એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર

SHRADDHANJALI TO late Shri. Dhirubhai Shah

April 10th, 2020 Posted in મૃત્યુ વિષયક

 

SHRADDHANJALI  TO   late Shri. Dhirubhai Shah

Dear Dineshbhai,Hemantiben,Thakor Saheb,Daxaben and  other family members.

Dhirubhai left this world for a heavenly abode journey on 8th April 2020.  He was born on November 01, 1921.

I express my deepest sympathy and heartfelt condolenses and share your grief.

It is but natural for us to feel sadness as the soul of an individual whom we admire loved and respect, departs from us. But in fact we pay homage to this great human being, we are celebrating his life of 99 years.

Lifetime of his accomplishments, his passion for Gujarati literature his wisdom, his guidance will constantly remind us of his presence and motivate  us to rejoice with him.  He was knowing true values of life. He was a highly intelligent and telanted man with interests in life.

He was a man with integrity and honesty.

He was a man with vision and character.

He was a man with strong will who fought against many odds due to several of his medical problems.

He was a man with great devotion to our community.

Dhirubhai was a staunch Swaminarayan devotee and had tremendous faith and devotion in GOD.  It is always difficult to bear the loss of someone special in family and community. However ,as it has been said that “ None can alter the decrees of fate” meaning VIDHATANA LEKH NE BHUSAVANE KOI SAMARTH NATHI.

We , therefore, pray to almighty lord Swaminarayan Bhagvan  to give you and all family members an immense courage and fortitude to bear this irrepairable loss and bestow thou’s grace to rest the departed soul in eternal peace.

Our thoughts and prayers are with you in this time of sorrow.

BE HAATH JODI NATH PAASE PREMTHI SAU MAAGIYE
JE JIV AVYO AAP PAASE CHARANMA APANAVJO
PARMATMA E ATMA NE SHAANTI SAACHI AAPJO.

 

Navin Banker &  kokila (Baku) Banker

8th April 2020 at 12.20 night.

 

શ્રદ્ધાંજલિઃ ગુજરાતી ભાષાના સાક્ષર શ્રી. મોહનલાલ પટેલની ચિરવિદાય….

March 16th, 2020 Posted in મૃત્યુ વિષયક

ગુજરાતી ભાષાના સાક્ષર શ્રી. મોહનલાલ પટેલની ચિરવિદાય

શ્રદ્ધાંજલિ– શ્રી. નવીન બેન્કર અને શ્રી. ચીમનભાઈ પટેલ

વીસેક જેટલી નવલકથાઓ, વાર્તાસંગ્રહો, અધ્યયન, વિવેચન, પ્રવાસકથાઓ, લઘુકથાઓના પુસ્તકોથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર, કેળવણીકાર, લેખક, સાહિત્યકાર , વિચારક અને શિક્ષણવિદ એવા,  શ્રી. મોહનલાલ પટેલે શુક્રવાર અને ૧૩મી  માર્ચ, અમદાવાદમાં  આ નશ્વર દેહનો ત્યાગ કર્યો.

૩૦ એપ્રિલ ૧૯૨૭ના રોજ જન્મેલા, શ્રી. મોહનભાઈ પટેલે ૧૯૪૮થી લેખનપ્રવૃત્તિ શરૂ  કરી હતી અને કુમાર, નવચેતન, સવિતા, અખંડ આનંદ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રગટ થતી રહેતી હતી. ૧૯૫૪માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ હવા તુમ ધીરે બહોપ્રસિદ્ધ  થયો હતો..

ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદે તેમના ઘણાં પુસ્તકોને જે તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક ગણીને સન્માન્યા છે. ગુજરાતી ભાષામાં લઘુકથાઓનું ખેડાણ કરનાર મોહનભાઇ, લઘુકથાઓના જનકકે દ્રોણાચાર્યપણ કહેવાય છે.

આ અભ્યાસુ, પ્રયોગશીલ, કર્મઠ, સાધક, કર્મયોગી મોહનભાઇ પારદર્શક અને સંવેદનાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા માનવી હતા.તેમની આત્મકથા ટાઈમ કેપ્સ્યૂલઅમદાવાદના રંગદ્વાર પ્રકાશન દ્વારા પ્રગટ થયેલ  જે ચરિત્રાત્મક સાહિત્યમાં શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. નવલકથા, ટુંકી વાર્તા અને લઘુકથાઓના લેખનની હથોટીને કારણે આ આત્મકથા પણ ખૂબ જ રસપ્રદ બની શકી છે. ક્યાંય વિગતોનો ભાર લાગતો નથી. કથાપ્રવાહ ક્યાંય અટકતો નથી. વાંચનમાં રસ પડે છે.

