એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 » January » 05

મારા દિલની વાતો

January 5th, 2014 Posted in મારા દિલની વાતો

મારી  મર્યાદાઓની  વાત   ( My Limitations )

મને કોમ્યુટર પર ગુજરાતીમાં લખવાનો ચસ્કો પડી ગયો છે.જેમજેમ હું ઝડપથી લખવા માંડું છું તેમ તેમ મને મઝા આવે છે.પ્રમુખ પેડ પર લખું,તેને ‘WORDS’ માં સેવ કરું અને પછી કટ.કોપી અને પેસ્ટની મદદથી ઇ-મેઇલમાં મિત્રોને મોકલું.બસ…કોમ્પુટર અંગેની મારી મઝા આટલી જ. અન્ય લેખકો /કવિઓની વેબ સાઈટ પર કે બ્લોગ પર જઈને કશું ય વાંચવું મને ના ગમે. કોમ્પ્યુટર પર ગીતો સાંભળવા કે નાટકો /ફિલ્મો જોવાની મારી વૃત્તિ જ નહીં. નાટકો સ્ટેજ પર ભજવાતા જોવાના. ફિલ્મો સિનેમા-થિયેટરોમાં જઈને પાંચ-પચાસ માણસો સાથે જોવાની અને છપાયેલા પુસ્તકો પલંગમાં સુતાં સુતાં કે સોફામાં બેસીને વાંચવાના મને ગમે.

કોમ્પ્યુટરની સામે બેસીને ઝળાંહળાં સ્ક્રીન પર કશું ય વાંચવું મને ઇરીટેટ કરે છે.મારી પત્ની પણ ઘડી ઘડી આવીને મને કોમ્પ્યુટર પરથી  ઉઠાડવા  ઘાંટા પાડતી હોય. પણ સાલુ આ કોમ્યુટર પર ઇ-મેઇલો વાંચવાનું અને તેના જવાબો ગુજરાતીમાં લખવાનું એક વળગણ ( Obsessionથઈ ગયું છે.

છેલ્લા ઘણા સમયથી હું , નવલિકા, લઘુનવલ કે કાવ્ય- કશું પણ સર્જનાત્મક સાહિત્ય લખી શક્યો નથી.૧૯૬૩થી ૧૯૬૬ ના સમયગાળા દરમ્યાન મેં કેટલાક કાવ્યો લખ્યા હતા એમ હું માનતો હતો. પણ જેમ જેમ હું મહાન કવિઓની ક્રુતિઓ વાંચતો અને સમજતો ગયો તેમ તેમ મને લાગ્યું કે મેં લખેલા એ કાવ્યો ન હતા પણ મારી ઊર્મિઓને વ્યક્ત કરતા, પ્રાસાનુપ્રાસ મેળવીને છોકરીઓને એ ઉંમરમાં એટ્રેક્ટ કરવા કે ઇમ્પ્રેસ કરવા બનાવેલા જોડકણા માત્ર હતા. આજે ય, મારા મિત્રો સમક્ષ, હું એ જોડકણા જેવા કાવ્યો રજૂ કરું છું અને પચાસ-પંચાવન વર્ષ પહેલાના મારા ‘પ્યાર’ની ગુલબાંગો ફેંકીને હું આનંદ મેળવું છું. પણ એને કાવ્યો કહેવાની મારી હિંમત નથી એટલે અમારી સાહિત્ય સરિતા જેવી સંસ્થાઓની મીટીંગ વખતે ચૂપ રહું છું.

