એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 » January (Page 4)

ચંદુલાલ સેલારકાનું દુઃખદ અવસાન

January 4th, 2014 Posted in મૃત્યુ વિષયક

ચંદુલાલ સેલારકાનું દુઃખદ અવસાન

ચંદુલાલ સેલારકાના દુઃખદ અવસાનથી મને અંગત રીતે ખુબ દુઃખ થયું છે. હું એમને ૪૫ વર્ષથી ઓળખું.એમની નવલકથા હૈયાને દૂર શું ? નજીક શું ?’ અને ફરી મળાય, ન મળાયવાંચીને અમે-એટલે કે હું અને મારા શ્રીમતીજી કોકિલા-એમના ભક્ત બની ગયા હતા. પછી તો એમની ઘણી ટૂંકી વાર્તાઓ પણ અમે સામયિકોમાં અવારનવાર વાંચીએ અને એમને પત્રો લખીએ. એ પણ દરેક પત્રનો જવાબ પ્રેમપુર્વક લખે. સ્વ.ચાંપશીભાઈ ઉદ્દેશીના નવચેતનમાં હું  નાટ્યકલાકારોની મુલાકાતો લખતો ત્યારે, ૧૯૭૧ કે ૧૯૭૨માં હું અને મારા પત્ની એમના ઘાટકોપરના નિવાસસ્થાને એમને મળવા ગયેલા અને એમનું આતિથ્ય માળેલું. એ ગાળામાં, મારી કેટલીક ટૂંકી વાર્તાઓ ચાંદની‘, આરામ, મહેંદી, કંકાવટી, સ્ત્રી, શ્રી  શ્રીરંગ ડાયજેસ્ટ જેવામાં પ્રસિધ્ધ થઈ ચૂકેલી. થોડીક પોકેટબૂકો પણ છપાયેલી. એના એડલ્ટ થીમને કારણે ચર્ચાસ્પદ પણ થયેલી. એમણે એના અનુસંધાનમાં મને કેટલીક શીખ પણ આપેલી અને પોતાની સાહિત્યયાત્રાની ઘણી વાતો પણ કરી હતી. વ્યક્તિગત રીતે, એ મારી પ્રથમ અને છેલ્લી રુબરુ મુલાકાત. પણ ફોન પર અમે ઘણીવાર વાતો કરતા.

હમણાં મહીનામાસ પહેલાં, મુંબઇના મારા સાહિત્યકાર મિત્ર ચંદ્રકાંત સંઘવી હ્યુસ્ટન આવેલા ત્યારે પણ એમના વિશે વાત થયેલી અને પછી, મેં હાસ્યલેખક શ્રી. અશોક દવે તથા રજનીકુમાર પંડ્યાને ઇ-મેઇલ લખીને એમના સમાચાર પુછેલા. એ બન્ને મિત્રોના પ્રત્યુત્તર આવી જતાં, મેં ચંદુભાઇને  ઘેર ઘાટકોપરમાં ફોન કરીને એમની સાથે ખાસ્સી લાંબી વાતો કરી હતી.  એમણે એમના પત્ની રંજનબેન, પુત્રવધુ અલ્પાબેન એમના બાળકો, બે દીકરા, દિશા, મિહિર,ઉજાસ વિનોદીની બધાંની ખુબ ખુબ વાતો કરી હતી. મેં એમનું ઇ-મેઇલ એડ્રેસ માંગ્યું, તો કહે, હું તો ઇ-મેઇલ વાપરતો નથી. પણ અમેરિકામાં નવીન વિભાકર નામના નવલકથાકાર રહે છે તેમની સાથે મારો સારો પરિચય છે.એમના હોટ્મેઇલના એડ્રેસ પર મને ઈ-મેઇલ લખીને મારા સમાચાર મેળવતા રહેજો. એમના પ્રથમ પત્ની સાથેના લગ્ન ૨૦મી એપ્રિલ ૧૯૫૦ને દિવસે થયેલા એની વાત, બાળકો નહીં થતાં, પત્નીના આગ્રહથી કરેલા બીજા લગ્ન, બન્ને પત્નીઓ કેવી રીતે સાથે સંપીને રહેલી એની વાતો, એક દીકરો સીંગાપુરમાં અને બીજો પોતાની સાથે રહે છે એની વાતો ખુબ રસ પુર્વક કરેલી. વચ્ચે વચ્ચે હાસ્યલેખક વિનોદ ભટ્ટનું પણ તેમણે સ્મરણ કરી લીધેલું. એમના હાર્ટએટેકની વાતોઅને બીજી ઘણી બધી વાતો આત્મિયતાપુર્વક કરેલી જે અંગે હવે પછી, હું મારા બ્લોગ પર એ સંસ્મરણો લખીશ.

 

એક ખુબ જ સારો માણસ, સારો મિત્ર, ઉમદા વિચારક , નવલિકાકાર,  નવલકથાકાર, કવિ, વિવેચક ગુજરાતી સાહિત્યે ગુમાવ્યો છે. આપણને બધાંને એનું તીવ્ર દુઃખ છે. પણ આપણે શું કરી શકીએ ? પરમકૃપાળુ પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે.

