એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'મને ખુબ ગમેલા અન્યના લેખો'

તદ્દન નગ્ન- લેખક ચંદ્રકાંત બક્ષી

તદ્દન નગ્ન : ત્યાગની ચરમ સીમા

 

: ચંદ્રકાંત બક્ષી

 

ત્યાગનું મહત્ત્વ લગભગ દરેક ધર્મે સ્વીકાર્યું છે. હિંદુ ધર્મગુરુ જે વસ્ત્રો પહેરે છેધોતી કે લુંગી કે કુરતું, કે જે ચાદર લપેટે છે એનો રંગ ભગવો છેકારણ કે ભગવો હિંદુ રંગ છે. બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે પણ મને રંગ હિંદુસ્તાનની મિટ્ટીનો લાગ્યો છે અને ભગવો રંગ કેસૂડાં કે ગુલમોરથી ઘઉં અને કેરીથી બદામ કે ચણા સુધીના વિવિધ હિંદુસ્તાની રંગો સુધી ફેલાઈ જાય છે. હજ પર જનાર મુસ્લિમનો લિબાસ સીવ્યા વિનાનું સફેદ કપડું હોય છેકહેવાય છે કે મુસ્લિમ જીવંત હોય છે અને કફન પહેરીને પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરે છેબધાં સગાંસંબંધીઓની ક્ષમા માગીને અને જીવ્યામર્યાના જુહાર કરીનેત્યાગને દરેક ધર્મમાં બહુ ઊંચા આસને મૂકવામાં આવ્યો છે પણ ત્યાગની પરાકાષ્ઠા કઈ ? નગ્નતાસંપૂર્ણ નગ્નતા, નિર્વસ્ત્ર થઈ જવાની સ્થિતિસાધ્ય અને સાધકની વચ્ચે વસ્ત્રનો, આવરણનોપોશાકનો પણ અવરોધ શા માટે ?

 

ખ્રિસ્તી ધર્મમાં સંત ફ્રાન્સિસ ઓફ એસીસીનું સ્થાન અત્યંત સન્માનનીય છે. ૧૩મી સદીમાં ફ્રાન્સિસે એક દૈવી સંદેશ સાંભળ્યો કે મનુષ્યની સેવા કરવા કરતાં ઈશ્વરની સેવા કર. ફ્રાન્સિસે દુનિયાની સ્વાર્થી પ્રવૃત્તિઓ છોડીને રક્તપિત્તિયાંરુગ્ણોનીભૂખથી પીડિત મુફલિસોનીઅસહાયોની સેવા કરવી શરૂ કરી. પિતાને નાપસંદ હતું. એમણે પુત્રને કોર્ટમાં ઘસડી લાવીને ફરિયાદ કરી કે મારો પુત્ર આડી લઈને ચડી ગયો છે, એને સજા કરો! ફ્રાન્સિસ ત્યાં તદ્દન નગ્ન થઈ ગયા, સંપૂર્ણ ભૌતિક ત્યાગ ઈશ્વર માટે જેને જીવન સમર્પણ કરવામાં આવ્યું. માણસે ખ્રિસ્તી ધર્મનો ‘ઓર્ડર ઓફ ફ્રાન્સિસ મેનર‘ સ્થાપ્યો. એમનું દેહાવસાન સન ૧૨૨૬માં થયું અને બે વર્ષ પછી એમને ખ્રિસ્તી ધર્મના સેઇન્ટ(સંત) બનાવવામાં આવ્યા. સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી વિશ્વની ધર્મપરંપરાઓમાં એક જ્વલંત નામ છે.

 

કાશ્મીરના ઇતિહાસમાં એક સ્ત્રીનું નામ આદરથી લેવાય છે. કોઈ ખાસ એક ધર્મની પુરસ્કર્તા હતી પણ અન્ય ધર્મીઓ પણ એની પૂજા કરતા હતા. સ્ત્રીનું નામ લલ્લા હતું અને કાશ્મીરમાં એવી કહેવત પડી ગઈ હતી કે બે વ્યક્તિઓની પૂજા થાય છેએક અલ્લાહ અને બીજી લલ્લા! લલ્લાના ઘણા અનુયાયીઓ હતા અને એક રૂપસી સ્ત્રી હતી. કાશ્મીરની પૂજ્ય લલ્લા સમસ્ત જીવન તદ્દન નગ્ન જીવી હતી

 

ગ્રીસના ઇતિહાસમાં ફિલસૂફ ડાયાજિનિસનું બહુ ઊંચું સ્થાન છે. ડાયાજિનિસ ચક્રમ પ્રકારનો પણ અત્યંત મેધાવી ફિલસૂફ હતો. મહાન એલેકઝાંડરના સમયમાં વિદ્યમાન હતો અને પ્રજામાં એને માટે બહુ માન હતું. એક વાર એલેકઝાંડરને ઇચ્છા થઈ ડાયાજિનિસને મળવાની અને નલસૂફને કોઈ જરૂર હોય તો સહાયતા કરવાની. એલેકઝાંડર એના રસાલા સાથે ડાયાજિનિસને મળવા ગયો ત્યારે ગ્રીક ફિલસૂફ ધૂપમાં નદીકિનારે બેઠો હતો. તદ્દન નગ્ન હતો. સમ્રાટ એલેકઝાંડરે પાસે આવીને ઝૂકીને ફિલસૂફ ડાયાજિનિસને પૂછયું કે પ્રભુ, હું તમારી શું સેવા કરી શકું છુંડાયાજિનિસે કુતૂહલથી એલેકઝાંડર તરફ જોઈને કહ્યું : તું ખસી જાદૂર ઊભો રહેતું મારો તડકો રોકી રહ્યો છે !

