એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 » January » 06

થોડીક વધુ દિલની વાતો

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

દિલની વાતો

થોડા સમયથી મને, આપણાં હ્યુસ્ટનના શાંત, સૌમ્ય, મીતભાષી,મૃદુભાષી વિદ્વાન દિવ્યકાંત પરીખના વિચારો વધુ આવે છે. એકાદ લગ્નપ્રસંગે, કોઇ સામાજીક મેળાવડામાં જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એમને શાંતપણે અન્યની વાત સાંભળતા અને મૌન રહેતા અગર એકાદ શબ્દ કે વાક્યમાં પ્રત્યુત્તર આપતા જોયા અને મને જે જમાનામાં ગુજરાતી સમાજનુંદર્પણસંભાળતા વખતના દિવ્યકાંતભાઇ યાદ આવી જતા હતા.

મને લાગે છે કે મારે પણ હવે એવા શાંત, મીતભાષી બનવાનો સમય પાકી ગયો છે.મૃદુભાષી તો હું થઈ શકવાનો નથી. બકબક કરવાની  અને અહેવાલોસમીક્ષાઓ લખવાની પ્રવૃત્તિઓમાંથી જાતને સંકોરી લેવાનો સમય હવે પાકી ગયો છે. કારણ કે, બધું કરવાથી, દુશ્મનો વધે છે. ટીકાઓ સાંભળવી પડે છે.

તમે બધુ સારુ સારુ લખો છો, કાર્યક્રમમાં આટ આટલી ત્રુટિઓ હતી, આટલું ખોટુ થયું હતું, પેલીએ આમ કર્યું હતું ને પેલો આમ બોલ્યો હતો અંગે તમે કેમ મૌન રહો છો ?’

તમે તટસ્થ વ્યક્તિ નથી.’ ‘તમે પેલાની ફેવર કરો છો

પેલીના અભિનયના આટલા વખાણ કરવાની જરુર નહોતી. તો ઓવરએક્ટીંગ કરતી હતી. બહુ લાઉડ અભિનય હતો એનો તો !…’

તમારી પાસે ભાષા છે, શબ્દો છે, સમજ છે પણ તમે સ્પષ્ટવક્તા નથી.’

ફલાણી સંસ્થાના ફલાણા કાર્યક્રમથી કોને ફાયદો થવાનો છે ? લાખ્ખોના ધૂમાડા કરીને બે દહાડા જલ્સા કરાવવાથી શું વળવાનું અંગે કેમ કશું લખતા નથી ?

મેં લોકો માટે આટલું કર્યું અને લોકોએ મારો આભાર પણ ના માન્યો, મને એકનોલેજ પણના કરી’ (કેના કર્યો’). તમે વાત તમારા રીપોર્ટમાં લખો.’

એક સજ્જને તો મને ફોન કરીને તતડાવી નાંખ્યો– ‘ ફલાણા તમારા મિત્ર છે એટલે તમે એમને ચડાવી માર્યા છે. અમે આટલા વર્ષ આટઆટલું કર્યું છે, તમે એક લીટી પણ લખી છે અમારે માટે ?’- મેં સજ્જનને સમજાવ્યું કે ભાઇ, હું હ્યુસ્ટનમાં આવ્યો ૧૯૮૭માંતમે તો પછી ક્ષેત્રસંન્યાસ લઇ લીધો છે, કોઇ પ્રવૃત્તિમાં દેખાયા નથી. પછી તમારો ઉલ્લેખ હું ક્યાંથી કરું ?’

થોડા વર્ષો પહેલાં, હું નવો નવો હ્યુસ્ટનમાં આવેલો ત્યારે મને લોકોડોક્ટર કોકિલા પરીખના ભાઇતરીકે ઓળખતા ( અને આજે ઘણાં રીતે ઓળખે છે ) જે મને ત્યારે નહોતું ગમતું ( આજે મેં મનને સમજાવી દીધું છે ). હું મારી આગવી ઓળખ ઉભી કરવાના હવાંતિયા મારતો હતો. હું જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં નિષ્ફળ ગયેલો માણસ છું એમ  જાહેરમાં કબૂલ કરવામાં મને હવે ઉંમરે કોઇ ક્ષોભ કે સંકોચ નથી થતો. આજે ૩૩ વર્ષ અમેરિકામાં રહ્યા છતાં હું એક હાઉસ નથી લઇ શક્યો અને એપાર્ટમેન્ટ/ કોન્ડોમાં રહું છું અને સોશ્યલ સીક્યોરિટીની આવક પર ગુજરાન ચલાઉં છું. ખેર ! આડવાત જવા દઈએ.

