jump to navigation

અહેવાલ-આદિલ-દિલસે June 14, 2010

Posted by NavinBanker in : અનુભૂતિ , add a comment

 

આદિલ મન્સૂરીની ગઝલો સંગીત સાથે-  આદિલ  દિલસે     
                                      
           હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.
એ  સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની.
એ  સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની.
એ  સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની.
એ  સૂરિલી સાંજ હતી સ્વ.આદીલ મન્સૂરીની શામે-ગઝલની.
કાર્યક્રમના માસ્ટર ઓફ સેરિમની-ઉદઘોષક હતા-ભારતિય સંસ્ક્રુતિના એમ્બેસેડર તરીકે ઓળખાતા હ્યુસ્ટનની ઉપાસના ન્રુત્ય એકેડેમીના પ્રણેતા અને નાટ્યકાર શ્રીમતિ ઉમાબેન નગરશેઠ.
કાર્યક્રમની શરૂઆતમાં તેમણે આવકાર અને સ્વાગતના બે શબ્દો કહીને હ્યુટનના પીઢ કવિશ્રી.સુમન અજમેરીને આદિલભાઇ વિષે બે શબ્દો કહેવાની વિનંતિ કરી.
શ્રી.સુમન અજમેરી કે જેમણે આદિલ મન્સુરી વિષે ૪૫૦ પાનાનું પુસ્તક લખ્યું છે તેમણે આદિલના શરુઆતના જિવન-સંઘર્ષની વાતો જણાવતાં,તેમના ઉમાશંકર જોશી,સ્નેહરશ્મિ,અને યશવંત શુક્લ સાથેના પ્રસંગો, ‘ રે મઠ ‘ની સ્થાપનાની વાતો,શ્રી.ચિનુ મોદી, મનહર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાતો, અમદાવાદની રીલીફ સિનેમા પાસેની ઇમ્પિરીયલ હોટેલમાં થતી
ગુફ્તેગો, કાવ્ય-દિલ્લગી વગેરે જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
તે પછી, સાહિત્ય-સરિતાના મોભી એવા વિજય શાહે બિસ્મિલ મન્સૂરિનો ઓડિયો-મેસેજ રજુ કર્યો હતો જેમાંનું એક કાવ્ય ‘ ને…આંખ જોતી રહી ગૈ ‘ ની એક એક પંક્તિ પર શ્રોતાઓની આંખો ભીની થઇ જતી હતી.
સ્ટેજ પરના બધા જ ગાયકોના કંઠે રજૂ થયેલ શૌર્યગીત ‘ વિશ્વને રોશન કરી ગઇ દિપીકા ગુજરતની ‘માં મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉદયન શાહ,સંજય શાહ, અમિત પાઠક તથા ઉમાબેન નગરશેઠે સ્વર આપ્યો હતો.
ગીત-ગઝલના દૌરમાં શ્રીમતિ કલપનાબેન મહેતાના સૂરિલા કંઠે રજૂ થયેલ રચનાઓમાં ‘અગ્નિ સૌ બાળવા મથે છે મને’,  સ્પર્ષ થઈ મહોરી ઉઠે કી-બોર્ડ પર’,  હ્ર્દયના માર્ગ બધાં સાંકડા વધારે છે ‘,  ઉલ્લેખનિય રહી. તો મુખ્ય ગાયક શ્રી. મનોજ મહેતાના સ્વરમાં રજૂ થયેલ
‘ મને ના શોધશો,હું ક્યાંય નથી’, ‘ આને મ્રુત્યુનું નામ ના આપો,મૂજથી છૂટું પડી રહ્યું છે કોઇ’,  ‘ રહે છે કોણ આ દર્પણના આયના નીચે, હું રોજ જોઊં તો પણ ઓળખાય નહીં’, અને છેલ્લે રજૂ થયેલ ‘ નદીની રેતમાં રમતું નગર ‘જેવી રચનાઓએ શ્રોતાઓને ભાવ-સમાધીની અનૂભુતિ કરાવી દીધી હતી.
હ્યુટનના વોઇસ ઓફ મુકેશ તરિકે ઓળખાતા શ્રી. ઉદયન શાહે રજૂ કરેલ ગઝલો ‘ કદી મોલ થઈને સરી ગયા,કદી સઢ થઈને તરી ગયા’,  કોઇના નામનું રટણ થાયે,જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે’, ‘ જિન્દગી ભર રહે તે ખૂમારી આપો, ઘાવ આપો તો જરા જોઈ વિચારીને આપો’, ‘ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે જગમાં ગઝલની શરૂઆત થઈ હશે’,જેવી રચનઓએ સાહિત્ય-રસિક ગઝલપ્રેમીઓને ડોલાવી દીધા હતા.
હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના પ્રેસિડેન્ટ શ્રી. અશોક પટેલે આદિલભાઈને એક ચિત્રકાર, નાટ્યકાર તરિકે મુલવીને કાર્યક્રમનું  સમાપન કર્યું હતું.
શ્રી. અમિત પાઠક અને શ્રી.સંજય શાહે માઈક વ્યવસ્થા સંભાળી હતી.
શબ્દ અને સંગીતની આ શામે-ગઝલની મહેફિલમાં, સંસ્કાર નગરી હ્યુસ્ટનના કલા અને સંસ્કારપ્રેમી સુજ્ઞ જ્ઞાતા શ્રોતાઓએ  કાર્યક્રમમાં રજૂ થયેલ એક એક રચના પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
એક રચના પૂરી થયા બાદ અને બીજી રચના શરૂ થતાં પહેલાં શ્રીમતિ ઉમાબેન નગરશેઠ જે ખૂબીથી વિવિધ પંક્તિઓ રજૂ કરીને ઉદબોધન કરતાં હતા તે શ્રી. અંકિત ત્રિવેદી અને શ્રી.તુષાર શુક્લાની યાદ આપી જતા હતા.
અંતે, યજમાન-દંપતી શ્રી.મનોજ મહેતા અને શ્રીમતિ કલ્પનાબેન મહેતાએ ખિચડી-શાક,વઘારેલી છાશ,તળેલા સારેવડા,અને ચટકેદાર અથાણાની મોજ કરાવીને સૌને વિદાય આપી હતી.
******************************************************************
 