૨૦-૨૨ વર્ષની વયે લખાયેલી ટૂંકી વાર્તાઓમાં, મારા નિષ્ફળ પ્રણયની અભિવ્યક્તિ જ હતી એવું અત્યારે આ ઉંમરે લાગે છે. કોઇ ગમી ગઈ કે એની સાથે થોડીક પળો વિતાવવા મળી હોય તો એની યાદો કાગળ પર ઉતારીને વાર્તા લખાઇ જતી અને  એ જમાનામાં, અશોક હર્ષ, પીતાંબર પટેલ,  ભગવતીકુમાર શર્મા, જેવા સાહિત્યકારોના પીઠબળથી, ‘ચાંદની’,’આરામ’, ‘મહેંદી’, ‘સવિતા’, મુંબઇ સમાચાર, જન્મભૂમિ, ‘શ્રીરંગ ડાયજેસ્ટ’, ‘સ્ત્રી’, ‘શ્રી’ જેવા સામયિકોમાં પ્રસિધ્ધ થતી. ‘નવચેતન’ ના સ્વ. શ્રી. ચાંપશી ઉદ્દેશીએ પણ મને ખુબ સાથ અને માર્ગદર્શન આપેલું અને એમના ખ્યાતનામ માસિકમાં, ગુજરાત અને મુંબઇના જાણીતા નાટ્યકલાકારો અને ગુજરાતી ફિલ્મ કલાકારોના ઇન્ટર્વ્યૂ  લેવાનું કામ સોંપેલું અને ૧૯૭૧-૭૨ના વર્ષોમાં, દરેક અંકમાં, મારી એ મુલાકાતોના અહેવાલ પ્રસિધ્ધ કરતા.

 બહોળા કુટુંબના જીવનનિર્વાહ માટે, મારી અલ્પ આવક પર્યાપ્ત ન હતી એટલે, બે છેડા ભેગા કરવા માટે, પોકેટબુકો લખવી શરુ કરેલી. ક્રાઉન૧૬ ની સાઇઝના ૯૬ પાનાંની દરેક પોકેટબુક માટે મને એ જમાનામાં સોએક રુપિયા મળતા. કેટલીક મારા પોતાના નામથી લખેલી. કેટલીક વિવિધ ઉપનામોથી લખાયેલી.  એ જમાનાના, ‘જયભારત પ્રકાશન’, ‘ગાઇડ પોકેટબૂક્સ’ ‘રુપાંગના પબ્લીકેશન્સ’, ‘મમતા પ્રકાશન’ જેવા નાના નાના પ્રકાશકો એ બધું છાપતાં. મારી આ પોકેટબૂક્સ કોઇ સાહિત્યીક ગુણવત્તા ધરાવતી લઘુનવલો ન હતી, પણ એસ.ટી.માં, ટાઇમ પાસ કરવા માટે વંચાતી, રોમેન્ટીક પ્રણયકહાણીઓ હતી એવું આજે સમજાય છે. પણ લોકોને એ ગમતી અને મારી છાપ રસિક મહેતા કે કોલકની કક્ષાની છે એમ કહેવાતું. એ જમાનામાં, આજની ખ્યાતનામ લેખિકા કાજલ ઓઝા-વૈદ્યના પિતાશ્રી દિગંત ઓઝા, સ્વરુપ સેક્સ ક્યોરવાળા ડોક્ટર સ્વરુપ ( સાચું નામ રામસ્વરુપ શર્મા ), અસગર  ભાવનગરી, મારા મિત્રો હતા.

મારી છપાયેલી ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ, મૂળશંકર મો. દવે એ, ભારતી સાહિત્ય સંઘ નામની પ્રકાશન સંસ્થાના નેજા હેઠળ, ‘પરાઇ ડાળનું પંખી’ ૧૯૭૧માં પ્રસિધ્ધ કરેલો. એ એક ઉલ્લેખનિય સિધ્ધી ગણું છું.

સેક્સ-વિષયક છપાયેલી વાર્તાઓના પણ ચારેક વાર્તાસંગ્રહો નાના નાના પ્રકાશકોએ છાપેલા. પણ એનું સાહિત્યિક મૂલ્ય ન હોવાને કારણે આજે મને એનો ઉલ્લેખ કરવો ગમતો નથી. જો કે, આજે મેં એ બધું સાચવી રાખ્યું છે, કારણ કે ગમે તેમ પણ મારું તો એ સર્જન છે. મારા ‘સંતાનો’ છે એ પુસ્તકો. ખુબ અંગત રસિક મિત્રો ક્યારેક એ વાંચવા લઈ જાય છે, પણ સમયસર  પરત નથી કરતા એટલે મારો જીવ ઉંચો રહે છે અને હું કોઇને પણ વાંચવા આપવાનું ટાળું છું.