ઇન્ડીયામાં, ગુજરાતી નાટકોના કલાકારોના ઇન્ટર્વ્યૂ લઈને સામયિકોમાં છપાવવાનો, ગુજરાતી ફિલ્મોના પ્રિમીયરોના અહેવાલચિત્રજ્યોતકે ‘’ચિત્રલોકજેવા ફિલ્મી મેગેઝીનોમાં છપાવવાનો મારો અનુભવ, જમાનાના દિગ્ગજ નાટ્યકલાકારોના ઇન્ટર્વ્યૂ ૧૯૭૦૭૧૭૨ ના સમયગાળામાં છપાવેલા. આજે એની પ્રીન્ટેડ કોપીઓને મારા માલઅસબાબ તરીકે છાતીએ વળગાડીને હું લોકોને બતાવતો ફરું છું અને ગર્વ ( મિથ્યા ગર્વ ) અનુભવું છું. હ્યુસ્ટનમાં મારી આગવી ઓળખ ઉભી કરવાનો એક રસ્તો, મારી લેખનપ્રવૃત્તિ હતો. મેં જમાનાની એક જાહેર સંસ્થાનો ૧૯૭૯થી  ઇતિહાસ લખવાનું બીડુ ઉઠાવી લીધું. હું એના વર્તમાન પ્રેસિડેન્ટને મળ્યો, એમને ઘેર જઈને બે કલાક પ્રશ્નોત્તરી કરીને નોંધો કરી. એક હાસ્યલેખકને ઘેર જઈને, જૂના અંકો ફંફોળ્યા અને નોંધો ટપકાવી. દસ વર્ષના ઇતિહાસને કંઇ કેટલાય ફુલસ્કેપ કાગળોમાં ઉતાર્યો. દસ વર્ષના ગાળાના અન્ય ભૂતપુર્વ પ્રેસિડેન્ટોને પણ લખાણ બતાવ્યું અને અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે પણમને આવો અનુભવ થયેલો.

તમે હાલના પ્રેસિડેન્ટને ચડાવી માર્યા છે. એમને વધુ મહત્વ આપી દીધું છે. સાલો તોગાંધીવાદીહોવાનું નાટક કરે છે….વગેરે..વગેરે.. અને  ‘ઇતિહાસપછીભુતકાળ બની રહ્યો.

અમદાવાદમાંનાટકની સંસ્થારંગમંડળનું સંચાલન જ્યારે સ્વ. રાજુ પટેલ સંભાળતા અને જમાનાની એક અભિનેત્રી પ્રતિભા રાવળ, જે આજે હજુ નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય છે , અને તેમની સાથે એક કલાકાર મહેન્દ્ર પાઠક  પણ સક્રિય હતા ત્યારે ‘રંગમંડળ’નો ઇતિહાસ લખવા, પ્રિતમનગર ના અખાડામાં, રોજ રાત્રે હું જતો અને જુના ચોપાનિયા, નાટકોની જાહેરાતો, છપાયેલા અવલોકનોના કટીંગ્સ ફંફોળીને તેનું સંશોધન કરીને ઇતિહાસ લખેલો એ વખતે પણ કેટલાક અન્ય નાટ્યકર્મીઓને આ ઇતિહાસ બતાવતાં, આ જ અનુભવો થયેલા અને મારું એ સંશોધન કાર્ય, ગુમનામીના અંધકારમાં હડસેલાઇ ગયેલુ.