સુવાક્યો

Posted by NavinBanker in : સંકલન્ , add a comment

સુખ ભોગવવાની વાસના જ વધૂ દુઃખ આપે છે.

સ્વર્ણિમ ગુજરાત May 18, 2010

Posted by NavinBanker in : અનુભૂતિ , 5 comments

હ્યુસ્ટનમાં સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી

                         અહેવાલ – નવીન બેન્કર

 

ગુજરાત રાજયની સ્થાપનાનો સુવર્ણ જયન્તી મહોત્સવ દુનિયાભરમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના ગુજરાતીઓ તેમાંથી કેમ બાકાત રહે ?

ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ અને બીજેપી ઓફ હ્યુસ્ટનના સહકારથી તેમજ ભક્તા સમાજ,પાટીદાર સમાજ,જૈન સમાજ,સનાતન હિન્દુ સેન્ટર, સ્વામિનારાયણ મંદીર,વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી ),સિનિયર સિટિઝન્સ એસોસિયેશન, સાહિત્ય સરીતા ઓફ હ્યુસ્ટન, નુપુર ડાન્સ સ્કુલ, ઉપાસના ડાન્સ સ્કુલ વિગેરે સંસ્થાઓના સહયોગથી સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી, અત્રેના ઇમેન્યુઅલ હોલ ખાતે શનિવાર તારીખ પંદરમી મે ના રોજ બપોરના બે થી શરૂ કરીને રાત્રીના દસ વાગ્યા સુધી કરવામાં આવી હતી.

બપોરે બે વાગ્યાથી વાનગી હરિફાઇ, રંગોળી સ્પર્ધા, મહાગુજરાતની ચળવળની યાદોને દર્શાવતી તસ્વીરોનું પ્રદર્શન જેવી પ્રવ્રુત્તીઓથી શરૂઆત થઇ હતી.વાનગી સ્પર્ધામાં ડોક્ટર કોકિલાબેન પરીખને પારિતોષીક એનાયત થયું હતું. રંગોળી સ્પર્ધામાં પ્રવીણાબેનનો નંબર લાગ્યો હતો.સ્પર્ધાના નિર્ણાયકો તરીકે રોહિણીબેન પટેલ, સોહિણીબેન દેસાઇ તથા સુશીલાબેન પટેલે સેવાઓ આપી હતી.