 

નગ્નતા ઘણા પ્રાચીન ફિલસૂફોએ અપનાવી હતી. આપણે ત્યાં નાગા બાવાઓની એક પ્રશાખા છે જે હંમેશાં દરેક ઋતુમાં સંપૂર્ણ નગ્ન રહે છે. નાગા રહેવું ત્યાગની પરિસીમા છે જ્યારે અહંકારનું અંતિમ બુંદ ઓગળી જાય છે ત્યારે વ્યક્તિ નગ્ન થઈ જાય છે. નગ્નતા શરીરનું સત્ય સ્વરૂપ છે.

 

ભારતીય દર્શનશાસ્ત્રમાં નાગર્જુન નામ છે જે એના શૂન્યવાદ માટે પ્રસિદ્ધ છે. નાગાર્જુન એક બૌદ્ધ ભિક્ષુક હતા અને બૌદ્ધ ધર્મના અતિ પ્રસિદ્ધ નગ્ન ભિક્ષુ હતા. નગ્ન રહેતા હતાએમણે કરેલી ચર્ચાઓનાં પ્રમાણો આજે પણ ઉપલબ્ધ છે. ચીનના તાઓવાદ પર નાગર્જુનના શૂન્યવાદની અસર છે એવી વાત છે. નાગર્જુનને એક રાણીએ રત્નજડિત સુવર્ણનું ભિક્ષાપાત્ર આપી દીધું પણ એમણે નિષ્પક્ષભાવે લઈ લીધું. પછી એક ખંડિયેરમાં ગયા અને એક ચોરને જોઈને રત્નજડિત સુવર્ણપાત્ર પણ એમણે ફેંકી દીધું કે જેથી ચોરને કામ આવે! નાગર્જુનનો વિચારસંબંધ સાધુતા સાથે હતોચોરીની પ્રકૃતિ સાથે હતો. નાગાર્જુનના શૂન્યવાદમાં બુનિયાદી વાતો હતી. ઘડો શું છે? અંદર જે ખાલી છેજે શૂન્ય છે ઘડો છે, બહારની સપાટી ઘડો નથી. ઘર શું છે? બાહ્ય દીવાલો પર નથી, અંદર જે ખાલી જગ્યા છે, જેમાં જીવી શકાય છે ખાલીપણું શૂન્યતા પર છે. મનુષ્યના દેહની અંદર જે ખાલીપણું છે, આત્મા છે, ચેતના છે. પદાર્થની અંદરની શૂન્યતા પદાર્થત્વ છે.

 

જૈનોના ૨૪ તીર્થંકરોમાં એક તીર્થંકરનું નામ છે : મલ્લિનાથ! તીર્થંકર પુરુષ નથી પણ સ્ત્રી છે અને એમનું નામ મલ્લિ હતું. મલ્લિબાઈ જૈન ધારાની અત્યંત પ્રતિભાવાન વિભૂતિઓમાં સ્થાન પામે છે. તત્કાલીન જૈન સાધુસમાજ અને શ્રાવકોના સમૂહોની વચ્ચે સ્ત્રી તદ્દન નગ્ન રહેતી હતી બતાવે છે કે એમનામાં વજ્ર જેવી સાહસવૃત્તિ હશે. જૈન ધર્મમાં જ્યાં સુધી નગ્નતા આવતી નથી ત્યાં સુધી અંતિમ અને ચરમ મુક્તિ નથી. મલ્લિબાઈ નગ્ન રહ્યાં અને પ્રજા માટે પૂજનીય અને સ્વીકાર્ય બન્યાં. એમના અવસાન પછી તરત એમનું નામ બદલી નાખવામાં આવ્યું અને તીર્થંકર મલ્લિનાથ બની ગયાં.

 

પણ નગ્નતાને સર્વોચ્ચ આધ્યાત્મિક ઊંચાઈ જે નામે આપી છે નામ છે : ભગવાન મહાવીર. જૈન ધર્માચાર્યોમાં મહાવીર કરતાં ઊંચું નામ નથી. જૈન ધર્મ શબ્દ દિગમ્બરનો અર્થ પણ સૂચક છે. દિગમ્બર શબ્દ સામાન્યતઃ નગ્ન માટે વપરાય છે પણ એનો શબ્દાર્થ થાય છે વ્યક્તિ જેને માટે દિક્(દિશાઓ) અંબર(વસ્ત્ર) છે. દિશાઓ જેનાં વસ્ત્રો છે પ્રજા પણ જૈનધર્મીઓની એક પ્રમુખ શાખા છે : દિગમ્બર જૈનો. મહાવીર સ્વામીએ જ્યારે એમની સ્વદમન સાધના શરૂ કરી ત્યારે સંપૂર્ણ નગ્ન બની ગયા અને મૂઢ લોકોએ એમને નગ્ન જોઈને પથ્થરો માર્યા હતા! અને એક દિવસ આવે છે જ્યારે પથ્થરો મારનારા પૂજાઅર્ચના કરે છે.