ટૂંકી વાર્તાઓના સર્જનમાં ઘટના, ભાવપરિસ્થિતિ અને અભિવ્યક્તિ ઉપર તેમણે વિવેચનાત્મક પુસ્તકો લખ્યા છે. ઊંચી કાયા, સ્નિગ્ધ નયન, લાંબા વાળ, સહેજ ઉજળો વાન, મુખ પર નિરંતર પ્રવર્તિત મીઠાશ.. એ હતું એમનું વ્યક્તિત્વ. ૧૯૯૫ અને ૨૦૧૨માં હું તેમને, એમના સત્યાગ્રહ છાવણીના નિવાસસ્થાને  મળેલ. મેડા પર લઈ જઈને તેમણે એમના પુસ્તકોનો ખજાનો મને બતાવ્યો હતો અને બે ત્રણ પુસ્તકો પણ ભેટ આપ્યાં હતાં.

આપણા હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમનભાઈ પટેલ ચમનતેમના ખાસ મિત્ર. તેમની અંગત લાયબ્રેરીમાં  મોહનભાઈના  ઘણાં પુસ્તકો છે. મને તેનો અવારનવાર લાભ મળતો રહ્યો છે.

તમને ગુજરાતી સાહિત્યમાં ખરેખર રસ હોય તો તમારે મોહનભાઈ ની આત્મકથા ટાઈમ કેપ્સ્યુલ’ (૩૪૨ પાનાં ) જરૂરથી વાંચવી જોઈએ.

પ્રભુ શ્રી. મોહનભાઈના આત્માને ચિરશાંતિ અર્પે એવી પ્રાર્થના.

અસ્તુ.

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’ પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર

March 25th, 2018 Posted in અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’
પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર

તા.૧૮ માર્ચ,૨૦૧૮ને રવિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડીટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં વિશ્વપ્રવાસિની અને કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા.

ગુડી પડવાના પવિત્ર પર્વની બપોરે, બરાબર ૨ અને ૧૦ મિનિટે  સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીન વ્યાસે કાર્યક્રમની શરુઆત કરી.સૌથી પહેલાં પ્રેક્ષા સેન્ટરના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ સીમાબેન જૈને સેન્ટર વિશે માહિતી આપી  અને ભાવભીનું જૈન સ્તવન કર્યું. ત્યારબાદ સાહિત્ય સરિતાના ભાવનાબેન દેસાઈએ  મધુર સ્વરમાં સરસ્વતી વંદના ગાઈ સંભળાવીઆ પ્રારંભિક વિધિ પછી શ્રી નીતિનભાઈ વ્યાસે કાર્યક્રમનું સંચાલન કવયિત્રી દેવિકાબેન ધ્રુવને સોંપ્યુ

સૂત્રધાર તરીકે દેવિકાબેને વસંતઋતુને અનુરૂપ સ્વાગત કરી,વાતાવરણને કાવ્યમય બનાવી દીધું. તેમણે કાર્યક્રમની રૂપરેખા આપી તથા પ્રીતિબેન સેનગુપ્તાનો સવિશેષ પરિચય કલાત્મક રીતે આપી શ્રોતાજનોને રંગમાં લાવી,મન મોહી લીધું. સંસ્થાના હાલના સલાહકાર શ્રી હસમુખભાઈ દોશીના હસ્તે પુષ્પગુચ્છથી પ્રીતિબેનનું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રથમ દોરમાં પ્રીતિબેને સ્વરચિત કાવ્યો રજૂ કર્યા. મેનાના માનસનું ગીત, ‘ઉંચેરી ડાળ પરથી મેના ટહૂક્યા કરે..થી માંડીને શેકસપિયરની ગઝલ, કબીરે કહ્યાની, ઓરતા કરવાની અને અંતિમ રુદનની ગઝલ વાંચી સંભળાવી. પછીની એક ગઝલ તો શ્રોતાઓને ખુબ પસંદ પડી.