નવીન બેન્કર

હ્યુસ્ટન

૩૦ નવેમ્બર ૨૦૧૨

મારું ઘર હ્યુસ્ટન શહેર

ઓક્ટોબર ૨૦૧૩શુક્રવાર

ગુજરાતીસમાજઓફહ્યુસ્ટનનાસભ્યથવાનાફાયદા

મિત્રો,

આજે ગુજરાતી સમાજની મેમ્બરશીપ એપ્રિસિયેશન નાઇટ છે, જેને રાત્રિ બેફોર નવરાત્રિપણ કહે છે. ( સ્થળ  અને સમય– VPSS Temple Hall,at 8.30 P.M. )

ભારતથી, ખાસ નવરાત્રિ પ્રસંગે , પ્રોફેશનલી ગરબા કરાવતું ગ્રુપ, હ્યુસ્ટનના ગુજરાતીઓનું જાણીતું છે. બોલીવુડના ફીલ્મી ગીતો, કવ્વાલીઓ, ભાંગડા, ગરબા, રાસ સાથે ગુજરાતી સુગમ સંગીત એટલે સરળ ભાષામાં કહીયે તોઆંખનો અફીણી’, ‘નજરના જામ છલાવીને’, હું તો ગઇતી મેળેજેવા આપણા સદાબહાર ગીતોના એક્ષપર્ટ ગાયકો / ગાયિકાઓનું ગ્રુપ.

મેમ્બરશીપ નાઇટ વખતે, આગળ એક બે ટેબલ પર સમાજના નવા સભ્યોની નોંધણી થાય અને પછી સભ્યોને હોલમાં પ્રવેશ મળે.

સમાજની સભ્ય ફી અંગે મારા ખ્યાલ મુજબ ફેમિલી મેમ્બરશીપ ૬૦ ડોલર્સ છે અને સીંગલ મેમ્બરશીપ ૩૦ ડોલર્સ છે. છતાં અંગે નિશાબેન મીરાણી કે અજીત પટેલનો સંપર્ક સાધીને ખાત્રી કરી લેવી હિતાવહ છે.

સીનીયર્સ સિટીઝન્સ કે જેમણે ૬૫ વર્ષ પુરા કર્યા છે અને આજની તારીખમાં જેમને ૬૬મું વર્ષ ચાલે છે તેમણે સભ્ય ફી આપવાની નથી. આવા સિનીયરોને સભ્ય ગણીને, સભ્ય માટેની એન્ટ્રી ફી (એટલે કે ત્રણ કે આઠ ડોલર) માં ગરબા વખતે પ્રવેશ મળી શકે છે. જો કે, આજની એપ્રીસિયેશન નાઈટમાં તો સાવ ફ્રી.

હવે આપણે મૂળ વાત પર આવીએ.

માનો કે તમે ફેમિલીવાળા માણસ છો અને પતિપત્ની, બે બાળકો અને ઘરડા માબાપ છે. હવે જો ગરબામાં નોનમેમ્બર તરીકે વ્યક્તિ દીઠ ૨૦૨૦ ડોલર ભરીને નવે દિવસ આવવું હોય તો તમારે કેટલા દેવા પડે ?

ધારો કે તમે સીંગલ છો. નો એટેચમેન્ટ વાળામસ્ત, બિન્દાસ. ટીન એજર, અહીં જન્મેલા, અહીં ભણેલા અને વાતવાતમાંઆઉચ’, ‘ઓહ માય જીસસબોલનારા અને તમારે ગુજરાતી ભાષા કે ગુજરાતી સમાજ સાથે ન્હાવાનીચોવાનો સંબંધ નથી. તમને તમારા સમવયસ્ક જોડીદારો સાથે ટાંટીયા ઉછાળી ઉછાળીને સ્ટાઇલીશ રીતે ડાંડીયા ઘૂમાવતા ઘૂમાવતારોલોપાડી દેવાની કેલાઇન મારવામાં રસ છે. અનેતમારે માટે એક એવો ઉત્સવ છે કે જ્યાંથી તમે તમારૂ મનગમતુ પાત્ર શોધી શકો છો. આજે કોઇ ટીનએજરોને અંબે મા માં રસ નથી હોતો. મોટા ભાગનાને તો અંબેમા, કાળકા મા, કે બહુચરમા નો ભેદ પણ ખબર નથી હોતો. આરતીમાં ગવાતાચોથે ચતુરા ને પંચમેમાં શી સ્તૂતિ થાય છે કેટલા સમજે છે ! બધું તો આગુસે ચલી આતી પ્રથાઓ રહી ગઈ છે હવે. કરવું પડે એટલે કરવાનું. બાકી બધો ભક્તિભાવ ૬૦ વટાવી ગયેલા ડોસાડોસીઓના મનમાં હોય તો કોણ જાણે !

(આજે ૭૩ વર્ષની ઉંમરે હું પણ મારી પત્નીની લાગણી દુભાય એવી બીકને કારણે આરતીમાં ઉભો રહું છું બાકી મારા મનમાં ….શ્રીરામ..શ્રીરામ..)