 

ભારતીય બૌદ્ધિક ધારામાં મહાવીરનું એક પ્રચંડ યોગદાન રહ્યું છે. જૈન અનુયાયીઓમાં શ્વેતાંબરો અને દિગમ્બરો નામની બે શાખાઓ છે અને દિગમ્બર મતાનુયાયીઓ માને છે કે મહાવીર દિગમ્બર હતા. નગ્નવસ્થામાં જીવતા હતા. દૃષ્ટિએ દિગમ્બરોની વાત વિશેષ તર્કગત અને પ્રમાણિત લાગે છે. લગભગ સમગ્ર જૈન ર્મૂિતવિદ્યાન નગ્ન, ધ્યાનસ્થપદ્માસનમાં બેઠેલી પ્રતિમાઓનું છે. નગ્નતા ત્યાગની અંતિમ ગતિ છે વિશે મતાંતરને કોઈ અવકાશ નથી. નગ્નતા પ્રામાણિકતા છે જે માણસને ર્નિિવચાર કરી શકે છે. પૃથ્વી પરનું દરેક ફૂલ, દરેક વનસ્પતિ, દરેક પશુ, દરેક જળચરદરેક ખેચર, દરેક જંતુદરેક કીટાણુ નગ્ન છે. માત્ર મનુષ્યને પરિગ્રહ છે પોશાકનો. પોશાક વાસનાને જન્મ આપે છે? નગ્નતાવાદીઓનું તો એમ કહેવું છે

 

So fresh and so clean.

 

મહેન્દ્ર પુનાતરનો એક લેખ

સુખ અને દુ: આપણી પોતાની સર્જત છેજેવી આપણી આકાંક્ષા હોય એવું મળે છેકામક્રોધલોભ અનેમોહ આપણને સારું હકીકતમાં જેવું છે તેવું જોવા દેતો નથી.
 
 માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છેશક્તિ અને ક્ષમતા મુજબ જે કાંઈમળવાનું હતું તે મળી જાય છેપછીના જે વર્ષો હોય છે તે નફાના હોય છેનફાને નુકસાન ગણીને ચાલીએ તોદુ:ખી થઈ જઈએજીવનના  વર્ષોમાં જંજાળ  છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંતસમયે અફસોસ કરીએ તો કેમ ચાલેઆપણે શા માટે જીવીએ છીએધન એકઠું કરવા માટેકીર્તિ અનેપ્રસિદ્ધિ માટેસંતાનોને સલાહ આપવા માટેહજુ કયા માનચાંદ મેળવવાના બાકી છેઅત્યાર સુધી જેજીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતુંશરૂઆતના વર્ષોમાં ધનપદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામાકરવાના હતા તે કરી નાખ્યાજુઠ્ઠી શાન શોહરતમાં અને આડંબરમાં જીવ્યા અને જીવનના કિંમતી વર્ષોગુમાવી દીધાંહવે બાકીનાં વર્ષોમાં જીવનને માણીએમસ્ત બનીને રહીએજે આપણને મળ્યું છે અને જેઆપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએસંતોષથી રહીએચિંતાભયરાગદ્વેષ છોડીને શાંતિ અનેઆનંદથી જીવન પસાર કરીએ
જીવનનાં બધાં કામો યોગ્ય સમયે કરી લેવાના હોય છેસમય અને સંજોગો બધા સમયે સરખા રહેતા નથી.પરિસ્થિતિ પલટાયા કરે છેકાળનું ચક્ર ફર્યા કરે છેતમારી પાસે શું છે અને કેટલું પ્રાપ્ત કર્યું છે તેનું બહુમહત્ત્વ નથીપણ તમે તેનો કેટલો આનંદ માણ્યો તેમાંથી કેટલું સુખ મેળવ્યું તેનું મહત્ત્વ છેજીવનની બધી આપાધાપી સુખ મેળવવા કરીએ છીએ અને છેવટે દુ: વહોરી લઈએ છીએકારણ કે સુખને આપણે ધન,પદકીર્તિ અને પ્રસિદ્ધિમાં સિમીત કરી નાખ્યું છેઆપણે એમ સમજીએ છીએ  બધુંમળે એટલે સુખી થઈગયાપરંતુ જ્યારે  બધું મળી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ધારતા હતા એવું સુખ આમાં નથીમાણસવિચાર કરે છે ધનદૌલતસંપત્તિ બધું મેળવી લઈએ પછી સુખેથી જીવશુંપરંતુ એવો સમય કોઈને માટેકદી આવતો નથીઉંમર થાય પછી શક્તિઓ ક્ષીણ થતી જાય છેકહેવાતું સુખ હોય તો પણ માણી શકાતુંનથી.

જીવન માટે ભવિષ્યનું કોઈ મહત્ત્વ નથીવર્તમાન  મહત્ત્વનો છેઆજે આપણી પાસે જે કાંઈ છે તેનોઉપયોગ કરી લેવો જોઈએભવિષ્યની ચિંતામાં આજના સુખને જતું કરવા  ખોટનો સોદો છેવર્તમાનમાંરહેવામાં અને માણવામાં જીવનની સાર્થકતા છેધર્મપુણ્ય અને કોઈ સારું કામ કરવું હોય તો આજ કરી લેવુંજોઈએઆજનો ભાવ કાલ પર ઠેલી શકાય નહીંઆજે જે અવસર છે તે કાલે આવવાનો નથી.