દીવા પાછળનું અંધારૂં હોઇ શકે છે,
નસીબ કોઇકોઇનું ઠગારૂ હોઇ શકે છે.
પોતાનું લાગતું યે મઝિયારૂ હોઇ શકે છે…વગેરે… સાથે સાથે કવિતાની સર્જન-પ્રક્રિયાની પાર્શ્વભૂમિકા પણ વર્ણવી તથા શેક્સપિયરના ઓથેલો અને ડેસ્ડીમોનાની વાત પણ વણી લીધી. પછીની ગઝલના શબ્દો ઃરાત આખી ચાહવાની વારતા કરતા રહ્યા, રણ વચાળે ઝાંઝવાના ઓરતા કરતા રહ્યા…અહીં કાલિદાસના પેલા યક્ષને પણ યાદ કરી લીધો. પછી તો કાવ્યો અને ગઝલોનો દોર ચાલતો રહ્યો. અંતીમ રૂદનની ગઝલ‘ અને નામ લખવા વિશેની ગઝલ ‘ભીતરી શેવાળ પર નામ લખી દઉં,શ્વાસની વરાળ પર નામ લખી દઉં’ તો શ્રોતાઓને રસતરબોળ કરી મુક્યા. પોતાના કાવ્યસંગ્રહ ખંડિત આકાશની વાતો કરી. પ્રભુને સખા‘ બનાવવાની વાત કરતું એક કાવ્ય રજૂ કર્યું. મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા પણ હરિયાળા થાય.‘ અમદાવાદ વિશે લખેલા એક કટાક્ષ-કાવ્યની રજૂઆત વખતે તો શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વાતાવરણને ગૂંજતું કરી મુક્યું હતું. 

તે પછી સ્થાનિક સર્જકોનો બીજો દોર શરુ થયો. દરેક સર્જકની એક એક લીટીમાં સુંદર રીતે ઓળખાણ આપતા દેવિકાબેને સૌથી પ્રથમ મનોજ મહેતાને બોલાવ્યા. તેમણે સ્વરચિત ગઝલ સંભળાવી જે કાબિલેદાદ હતી.

જગમાં બધા ભલા નથી,બૂરા બધા નથી.

જીવતા ન આવડે છતાં, મરતા બધા નથી.

ઠોકર જો ખાધી પ્યારમાંઆંસુ વહે છે, પણ– 

આંખોમાં આંસુ હોય તે રડતા બધા નથી.

તે પછી સાહિત્ય સરિતાના સદા પ્રસન્ન શૈલાબેન મુન્શાએ પોતાની એક રચના સંભળાવી જેના શબ્દો હતાં”  નારીના હર રૂપ અનોખાં, હર ગુણ અનોખા”. હાસ્યલેખો અને હળવી રચનાઓ લખતા ચીમનભાઈ પટેલે તેમની લાક્ષણિક શૈલીમાં એક કૃતિ પ્રસ્તૂત કરી લોકોની વાહ વાહ મેળવી.. મૂકી આવીએ માબાપનેજઈ ઘરડાઘરમાં,મૃત્યુ પછી ભજનોનિત ગાઈએ એવું બને.

પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ચમન‘, કથાઓ સાંભળતાનજર રાવણની બનેએવું બને! ત્યારબાદ ડો ઈન્દુબેન શાહે વહેલી સવારે બારીએ ચકલી બોલી,જગાડી મને,”વસંત આવી,વસંત આવીકહી વસંતના વધામણા કર્યા.મુકતકોના મહારાજા સુરેશ બક્ષીએ મઝાના મુકતકો રજૂ કર્યા. તેમના ચોટદાર શબ્દો પર લોકોએ તાળીઓના ગડગડાટ કરી તેમને વધાવી લીધા.

પ્રવીણાબેન કડકિયાએ અંતરમાં ડૂબકી મારીને બહાર લાવેલ સંવેદનાને વાંચી સંભળાવી તો વિજયભાઈ શાહે એક ડોઝ” શિર્ષકવાળી માઈક્રોફિક્શન વાર્તા નાટ્યાત્મક રીતે વાંચી. વાર્તાનો અણધાર્યો અંત તેની ખૂબી હતી.ત્યારબાદ દેવિકાબેને એક ગઝલ અણધારી આ હલચલ થઈ ગઈ, અંદર ઉથલપાથલ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો, પાંખડી મનની શતદલ થઈ ગઈ” અનોખા અંદાઝમાં રજૂ કરી.

૨૫-૩૦ મિનિટ ચાલેલ આ આઈટમમાં સાહિત્યનાખાસ કરીને પદ્યસાહિત્યના, જુદા જુદા પ્રકારો રજૂ થયા હોવાને કારણે વિવિધતા રહી.

કાર્યક્રમના ત્રીજા દોરમાં દેવિકાબેને ફરી પાછા પ્રીતિબેનને આમંત્રણ આપ્યું અને તેમણે પોતાના દેશવિદેશના અનુભવોની દિલચશ્પ વાતો કરી. લોકલ બસોમાં સ્થાનિક જીવન જોવા, માણવા મળે છે અને એવા સમયે પોતે પરકાયા પ્રવેશ જ નહીં પણ પર-માયા પ્રવેશ કરી લે છે એના અનુભવો વર્ણવ્યા. વિશ્વના દરેક ખંડમાંથી પોતાને ગમતી જગ્યાઓ અંગે પણ વિશદતાપુર્વક માહિતી આપી.

