયા પાંચ આનાની ટિકિટમા લાઈટ હાઊસમા હમ હિન્દુસ્તાની જોયેલી. હું , મારી નાની બહેન કોકિલા અને હેમલતા એ જોવા ગયેલા.સંજીવકુમાર એ ફિલ્મમા એક પોલિસ ઇન્સપેક્ટરની સામાન્ય ભૂમિકા તેમાં કરતો હતો.હેમલતાએ ત્યારે કહેલું કેઆ કલાકાર એક દિવસ મોટા રોલ કરતો હિરો બની જશે‘. 

રિલિફ સિનેમામાં ભારત ભુષણ, પ્રદીપકુમાર, બીનારોય અને આશા પારેખની ભૂમિકાવાળી ફિલ્મ ઘૂંઘટપડેલી.તેમા એક કરૂણ સીન વખતે તે રડી પડેલી અને અમારે તે ફિલ્મ અર્ધેથી છોડીને નીકળી જવુ પડેલું.

મને યાદ છે કે અમારી સાથે જોયેલી છેલ્લી ફિલ્મ હતી- રેશમી રૂમાલ, જે સેંટ્રલ સિનેમામા સેકન્ડ રનમા પડેલી.એમા હિરો હતો ચંદ્રશેખર‘.એ ફિલ્મના ઘણાબધા કર્ણપ્રિય ગીતો જાણીતા છે. અમારા ગ્રુપના બધા જ ઘેરથી બહાના બતાવીને ફિલ્મ જોવા આવતા.કોઇપણ માબાપને પોતાનુ બાળક ખૂબ ફિલ્મો જૂએ એ નથી ગમતું હોતું.મને નાનપણથી ફિલ્મો જોવાનો ચસ્કો પડી ગયો છે.આજે પણ હું ઢગલાબંધ ફિલ્મો જોઊ છું.આજે મારી પત્નીને એ ટેવ નથી ગમતી એટલે મારે એની આગળ પણ ખોટુ બોલીને જ ફિલ્મ જોવા જઊ પડે છે.એ ફિલ્મો નથી જોતી,માત્ર સિરિયલો જ જુએ છે અને મંદીરોની ખાક છાનતી ફરે છે.

 સ્મરણોની માળા તો લાંબી ને લાંબી થતી જ જાય છે.

એક દિવસ હેમલતાના વિવાહ તેની જ જ્ઞાતીના ધનંજય પંડ્યા નામના યુવાન સાથે થયા.અને ૧૨મી ફેબ્રુઆરી ૧૯૬૩ ને દિવસે મધ્યમવર્ગ સોસાઈટીના ૧૦ નંબરના બંગલાના પ્રાંગણમા તેના લગ્ન થઈ ગયા.મેં  તે દિવસે લાલ રંગના પાનેતરમા તેને છેલ્લી વાર જોઈ હતી. 

સુડતાલીસ વર્ષ વીતી ગયા એ વાતને. 

મારા દાદીમા મને ઘણીવાર પુછતા-પેલી હેમલી કેમ નથી આવતી હવે ?’

‘…’

હું  નિરુત્તર રહી જતો. 

૧૯૭૯થી હું અમેરિકાના હ્યુસ્ટન શહેરમા રહું છું.મારા ય દામ્પત્ય-જીવનના ૪૭ વર્ષો વીતી ગયા છે. મારી પત્ની ભલી છે, પ્રેમાળ છે..અમે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીયે છીયે.બે વર્ષ પછી અમે અમારા પ્રસન્ન-દામ્પત્ય જીવનના ૫૦ વર્ષોની ઊજવણીનો પ્લાન કરી રહ્યા છીયે…જીવનસેતુ તળેથી કાળસરિતાનો કેટલોય પ્રવાહ વહી ગયો. આ સમય દરમ્યાન તેના સમાચારો તો મળતા જ રહ્યા. હેમલતા મલાડમાં મામાની વાડીમા રહે છે‘…’હેમલતા આજે ડિલિવરી કરવા અમદાવાદ આવી છે‘..’હેમલતાને દીકરી આવી‘..’બીજી દીકરી આવી..ચાર દીકરીઓ પછી દીકરો આવ્યો‘..’આજે તેની દીકરીના લગ્ન છે‘..’આજે દીકરાના લગ્ન છે‘..’આજે તેણે અમદાવાદમા ફ્લેટ લીધો‘..’તેનો દીકરો જુદો રહેવા ગયો‘…વગેરે..વગેરે… 

અને..એકાદ વર્ષ પહેલા સમાચાર મળ્યા-ધનંજય ઈઝ નો મોર‘. 