સાંજે પાંચ વાગ્યે મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉમાબેન નગરશેઠ, અજીત પટેલ તથા સંજય શાહે સમુહ પ્રાર્થના ગાન કરીને સાંસ્ક્રુતિક  કાર્યક્રમની શરુઆત કરી હતી.

ભાજપના સૂરત ખાતેના કોષાધ્યક્ષ શ્રી. રમણલાલ જાનીએ મુખ્ય અતિથિ વિશેષ તરીકે સ્થાન  ગ્રહણ કર્યા બાદ ભક્તા સમાજની બહેનોએ ગણપતી-વંદના લોકન્રુત્ય ઉપરાંત રાસ ગરબાની  રમઝટ બોલાવી દીધી હતી. તો પાટીદાર સમાજની બહેનોએ પણ ગરબા,રાસ, ઉપરાંત ઉમેશ પટેલ અભિનીત એક એકોક્તિ સોલો સ્કીટ રજૂ કરી હતી જેને પ્રેક્ષક સમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. નુપૂર ડાન્સ સ્કૂલ અને ઉપાસના સ્કૂલની બહેનોએ પણ અનુક્રમે દિવડા ન્રુત્ય અને ટિપ્પણી  ડાન્સ રજૂ કર્યા હતા.જૈન સમાજની બે બહેનોએ રજૂ કરેલ ‘અચકો મચકો કારેલી’ ડાન્સ પણ સરસ રહ્યો.

સનાતન હિન્દુ સેન્ટરે રજુ કરેલ ‘આપણા મલકની વાતો’ નાટકમાં સત્તરેક પાત્રો દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસની અને શ્રી. નરેન્દ્ર મોદીની યશગાથાઓને સંવાદો સ્વરૂપે બિરદાવવામાં આવી હતી. શ્રી.પરિમલ જોશીના મુખે મૂકાયેલા એકએક સંવાદ પર પ્રેક્ષકો આફ્રિન પોકારી ઉઠયા હતા.

સાઇઠ વર્ષથી વધુ વયની સિનિયર સિટિઝન્સ બહેનોએ રજુ કરેલ બેડા ગરબો જોઇને કોઇ કહી ના શકે કે આ બહેનો ખરેખર સિનિયર છે ! એ લચક..એ હલક.. એ વાંકા વળવું..ઝૂમવું..રીયલી,,અમેરિકામાં સાઇઠ સિત્તેરે પણ યુવાની રહે છે !

સ્વામિનારાયણ મંદિર (  બાપ્સ ) ના હરિભક્તો દ્વારા રજૂ કરાયેલ , કવિ બ્રહ્માનંદ સ્વામી રચિત રાજ મને લાગ્યો કસુંબીનો રંગ શૌર્ય ગીતે પ્રેક્ષકોને જુસ્સામાં લાવી દીધા હતા.

વલ્લભ પ્રીતિ સેવા સમાજની બેનોનો ગરબો પણ પ્રેક્ષ્ણીય રહ્યો. કેરીઓકી કે તબલાંના સાથ વગર શ્રી જયંતિ પટેલે ગાયેલ સદાબહાર ગીત તારી આંખનો અફીણી પણ સારી એવી દાદ મેળવી શક્યું હતું.

સ્વરમલ્લિકા ગ્રુપવાળા શ્રી હેમન્ત દવે,શ્રીમતિ દિપ્તી દવે અને તેમના પુત્ર શ્રી ઓમકાર દવે દ્વારા બુલંદ સ્વરે ગવાયેલ જય જય ગરવી ગુજરાતને શ્રોતાઓએ મન ભરીને માણ્યું હતું.બાય ધ વે, શ્રી હેમંત અને દીપ્તિ દવેની સુપૂત્રી મૌલી દવે ( સારેગમપ ) ને તાજેતરમાં ગાંધીનગર ખાતે ઉજવાયેલ સ્વર્ણિમ ગુજરાત્ની ઉજવણી પ્રસંગે એવોર્ડ એનાયત થયો છે.