કહેવાનો મતલબ છે કે તમે નોનમેમ્બર તરીકે દરરોજના વીસ ડોલર આપો એના કરતાં એકવાર વર્ષના ત્રીસ ડોલર ભરીને સીંગલ સભ્ય થઈ જાવ તો આજની મ્યુઝીકલ નાઈટના ૧૦ ડોલર અને પછી દરરોજ ગરબા વખતે ૨૦ને બદલે કે માં પ્રવેશ મેળવીને કેટલા બધા ડોલર બચાવી શકો ? અને પૈસાસાથીદારો સાથે જ્યાફત ઉડાડવામાં  કેટલું વળતર (!) અપાવે ???… શ્રીરામ..શ્રીરામ

હાસીંગલ મેમ્બરનેસમાજનું મુખપત્રદર્પણ મળે અને કદાચ ઇલેક્શનમાં તમે વોટ ના આપી શકો. પણ આમે કયો ટીનએજર ગુજરાતી વાંચી શકે છે ! અને..કોને બધું વાંચવામાં રસ છે ? અનેતમેદર્પણવાંચી શકો માટે તો હવેદર્પણ.ને અંગ્રેજીમાં કરી દીધું છે. દા.. દર્પણનો ઓક્ટોબર ૨૦૧૩નો નવરાત્રિ અંક જૂઓ.

કુલ પાનાં ૪૪  ( ૪૦ અંદરના વત્તા પાના ટાઇટલના)

ગુજરાતી લખાણ કુલ પાનાં ( પેઇજ ૧૧,૧૨,૧૩,૧૪,૨૭,૨૯ અને ૩૯) અને..તે બહારના લેખકોના છપાયેલા લેખોના કટીંગો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના આટઆટલા લેખકો /લેખિકાઓ હોવાં છતાં સમાજના મુખપત્રમાંજવા દો.. વિષે તો એક આખો સ્વતંત્ર લેખ લખી શકાય. શુભ તહેવારમાં ક્યાં થુંક ઉડાડવું !

અંગ્રેજી ભાષામાં પાનાં૩૭ ( મોટાભાગની જાહેરાતો ).

એટલે….સીંગલ મિત્રોતમારે તો ખાસ મેમ્બર થઈ જવું જોઇએ. તમારી પાસે ગ્રીનકાર્ડ ના હોય તો તો ખાસ મેમ્બર થવું જોઇએ. મેં ત્રીસ વર્ષ દરમ્યાન ગ્રીનકાર્ડ વગરના ઘણાં છોકરાછોકરીઓને, ગરબામાંથી લંગસ લડાવીને ડબલ થતા જોયા છે. તમારામાં થોડો દેખાવ, થોડી વાચાળતા, ગમે તે ગ્રુપમાં ઘુસ મારી દેવાની આવડત  અને.. ઉદારતા (!)  હોવી જરુરી છે. ઉદારતા શબ્દની જગ્યાએ મારે બીજો વધુ યોગ્ય શબ્દ લખવો હતો પણ સમાજના ઉન્નતભ્રુ લીડરોની  લાગણીને ઠેસ પહોંચે એટલે હું  થોડોક સોફેસ્ટીકેટેડ શબ્દ વાપરું છું.

હમણાં મેં VPSS ને બાંકડે બે સિનિયરોને વાત કરતા સાંભળ્યા.

અલ્યા ભઈ, હોંભળ્યુંસે કે આપણે સિનીયરોએ ગરબામાં તૈણ ડોલર દેવાના અને પેલા મોટા ગરબા વખતે આઠ દેવાના.

હા..હાસી વાત લ્યા ! પણ મોટા ગરબા વખતે પાર્કીંગના દહ દેવાના ને ! ‘

તે અલ્યા..આપણે મોટા ગરબામાં હું કરવા જવું પડે ? વરહે ચ્યોં કોઇ સિરીયલવાળી ફટાકડી આવવાનીસે…!

ભૈ….હું તો જવાનો મોટા ગરબામોં..પેલી શોંતાડી ગાડી ચલાવેસે ઇની હારે રાઈડ લૈ ને આપણે તો બંદા જવાના.. અને નેના ગરબા (એટલે VPSS વાળા)મોં આપડે અંદર જઈને હું કોમસે ? ગરબા હોંભળવાના સે ને ? આપણે તો ગરબે ફરવાનું નહી. ખાલી સોડીયુંને ઘુમતી જોવાની ને ! તે ..અલ્યા બોંકડે બેહીને જતી આવતી જોઇ લેવાની..અને પરહાદ તો હોલની બહાર આલેસે ને ?..ગરબા તો બોંકડે યે હંભળાયતૈણ ડોલર હું કરવા દેવાના ?…ગરબા તો જુવાનિયાઓનો ઉત્સવઆપડે યે અમદાવાદમાં ગરબા વખતે સાયકલો લઈ લઈને , ખાડીયામા ગોટીની શેરી  ને આસ્ટોડીયા ને મણીનગર ના ગરબા જોવા નોતા દોડતા ?.’

હવે રેવા દે વાતુતું તો સાલા પેલી લખુડીની વોંહે વોંહે શેરીએ શેરીએ ઘુમતોતો…. તે અલ્યા અમદાવાદ જાયસે ત્યારે તારી લખુડીના હમાચાર લેસે કે નહીં ?

હમણા તૈણ વરહ પહેલા ગ્યોતો ત્યારે લખુડી લાલમલાલ તો જાડીપાડી ભેંસ થૈ ગયેલી જોઇતી. હોંબેલા જેવા એના બાવડા અને આર્થરાઇટીસથી લંગડાતી ચાલ જોઇને અપની તો હવા નિકલ ગઈ.’

હેંડ હેંડ હાળા..તુ યે ચ્યોં હવે સલમાનખાન રહ્યો છું  કે હજુ બિપાશાઓ શોધે છે ! તુ યે હવે સતિષ કૌશીક બની ગયો છું…’

આટલી વાત સાંભળીને, રસેશ દલાલને એના નવા નાટકતીન બંદરની  સ્ક્રિપ્ટ આપીને  મેં  વિદાય  લીધી.