  તેમના વક્તવ્યમાંથી સ્પષ્ટ વર્તાતું હતું કે તેમને મન પ્રવાસ એ માત્ર શોખનો જ વિષય નથી પણ એક ધર્મ પણ છે. જે જે જગ્યાએ જાય છે તે તે જગ્યાઓને દિલથી ગમતી કરી લે છે. એટલે જ તો ગ્રુપ-પ્રવાસથી દૂર રહી પોતાની રીતે, પૂરતા સમય સાથે એક વિશ્વ નાગરિક તરીકે, જે તે દેશની જીવન-રીતિઓને નિહાળીને આલેખે છે.  આ રીતે વિશ્વભ્રમણ પ્રીતિ સેનગુપ્‍તાના વ્‍યકિતત્‍વનો અસલી મિજાજ રહ્યો છે.

ત્યારબાદ ગુજરાતી સાહિત્ય સરિતાના વહીવટીકર્તાઓએ અને સંસ્થાના માનનીય વડિલ શ્રી દીપકભાઈ ભટ્ટે વિશ્વપ્રવાસિનીને માનપત્ર અને ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક પણ ભેટ આપ્યું. તે પછી મનગમતો લકીડ્રોયોજાયો જેમાં પાંચ વ્યક્તિઓને પુસ્તકો ઈનામમાં મળ્યાં. સંસ્થાના ખજાનચી મનસુખભાઈ વાઘેલાએ સૌનો પ્રેમપૂર્વક આભાર માન્યો. 

કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી.તીશ પરીખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ શ્રી  નીતિન વ્યાસ અને ખજાનચી શ્રીમનસુખભાઇ વાઘેલાએ તથા ડોક્ટર રમેશ શાહ, ઇન્દુબેન શાહ, પ્રશાંત અને શૈલાબેન મુન્શા, શ્રી. હસમુખ દોશી, દેવિકાબેન ધ્રુવ,રાહુલ ધ્રુવ વગેરેએ તનતોડ મહેનત કરી હતી.

અઢી કલાક ચાલેલો આ આખો યે કાર્યક્રમ પ્રીતિબેનના પ્રવાસની વાતોકવિતાઓ અને સંસ્થાના સર્જકોની રજૂઆતથી રળિયામણો અને રસભર્યો બની રહ્યો. છેલ્લે સ્વાદિષ્ટ પ્રીતિભોજનને ન્યાય આપી સૌ વિખેરાયા.વર્ષમાં આવા સુંદર બે કાર્યક્રમો થતા રહે તો ગુજરાતી ભાષા અને સંસ્થા વિકસતી રહે અને નવી પેઢીને પ્રેરણા મળે તે આશા અસ્થાને નથી.

અસ્તુ..

નવીન બેંકર

‘ઓમકારા ગ્રુપ’નો ગુજરાતી જલસો -હ્યુસ્ટનમાં

August 9th, 2017 Posted in Uncategorized

 

‘ઓમકારા ગ્રુપ’નો ગુજરાતી જલસો-હ્યુસ્ટનમાં

છઠ્ઠી ઓગસ્ટ અને રવિવારની બપોરે ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી- એમ પુરા પાંચ કલાક સુધી, ઓમકારા ગ્રુપ અને હ્યુસ્ટનના ‘નમસ્કાર ગ્રુપ’ ના નેજા હેઠળ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો એક કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાતી ગીતો, કાવ્યો, લોકગીતો, હાસ્ય, નાટક થી તરબતર આ કાર્યક્રમ માણવા લાયક  હતો.

મને જે ગમ્યુ એ આ હતું- ( આ કોઇ અહેવાલ કે વિવેચન નથી. )

જુના જમાનાનું નાટક કે જે ભાંગવાડી થિયેટરમાં ભજવાતું અને જેમાં કોઇ પુરૂષપાત્ર, સ્ત્રીના વસ્ત્રો પહેરીને સ્ત્રી ભૂમિકા ભજવતો તથા એમાં સરસ ગુજરાતી ગીતો રજૂ થતાં એ નાટકનુ મનોજ શાહ અને આપણા બોસ્ટનવાસી લેખક શ્રી. ચંદ્રકાંત શાહે રૂપાંતર કરીને હાલના સમયમાં રજુ કરેલ એ મહાન નાટક નો એક અંશ રજુ કર્યો  જેમાં પીઢ ગુજરાતી કલાકાર ઉત્કર્ષ મઝુમદાર અને યુવાન કલાકાર ચિરાગ વોરાએ અભિનય કર્યો હતો. અત્રે, એનું કથાનક કહેવાનો કોઇ ઇરાદો નથી. પણ સહેજ ઝાંખી કરાવી દઉં.