હવે વાત આવે છે સમગ્ર કાર્યક્રમના શિરમોર સમી બે રજૂઆતોની..

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના જ સર્જકો દ્વારા લિખિત,દિગ્દર્શિત, અભિનિત નાટક એક અનોખી મહેફિલ એટલી સુંદર રીતે ભજવાયું કે એના એક એક સંવાદો પર પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ કરી મૂક્યાં હતાં. અને નાટકના અંતે તો ૧૧૦૦થી પણ વધુ પ્રેક્ષકોએ ઉભા થઇને  સ્ટેન્ડીંગ ઓવેશન દ્વારા ક્યાંય સુધી તાળીઓથી વધાવ્યા જ કર્યું હતું.

જવનિકા ઉઘડતા પહેલાં પાર્શ્વમાં ગુજરાતની ગરિમાનુ ગાન કરતી બે પંક્તિઓ વાગે છે.

ધીમે ધીમે જવનિકા ( પડદો ) ખુલે છે અને દ્રષ્ટિગોચર થાય છે—કાળા રંગના પૂતળાં…મોરારજી દેસાઇ, ઝવેરચંદ મેઘાણી,કસ્તૂરબા ગાંધી.,મહાત્મા ગાંધી,લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ, સ્પેઇસ સેન્ટરના પ્રણેતા શ્રી વિક્રમ સારાભાઇ, તથા વીર કવિ નર્મદ.

પ્રદર્શનનો ચોકીદાર પૂતળા પર લાગેલી ધૂળ સાફ કરવાનું લુછણિયું લઇને ખાખી ડ્રેસમાં સ્વગતોક્તિ કરતો સ્ટેજ પર દાખલ થાય છે અને સરદાર, ગાંધી અને મોરારજીભાઇની હળવી મજાક કરતો આગળ વધે છે ત્યાં પૂતળાઓમાં જાન ફૂંકાય છે અને પૂતળાઓ મહેફિલ ભરે છે..

મહાગુજરાતને લગતી  યશસ્વી વાતોને વણી લેતાં સંવાદો અને નર્મદની કવિતાઓ,ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો, આજના સંદર્ભમાં બાપૂની હૈયાવરાળ એ બધું એટલી તાદ્રશ રીતે આ હ્યુસ્ટનના સર્જકોએ રજૂ કર્યું હતુ કે ન પૂછો વાત !

સુરતની ઘારી…સુરતની વાણી…મોડર્ન થઇ ગયેલા ગુજરાતીઓ..અંગ્રેજી બોલતા કસ્તુરબા..પૂતળાઓ ઉપર ચરકતા કબૂતરોની વાત..ખાદી પહેરીને દેશને ખરાબ કરી મૂકનાર વર્તમાનકાળના નેતાઓ પરના કટાક્ષ..ખાંડ,સ્પ્લેન્ડા અને મગફળીના તેલના ઉલ્લેખો..મોરારજી દેસાઇનું સ્પેશ્યલ પીણું..,લાલુ યાદવનો ઘાસચારો,મલ્લિકા શેરાવતનો ઉલ્લેખ..આતી ક્યા ખંડાલા..સાયગલનું ગીત…નાકમાંથી ગાતો હિમેશ રેશમિયા અને અંતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ અને બાપૂના ગુજરાતી ભાઇબેનોને અપાયેલ દર્દભર્યા સંદેશ્નાના એક એક ઉલ્લેખો પર,એક એક સંવાદ પર પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા.

 

આ અહેવાલ લખનારે, સિત્તેર વર્ષની ઉંમરમાં, કંઇ કેટલાયે નાટકો જોયા છે, સો થી પણ વધુ નાટકોના અવલોકનો લખ્યા છે પણ આટલું સર્વાંગ સુંદર નાટક ક્યારેય જોયું નથી.