હ્યુસ્તન મારું  ”ઘર”  છે અને અમદાવાદ મારો વિસામો છે..

નવીન બેન્કર     ઓક્ટોબર ૨૦૧૩

**************************************************************

ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે

January 4th, 2014 Posted in અહેવાલ

 

ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે

અમદાવાદનીધબકારસંસ્થાના ઉપક્રમે, પાંચ કે વર્ષ પહેલાંકદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ વર્ષ દરમ્યાન તેમના લખાણોલઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરેઅવારનવાર ગુજરાતી સામયિકોકુમાર’, ‘અખંડ આનંદ’, ’ઉદ્દેશવિગેરેમાં  વાંચવામાં આવ્યા હતા એટલે શબ્દથી તો એમનો પરિચય થતો રહ્યો છે.

હ્યુસ્ટનની તેર વર્ષ જૂની, ગુજરાતી સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપીને નીલમબેન દોશી હ્યુસ્ટનની મુલાકાતે પધાર્યા હતા અનેસરિતાની ૧૩૪મી બેઠકમાં, સાહિત્યપ્રેમી ડોક્ટર દંપતિ રમેશભાઇ શાહ અને ઇન્દુબેન શાહના નિવાસસ્થાને હાજરી આપી હતી.

હ્યુસ્ટનની જાણીતી સ્ત્રીલેખિકાઓ શ્રીમતી શૈલા મુન્શા,દેવિકા ધ્રુવ, ઇન્દુબેન શાહ અને પ્રવિણા કડકિયાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ સુત્રધાર દેવિકાબેને નીલમબેનનું સ્વાગત કર્યું હતું અને શ્રી. વિજય શાહને નિલમબેનનો પરિચય આપવા માટે વિનંતિ કરી હતી. શ્રી. વિજય શાહે, લેપટોપ પર સ્લાઇડોના સહારે, નીલમબેનના પુસ્તકો, કોલમો, તેમને મળેલા એવોર્ડો, પારિતોષિકો અંગે માહિતી આપતાં કહ્યું કે નીલમ દોશીના પુસ્તકગમતાંનો ગુલાલને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘દીકરી મારી દોસ્ત’, ‘જન્મદિવસની ઉજવણી’, ‘સંબંધસેતુ’, ‘સાસુવહુ ડોટ કોમ’, અંતિમ પ્રકરણ’, ‘પાનેતરએમના પ્રકાશિત પુસ્તકો છે. લોકપ્રિય સ્ત્રી સાપ્તાહિકસ્ત્રીમાં, એમની કોલમ  ‘જીવનની ખાટીમીઠીપ્રકાશિત થતી રહી છે. સુરતમાં યોજાયેલ જ્ઞાનસત્ર (૨૦૧૨) દરમ્યાન નીલમબેન લિખિતઅંતીમ પ્રકરણનવલિકાસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથીબેસ્ટ બુક ઓફ યરનો અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોના રસાસ્વાદ, આકાશવાણી રેડીયો પરથી પ્રસારિત થતા રહે છે.

નીલમબેનના વક્તવ્ય પહેલાં, બેત્રણ સ્થાનિક લેખકોકવિઓની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.ઓસ્ટીનથી  ખાસ બેઠકમાં હાજરી આપવા આવેલ કવયિત્રી સરયુ પરીખે પોતાના બે નવા કાવ્યસંગ્રહો વિશે માહિતી આપી હતી. અને બે કાવ્યો વાંચી સંભળાવ્યા હતા. હાસ્ય, હાઇકુ અને હઝલના રાજા એવા સ્થાનિક હાસ્યલેખક અને ગઝલકાર શ્રી. ચીમનભાઇ પટેલે (‘ચમન’) સ્વરચિત બે, છંદબધ્ધ કાવ્યો સંભળાવ્યા હતા. ફતેહ અલી ચતુરે, હિન્દી કવિ સુરેન્દ્ર શર્માનું એક વ્યંગકાવ્ય રજૂ કર્યું હતું.

બેઠકનો દોર પોતાના હાથમાં લેતાં, નીલમબેને હ્યુસ્ટનની મુલાકાત ટાણે લખાયેલ સ્વરચિત કાવ્યની પંક્તિઓ સંભળાવી હતી. ટૂંકી વાર્તાકળાના નમૂના તરીકે પોતાની ત્રણ વાર્તાઓ  ‘સંજૂ દોડ્યો’, ‘એક ઔર ધરતીકંપ’, અનેઆઇ એમ સ્યોર’ ,વાંચી સંભળાવી હતી. વાર્તાઓ અંગે સાહિત્યરસિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને તે પછી નીલમબેને એની છણાવટ કરીને રસદર્શન કરાવ્યું હતું.

હ્યુસ્ટનના આદરણીય કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે રાબેતા મુજબ, નીલમ દોશી અંગે એક શીઘ્રકાવ્ય રચીને તેની કોપી નીલમબેનને અર્પણ કરી હતી.