મણિલાલને જુની રંગભુમિના નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવતા શ્રી. જયશંકર સુંદરી અને બાલ ગાંધર્વ જેવી સ્ત્રી ભૂમિકાઓ  ભજવીને પોતાનો ડંકો વગાડવો હતો પણ એને સખી, સહેલી કે દાસીની જ ભુમિકાઓ મળતી. મણિલાલ અને સુમનલાલ પોતપોતાના સ્વપ્નાઓની પૂર્તિ કરવાની તક જુએ છે અને પછી શરૂ થાય છે-ફેન્ટસીનો સંસાર.

જેમ આજે , કેટલાક લોકો ક્રિતી સેનન ને પરદા પર જોઇને એના દિવાસ્વપ્નો જોતા હોય છે એમ, મણિલાલ ( ઉત્કર્ષ મઝુમદાર ) ખયાલોમાં જે જુએ છે એને લેખક ચંદ્રકાંત શાહે અને દિગ્દર્શક મનોજ શાહે , જુની રંગભૂમિના કેટલાક લોકપ્રિય ગીતોનો કુશળતાપુર્વક ઉપયોગ કરીને રજુ કર્યા હતા

.એ ગીતો આ રહ્યા-

‘મીઠાં લાગ્યા છે મને આજના ઉજાગરા’….’ધુણી રે ધખાવી અમે’…’.મોહે પનઘટપે નંદલાલ’…’કેમ કરી પાણીડા ભરાય’…….’સાહ્યબો મારો ગુલાબનો છોડ’….. વગેરે..વગેરે…

કલાકાર ચિરાગ વોરાએ   સ્ત્રીપાત્ર વનલતાનો અભિનય કર્યો-લાલ સાડી પહેરીને.  વાંઢા સુમનલાલ તરીકે ઉત્કર્ષ મઝુમદાર  પણ છવાઇ ગયા હતા.

 શ્રી. ચિરાગ વોરાએ, ગુજરાતી રેપ સોન્ગ પણ માથે ઉંધી ટોપી પહેરીને કુશળતાપુર્વક પરફોર્મ કર્યું હતું.

૪૦ વર્ષથી જે નાટકો, સિરીયલો, ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહી છે એ અભિનેત્રી મીનળ પટેલે પણ કેટલીક રજુઆતો કરી હતી. જેમાં ‘એકોક્તિ’ મને ગમી હતી.  જાહ્નવી, ગાર્ગી વોરા, માનસી ગોહિલ  અને પાર્થિવ ગોહિલે પણ કેટલાક સદાબહાર ગીતો રજુ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

સાંઇરામ દવે એ પોતાની લાક્ષણિક શૈલિથી અને કાઠિયાવાડી બોલી વડે શ્રોતાઓને ખુબ હસાવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં, યુવાન કવિ શ્રી. પ્રણવ પંડ્યાએ માસ્ટર ઓફ સેરિમની તરીકે સુંદર કામગિરી બજાવી હતી.

પાર્થિવ ગોહિલ, અને અન્ય સહાયક ગાયકોએ કેટલાક સદાબહાર ગીતોનો ગુલદસ્તો રજૂ કર્યો હતો.

હું તો છેલછબીલો ગુજરાતી……મેંદી તે વાવી માળવે…તારી બાંકી રે પાઘલડીનું ફુમતુ રે…..અમે મણિયારા…મારગડો મારો મેલી દ્યોને….પંખીઓએ કર્યો કલશોર….ચરરર મારૂં ચગડોળ ચાલે…હુતુતુતુ…વગેરે…વગેરે……

વાદ્યવૃંદમાં અન્ય વાજિંત્રકારોના નામ તો મને ખબર નથી પણ કુલકર્ણી નામના વાંસળીવાદકની ફ્લ્યુટના સુરો મને ખુબ આકર્ષી રહ્યા હતા. હું સ્ટેજ પર જઈને તેને  અને સરૈયાભાઇ નામના તબલાવાદકને

અભિનંદન આપી આવ્યો હતો.

કમનસીબે, મારી શારીરિક મર્યાદાઓને કારણે,  હું સાડાત્રણ કલાકનો સમગ્ર કાર્યક્રમ જોઇ શક્યો ન હતો. મારે વારંવાર ઉઠી ઉઠીને બહાર જવું પડતું હતું. ( યુ નો વોટ આઇ મીન !) એટલે ઘણી બીજી સારી બાબતોનો ઉલ્લેખ કરવાનું રહી ગયું હોય એમ બનવાજોગ છે.