પણ એ વખતે મને જે જે નાટ્યકર્મીઓના પરિચય થયેલા તેમના બાળકો કે જેઓ આજે સિરીયલોમાં કામ કરીને નામ કમાઇ રહ્યા છે તેઓ જ્યારે અમદાવાદમાં, ઠાકોરભાઇ દેસાઇ હોલમાં કોઇ નાટકોના શો વખતે મળી જાય છે ત્યારે, વડીલ ગણીને ચરણસ્પર્શ કરી લે છે. આજે ય, ‘૭૫પ્લસ’ કલાકારો –પ્રતિભા રાવળ, કિર્તીદા ઠાકોર કે દિવાકર રાવળ જેવા નાટ્યકર્મીઓ સાથે ફોન પર વાર્તાલાપ કરવાનો આનંદ આવે છે.

બસ…આજે આટલું જ.

 

 

 

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ ‘ જિન્દગીકા સફર’ હ્યુસ્ટનમાં

January 6th, 2014 Posted in અહેવાલ

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ જિન્દગીકા સફરહ્યુસ્ટનમાં

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન)

 

ત્રીજી સપ્ટેમ્બરને સોમવારની સલુણી સંધ્યાએ હ્યુસ્ટનના વી.પી. એસ.એસ.હોલમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન અને ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમેબોલીવુડના પ્રથમ સુપર સ્ટાર સ્વ.રાજેશ ખન્નાને અંજલિ આપતો એક સંગીતપ્રધાન કાર્યક્રમ જિન્દગીકા સફરશિર્ષક હેઠળ, યોજવામાં આવ્યો હતો.શિકાગોના નેશનલ પ્રમોટર ભાવનાબેન મોદીના મનપસંદના નેજા હેઠળ,મેનેજર શ્રી, બીપીન ભુતાની રાહબરી હેઠળ સની જાદવ, કન્વરલાલ વેકરિયા,અલકા ઠાકુર, કલ્પેશ ખારવા અને મહેશ રાવલ જેવા ગાયકોએ રાજેશ ખન્નાની ફિલ્મોના સુપરહિટ ગીતો ગાઇને રમઝટ બોલાવી દીધી હતી.તેમને કીબોર્ડ પર શ્રી. મહેશ રાવલ,ઓક્ટોપેડ પર શ્રી. સંકેત પટેલ અને બોંગો-ઢોલક પર શ્રી.પ્રસાદ સીરગાંવકરનો સાથ સાંપડ્યો હતો.

 

કન્વરલાલ વેકરિયાએ પ્રસંગોપાત રાજેશ ખન્નાના ગેટઅપમાં  સ્ટેજ પર ડોકી હલાવવી, આંખો ઉઘાડબંધ કરવી, હલનચલન કરવું જેવી સ્ટાઇલો મારીને પ્રેક્ષકોને હસાવ્યા હતા. વિવિધ ફિલ્મ-કલાકારોની મીમીક્રી, જોક્સ પીરસીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. કાર્યક્રમનો હીરો તો હતો સની જાદવ નામનો ખુબસુરત જુવાન.

ગાયેલા સંખ્યાબંધ ગીતોની યાદી અત્રે લખીને વાંચકોને બોરકરવાનો કોઈ અર્થ નથી. પણ જે ગીતો પર પ્રેક્ષકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા એના ઉલ્લેખ વગર આ લેખ અધૂરો જ ગણાય. જય જય શીવશંકર‘, હમેં ઔર જીનેકી ચાહત ના હોતી‘, જિન્દગી એક સફર હૈ સુહાના‘, ‘મેરે નૈના સાવનભાદોં,’ ‘મેરે સપનોંકી રાની‘, ‘સુન ચંપા સુન તારા‘,’યહાં વહાં સારે જહાંમેં તેરા રાજ હૈ‘, ‘ દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા‘, જેવા ગીતો સળંગ રજૂ કરીને પ્રક્ષકોની તાળીઓની ખંડણી સનીભાઇએ મેળવી લીધી હતી. કાર્યક્રમની અંતીમ પેરોડીમાં, રાજેશ ખન્નાના અભિનયમાં પરદા પર ગવાયેલા દર્દીલા ગીતો, સ્ક્રીન પર રાજેશ ખન્નાના વિવિધ ફોટા અને કન્વરલાલ વેકરિયા દ્વારા રાજેશ ખન્નાના જીવનના વિવિધ પ્રસંગોની યાદોની દર્દીલી રજૂઆતે શ્રોતાઓને છેલ્લે છેલ્લે ગમગીન પણ બનાવી મૂક્યા હતા. આ પેરોડી ગીતોમાં, ‘ચિનગારી કોઇ ભડકે‘,’ યે લાલ રંગ‘, ‘યે ક્યા હૂવા‘, ‘જિન્દગીકે સફરમેં ગૂજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે‘,’મૈં શાયર બદનામ‘,જિન્દગીકા સફર યે હૈ કૈસા સફરજેવા હ્રદયસ્પર્શી ગીતોએ સહ્રદયી ચાહકોની આંખો ભીની કરી મૂકી હતી.