પ્રતિક્ષણ જગત બદલાયા કરે છેપરિસ્થિતિ પલટાયા કરે છેસમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે.એટલે ઘણું કરવાનું બાકી રહી જશેપરંતુ તેનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી.  કાલ આવશે ત્યારેમાણસ વધુ કમજોર બની ગયો હશેઆજે જે કામક્રોધઘૃણા અને જલન છે તે કાલે વધુ માત્રામાં હશે.સમયની સાથે માણસ નબળો પડતો જાય છે અને દુર્ગુણોની જડ વધુ મજબૂત બનતી જાય છે
મનુષ્યએ ઘણી પ્રગતિ કરી છેસુખ સગવડતાના અનેક સાધનો હાંસલ કર્યા છેઆમ છતાં રાગદ્વેષમાનઅભિમાનદુ: પીડાચિંતા – એકલતા અને શાંતિ માટેની ઝંખના વગેરે એના   રહ્યા છેજગતમાં શુંબની રહ્યું છેતેના કરતાં આપણી અંદર શું બની રહ્યું છેતે વિચારવું જોઈએજીવનના બધા સુખો મળશે,પરંતુ પ્રેમસ્નેહ અને સહાનુભૂતિ જો નહીં મળે તો  સુખનો આનંદ માણી શકાશે નહીંપ્રેમ  જીવનનુંઅમૃત છેઘણાં માણસો પ્રેમસ્નેહ હૂંફ  મળવાના કારણે સમય કરતા વહેલા મરતા હોય છેસ્વાર્થલોભઅને અહંકાર સાથે પ્રેમ રહી શકતો નથી બધું વિસર્જિત થાય ત્યારે પ્રેમ પ્રગટ થાય છેજેને પ્રેમસ્નેહમળે છે તેને બીજા કશાની જરૂરત રહેતી નથીપ્રેમ જેટલો વિસ્તૃત બનેજેટલો વહેંચાય એટલો વધે છે.આપણે જે આપીએ છીએ તે પાછું આપણા તરફ એક યા બીજા સ્વરૂપે આવે છેઆપણે જે મેળવવા ઈચ્છતાહોઈએ તેની સામે કાંઈક આપવું પડેઆપણે સુખ મેળવવા માગતા હોઈએ તો બીજાને સુખ આપવું પડે.કંટકો વાવીને પુષ્પો મેળવી શકાય નહીં.

જીવનમાં સુખદુ:ચડતીપડતી સફળતાનિષ્ફળતા આવ્યા કરે છેસુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે.તેમાં સમયનો ખ્યાલ રહેતો નથીદુ: લાંબુ ચાલે છે કારણ કે તેને આપણે મનમાંથી દૂર કરી શકતા નથી.જે વસ્તુ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી આપણી રહે છેતેમાંથી આનંદ લુપ્ત થઈ જાય પછી તેની કોઈ કિંમતરહેતી નથીતિજોરીમાં કે બેન્કોમાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તેને માણી શકાતા નથીતેના વિચારથીસુખ દુ: અનુભવી શકાય છેમોટા ભાગના સુખો ધારણાના હોય છે.

જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છેએક જન્મ અને બીજું મૃત્યુજે આપણા હાથમાં નથીકાળને કોઈ રોકીશકતું નથીશુભ ભાવ રાખવોસારું ચિંતન કરવુંપ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવોકોઈ વસ્તુપ્રત્યે આસક્તિ રાખવી નહીંકવિ દલપતરામે લખ્યું છે તેમ… ‘એક દિન હાથીએક દિન ઘોડાએક દિનપાવસે ચલનાજીએક દિન લડ્ડુએક દિન રોટીએક દિન ફક્કમ ફક્કાજી’. સારું ખાધુંસારું પીધુંસુખચેનથીરહ્યા એક દિવસ કોઈ ચીજ  મળી તેથી શુંજીવનમાં કેટલીક વસ્તુઓમાં ચલાવી લેતા પણ શીખવું જોઈએ.જીવતા આવડે તો જીવન આનંદ ઉત્સવ છેનહીંતર દુ:ખનો દરિયો.

 
ઘણું છોડ્યા પછી, થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દો વજન, નૌકાની સાથે જીવવાનું છે.   ( રઈશ મનીઆર )
 
(મહેન્દ્ર પુનાતરના એક લેખને આધારે )
 
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.  

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
                     .
                 ,

— 

Sush

Enjoy the view.