મારા પ્રિય લેખકો ઉત્પલ ભાયાણી અને હિતેન આનંદપરાને મળીને મને ખુબ ખુબ આનંદ થયો. એવી જ રીતે જેમની સાથે હું ઇ-મેઇલના માધ્યમથી ઘણાં વર્ષોથી સંકળાયેલો રહ્યો છું એ પીઢ કલાકાર ઉત્કર્ષ મઝુમદારને મળીને, તેમની સાથે વાતો કરીને , કૃતકૃત્યતા અનુભવી.

નેશનલ પ્રમોટર  ઓમકારા ગ્રુપના, ડોક્ટર શ્રી. તુષાર પટેલ અને ‘નમસ્કાર ગ્રુપ’ના રાજેશ દેસાઈએ ખુબ ટુંકા સમયમાં આવો કાર્યક્રમ યોજ્યો તે માટે એમને પણ અભિનંદન.

કમનસીબે, રક્ષાબંધનના તહેવારને કારણે ઘણાં સુજ્ઞ પ્રેક્ષકો ‘આઉટ ઓફ ટાઉન’ હતા. કેટલાકને ઘેર , બહારગામના કુટુંબીઓ આવેલા અને ખાણીપીણીના કાર્યક્રમો હતા  તો કેટલાક  સિનિયરો પાંચ કલાક બેસી રહેવાય તેમ ન હોવાથી કાર્યક્રમથી દૂર રહ્યા હતા. ( હું પણ અંદર-બહાર, અંદર-બહાર જ કરતો હતો ને  ! ). 

નવીન બેન્કર    ( લખ્યા તારીખ- ૮/૮/૨૦૧૭ – શહીદ દિન )

———————————————————————–

 

August 6th, 2017 Posted in Uncategorized

 

 

આ છે સ્વામિ નિત્યાનંદ ભારતી ની યાદગાર તસ્વીરો.

કહેવાની જરૂર ખરી કે સ્વામિ નિત્યાનંદ ભારતી એટલે બહુરંગી વ્યક્તિત્વધારી ‘નવીન બેન્કર’ ?

પહેલા ફોટામાં , મારા ખોળામાં માથુ મૂકીને જે બાળક સુતેલું દેખાય છે તે છે-  આજનો ડોક્ટર શેનિલ શાહ.  ૧૯૮૩ ના  સપ્ટેમ્બરમાં જન્મેલો આ છોકરો  આજે  ઓસ્ટીનમાં મેડીકલની પ્રેક્ટીસ કરે છે અને તેની પત્ની પણ મેડીકલ ડોક્ટર છે. તેઓ આજે બે સંતાનોના પેરન્ટ્સ છે. મારી નાની બહેન સુષ્મા શાહ અને બનેવીલાલ ડોક્ટર શ્રેણિક શાહના સંતાન છે.

નવીન બેન્કરને તો આવા વેશ ભજવવા ગમે છે.

બિપીનભાઈના જુતા – એક સંસ્મરણ

August 3rd, 2017 Posted in Uncategorized

ડાબી બાજુથી  -શ્રી. બિપીનભાઇ અને  શ્રી. નવીન બેન્કર

બિપીનભાઈના જુતા  – એક સંસ્મરણ

-શ્રી. નવીન બેન્કર

આ વાત મહાગુજરાતના તોફાનો વખતની છે. સોરી ! હું આજે પણ એ સમયને ‘આંદોલન’ નથી કહેતો. આંદોલન તો  માત્ર મહાત્મા ગાંધીએ જ કરેલાં. ત્યારપછી તો પોતાની વાતને સાચી ઠેરવવા થયેલાં ત્રાગાં જ છે. નાક દબાવીને, પોતાના સંઘબળના જોરે, કલ્લી કઢાવી લેવાની ઘટનાઓને હું આંદોલનો નથી કહેતો.

એ સમયે મારી ઉંમર સોળ વર્ષની હતી. ( ૧૯૫૬).  અમે  અમદાવાદની  એક પોળમાં ભાડાના ઘરમાં દસ કુટુંબીજનો રહેતા હતા. બાપુજીની નોકરી છૂટી ગયેલી. ગુજરાન ચલાવવા, હું છાપાં અને બપોરના વધારા વેચતો. મારા  દાદીમા કોઇ સગાંને ત્યાં નાનામોટા કામો કરતા. બદલામાં, એ સગાં, અનાજપાણી અને ચીજવસ્તુઓ આપતા.  એ ઘરમાં મારાથી ત્રણ વર્ષે મોટો એક છોકરો પણ હતો.એનું નામ બિપીન. શાંત, સૌમ્ય અને ઓછાબોલા સ્વભાવના એ છોકરાના જુના શર્ટ્સ અને સેન્ડલ પણ મને મળતાં. એ જમાનામાં ખમીસ પણ હું શુક્રવારીમાંથી આઠ આનામાં ખરીદીને પહેરતો હતો. આ શુક્રવારી, ઘીકાંટાની કોર્ટ પાસે ભરાતી. પછી કાળક્રમે એ રવિવારે ગુજરી બજાર તરીકે વિક્ટોરિયા ગાર્ડન પાસે નદીના પટમાં ભરાતી થઈ હતી. આજે પણ ત્યાં જ, નવા રૂપરંગ સહિત ભરાય છે.