 

મહેશ રાવલ નામના કલાકારે કીબોર્ડ સંભાળવા ઉપરાંત અકેલે હય, ચલે આઓગીત પણ સુંદર રીતે પેશ કર્યું હતું. કે. કે. તરીકે જ ઓળખાતા કલ્પેશ ખારવાએ પણ કેટલીક ખૂબસુરત રજૂઆતો કરી હતી.  અલકા  ઠાકુર નામની અમદાવાદની યુવાન ગાયિકાએ સ્ત્રી-સ્વરમાં ગવાયેલા કેટલાક ગીતો રજૂ કર્યા હતા અને યુગલ ગીતોમાં અન્ય ગાયકોને સાથ આપ્યો હતો.  સ્ટેજ-સન્નીવેષમાં, રાજેશ ખન્નાની વિવિધ ભૂમિકાઓની સંખ્યાબંધ તસ્વીરો પ્રેક્ષકોનું ધાન ખેંચતી હતી.

 

આ શોની ટીકીટો પણ દરેકના ખિસ્સાને પોસાય તેવી-૧૦ ડોલર્સ અને ૨૦ ડોલર્સ જ રાખવામાં આવેલી એટલે હાઊસફુલ ઓડીયન્સ મેળવી શકાયું હતું. વળી , સીટ નંબર્સ ન હોવાને કારણે, પ્રેક્ષકો સારી જગ્યા મેળવી લેવા સમયસર આવી ગયા હતા. કેટલાક સીનિયર્સ સીટીઝનો તો ધક્કામુક્કી એવોઇડ કરવા એક એક કલાક પહેલા હોલ પર પહોંચી ગયા હતા. અને આયોજકોને, સિનીયરો માટે અમુક સારી જગ્યાઓ અલાયદી ફાળવવા વિનંતિ કરતા નજરે પડતા હતા. નીશાબેન મીરાણી, અજીત પટેલ, પ્રકાશ.વી. પટેલ જેવા સન્નિષ્ઠ કાર્યકરોએ એ સિનીયરો માટે સારી જગ્યાઓ ફાળવી પણ હતી. થેન્ક યૂ ઓલ !

ઇન્ડીયા કલ્ચર સેન્ટરના  યુવાન પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી. ધૈર્યવાન સાહેબ અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ મેમ્બરો વગેરે એ પણ ખુબ ઉત્સાહપુર્વક ભાગ લઈને કાર્યક્રમની સફળતામાં પોતાનો ફાળો આપ્યો જણાઇ આવતો હતો. ઇન્ટરવલમાં રાજેશ ખન્ના અને તેની હિરોઇનો અંગેનો એક રસપ્રદ કાર્યક્રમ પણ કલ્ચર સેન્ટરના મેમ્બરોએ યોજ્યો હતો જે પણ રસપ્રદ રહ્યો હતો.

ગુજરાતી સમાજના ઉત્સાહી, યુવાન, તરવરીયા અને બાહોશ પ્રેસિડેન્ટ  નિશાબેન મીરાણી તથા અજીતભાઇ પટેલ જેવા સંગીતરસિક અને સાહિત્યપ્રેમી મેમ્બરો આવા વધુ ને વધુ સારા સારા કાર્યક્રમો યોજે એ જ અપેક્ષા.   અભિનંદન સૌ કાર્યકરોને !

 

નવીન બેન્કર

૫ સપ્ટેમ્બર ૨૦૧૨

શ્રીમતી રાજુલ શાહનો ‘જીવનસંધ્યા’ લેખ

January 6th, 2014 Posted in સંકલન્

જીવન સંધ્યા….

સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?