૧૬મી જૂન અને રવિવારે સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન, હ્યુસ્ટનના જૈન સેન્ટર ખાતે પણ, નીલમ દોશીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. ‘જીવનના નાના સુખ’ એ વિષય પર બોલતાં, નીલમબેને મુલ્લા નસરુદ્દીનની એક વાત ‘સુખી થવાનો ઉપાય’ કરી અને કહ્યું કે સુખ એ આપણા મનની અંદર રહેલી પહેલી અનુભૂતિ છે. પૈસાની જરુર બધાને હોય પણ ક્યાંક તો ફુલસ્ટોપ મૂકવાનું જ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠાના વળગણથી મુક્ત થઈ જઇએ એ જ સુખ છે. આપણે તો સુખદુઃખનો ભાર વેંઢારતા પ્રવાસીઓ છીએ. પુરેપુરા જ્ઞાની હોય અથવા પુરેપુરા અજ્ઞાની હોય એ જ સાચા સુખી બની શકે.નાની નાની ઘટનાઓને ખુલ્લા મનથી આવકારીએ ત્યારે જ સુખની અનુભૂતિ થાય. સુખ અને દુઃખ, જેટલા મનમાં હોય છે એટલા જીવનમાં નથી હોતા. જે મળ્યું છે એ છોડીને, જે નથી મળ્યું એ મેળવવાનાં હવાતિયાં એટલે દુઃખ.

હકારાત્મક અભિગમને સમજાવતી એક પરદેશી ભાષાની વાર્તા રાજી રહેવાની રમત’ પણ નીલમબેને સંભળાવી. જૈન સેન્ટરના જિજ્ઞાસુઓના પ્રશ્નોના તેમણે પ્રત્યુત્તરો આપ્યા હતા.

એ જ દિવસે, સાંજે એક સાહિત્યપ્રેમી મિત્રના નિવાસસ્થાને યોજાયેલી નાનકડી બેઠકમાં કેટલાક સર્જક મિત્રો સાથે સાહિત્યગોષ્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક સર્જકે પોતાની કોઇ ને કોઇ કૃતિ રજૂ કરી હતી અને એના પર અન્ય સર્જકો પોતાના પ્રતિભાવ આપતા અને છેલ્લે નીલમ દોશી, એ કૃતિ ટૂંકી વાર્તા છે, લઘુનવલ માટેનું મટીરીયલ છે કે પછી એ માત્ર પ્રસંગકથા કે રેખાચિત્ર જ છે એની છણાવટ કરતા હતા. ટૂંકી વાર્તા અને લઘુકથા વચ્ચેની ભેદરેખા વિષે નીલમ દોશીએ વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું.  આ સાહિત્યગોષ્ટી, ઉચ્ચ બુધ્ધીમતા ધરાવતા, ખરેખરા સાચા લેખકોની બેઠક હતી એટલો નિર્દેશ કર્યા વગર રહેવાતું નથી. મેં ઘણી સાહિત્યશિબીરો અને મીટીંગોમાં હાજરી આપી છે અને જોયું છે કે મોટાભાગની એવી બેઠકોમાં કવિતાઓને નામે, જોડકણાં , અપદ્યાગદ્ય કાચા લખાણો, ઉપદેશાત્મક સુફીયાણી વાતો, ને એવું બધું રજૂ થતું હોય, ખોટેખોટી વાહ વાહ થતી હોય અને છેલ્લે ચાહનાસ્તો કરીને લોકો છુટા પડતા હોય. સાહિત્ય સાથે સ્નાનસૂતકનો ય સંબંધ ન હોય, અરે ! ગુજરાતી લખીવાંચી શકતા ન હોય  એવા લોકો મીટીંગમાં આગળ પલાંઠી વાળીને નેતા થઇને બેઠા હોય.

આ બેઠકમાં ગણીને દસ જ વ્યક્તિ હતી પણ સાહિત્યને સમજી શકે અને કંઇક શીખી શકે એવા સર્જકો હતા. યજમાને ચુનંદા મહેમાનોને આમંત્રિત કરીને સાચા અર્થમાં સાહિત્યગોષ્ટી યોજી હતી.  અભિનંદન એ યજમાનને !

(અહેવાલ અને તસ્વીર સૌજન્યશ્રી. નવીન બેન્કર)

ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-

 

ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-

 

ગુજરાતી સાહિત્યના નીવડેલા, જાણીતા૪૭  જેટલા નાટ્યલેખકોના એકાંકી નાટકોના ત્રણ સંગ્રહો, હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં મને જોવા મળ્યા.

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે રઘુવીર ચૌધરી અને રતિલાલ બોરીસાગર જેવાના સંપાદનમાં આ ત્રણ ખજાનારુપ, જાણીતા અને વારંવાર ભજવાઇ ચૂકેલા એકાંકી નાટકોના સંગ્રહ પ્રસિધ્ધ કર્યા છે.

હ્યુસ્ટન જેવા શહેરમાં, કોઇ પ્રસંગે, કોઇ સંસ્થા, એકાંકી નાટકો ભજવવા માંગતી હોય છે અને સારુ એકાંકી ક્યાં છેની તપાસ શરુ થઈ જતી હોય છે એવા સમયે આ ત્રણ પુસ્તકો મદદરુપ થઈ શકે તેવા છે.

