એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મને ખુબ ગમેલા અન્યના લેખો » મહેન્દ્ર પુનાતરનો એક લેખ

મહેન્દ્ર પુનાતરનો એક લેખ

સુખ અને દુ: આપણી પોતાની સર્જત છેજેવી આપણી આકાંક્ષા હોય એવું મળે છેકામક્રોધલોભ અનેમોહ આપણને સારું હકીકતમાં જેવું છે તેવું જોવા દેતો નથી.
 
 માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છેશક્તિ અને ક્ષમતા મુજબ જે કાંઈમળવાનું હતું તે મળી જાય છેપછીના જે વર્ષો હોય છે તે નફાના હોય છેનફાને નુકસાન ગણીને ચાલીએ તોદુ:ખી થઈ જઈએજીવનના  વર્ષોમાં જંજાળ  છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંતસમયે અફસોસ કરીએ તો કેમ ચાલેઆપણે શા માટે જીવીએ છીએધન એકઠું કરવા માટેકીર્તિ અનેપ્રસિદ્ધિ માટેસંતાનોને સલાહ આપવા માટેહજુ કયા માનચાંદ મેળવવાના બાકી છેઅત્યાર સુધી જેજીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતુંશરૂઆતના વર્ષોમાં ધનપદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામાકરવાના હતા તે કરી નાખ્યાજુઠ્ઠી શાન શોહરતમાં અને આડંબરમાં જીવ્યા અને જીવનના કિંમતી વર્ષોગુમાવી દીધાંહવે બાકીનાં વર્ષોમાં જીવનને માણીએમસ્ત બનીને રહીએજે આપણને મળ્યું છે અને જેઆપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએસંતોષથી રહીએચિંતાભયરાગદ્વેષ છોડીને શાંતિ અનેઆનંદથી જીવન પસાર કરીએ
જીવનનાં બધાં કામો યોગ્ય સમયે કરી લેવાના હોય છેસમય અને સંજોગો બધા સમયે સરખા રહેતા નથી.પરિસ્થિતિ પલટાયા કરે છેકાળનું ચક્ર ફર્યા કરે છેતમારી પાસે શું છે અને કેટલું પ્રાપ્ત કર્યું છે તેનું બહુમહત્ત્વ નથીપણ તમે તેનો કેટલો આનંદ માણ્યો તેમાંથી કેટલું સુખ મેળવ્યું તેનું મહત્ત્વ છેજીવનની બધી આપાધાપી સુખ મેળવવા કરીએ છીએ અને છેવટે દુ: વહોરી લઈએ છીએકારણ કે સુખને આપણે ધન,પદકીર્તિ અને પ્રસિદ્ધિમાં સિમીત કરી નાખ્યું છેઆપણે એમ સમજીએ છીએ  બધુંમળે એટલે સુખી થઈગયાપરંતુ જ્યારે  બધું મળી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ધારતા હતા એવું સુખ આમાં નથીમાણસવિચાર કરે છે ધનદૌલતસંપત્તિ બધું મેળવી લઈએ પછી સુખેથી જીવશુંપરંતુ એવો સમય કોઈને માટેકદી આવતો નથીઉંમર થાય પછી શક્તિઓ ક્ષીણ થતી જાય છેકહેવાતું સુખ હોય તો પણ માણી શકાતુંનથી.

જીવન માટે ભવિષ્યનું કોઈ મહત્ત્વ નથીવર્તમાન  મહત્ત્વનો છેઆજે આપણી પાસે જે કાંઈ છે તેનોઉપયોગ કરી લેવો જોઈએભવિષ્યની ચિંતામાં આજના સુખને જતું કરવા  ખોટનો સોદો છેવર્તમાનમાંરહેવામાં અને માણવામાં જીવનની સાર્થકતા છેધર્મપુણ્ય અને કોઈ સારું કામ કરવું હોય તો આજ કરી લેવુંજોઈએઆજનો ભાવ કાલ પર ઠેલી શકાય નહીંઆજે જે અવસર છે તે કાલે આવવાનો નથી.