એક જન્મથી બીજા  જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે  અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અન�� સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને  એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો   વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.

હિન્દુ સંસ્કૃતિ  પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.

આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ “હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ  એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે  નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ  ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.

સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જ જીવન સંધ્યા.

નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.

દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની  પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે  તમારી માટે ફાળવવાનો કદાચ સમય  પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે  મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે  સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.

આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.

રાજુલ શાહ

………………………………………………………………………………………………………………………………..…………………………

Comment  

 

 

 

જમિયત પંડ્યાની મને ગમતી ગઝલ

January 6th, 2014 Posted in સંકલન્

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત એટલી ઝીન્દાદીલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી હું ધાર પર હસતો રહ્યો.
ભોમીયાને પારકો આધાર લેતો જોઈને
દૂર    જઈ       પાંગળી    વણઝાર    પર     હસતો      રહ્યો.

   કવિ જમિયતરામ પંડયા

 

જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત

ક્રિશ્ન ભગવાન અને રાધાના પ્રણયગીતો ( હું એને ભક્તિગીતો નથી કહેતો ) કાનને સાંભળવા સારા લાગે છે અને તેમાં યે એ દેવિકાબેન અને સ્વરકિન્નરી સંગીતાને કંઠે સાંભળવા મળે ત્યારે !

શ્રાવણનો સરતો મહીનો‘, ‘ મનમંદીરનો માધો‘,’યમુનાની ગાયો‘,’જશોદાનો જાયો‘,’પુછે છે રાધા ,પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં‘   ને….એવું બધું..સુંદર ચિત્રો ઉપસાવી રહે છે મનોચક્ષુ સમક્ષ. કાને સાંભળવું પણ ગમે છે અલબત્ત…પરંતુ.. કોણજાણે કેમ..મને એ બધામાં કોઈ શ્રદ્ધા જાગતી નથી…મને એ બધું કોઇ કવિઓની કલ્પનાઓ જ લાગે છે..એમાં કોઇ અલૌકિકતા છે  કે પ્રભુની લીલાઓ છે એવું નથી લાગતું..જન્માષ્ટમીના ઉત્સવમાં ભજનો પર ધુણવું ( ! ) મને ગમે છે, જોર જોરથી ખંજરી વગાડવાથી મારા મનને આનંદ થાય છે-પણ તે સંગીતને કારણે જ. બાકી એમાં કોઇ ધર્મભાવના કે પ્રભુ અવતરવાનો આર્તનાદ નથી હોતો.

ક્રિશ્ન અને રામ એ પ્રજાવત્સલ સારા રાજાઓ હતા અને વંદનીય પણ હશે પણ એ પ્રભુના અવતારો હતા એ ,મારા મનમાં ઉતરતું નથી. એવી જ રીતે,સાંઇબાબા અને જલારામ બાપા પણ સારા ભક્તો હશે અને એક ગુડ હ્યુમન બીઈંગ તરીકે આપણે તેમને વંદન કરીયે, પણ તેમને ય પ્રભુનો અવતાર માનીને તેમના મંદીરો બાંધીને તેમની આરતીઓ જ ઉતાર્યા કરીયે એ મારા મનને સ્પર્ષતું નથી.

આ બધી મારી માન્યતાઓ હોવાં છતાં, હું યે મંદીરોમાં જાઊં છું અને મસ્તક પણ નમાવું છું, દર્શન કરવા નતમસ્તકે આંખો બંધ કરીને મૂર્તિ સમક્ષ ઉભો રહું છું કારણ કે  મારી પત્નીને સારુ લાગે છે કે આ દુષ્ટ માણસ સુધરી રહ્યો છે‘, ‘એનામાં કંઇક તો સારુ તત્વ હજી રહ્યું છે‘, ‘મારું કહ્યું માને છે‘, ‘ડાહ્યો થઈ રહ્યો છે‘,’ હવે ભગવાન જરુર એનો ઉદ્ધાર કરશે‘..એવું  એવું વિચારીને એને આનંદ થાય છે અને આપણને એમાં શો વાંધો હોય ? ભગવાન મૂર્તિમાં છે કે નથી,આપણને શો ફેર પડે છે ? બધાં માથુ નમાવે છે તો ચાલો, આપણે ય માથુ નમાવીએ.ભગવાન હશે તો એમને સારુ લાગશે અને નહીં હોય તો..આપણા બાપનું શું જાય છે ? આપણે તો શ્રીરામ..શ્રીરામ..કરવું..