અત્યારના સમયમાં, ઘણા બધા કલાકારોને લઈને નાટકની પ્રેક્ટીસ કરવા માટે ભેગા થવું-એ મૂશ્કેલ અને ખર્ચાળ  કામ છે. એટલે એક ઘરમા પતિ-પત્ની બન્ને કલાકાર હોય અથવા એકાદ ખાસ મિત્ર કે પાડોશી નાટ્યપ્રવ્રુત્તી પ્રત્યે અભિરુચી ધરાવતા હોય તો, બે કે ત્રણ જ પાત્ર ધરાવતા, ૩૦ મીનીટના એકાંકીઓ પણ મને આ સંગ્રહોમાં વાંચવા મળ્યા. આવા કેટલાક નાટકોની એક નાનકડી સુચી અહીં લખું છું.

 

એકાંકીનું શિર્ષક                 લેખક             પાત્રોની સંખ્યા

સ્ટેશન માસ્તર            ધનસુખલાલ મહેતા     બે પુરુષ અને એક સ્ત્રી

ઝાંઝવા                   યશવંત પંડ્યા           એક પુરુષ અને બે સ્ત્રી

વન્સમોર                 ચુનીલાલ મડીયા        ચાર પુરુષ પાત્રો

ઇલાજ                     વિનોદ અધ્વર્યુ           એક સ્ત્રી અને ત્રણ પુરુષ

ચાલો, ઘર ઘર રમીએ    જ્યોતિ વૈદ્ય               એક પુરુષ- એક સ્ત્રી.

હુકમ, માલિક              ચિનુ મોદી               બે પુરુષ પાત્રો

અદાલતે ગીતા           મુકુંદરાય પંડ્યા           ત્રણ પુરુષ પાત્રો

કાહે કોયલ શોર મચાયે            લાભશંકર ઠાકર          એક પુરુષ અને એક સ્ત્રી

સ્મશાન સર્વીસ                    નિરંજન ત્રિવેદી          બે પુરુષ પાત્રો

આપણું એવું                       મધુ રાય                એક પુરુષપાત્ર સ્ટેજ પર અને

                                                           બીજું પાત્ર નેપથ્યમાંથી ટેલીફોન પર.

લોહી વરસતો ચંદ્ર                 મહેશ દવે                એક પુરુષ-એક સ્ત્રી.

ટેલીફોન                           હસમુખ બારાડી          એક પુરુષ-એક સ્ત્રી

દીવાલ                            સુભાષ શાહ              બે પુરુષ-એક સ્ત્રી

ઘર વગરના દ્વાર                   રવિન્દ્ર પારેખ            બે પુરુષ-એક સ્ત્રી

હેરપીન                            ઉત્તમ ગડા               એક પુરુષ- એક સ્ત્રી.

સ્પર્શ                               સોનલ વૈદ્ય              એક પુરુષ- એક સ્ત્રી.

                                                                                                        ( મહેમાન કલાકારો-નર્સ, વોર્ડબોય)

                                                                      સામગ્રી-સ્ટ્રેચર.

 આ નાટકો વાંચતાં વાંચતાં મારી દ્રષ્ટી સમક્ષ આપણા હ્યુસ્ટનના મુકુંદભાઇ ગાંધી, હેમંત ભાવસાર, ઉમાબેન નગરશેઠ, નિતીન વ્યાસ, ફતેહ અલી ચતુર, રક્ષાબેન પટેલ, દેવિકા અને રાહુલ ધ્રુવ જેવા કલાકારો તરવરતા રહ્યા હતા. હું જુવાન હતો ત્યારે કોઇ સારી નવલકથા વાંચુ ત્યારે એની પટકથા મારા માનસપટ પર અંકાવા લાગતી અને હું શેખચલ્લી બનીને વિચારતો કે જો હું આ કથા પરથી ફિલ્મ બનાવું તો આ પાત્રમાં સંજીવકુમાર, આ પાત્રમાં હેમા માલિની, આ પાત્રમાં બિન્દુડી (!) લઉં અને…પછી એ કથાને મારા મનમાં ભજવાતી જોતો. કહેવાની જરુર નથી કે એમાંના એકાદ પાત્રમાં હું મને ય ગોઠવી દેતો. અને બિન્દુ કે મુમતાઝ સાથેના પ્રણયદ્રશ્યો મનમાં ભજવતો. શ્રીરામ…શ્રીરામ….

ન્યુયોર્કના જાણીતા કલાકારો જલ્દી મારા માનસપટ પર નથી આવતા કારણ કે ઘણાં વર્ષોથી મેં આર.પી. શાહ, ભારતીબેન દેસાઇ કે રક્ષાબેન પંડ્યાને જોયા નથી. ઍટલે એમના ચહેરાઓ મને યાદ નથી આવતા. બાકી એ લોકો પણ સુપર્બ કલાકારો છે.

થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનના વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય હવેલી)ના ઉપક્રમે એક એકાંકી નાટક ભજવાવાનો પ્લાન થયેલો અને મેં યુવાન કલાકારોને લઈને પ્રેક્ટીસ પણ શરુ કરાવેલી ત્યારે પણ આવા જ કોઇ નાટકનું થીમ હું પણ શોધતો હતો.

આ લેખ હું કેટલાક નાટ્યપ્રેમી મિત્રોને મોકલી રહ્યો છું.