બિપીને એકવાર લાલ રંગના બાટાના સેન્ડલ પહેર્યા હતા. મને એ સેન્ડલ બહુ ગમી ગયેલા. હું વિચારતો કે આ સેન્ડલ થોડા જુના થાય અગર બિપીન નવા સેન્ડલ લાવે તો મને જ આ સેન્ડલ મળી જશે મહિનાઓ સુધી રાહ જોયા પછી, ગાંધીરોડ પર જુમ્મા મસ્જિદ પાસે આવેલી બાટા શુ કંપનીના શો કેઇસમાં મુકેલા એ સેન્ડલનો ભાવ પણ હું પુછી આવેલો. એ વખતે એની કિંમત હતી ૨૮ રૂપિયા. મારી તો એટલી હેસિયત ન હતી. મેં એક દિવસ હિમ્મત કરીને બિપીનભાઈને કહ્યું-‘ તમારા આ સેન્ડલ તમને બહુ સરસ લાગે છે. ‘ બિપીને કદાચ મારી આંખમાં મારી ઇચ્છા વાંચી લીધી હશે કે કેમ, પણ એણે તરત જ કહ્યું-‘ નવીન, તને ગમે છે ? તું લઈ લે. આમે ય મેં બહુ પહેર્યા છે. હું નવા લઈ લઈશ.’  અને આમ એ ૨૮ રૂપિયાના સેન્ડલ મને મળી ગયા હતા.

પછી તો કાળનું ચક્ર ફરતું રહ્યું…

બહેનની સ્પોન્સરશીપ પર  નવીન અમેરિકા આવી ગયો.

૧૯૮૨માં જ્યારે એ અમદાવાદ ગયો ત્યારે ન્યુયોર્કના લોંગ આઈલેન્ડ સીટીની એક ગારમેન્ટ ફેક્ટરી –RUSS TOGS INC-માં કામ કરીને થોડા ડોલર્સ બચાવીને, અમદાવાદમાં, આઠના ભાવના ડોલર, ૧૨ના ભાવે આપીને થોડા પૈસા બનાવેલા.

ઉંમર પણ ત્યારે ૪૨ વર્ષની જ હતી.

 બિપીનભાઈની તપાસ કરતાં ખબર પડી કે એ તો ઘણાં શ્રીમંત થઈ ગયા છે અને હવે મુંબઈના વરલી વિસ્તારના કોઇ  ભવ્ય ફ્લેટમાં પત્ની અને દીકરી સાથે રહે છે.

જોગાનુજોગ, કોઇ મિત્રના દીકરાના લગ્ન પ્રસંગે મુંબઈ જવાનું થયું હતું.

અમેરિકાની ગારમેન્ટ કંપની- RUSS TOGS-ના કાપડમાંથી સીવડાવેલા શાનદાર કપડા અને બાટાની  ચંપલો પહેરીને નવીન બેન્કર ઉપડ્યા વરલીના એ ફ્લેટ પર.

મનમાં ફાંકો હતો કે આજે બિપીનભાઈને બતાવીશ કે હવે હું પણ તમારા જેવા વસ્ત્રો અને શુઝ પહેરી શકું છું. લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરીને , એ વરલી ઉતર્યો ત્યારે મેઘરાજા એ તાંડવ મચાવી દીધું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. નવીનભાઈ પલળી ગયા.

બાટાની નવીનક્કોર ચંપલો પણ પાણીમાં તણાઇ ગઈ.

જેમતેમ કરીને બિપીનભાઇના ફ્લેટ પર તો પહોંચી ગયા, નસીબસંજોગે બિપીનભાઇ ઘેર જ હતા, ટુવાલથી શરીર લુછ્યું અને બિપીનભાઈના કપડાં પહેરીને સોફામાં બેઠો..ખાઇ-પી વાતો કરીને, જતી વખતે બિપીનભાઇના આપેલા શુઝ પહેરીને પાછો ફર્યો ત્યારે એને પોતે કરેલા અભિમાન બદલ શરમ આવી.