નીલે ગગન કે તલે / મધુ રાય

દિવ્યભાસ્કરકળશ પૂર્તિજૂન ૧૭૨૦૧૫
નીલે ગગન કે તલે / મધુ રાય ૭૪૭ શબ્દો
કોઈ કહે ચાંદ કોઈ આંખ કા તારા
પહેલાંના જમાનામાં ‘સંતોષી માનાં પોસ્ટકાર્ડ સર્કયુલેટ થતા હતાંઆજના જમાનામાં ભારતને––કે હિન્દુ ધર્મને––શ્રેષ્ઠ પુરવાર કરતા ઇમેઇલ ચકરાવા મારે છે. ‘અગર હિન્દૂ ધર્મ બુરા હૈ તો ક્યોં જુલિયા રોબર્ટ્સને હિન્દૂ ધર્મ અપનાયા હૈઔર કયોં રોજ મંદિર જાતી હૈઇન્ડોનેશિયા કે રૂપયોં કી નોટોં પર ક્યોં ગણેશજી કા ચિત્ર હૈ?’ જેવા તદ્દન સિરપૈર વિનાના ઇમેઈલ ફરતા  રહે છે જાણે હિંદુ ધર્મ વિશ્વની શ્રેષ્ઠ ચીજ છેઅને ભારત મહાસત્તા હતીછેઅને ચિરકાળ રહેશે મૂર્ખ વક્રચંદ્ર શેખીખોરો સાચા ભારતની વાસ્તવિક કંગાલિયત સામે આંખે અતીતના પાટા બાંધીને ફરે છે કેમકે ભારતનાં શહેરો દૂષિત હવાથી ખદબદે છે અને વસતીનો એક રાક્ષસી હિસ્સો હીનમાનવ બસ્તીઓમાં શ્વાસ લે છેસંતાનો જણે છેઅને મરે છે.
આવાં ખારાં વચન બોલવાનું નિમિત્ત છે દિલ્હીના પ્રદૂષણ વિશે ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા ગાર્ડિનર હેરિસે એક હૃદયમાં ઉઝરડા કરે એવો લેખ લખ્યો છેએનો સાર છે કે “…ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા તરીકે મારી બદલી દિલ્હી થઈ ત્યારે અમને ખબર હતી કે ત્યાં જીદ્દી ભિખારીઓ છેડેન્ગૂ છે૧૨૦ ડિગ્રી ગરમી છેપણ અમને ધીમે ધીમે સમજાયું કે દિલ્હીનો સૌથી મોટો ખતરો છેતેનાં હવાપાણીખોરાક અને માખીઓઅહીંની ઝેરી હવાથી દિલ્હીના ૪૪ લાખ બાળકોનાં ફેફસાં રોગિષ્ટ છેદિલ્હીની હવામાં બેજિંગ કરતાં બમણું ઝેર છેસૌથી વધુ ઝેરી હવાવાળાં દુનિયાનાં ૨૫ શહેરોમાંથી ૧૩ શહેર ભારતમાં છેભારતના સૌથી મોટા પ્રદૂષણ સંશોધનકારી સાર્થ ગુટ્ટીકોન્ડા પોતાનાં બે બાળકોની સલામતી માટે દિલ્હી છોડીને ગોવા રહેવા ગયા છેકેમકે ‘બીજે ક્યાંય રહી શકાય તેમ હોય તો કદી દિલ્હીમાં બાળક ઉછેરવું નહી.’
સદીઓથી દિલ્હીમાં દુનિયાભરમાંથી પરદેશીઓ આવી વસ્યા છેમુત્સદીઓઆદર્શવાદી યુવકયુવતીઓપત્રકારોઉદ્યોગપતિઓદાક્તરી કર્મચારીઓવિજ્ઞાનિકોકમ્પુટરનવેશોરોજી માટે અહીં વસેલા લોકોને કાયમ સવાલ થાય છે કે બાળકોની તબીયતના ભોગે રોટી કમાવી તે અંગત સ્વાર્થ કહેવાય કે નહીં?
દિલ્હીની હવાથી બાળકોનાં ફેફસાં બગડે તે કારણે તેમની જીવાદોરી ટૂંકી થાય છેપ્રદૂષણથી બાળકોની બુદ્ધિ ઠિંગરાય છેપ્રદૂષણમાં ઓટિઝમ (મંદબુદ્ધિ), વાઈમલ્ટીપલ સ્ક્લેરોસિસડાયાબિટીસ અને પુખ્તવયે થતા બીજા ભીષણ રોગોનું જોખમ છેઅને વિજ્ઞાનિકોના મતે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે છેતેથી દિલ્હીનાં બાળકોનું જીવન કેવું નીવડશે તેની કલ્પના થતી નથીમોટાંઓને પણ સતત શિરોવેદનાગળાની ખરાબીશરદી અને ઊધરસ થતાં રહે છેમુખ્યમંત્રી કેજરીવાલને પણ ઊધરસ મટાડવા દિલ્હી છોડીને ૧૦ દિવસ બીજે રહેવું પડેલું.
ફક્ત હવાનો  વાંક છે એવું નથીદિલ્હીના અરધોઅરધ નિવાસીઓ રસ્તા ઉપર જાજરૂ જાય છેઅને જેમને જાજરૂ છે તેમની ગંદકી સીધેસીધી નદીમાં ફેંકાય છેઅમારા દિલ્હીના એક પાડોશીએ એક દિવસ ફરિયાદ કરેલી કે તેનું પાણી ગટર જેવું ગંધાય છેપછી બીજાનું પાણી અને પછી ત્રીજાનું એમ ગંધ ચારે તરફ ફેલાઈકારણ કે નીચે કોઈ ડેવલપરે ગટરો ખોદાવેલી જેમાંથી અમારા મકાનની પાણીની ટાંકીમાં તેની ગંદકી જતી હતીઅમારા શાવરમાંથી પણ બજરિયા રંગનું પાણી આવવા માંડેલુંપછી અમે ટાંકી ઉપર લઈ ગયા પણ અલબત્ત શહેરની અવસ્થા તેની તે  છે.
દિલ્હીમાં વાંદરાંકૂતરાં અને અન્ય પશુઓની વિષ્ટા ઠેર ઠેર દેખાય છેએની ઉપર માખીઓ બણબણતી હોય છેજે પાછી ખોરાક ઉપર બેસે છે. … અમે દિલ્હી રહેવા આવ્યાં તે પહેલાં અમારા દીકરાને શ્વાસની તકલીફ થયેલી ને ડોક્ટરોએ કહેલું કે વખત જતાં મટી જશેપરંતુ દિલ્હી આવ્યા બાદ તેને રોજ દવા લેવી પડે તેવો કાયમી અસ્થમા (દમલાગુ પડી ગયો છે. … અને આખરે અમે વોશિંગ્ટન પાછાં આવી ગયાં છીએ.”
ભારતે જીરોની શોધ કરી ને ભારતે પૈડું ફેરવ્યું ને ભારતના વિજ્ઞાનિકોએ પૃથ્વીથી સૂર્યનું અંતર આબાદ કલ્કયુલેટ કરેલું ને ભીમપુત્ર ઘટોત્કચ કા વિશાલકાય કંકાલ ૨૦૦૭ કી સાલ મેં ‘નેશનલ જિઓગ્રાફી’ કી ટીમને ઉત્તર ભારત કે ઇલાકે મેં ખોજાબધાઈ હોપણ તેનું આજના ભારતને શું છેગાર્ડિનરે જે વાત દિલ્હીની કરી છે તેની તે  મુંબઈકલકત્તાબંગલુરુચેનૈ ને ઇવન કર્ણાવતી માટે પણ કહી શકાય કે નહીં? 
આપણે ધારી લીધું છે કે ભારત એટલે આપણેપણ સાહેબાનભારત એટલે ઉચ્ચ મધ્યમવર્ગના ઓછુંવત્તું ભણેલાં લોકો છાપાનાં વાચકોફેસબુક ઉપર મહાલતા જુવાનો કે મોબાઇલ ઉપર મિસકોલતા વડીલો  નહીં પણ બાકીના શી ખબર લાખો કરોડો બસ્તીવાસીઓદલિતોભિખારીઓવિધવાઓ અને બેપનાહ બાળકો સહિત બે તૃતીયાંશ ભાગ્યપંગુ ભારતવાસીઓ પણ ભારત છેતે વિરાટ જનગણ પણ ભારતમાં  વસે છેશ્વસે છે વાત આપણે ભૂલી જઈએ છીએઆપણાં સાહિત્યમાં પણ   મધ્યમવર્ગના રોદણાં ને પ્રેમનાં ટાહ્યલાંઆપણી સીરિયલોમાં પણ   ઘસાયેલાં સામાજિક વૃત્તાંતોઆપણાં નાટકોમાં   મધ્યમવર્ગનાં ફારસ અને આપણી ફિલ્મોમાં બિલકુલ મોંમાથા વિનાના હાસ્યાસ્પદ બહાદુરો અને બેહૂદાં કોરસ ગાણાં છે. 
આપણી નદીઓ મળથી ખદબદે છેઆપણે પોતેમધ્યમવર્ગના લોકોઉપભોક્તઓમોટા ઉદ્યોગોનાં છળકપટથી વ્યવસ્થિત છેતરાતા જઈએ છીએ અને ભૂતકાળના વૈભવની ભ્રામક શેખીમાં તરબતર થઈને સામસામે હલો કરીએ છીએક્યોંકિ ‘ઓબામા અપની જેબ મેં બજરંગબલિ કી ફોટો રખતે હૈં!’ યારોજરા સોચો કે ગાર્ડિનરની વાત સાચી હોય તો આજની ઝેરી હવામાં જીવતાં બાળકો આવતી કાલની ઠિંગરાયેલી બુદ્ધિવાળી જનતા બનશે થશે ત્યારે શું થશેજય હનુમાન!
madhu.thaker@gmail.com Tuesday, June 9, 2015