મિત્રો,  સારા નાટકો શોધવા માટે તમારે સાંજે જોબ પરથી છૂટ્યા બાદ અગર કોઇ શનિવારે ૫૦૦, મીકીની સ્ટ્રીટ પર ડાઉનટાઉનમાં આવેલી આ ભવ્ય લાયબ્રેરીની મુલાકાત લેવી જરુરી છે.ત્યાં, ફોરેઇન સેક્શનમાં, ગુજરાતી પુસ્તકોના ઘોડા પરથી આ પુસ્તકો શોધવાના. આ દેશમાં એટલી સરસ વ્યવસ્થા છે કે માત્ર તમારું ડ્રાયવર લાયસન્સ કે ફોટા સાથેનું કોઇ અધિકૃત ઓળખપત્ર બતાવો કે વિનામુલ્યે, ડીપોઝીટ વગર તમને પુસ્તકો આપે અને એ પુસ્તકો પાછા તમે શહેરની કોઇપણ લાયબ્રેરીની બ્રાંચમાં જમા કરાવી શકો. લાયબ્રેરીના દરવાજે મેટ્રોની છ બસો પણ આવે છે. હું પાર્કીંગના પૈસા બચાવવા, આ સિટી બસની ફ્રી સર્વીસનો જ લાભ લઊં છું. ( ફ્રી સર્વીસ માત્ર અમારા જેવા સીત્તેર વટાવી ગયેલાઓને જ મળે છે. બાકી સવા ડોલર ટીકીટ લાગે.)

હું, અઠવાડીઆના ત્રણ થી ચાર દિવસ, ચાર ચાર કલાક આ લાયબ્રેરીમાં વીતાવું છું પણ આજસુધીમાં મને એકેય ગુજરાતી વાંચક ત્યાં જોવા મળ્યો નથી.

શ્રીરામ..શ્રીરામ…

 

કોઇને કોઇ પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઇતી હોય તો મારો, ઈ-મેઈલ મારફતે  સંપર્ક સાધી શકે છે. મોટેભાગે હું  લાયબ્રેરી કે મૂવી થિયેટરમાં સમય ગાળતો હોઉં એટલે ઘરના ફોન પર મળું નહીં અને સેલફોન ઉપાડવાની આદત નથી.ચાલુ કારે, થિયેટરમાં, મીટીંગમાં સેલફોન ઉપાડતો નથી. બેસ્ટ વે ટૂ કોન્ટેક્ટ મી ઇઝ ઇન્ટરનેટ.

હ્યુસ્ટનમાં કવિશ્રી. વિવેક ટેલર- ૭ મે ૨૦૧૧

January 4th, 2014 Posted in અહેવાલ

 

તારીખ- ૮ મે ૨૦૧૧-બુધવાર

 હ્યુસ્ટનમાં  કવિશ્રી.વિવેક ટેલરના કાર્યક્રમ અંગે  નવીન બેન્કર

(મારો આ અહેવાલ છપાયેલો નથી.)

 

ગઈકાલે ડોક્ટર વિવેક ટેલરનો કાર્યક્રમ  હતો.પંદરેક આમંત્રિતો હતા.મુન્શા ફેમિલી,અલી ચતુર, મુકુંદભાઇ,રસેશભાઇ,રસિક મેઘાણી ફેમિલી સહીત, પ્રવિણાબેન કડકિયા, વિશાલ મોણપરા, નવીન બેન્કર,વિશ્વદીપ અને રેખાબેન બારડ વગેરે..હાજર હતા. યજમાન ભક્તકવિ શ્રી.પ્રદીપ બ્ર્હ્મભટ્ટે  શ્રી.વિવેક ટેઇલરને આવકાર આપતું અને ઉપસ્થિત સર્વે મહેમાનોને બિરદાવતું સ્વરચિત કાવ્ય વાંચી સંભળાવીને ફ્રેમમાં મઢેલી તેની કોપી તથા પોતાનો કાવ્યસંગ્રહ કે જેનું વિમોચન શ્રી. મોરારિબાપુના હસ્તે થયેલું તે દીપના અંધારે‘  કવિશ્રી.વિવેકભાઇ ટેલરને અર્પણ કર્યા હતા.

વિવેકભાઇએ પોતાની કેટલીક રચનાઓ સંભળાવી હતી.

મારી દુઆ સાચી જ છે  એ એક દિ ફળશે  તને

મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને

પથ્થર છું તારી રાહનો, ઠોકર નથી.ના.ના..નથી.

પગ મુકઉંચાઇ પગથિયાની સદા મળશે તને.

————————-

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

પ્રણયના સાત પગલાથી નવી કેડીઓ રચવાનું,

વફાનું બાંધી મંગળસુત્ર બંધાવાનું, પોતે પણ

વટાવી ઉંબરો હુંનો, ‘અમેના ઘરમાં વસવાનું.

—————————-

લઇ હાથ હાથમાં ભલે જીવ્યા ઘણા વરસ,

પહેલા દિવસની એ છતાં અકબંધ છે તરસ

ડગલે ને પગલે આપદા સો સો  ભલે નડી

જે ગઇ,  જે છેને જશે  એ જિંદગી સરસ.

————————-

                 એક કાવ્ય કંઇક ફૂલ અને કાંટા ને લગતુ હતુ જેનું અંતીમ ચરણ આવું હતું     પરખ ના હોય તો સઘળા ગુલાબ પણ કાંટા જ છે. વચ્ચે વચ્ચે છંદ અને લગાગા..ગાલગાગા..ને એવું બધું સમજાવતા જતા હતા.  (जो अपुनकी समजसे बाहर था )

વિવેક ટેલરે દેવિકાબેન ધ્રુવના કાવ્યના વખાણ કર્યા હતા અને સ્વમુખે એ કાવ્ય વાંચી સંભળાવ્યું હતું.  પ્રવીણા બેન કડકિયા,શૈલાબેન મુન્શા,વિશ્વદીપભાઇ બારડ ,રસિક મેઘાણી વગેરે મિત્રોએ પોતપોતાની રચનાઓનો આસ્વાદ કરાવ્યો હતો.