આજે, ૨૦૧૪ના જન્યુઆરિમાં, માત્ર કોમ્યુટર પર ગુજરાતીમાં લખવાનો આનંદ હું માણું છું.

સાહિત્ય શિબિરોમાં, મૂક શ્રોતા તરીકે સાંભળું છું. શક્ય હોય ત્યાં સુધી ચૂપ રહેવું પસંદ કરું છું.આટલા વર્ષોમાં વિવિધ સંસ્થાઓ સાથે માત્ર એક વોલન્ટીયર તરીકે જ કામ કર્યું છે. ‘પ્રેસિડેન્ટ’, ‘સેક્રેટરી’ ‘ટ્રેઝરર’ ‘ટ્રસ્ટી’ જેવા રુપાળા પદનો મોહ ક્યારેય રાખ્યો નથી. કોઇ ઇલેક્શન્સમાં ઉભો રહ્યો નથી.

મેં ખુબ નાટકો જોયા છે. નાટ્યકલાકારોનું આતિથ્ય માણ્યું છે. નાટકોના અવલોકનો લખ્યા છે. આજે ય, અમદાવાદ જઈશ ત્યારે પણ મારી દરેક સાંજ તો ઠાકોરભાઇ દેસાઇ હોલ પર જ વિતાવવાની છે.

ઉંમરને કારણે, શરીરના અંગોની કાર્યક્ષમતા ઘટવા લાગેલી હું અનુભવી શકું છું. અશક્તિ વર્તાય છે. બાલાશંકર કંથારુયાની  ગઝલ ‘ગૂજારે જે શીરે તારે’ની પંક્તિઓ હર પળે યાદ આવે છે અને એ રીતે જીવન ગોઠવવાનો પ્રયત્ન કરું છું.

મંદીરો, મૂર્તિપૂજા, દેવસ્થાનોની મુલાકાતો જેવી બાબતો પ્રત્યે મને આસ્થા નથી. પત્નીની લાગણી ન દુભાય એટલા ખાતર એને એ બધી બાબતોમાં સાથ આપું છું.

મૃત્યુ પછી મારા દેહને હોસ્પિટલમાં દેહદાન કરવાની મારી ઇચ્છા છે,પણ મારી પત્ની એમ નહીં કરે એની મને ખાત્રી છે. છતાં, જો મારા અવસાન પહેલાં મારી પત્નીનું અવસાન થાય તો ચોક્કસપણે,આ શરીરનું દેહદાન કરવા અંગે મેં વીલ કરેલું છે.

જો કે આજે ય, ચશ્મા વગર હું કાર ચલાવી શકું છું, રાત્રે પણ ડ્રાઇવ કરું છું, લાયબ્રેરીમાં ચાર ચાર કલાક બેસીને પુસ્તકો વાંચું છું, ફિલ્મી મેગેઝીનોની ચટાકેદાર વાનગીઓનો રસાસ્વાદ કરી શકું છું. ફિલ્મોના રોમેન્ટીક દ્ર્ષ્યો જોતાં જોતાં, ‘મુંગેરીલાલકે સપને’ નો અનુભવ કરું છું. યુ નો વોટ આઇ મીન !!  દર અઠવાડીયે થિયેટરમાં બેસીને મૂવી જોઉં છું. મોડી રાત સુધી પત્નીના સાથમાં, ઝી ટીવીની સિરીયલો અને ક્યારેક ડીવીડી પર, પસંદગીના મૂવી જોઇએ છીએ. ડાઉન ટાઉનમાં, વર્ધમ થિયેટર કે જોન્સ હોલ જેવા વિશાળ હોલમાં કોન્સર્ટ્સનો આનંદ માણું છું. ચાર-છ બ્લોક્સ ચાલીને રસ્તા ક્રોસ કરું છું. ( અમદાવાદમાં એવું કરવાની મારી હિંમત નથી ). એટલે હજી હું કાર્યશીલ તો છું જ. માત્ર કોઇ નવું ‘સાહસ’ કરવાની મારી શક્તિ નથી. એ થ્રીલ, એ એક્સાઇટમેન્ટ, એ રોમાંચ હવે રહ્યા નથી એટલું જ. ‘ નિશાળેથી નીકળી, જવું પાંસરા ઘેર’….શ્રીરામ..શ્રીરામ…

બે વર્ષ પછી, જિન્દગી હશે તો, નવીન બેન્કર એના આયુષ્યનો ‘અમૃત-મહોત્સવ’ (૭૫) ઉજવવા ભાગ્યશાળી બનશે.