 

મહાત્મા ગાંધીની ભૂમિકામાં શ્રી મુકુન્દ ગાંધી,સરદારની ભૂમિકામાં શ્રી રસેશ દલાલ,વિક્રમ સારાભાઇ તરીકે શ્રી વિજય  શાહ, ઝવેરચન્દ મેઘાણી તરીકે શ્રી વિશ્વદીપ બારડ,મોરારજી દેસાઇ તરીકે શ્રી સુરેશ બક્ષી,વીર કવિ નર્મદના પાત્રમાં શ્રી કીરિટ મોદી,.કસ્તૂરબાના પાત્રમાં શ્રીમતિ દેવિકા ધ્રુવ તથા ચોકીદારની અવિસ્મરણિય ભૂમિકા ભજવનાર કલાકાર શ્રી ફતેહ અલી ચતુર કે જેઓ આ નાટકના લેખક પણ છે તે સુપર્બ રહ્યા.હ્યુસ્ટન નાટ્ય કલાવ્રુંદના પ્રેસીડેન્ટ શ્રી અશોક પટેલે આ ઉત્ક્રુષ્ટ નાટકનું દિગ્દર્શન સંભાળ્યું હતું.

નાટકની સફળતાનું શ્રેય મેક અપ આર્ટીસ્ટ શ્રીમતિ સુજ્ઞાબેન ગોહેલને ફાળે પણ જાય છે.

 

એવો જ બીજો કાર્યક્રમ હતો સાહિત્ય સરિતાની બેનોનો દીવડા ગરબો .હ્યુસ્ટનની કવયિત્રી દેવિકા ધ્રુવ રચિત આ દીવડા ગરબાના શબ્દો હતા દીવડા તે લાવી દેશથી, એમાં દીવા પ્રગટાવ્યા આજ રે..સુવર્ણ ગુજરાત કેરા.છેલ્લી આઇટમ હતી ડો. કોકિલાબેન પરીખની. તેમણે ગુજરાતની તળપદી ગ્રામ્ય બોલીમાં સમગ્ર કાર્યક્રમની સફળતાને,તેના વોલન્ટીયર્સને અભિનંદન આપીને,ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓ માટે ફાળો આપવાની વિનંતિ કરી હતી.

શ્રીમતિ નિશાબેન મીરાણીએ કાર્યક્રમની સમાપ્તિમાં આભારવિધિ કરી હતી,

 

ગુજરાતી સમાજ,હ્યુસ્ટનની તવારીખમાં આટલો સુંદર અને આટલો સફળ કાર્યક્રમ થયાનું યાદ આવતું નથી.સમાજના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશ દેસાઇ,વાઇસ પ્રેસીડેન્ટ શ્રી અજીત પટેલ,નિશાબેન મીરાણી,યોગીનાબેન પટેલ,સુરેશ પટેલ (દરબાર),સપના શાહ,સંજય શાહ,હિમાંશુ પટેલ, રાજુ પટેલ, બોબી ( ભરત ) પટેલ,ધવલ પટેલ, લેઉઆ પાટીદાર સમાજના તથા ડિવાઇન ટ્રસ્ટના વોલન્ટીયર યુવકો,કોહિનૂર ફૂડવાળા શ્રી અંબરભાઇ તથા હાઉસ ઓફ સ્પાઇસ વાળા શ્રી શ્રીધરભાઇ,ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ તથા ટ્રસ્ટી એવા સેવાભાવી શ્રી રમેશભાઇ શાહ વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં તનતોડ મહેનત કરી હતી.કોહિનૂર ફૂડ તરફ્થી સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાજીનુ શાક અને ભાત તથા ગરવી ગુજરાતના ખમણ ઢોકળાંની ડીશો ફ્રીમાં આપવામાં આવતી હતી.સાથે પીણાં અને બરફના ગોળા પણ.

અંતમાં લગભગ ૧૨૦૦ જેટલાં પ્રેક્ષકો વગેરેને બોચાસણવાસી સ્વામિનારાયણ સંસ્થા તરફથી રોટલી અને બૂંદી તથા નીતા રેસ્ટોરન્ટના ખીચડી શાક અને  છાશ પીરસવામાં આવ્યાં હતાં.