આટલી પેટછુટી વાત સવારે સવારે કરી દીધી…                                                                                                            નવીન બેન્કર   — જન્માષ્ટમી-    ૨૨ ઓગસ્ટ ૨૦૧૧.

               

આવું તો અમેરિકામાં જ બને ( ભારતમાં કદી નહીં )

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

આવું તો માત્ર અમેરિકામાં જ બની શકે-  (ભારતમાં કદી નહીં.)

લાસ વેગાસના તબીબ દીપક દેસાઇને આજીવન કેદની સજા.

લાસ વેગાસના ડોક્ટર દીપક દેસાઇને સેકન્ડ ડીગ્રી મર્ડર બદલ દોષી ઠેરવાયા હતા. ૬૩ વર્ષની વયના ડોક્ટર દીપક દેસાઇએ તેમના લાસ વેગાસના એન્ડોસ્કોપી ક્લિનિકમાં એક વખત વપરાયેલી ઇન્જેક્શનની સિરિંજનો ફરીથી ઉપયોગ કરીને, નવ જેટલા દર્દીઓને હિપેટાઇટીસ ‘સી’ નો ચેપ લગાડ્યો હોવાનો આરોપ હતો, જે સાબિત થયો હતો. ૧૮ વર્ષ સજા ભોગવ્યા બાદ તેઓશ્રી પેરોલ પર છૂટવા માટે માન્ય ગણાશે. આપણા લાલુપ્રસાદ કે સંજય દત્તની જેમ મહિના માસ જેલમાં સરકારી ખર્ચે ,મહેલની સગવડો ભોગવીને પેરોલ પર બહાર આવી જાય તેવું નહીં. ક્લાર્ક કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ જજ વેલેરી એડેઇરે ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે દર્દીઓ જ્યારે ડોક્ટરમાં વિશ્વાસ મૂકે છે અને એ ડોક્ટર એનો વિશ્વાસઘાત કરે છે ત્યારે આપણા સમાજનો મોટામાં મોટો વિશ્વાસઘાત કરે છે તેઓ.

૩૧મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ આ સજા ફરમાવાઇ હતી. અરે ! દીપકના આસિસ્ટન્ટ  ૬૬ વર્ષની વયના રોનાલ્ડ રોકમેનને પણ  તેની ભૂમિકા બદલ સાતથી એકવીસ વર્ષ સુધીની સજા થઈ હતી.

બોલો ! તમે કલ્પી શકો છો આવું  ‘મેરા ભારત મહાન’માં શક્ય બને ? આપણા કેટલા ડોક્ટરો, ગામડાગામોના અભણ કંપાઉન્ડરો આવા ગૂના દરરોજ કરતા હશે ? કોઇ પકડાય છે ?  કોઇને સજા થાય છે ?

અમેરિકાના ‘દેશીઓ’નો એક વર્ગ આજે ય એવું માને છે કે એરપોર્ટ પર જે જડતી લેવાય છે કે કપડાં ઉતરાવીને ચેકીંગ થાય છે અને શાહરુખખાન જેવાને ય છોડતા નથી કે હમણાં ખુબ ગાજેલો ,પેલી કોન્સ્યુલેટની અધિકારિણીએ પોતાની કામવાળી બાઇને, અમેરિકાના ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવ્યો ન હોવા બાબતે જે હોબાળો મચ્યો એમાં યે, અમેરિકાના અધિકારીઓએ કશું જ ખોટું નથી કર્યું અને જે કર્યું છે તે એમના રુલ્સ-રેગ્યુલેશન્સ પ્રમાણે જ કર્યું છે એમ માનવાવાળો વર્ગ છે.

ભારતના અધિકારીઓ પણ આ જ રીતે કાયદા-કાનૂનનો આગ્રહ રાખે તો ઘણાં ગૂના ઓછા થઈ જાય.

(ગુજરાત ટાઇમ્સના એક અહેવાલને આધારે )

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.