 

પપ્પા જેવડો પિયુ હોય ત્યારે- નીરજા દેસાઈ

નીરજા દેસાઈ

“ચાલ ને સુજય, સરસ મજાનો વરસાદ છે, લોંગ ડ્રાઈવ પર જઈએ. ગરમાગરમ ભજિયાં ખાશું, મસાલેદાર ચાય પીશું અને દેશી મકાઈ ખાવાની તો મઝા જ કેવી અનેરી!

“ઓહો! થાકીને ઠુસ થઈ ગયો છું, સુમિ. સખત કંટાળો આવે છે, એમાંય આ વાદળિયા વાતાવરણમાં તો એમ થાય છે કે જમીને તરત ઊંઘી જાઉં

સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ સંવાદ તમે ઘણી વાર સાંભળ્યો હશે પરંતુ, વાત જ્યારે ઉંમરની હોય તો ત્યારે સંવાદનો આ તફાવત આંખે ઊડીને વળગે છે. સ્ત્રી નાની વયની હોય અને પુરુષ એના કરતાં પંદર-વીસ વર્ષ મોટો હોય ત્યારે જો બન્ને વચ્ચે પૂરતી સમજણ અને પરિપક્વતા ન હોય તો સંબંધ મેચ્યોરિટીના અભાવે નાશ પામે છે.

દુનિયાની દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેમના સંબંધોનું આયુષ્ય લાં…બું….હોય! સુદીર્ઘ અને સરળ હોય, સંબંધોમાં પ્રેમ જળવાયેલો રહે, વિશ્ર્વાસ બરકરાર હોય, એકબીજાની દરેક ઈચ્છાઓ-મનોકામનાઓ પરિપૂર્ણ થાય. પરંતુ, તમને ખબર છે, સંબંધોનું દીર્ઘ આયુષ્ય ઘણી બધી બાબતો ઉપર નિર્ભર છે. જેમકે, એકબીજા પ્રત્યે કેટલું સામંજસ્ય છે, બન્નેના વિચારો કેટલા સરખા છે, તેમનામાં કેટલી પરિપક્વતા છે. પરંતુ, આ બધાથી એક મોટું પરિબળ ઉંમર પણ છે, જે સંબંધો પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.