હ્યુસ્ટનના કોન્સુલ જનરલે પણ પોતાના સ્ટાફ સહિત ખાસ હાજરી આપી હતી અને શરુઆતથી અંત સુધી હાજર રહ્યાં હતાં તથા નાટકની સમાપ્તિ વખતે સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતુ.

હ્યુસ્ટનની દરેકે દરેક ભારતિય સંસ્થા,મંદિરોના અધ્યક્ષો તથા ગુજરાતી સમાજના ભૂતપૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીઓ,પ્રેસીડેન્ટો વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ કાર્યોને બિરદાવ્યા હતાં.

 

એક સર્વાંગ સુંદર, સફળ કાર્યક્રમ…….

 

અસ્તુ………..

 

નવીન  બેન્કર,

 (હ્યુસ્ટન )

 

 

ક્ષણિક-પ્રફુલ્લ દવે May 16, 2010

Posted by vijayshah in : સંકલન્ , add a comment

પડછાયાના  જેવું છળ છે,
જીવન તો આ પળ બે પળ છે.

યુગોથી સંબંધ રુદીયાનો,
મળવાનું પણ પળ બે પળ છે.

ઉપર લાગે સ્થિર પ્રવાહો,
અંદર તો આ ખળ ખળ ખળ છે.

કાચના ઘરમાં જીવીયે છીએ,
હાથમાં પત્થર, મન ચંચળ છે.

ડૂબી જવાનું છે નિયતિમાં,
આજુબાજુ ઝાંઝવાજળ  છે.

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વતૈયારી “ન” April 17, 2009

Posted by vijayshah in : Uncategorized , 1 comment so far

શબ્દ સંશોધનઃ નવિન  બેંકર

ક્રમ્ શબ્દ  અર્થ શબ્દ પ્રયોગ
૧. નઈ દુધી નઈમુઠીઆ તેને બહુ ભાવતા
નક્ર મગર્ નક્ર ચાલે વક્ર અને ઝાલે તેનું ફરી જાય જીવન ચક્ર
૩. નગ પર્વત્ ઝડ, સાતની સંખ્યા નગપતિ હિમાલય પુત્રી પાર્વતી શિવને વરી
નચિકેત  અગ્નિ, નચિકેત યમરાજા પાસેથી બ્રમ્હ વિદ્યા શીખનાર બ્રાહ્મણ કુમાર  
૫. નપીરી પિયરમાં કોઈ ન હોય તેવી સ્ત્રી બાપુજીના મૃત્યુ પછી તે નપીરી થઈ ગઈ તેમ કહેવાય્.૬
 ૬ નરાજ ખોદવાની કોશ નરાજ લઈ તે તો મંડ્યો જમીન ખોદવા..
નર્મચિત્ર  ઠઠ્ઠા ચિત્ર મહેન્દ્ર શાહ નર્મચિત્રકાર છે. ભલ ભલાનાં ચિત્રો દોરી ઠઠ્ઠો કરે.
નવધા નવ પ્રકાર ની નવધા ભક્તિ નવ રીતે થાય શ્રવણ્,કીર્તન્.સ્મરન, પાદસેવન વિગેરે
નવદ્વારી માનવ શરીર અશુચી (ગંદકી) ભર્યા નવદ્વારી  ઉપરની મમતા નકામી
૧૦ નવ ટાંક શેરનાં આઠમા ભાગ જેટલુ વજન્  નવટાંક વજનનું હ્રદય બે મણનાં શરીરને ચલાવે
૧૧ નવલનિચોર નીત નવા વસ્ત્ર ધારણ કરનાર્ ફીલ્મ અભિનેત્રીઓ તો સદા નવલનિચોર તેથી સુંદર જ દેખાયને?
૧૨ નવસાર એક ક્ષાર નવસાર નાખો અને ધાતુ તરત ગળે
૧૩ નવીસંદો લહિયો-લેખક્ નવીસંદોને રાજા અક્બર બહુ માન  આપતા
૧૪ નસંક નાક સાફ કરવુ શરદી થાય એટલે નસંક કરી કરી નાક રાતુ થૈ જાય્
૧૫ નાતિમાનિતા નિરાભિમાની, નમ્ર સનતભાઇ નાતિમાનિતા તેથી વિમાકામમાં સફળ
૧૬ નાનોબો જુવાનોનો સમુહ નાનોબો પરિવર્તન તરફી હતો તેથી તે કાયદો પસાર ના થયો
૧૭ નાપિક વાળંદ નાપિક કર્મી અમેરિકામાં ઘણું કમાય છે
૧૮ નામણ દિવો રામણ દિવો નામણ દિવો અને માથે મોડ તે બે વરરાજાની મા હોવાનાં લક્ષણો
૧૯ નાલિકેર નારિયેળ નારિકેર પાણી મુત્ર રોગમાં ઔષધીનું કામ કરે
૨૦ નિખર્વ સો અબજ જેટલી સંખ્યા કુબેર ભંડારમાં કંઇ કેટલાય નિખર્વ રત્નો હોય છે
૨૧ નિઘંટુ શબ્દ કોશ ગુજરાતી નિઘંટુ બે મોટા.. સાર્થ અને ભગવદ ગોમંડલ્
૨૨ નિટોલ નક્કી સુરજ પૂર્વમાં ઉગે તે નિટોલ વાત્…
૨૩ નિદાઘ તાપ્ નિદાઘે ઉકળે સાગર અને ઉંચે વાદળ બંધાય
૨૪ નિભ્રંછના વખોડવું કામ સારુ થાય કે ના થાય નિભ્રંછના તો મળે અને મળે જ
૨૫ નિમેષોન્મેષ આંખ ઉઘાડ બંધ થવી વહેલી સવારે બા ની નિમેષોન્મેષ નહોંતી તેથી દિકરાને ફાળ પડી
૨૬ નિમીલિત આંખ બંધ કરી ગાનાર્ તાનસેન નિમીલિત ગાતા જ્યારે બૈજુ ખુલ્લી આંખે ગાતો
૨૭ નિયાણી બહેન દીકરી રીધ્ધી નિયાણી તેથી તેનું ધ્યાન તો મારે રાખવાનું ને
૨૮ નિરાગસ્ નિર્દોષ નાના ભુલકા મહદ અંશે નિરાગસ હોય છે
૨૯ નિરાભરણા આભુષણ રહિત્ નિરાભરણા પુત્રીને હોઈ મનમાં અંદેશો થયો