પાછા સમાચાર મળ્યા- શી ઈઝ એલોન…બ્રોકન…એન્ડ ..ડેઝર્ટેડ..(તેણી એકલી,ભાંગી પડેલી અને સૌથી તરછોડાયેલી છે ) એના પતીનો વિયોગ તે સહન નથી કરી શકતી. ચાર માસ પહેલા સમાચાર મળ્યા કે તેને આંતરડાનુ ચાંદુ છે..અને પથારીવશ છે. હેમલતાની ખૂબસુરત જવાની રોગ અને દુઃખની આગમા સળગીને રાખ થઈ ગઈ હતી.

 

ફૂલ જેવી કોમળ કાયા સૂકાઈને માત્ર હાડપિંજર જ રહ્યું હતું.ખૂબસુરત કળી મૂરઝાઈ ગઈ હતી.

 

છેલ્લે..ચાર દિવસથી ઉપરાછાપરી ઈ-મેઈલ આવ્યા કરે છે કે-હેમલતા ઈઝ નો મોર‘.

 

મેં હિન્દી ફિલ્મજગતની ઘણી ખૂબસુરત અભિનેત્રીઓના ઈન્ટરવ્યુ લીધા છે..નાટ્યજગતની હિરોઈનો સાથે પણ પનારો પડ્યો છે..અમેરિકાની ક્લબોમા પણ હુ ભટકી ચૂક્યો છુ.જિન્દગીના બધા સુંદર રંગો જોયા છે..૭૦ વર્ષની વય સુધી પહોંચી ગયો છુ. છ્તાં સાચુ કહુ છું કે હેમલતા જેવી સુંદર સ્ત્રી મેં કદી જોઈ નથી.મારે માટે તો તે આજે પણ દુનીયાની સૌથી ખૂબસુરત સ્ત્રી જ્ છે. અને.. એ ખૂબસુરત સ્ત્રી એક વખત મારી મિત્ર હતી- માત્ર મિત્ર જ. તે મને ગમતી હતી એટલુ જ.. અમે ક્યારે ય પ્રેમની વાતો કરી ન હતી કે પ્રેમના એકરાર કર્યા ન હતા…ચારિત્ર્યના શૈથિલ્યને પણ વશ થયા ન હતા. અરે ! સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો એ વાત કોઇ ના માને ! મારે માટે તે એક દેવાંશી સ્ત્રી હતી.

પરમક્રુપાળુ પરમાત્મા તેના આત્માને પરમ શાંતી આપે.

 હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ   લાગીયે,

શરણું મળે સાચું તમારું,એ હ્ર્દયથી  માગીયે,

જે જીવ આવ્યો આપ શરણે ચરણમા અપનાવજો,

પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો.

 

કોમ્પ્યુટર પર લખવાનો પ્રથમ અનુભવ

January 4th, 2009 Posted in અનુભૂતિ

હજુ હું ગુજરાતીમાં લખતા શીખી રહ્યો છું એટલે આપને મારા વાક્યો અસંગત ટુકડા ટુકડામાં વાંચવા મળશે.એકવાર મારી હથૉટી બેસી જશે એટલે આપ સળંગ લખાણ વાંચી શકશો. ત્યાં સુધી દરગુજર કરશો એટલી વિનંતી છે.જ્યાં ભુલ જુઓ ત્યાં એ કેવી રીતે સુધારવી તે મને કોમેન્ટમાં લખીને શીખવશો તો હું આપનો આભારી થઈશ.
આ ચાર લાઈનમાં મેં કેટલી ભૂલો કરી તે મને બતાવશો

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.