કુદરત જાણે કહેતી હતી કે ‘નવીન, તારે તો બિપીનભાઇના શુઝ જ પહેરવાના છે’.

એ વાતને ય આજે તો પાંત્રીસ વર્ષ વીતી ગયા છે. આજે ભારતથી કોઇ સગાં હ્યુસ્ટન આવ્યા અને તેમણે સમાચાર આપ્યા કે બિપીનભાઈ તો હમણાં જ ગુજરી ગયા.

મારી આંખ ભીની થઈ ગઈ.

નવીન બેન્કર   ( લખ્યા તારીખ- ૨૮ જુલાઈ ૨૦૧૭ )

*****************************************************************

 

સંગીતાના સંસ્મરણો

August 3rd, 2017 Posted in મારા સંસ્મરણો

સંગીતાના સંસ્મરણો

સંગીતા એ અમારી સૌથી નાની બહેન છે. આજે ડલાસ માં તેના પતિ અમીતકુમાર અને બે બાળકો-નિકીતા અને આનંદ- સાથે સુખી જીવન વીતાવે છે. પોતે ઉત્તમ ગાયિકા પણ છે. અને આઝાદ રેડીયો પર રેડીયો જોકી છે. ૧૯૬૨ માં તેનો જન્મ થયેલો અને મારા ૧૯૬૩ માં લગ્ન થયેલા. એટલે અમારે માટે તો એ બહેન કરતાં, દીકરી વધુ  છે.
એનું  ‘સંગીતા’ નામકરણ પણ મેં જ કરેલું. આ બહેન અમારા પિતાશ્રી, કે જેને અમે ભાઇભાંડુઓ ‘મોટાભાઇ’ કહેતા- એમના સંસ્મરણો વાગોળે છે.
Motabhai was very good looking, hoshiyar, dreamy. Rasik like his name, had a high temper and at the same time he could swallow his pride when he needed to.
He was a very good accountant. I had seen his hisaab ni notebook. He could stitch. I remember he had done polo tanko  in my green ghaghri in my Sivan class in the 3rd grade. He knew how to make tea. Cook, fix things.
He used to feel very proud about his children’s talents – be it singing or first in studies – he always wanted to announce to the world that  us – the smart kids – are his kids.
I remember him telling Rahulbhai to take Deviben out. Many times, I had seen him keeping silence as he was a poor father.
I remember Kokiben coming to ZumpaDi’s pole in middle of night as she was in dilemma about getting married and leaving for USA. I remember MotBhai asking her to get married. Kokiben had sent a picture from US and he had enlarged it and framed it and hanged it right underneath Amba Maas photo and had seen him staring at It with a teary  eyes for a long time.
He wanted to attend all Virus programs and tell everyone that that talented flute player was his son.
I was very vhali to him. He used to bring gaanthia , kaNsai na  laadu, chawaNu  and Mithai for me.
I do not remember him talking to Kamu but I do remember he would call for Vidu (baa) and talk to her as soon as he entered home.
I always disliked zhaghda and confrontations of any knd so I used to wait for him at poLe and tell him everything nicely so he would not react angrily.
I never liked he smoked  બીડી.
સંગીતા ધારિયા  (  અમારી સૌથી નાની બહેન )

BLOOD PRESSURE Drama Picture

 

ડાબી બાજુથી- કોકિલાબેન નવીન બેન્કર, વચ્ચે નવીન બેન્કર અને જમણી બાજુ છેલ્લે વિરેન્દ્ર બેન્કર

મે માસની પાંચમી તારીખ અને ૧૯૭૦ ના રોજ લેવાયેલી આ તસ્વીર નાટક ‘બ્લડપ્રેશર’ ભજવાયું ત્યારની છે. મારી પત્ની અને ભાઇ મને મળવા અમદાવાદના ટાઉનહોલના ગ્રીનરૂમમાં આવેલા ત્યારની છે. ત્રીસ વર્ષની ભરયુવાન વયે, હું ત્યારે , આવા પાત્રો ભજવતો હતો. મુનીમજી, જ્યોતિષ, શેઠ, દારૂડીયો  ને એવા પાત્રો મને મળતા હતા.મારી પત્ની કેટલી નાની લાગે છે ફોટામાં !  આજે ય , જો કે, એવી નાની જ દેખાય છે. અને..મારો ભાઇ જે ૧૯૫૫ માં જન્મેલો તે ત્યારે ૧૫ વર્ષનો હતો અને વાંસળી વગાડતો હતો. આજે  એ સિકસ્ટી પ્લસ છે . નાટકમાં હું રૂપાળી હિરોઈનની હસ્તરેખા વાંચનાર જ્યોતિષી બન્યો હતો.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.