પ્રતિક્ષણ જગત બદલાયા કરે છેપરિસ્થિતિ પલટાયા કરે છેસમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે.એટલે ઘણું કરવાનું બાકી રહી જશેપરંતુ તેનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી.  કાલ આવશે ત્યારેમાણસ વધુ કમજોર બની ગયો હશેઆજે જે કામક્રોધઘૃણા અને જલન છે તે કાલે વધુ માત્રામાં હશે.સમયની સાથે માણસ નબળો પડતો જાય છે અને દુર્ગુણોની જડ વધુ મજબૂત બનતી જાય છે
મનુષ્યએ ઘણી પ્રગતિ કરી છેસુખ સગવડતાના અનેક સાધનો હાંસલ કર્યા છેઆમ છતાં રાગદ્વેષમાનઅભિમાનદુ: પીડાચિંતા – એકલતા અને શાંતિ માટેની ઝંખના વગેરે એના   રહ્યા છેજગતમાં શુંબની રહ્યું છેતેના કરતાં આપણી અંદર શું બની રહ્યું છેતે વિચારવું જોઈએજીવનના બધા સુખો મળશે,પરંતુ પ્રેમસ્નેહ અને સહાનુભૂતિ જો નહીં મળે તો  સુખનો આનંદ માણી શકાશે નહીંપ્રેમ  જીવનનુંઅમૃત છેઘણાં માણસો પ્રેમસ્નેહ હૂંફ  મળવાના કારણે સમય કરતા વહેલા મરતા હોય છેસ્વાર્થલોભઅને અહંકાર સાથે પ્રેમ રહી શકતો નથી બધું વિસર્જિત થાય ત્યારે પ્રેમ પ્રગટ થાય છેજેને પ્રેમસ્નેહમળે છે તેને બીજા કશાની જરૂરત રહેતી નથીપ્રેમ જેટલો વિસ્તૃત બનેજેટલો વહેંચાય એટલો વધે છે.આપણે જે આપીએ છીએ તે પાછું આપણા તરફ એક યા બીજા સ્વરૂપે આવે છેઆપણે જે મેળવવા ઈચ્છતાહોઈએ તેની સામે કાંઈક આપવું પડેઆપણે સુખ મેળવવા માગતા હોઈએ તો બીજાને સુખ આપવું પડે.કંટકો વાવીને પુષ્પો મેળવી શકાય નહીં.

જીવનમાં સુખદુ:ચડતીપડતી સફળતાનિષ્ફળતા આવ્યા કરે છેસુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે.તેમાં સમયનો ખ્યાલ રહેતો નથીદુ: લાંબુ ચાલે છે કારણ કે તેને આપણે મનમાંથી દૂર કરી શકતા નથી.જે વસ્તુ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી આપણી રહે છેતેમાંથી આનંદ લુપ્ત થઈ જાય પછી તેની કોઈ કિંમતરહેતી નથીતિજોરીમાં કે બેન્કોમાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તેને માણી શકાતા નથીતેના વિચારથીસુખ દુ: અનુભવી શકાય છેમોટા ભાગના સુખો ધારણાના હોય છે.

જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છેએક જન્મ અને બીજું મૃત્યુજે આપણા હાથમાં નથીકાળને કોઈ રોકીશકતું નથીશુભ ભાવ રાખવોસારું ચિંતન કરવુંપ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવોકોઈ વસ્તુપ્રત્યે આસક્તિ રાખવી નહીંકવિ દલપતરામે લખ્યું છે તેમ… ‘એક દિન હાથીએક દિન ઘોડાએક દિનપાવસે ચલનાજીએક દિન લડ્ડુએક દિન રોટીએક દિન ફક્કમ ફક્કાજી’. સારું ખાધુંસારું પીધુંસુખચેનથીરહ્યા એક દિવસ કોઈ ચીજ  મળી તેથી શુંજીવનમાં કેટલીક વસ્તુઓમાં ચલાવી લેતા પણ શીખવું જોઈએ.જીવતા આવડે તો જીવન આનંદ ઉત્સવ છેનહીંતર દુ:ખનો દરિયો.

 
ઘણું છોડ્યા પછી, થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દો વજન, નૌકાની સાથે જીવવાનું છે.   ( રઈશ મનીઆર )
 
(મહેન્દ્ર પુનાતરના એક લેખને આધારે )
 
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.  

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
                     .
                 ,

— 

Sush

Enjoy the view.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.