ના ઉમ્ર કી સીમા હો, ના જનમ કા હો બંધન…એવું ગવાતું ભલે હોય પરંતુ સહજીવન ગાળવા ઈચ્છતી બે વ્યક્તિઓ વચ્ચે ઉંમર એક મહત્વનું પરિબળ છે. હમઉમ્ર વ્યક્તિઓ વચ્ચે માનસિક-શારીરિક શક્તિઓ અને સમાનતા ઘણી હોવાથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ વચ્ચે મહત્તમ પાંચ-સાત વર્ષનો ડિફરન્સ હોય ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો. પરંતુ, તમારા પાર્ટનરની વય તમારા કરતાં ઘણી મોટી હોય તો સહજીવન ગાળવું મુશ્કેલ બની જાય છે. હવે, પ્રશ્ર્ન એ છે કે શું તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઉંમરનું અંતર કેટલું છે? જો અંતર વધારે હોય તો એ અંતર સંબંધો પર શું અસર જન્માવે છે? આપણે એવા ઘણાં કપલ્સ જોઈએ છીએ જેમનામાં ઉંમરનું અંતર ઘણું મોટું હોય છે. દેખીતી રીતે એ જોડું આપણને કજોડું જ લાગે પરંતુ ખરેખર એ બન્ને વચ્ચે મનમેળ છે કે મતભેદ? ઉંમરનું અંતર વધુ હોય તો તેઓને શી સમસ્યા નડે છે, નથી નડતી, શું ખરેખર તેઓ કજોડાં જ હોય છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવાની અહીં કોશિશ કરીએ.

સંબંધોમાં સૌથી અગત્યની બાબત છે માનસિક પરિપક્વતા. ઉંમર કરતાંય તમારી વિચાર પદ્ધતિ અને માનસિક પરિપક્વતા વધુ અગત્યના છે. કેટલાંક અપવાદરૂપ કપલ્સમાં વયમાં વધુ અંતર હોવા છતાં અનેક સ્તરે સમાનતા જોવા મળે છે. બેમાંના એક પાર્ટનરે શરણાગતિ સ્વીકારી લીધી હોય તો વિખવાદો થવાની સંભાવના મટી જાય છે. પરંતુ, બન્ને સરખા ઈગોઈસ્ટિક, બન્ને શોર્ટ ટેમ્પર્ડ અથવા બન્ને બહુ મહત્વાકાંક્ષી હોય તો ઉંમરનો તફાવત સપાટી પર આવીને જિંદગીમાં ઝંઝાવાત લાવે છે. દંપતિ અથવા પ્રેમીઓ વચ્ચે વયનું વધુ અંતર હોય તો સમસ્યા સર્જાવાની શક્યતા વધુ રહે છે.

આમ થવાનાં કારણો શું છે?

– બન્નેની વિચારસરણીમાં મોટો ફરક હોય છે.

– વિચારસરણીમાં ફરકને કારણે પસંદ-નાપસંદમાં મોટો ભેદ જોવા મળે છે.

– બન્નેની ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલ પણ અલગ જોવા મળે છે. સ્ત્રી ઉંમરમાં વધુ નાની હોય તો એને ચટાકેદાર ખાણી-પીણીમાં રસ પડે, જ્યારે ભાઈ ખાખરા અને મગથી પ્રસન્ન રહેવાનું પસંદ કરતા હોય. સ્ત્રીને શોપિંગ, હરવા-ફરવામાં રસ હોય અને પુરુષ ફૂરસદનો સમય આરામમાં ગાળવાનું પસંદ કરતો હોય. સ્ત્રીને નાની વયને કારણે દોસ્તો-મિત્રો સાથે રખડવામાં અને મહાલવામાં રસ પડે જ્યારે પુરુષની પસંદગીનાં ક્ષેત્ર અલગ હોય. પુરુષ નાનો અને સ્ત્રી મોટી હોય તોય સમસ્યા સર્જાય. એકને પાર્ટી, સોશિયલ ગેધરિંગમાં રસ હોય તો બીજાને નિતાંત શાંતિ જોઈતી હોય. એકને હોટલનું ભાણું પસંદ હોય છે તો બીજું પાત્ર ઘરનું ભોજન પસંદ કરતું હોય છે. એકને લાઉડ મ્યુઝિક પસંદ હોય છે તો બીજાને ક્લાસિકલ કે અન્ય શાંત પ્રકારનું સંગીત જોઈતું હોય છે. જાહેર સ્થાનો પર લોકો વિચિત્ર નજરે જોઈને એ કપલને પણ અહેસાસ કરાવતા હોય છે કે ક્યાંક તેમણે કંઈક ભૂલ તો નથી કરી!

આવી નાની નાની પરંતુ અગત્યની બાબતો આગળ જતાં યુગલ વચ્ચે મોટું અંતર સર્જે છે. જ્યારે આ નાની નાની વાતો સંબંધ પર અસર પહોંચાડવા લાગે ત્યારે મોડું થઈ ગયું હોય છે. ધીમે ધીમે પુરુષને ખબર પડવા માંડે છે કે તમારી વયનું અંતર એમની ખુશીઓ કે જોઈતી અનિવાર્ય સ્પેસની આડે આવી રહ્યું છે.

આ સિવાય પણ કેટલીક બાબતો છે જે સંબંધોને પ્રભાવિત કરે છે.