જિંદગી January 4, 2009

Posted by NavinBanker in : સંકલન્ , 1 comment so far

જિંદગી ઔર મોત તો સિર્ફ એક બહાના હે
હમ ના સમજે યે કૈસા આના જાના હે
__________________________________
મૉત તો એક રોજ આની હય, તો ડરના ક્યા હય ?
હમ સદા ખેલ હી સમઝા કિયે, મરના ક્યા હય ?
________________________________________
આખી જિંદગીમાં જે નથી સમજાતું તે
ઘણીવાર જીવનની ઢળતી સંધ્યાઍ સમજાય છે.

કોમ્પ્યુટર પર લખવાનો પ્રથમ અનુભવ

Posted by NavinBanker in : અનુભૂતિ , add a comment

હજુ હું ગુજરાતીમાં લખતા શીખી રહ્યો છું એટલે આપને મારા વાક્યો અસંગત ટુકડા ટુકડામાં વાંચવા મળશે.એકવાર મારી હથૉટી બેસી જશે એટલે આપ સળંગ લખાણ વાંચી શકશો. ત્યાં સુધી દરગુજર કરશો એટલી વિનંતી છે.જ્યાં ભુલ જુઓ ત્યાં એ કેવી રીતે સુધારવી તે મને કોમેન્ટમાં લખીને શીખવશો તો હું આપનો આભારી થઈશ.
આ ચાર લાઈનમાં મેં કેટલી ભૂલો કરી તે મને બતાવશો

સ્વાગત

Posted by NavinBanker in : Uncategorized , 5 comments

મારી આ વેબ-સાઈટ પર આપનુ હાર્દીક સ્વાગત કરતા હું અનહદ આનદ અનુભવું છું.

Powered By Indic IME