ફતેહ અલી ચતુરે પણ છેલ્લે અશોક ચક્રધરની હાસ્ય કવિતા ચુનાવસંભળાવી હતી.

છેલ્લે,યજમાન શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે અને રમાબેને દાળવડા,ભાજેપાંઊ,ગુલાબજાંબુ,જેવી સ્વાદીષ્ટ વાનગીઓ જમાડીને આમંત્રિતોને વિદાય આપી હતી.

નવીન બેન્કર

૮ મે ૨૦૧૧

અંધશ્રધ્ધા

અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ધામના પ્રચારાર્થે તથા મહાપ્રસાદનો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે.  જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ધામની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા અવતાર‘ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.

મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા અવતારવિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ખાવામાટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ઘેટાનું ટોળુઆ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક માતાજીના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.

આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.

કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના વેલફેરપર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા પ્રભુકહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ધામની લીઝ કોના  નામે છે ?’

એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.‘ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !‘)   હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી  જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.

હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને  આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.

શ્રીરામ…શ્રીરામ….

એક સંસ્મરણ

January 4th, 2014 Posted in મારા સંસ્મરણો

 

સંસ્મરણ

કુટુંબના બાળકોએ હ્યુસ્ટનના મહારાજાભોગ રેસ્ટોરન્ટમાં

ચાર પ્રસંગોની ઉજવણી કરી-

(૧)    નવજાત શિશુ નિખિલ શાહના, આ દુનિયામાં

       આગમનની વધામણી. (ડોક્ટર શેનિલ અને ડો. સપના શાહનો પુત્ર)

(૨)    ડોક્ટર આશીષ બેન્કર અને વ્યોમા બેન્કરના,

        એકાદ બે દિવસમાં જ જન્મનાર બેબી ( વૈશાલી)ના આગમનનું

       રીસેપ્શન.

(૩)   કુટુંબના વડીલ ડોક્ટર કોકિલા પરીખ અને પ્રકાશ પરીખની

       નજીકમાં જ આવનાર જન્મદિવસની ઉજવણી.

(૪)   કુટુંબના વરિષ્ટ સભ્ય નવીન અને કોકિલા બેન્કરના પચાસ

      વર્ષના  પ્રસન્ન દામ્પત્ય જીવનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી.

‘શોલે’કી સ્કીટમેં નવીન બેન્કર

કીસી ઝમાનેમેં હમનેહ્યુસ્ટનમેં, ફિલ્મ  શોલે કી સ્કીટ કી થી, જિસમેં આપકા યે દોસ્ત નવીન બેન્કર કાલીયા બના થા ઔર ડાયલોગ બોલતા થા  –સરદાર,મૈંને આપકા નમક ખાયા હૈ

ઔર ગબ્બરસિંહ ( ગિરીશ નાયક ) કહેતા હૈ- તો અબ ગોલી ભી ખા ‘.ઔર…ઉસકી ગોલી ખાકર  મૈં -યાનિ કાલિયા- ગિર જાતા થા.

 કાલિયા- શ્રી,નવીન બેન્કર

 બસંતી- શ્રીમતી કીની                

વીરુ   – શ્રી.રાજુ ભાવસાર                        

 ગબ્બરસિંહ- શ્રી. ગિરીશ નાયક (FFOI વાળા)           

કાલિયાકે પ્રોડ્યુસર ઔર ડાયરેક્ટર થે  માસ્ટરજી યાનિ કી શ્રી.ઇન્દ્રવદન ત્રિવેદીજી-ગુરુજી

કબીર ( એકપાત્રિય નાટક )

January 4th, 2014 Posted in અહેવાલ

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને.

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા કહત કબીર સુનો ભાઇ સાધોશબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો કબીરવાણીકહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે.

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી.

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યું છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને.

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે.

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય.

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧

કથાને બાંકડેથી સાંભળેલું

January 4th, 2014 Posted in સંકલન્

 

કથાને બાંકડેથી સાંભળેલું

(રામાયણનો સાર શું ?

     સોનાના મૃગ પાછળ  પતિને દોડાવનાર સ્ત્રીઓએ, અગ્નિપરીક્ષા માટે પણ તૈયાર રહેવું પડે !

     ભૌતિક સુખો માટે પતીને કાળાધોળા કામો કરાવનાર સ્ત્રીઓએ અંતે સહન કરવાનું આવે છે.

(રામ કંઇ સમજતા નહોતા ? જાણતા હતા કે સોનાનો મૃગ હોય. પણ પોતાની પત્નીને સમજાવી શક્યા હતા. સ્ત્રીને સમજવી સહેલી છે, પણ એને સમજાવવી મૂશ્કેલ છે જે રામ જેવા પણ કરી શક્યા હતા.

() મંદીરમાં, પ્રભુને ધરાવાયેલી ચીજવસ્તુઓની હરાજી (!) કરીને એક લાખ ડોલર્સ જોતજોતામાં ઉભા કરી શકાય છે.

શ્રીરામશ્રીરામ….

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.