ઈમોશનલ મેચ્યોરિટી: ભલે જોવામાં ઉંમરનું અંતર બહુ વધારે મોટું ન દેખાતું હોય, પણ આ અંતર ઈમોશનલ મેચ્યોરિટી પર ગંભીર અસર કરતું હોય છે. યુવાન વયનો પાર્ટનર વધુ ઉત્સાહી અને અધીરો કે અધીરી હોય છે, જ્યારે મોટી વયનો પાર્ટનર શાંત અને ગંભીર હોય છે. આ તફાવતને કારણે તમારી રોમેન્ટિક લાઈફ પર ઊંડી અસર પડે છે.

અસલામતીની ભાવના: સાથી મોટી વયનો હોય અને પોતાના નાની વયના સાથીને તેના હમઉમ્ર મિત્ર સાથે હસી-મજાક અને વાતચીત કરતા જુએ તો પોતાની મોટી ઉંમર વિશે અસુરક્ષિતતા પેદા થાય છે. તેને એવું લાગે છે કે પોતાની વધતી ઉંમરને કારણે સાથી એને ત્યજી તો નહીં દેને?

ફેમિલી પ્લાનિંગ: આ એક એવું પરિબળ છે જ્યાં વયનું અંતર ખાસ્સી મોટી અસર સર્જે છે. વધતી જતી ઉંમરને કારણે એક પાર્ટનર એવું ઈચ્છશે કે કુટુંબનું વિસ્તરણ જલદીથી થાય જ્યારે બીજું પાત્ર એમ વિચારશે કે લગ્નના આરંભનો સમય એન્જોય કરવામાં વિતાવવામાં આવે અને એ પછી જ ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ.

ગ્રોઈંગ ઓલ્ડ ટુગેધર: વર્તમાન તબક્કે તમારી વય ૩૫ની હોય અને પાર્ટનર ૫૦નો હોય તો કદાચ તમને આ ક્ષણે કોઈ સમસ્યા ન નડે પરંતુ, થોડાં જ વર્ષોમાં પાર્ટનરની વય નિવૃત્તિ સુધી પહોંચવામાં આવી હોય ત્યારે તમે તો યુવાનીમાં જ હો. આવા તબક્કે સાથે વૃદ્ધ થવાની લાગણી તમે મિસ કરી શકો છો. હસતાં-રમતાં, લડતાં-ઝગડતાં, વ્હાલ વરસાવતાં અને વાંકું પાડતાં સાથે સાથે મોટા થવાની લાગણી, સમજણની મજા કંઈક જુદી જ હોય છે. ઉંમરનું મોટું અંતર હોય તો સ્વાભાવિકપણે મંોટી વ્યક્તિ મા કે બાપની ભૂમિકામાં અનાયાસે આવી જાય છે. આમાં કમ્પેનિયનશિપ ક્યાં આવે?

બાળકો પર અસર : પોતાના મા-બાપમાંથી એક વૃદ્ધ દેખાતું હોય અને બીજું યુવાન તો બાળકો પણ ક્યારેક શરમ અનુભવે છે.

લોકોની પ્રશ્ર્નસૂચક નજર: તમારા પાર્ટનર અને તમારા પિતાની ઉંમરમાં બહુ ફરક ન લાગતો હોય તો લોકો પણ પ્રશ્ર્નસૂચક નજરે જુએ અથવા સવાલ કરે છે. એ વખતે તમારા કરતાં તમારા સાથીના મન પર વધુ અસર થાય છે. આ અસર સંબંઘો પર પણ ઘેરી અસર છોડે છે.

આવા સંબંધોની બીજી એક બાજુ જરૂરી નથી કે ઉંમરનું અંતર જ સંબંધ પર વિપરીત અસર છોડે છે.

ઉપર જે હકીકતો વર્ણવી એ સમાન ઉંમરના લોકોમાં પણ સંભવી શકે છે. આમેય દરેકની પસંદ જુદી જુદી હોય છે. એવું નથી કે ઉંમરનું અંતર જ આ ફરક પેદા કરે છે. દરેક વ્યક્તિ જુદા વાતાવરણમાં ઊછરી હોય છે. ઉંમર સાથે આ એક પણ મહત્વનું પરિબળ છે. તમારો ઉછેર કેવો થયો છે એના પર પણ સંબંધોના આયુષ્યનો મદાર રહેલો છે. તમે કેટલા એડજસ્ટ થઈ શકશો, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રિફ્લેક્ટ કરશો, કઈ વાતને કેવી રીતે હેન્ડલ કરશો એ બધું તમારા ઉછેર પર આધાર રાખે છે.

ક્યારેક એવું પણ બને કે મોટી ઉંમરનું પાત્ર વધુ મોડર્ન અને ઉદારવાદી, ખુલ્લી વિચારસરણી ધરાવતું હોય જ્યારે નાની ઉંમરનું પાત્ર સંકુચિત હોય ત્યારે પણ સમસ્યા સર્જાઈ શકે. આવા સંજોગોમાં તમે એકબીજાનાં સૂચન અને માર્ગદર્શન લઈ શકો છો.

 

 

ટૂંકમાં, સંબંધ ટકાવવા માટે ઉંમર સાથે બીજી કેટલીય બાબતો અગત્યની છે જેમ કે પરસ્પર તાલમેળ, સન્માન, આદર, પ્રેમ અને વિશ્ર્વાસ. સૌથી મોટી વાત એ છે કે જ્યાં પ્રેમ અનેસન્માન હોય ત્યાં બીજી કોઈક બાબત આડે આવે નહીં.સમજ્યાને?

__._,_.___

.

 

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.