નવીન બેન્કર   ૫ જાન્યુઆરિ ૨૦૧૪.

 

 

કવયિત્રી પન્ના નાયકનું એક કાવ્ય

January 5th, 2014 Posted in સંકલન્

પન્ના નાયકનું એક  ગીત

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,

રંગની લીલા જોઇને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર, એમાં નૌકા શ્વેત,

સમજું નહીમ કે ચાંદ ઉગે કે ઊગતું કોઇનું હેત.

આજ તો મારી સાવ સુંવાળીઃ લીલીમલીલી કાલ,

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઇને, ડોલતો રહે હરિયાળું,

મનમાં હવે કયાંય નથી કોઇ કરોળીયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઇ તો વહાલમવહાલ,

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

( કાવ્યસંગ્રહવિદેશિનીમાંથી)

-‘દેશવિદેશના રજતજયંતિ સંમેલન વિશેષાંક૨૦૦૬માંથી સાભાર

હ્યુસ્ટનમાં બેન્કર ફેમિલીએ ઉજવી લગ્નની ગોલ્ડન જ્યુબિલી

January 5th, 2014 Posted in અહેવાલ

                                 હ્યુસ્ટનમાં બેન્કર ફેમિલીએ ઉજવી લગ્નની ગોલ્ડન જ્યુબિલી      

 ( Courtsey- Devika Dhruva ) 

Navin & Kokila Banker celebrated their GOLDEN JUBILY of Happy Married Life  On April 20, 2013  at Bhojan Restaurant with close Family and Nearest Friends. 

Houstonian  Mr. Navin Banker is a Gujarati writer, Free-Lancing Journalist, Good Orator, Drama Artist  and Critic of Dramas. His 13 pocket book Romantic Novels, 5 Collections of Short Stories, more than 200 Short Stories,  about 50  Reports on Drama, and so many Reports on various Social ,Cultural and religious activities of Houston have been published in Gujarati Language.

Mr. Navin Banker is also a recepient of Spirit of Tagore Award  from The Tagore Society of Houston and India Culture Center. The awrd was given by Consul General  of India, Shri. Sanjiv Arora on 15th August 2010 at George Brown  Convention Center of Houston. Shri. Navin Banker is residing in Houston since 1985. He is a regular contributor of Gujarat Samachar, Sandesh, Gujarat Times, Naya Padkar etc. published from New York. 

Mr. Banker is a member of  Indian Senior Citizens Association of Houston since 1992. He is affiliated with Gujarati Sahitya Sarita of Houston since it’s inception. 

Mr. Chiman Patel( ‘CHAMAN’), Mr. Nuruddin Darediya and Mr. Prashant Munsha presented poems and Virendra Banker presented comedy skit to entertain the audience.Dr. Kokila Parikh, a well-known Gynecologist had presented Gamthi Ramayan in peculiar comedy way and entertained audience. Dr. Brindesh Dhruv and his beautiful wife Rupal presented  filmi dance of Silsila which invitees enjoyed the most. 

The entertainment programme  was arranged by family members only.  Master of ceremony was  Devika Dhruva and Azad Radio of Dallas fame Radio Jokie Sangita Dharia who is  known as Svarkinnari of Texas  had sung many many Hindi songs in her melodius voice. Virendra Banker  had presented some songs of Mukesh & Kishorkumar. Youngsters had also presented variety of programmes.

Other singers were Prakash Parikh, Suvin Banker, Brindesh Dhruv and Sushma Shah. 

Mr. Navin Banker was born in small village of Gujarat Sate in India. He is B.Com with Advanced Accounting and Auditing from Gujarat University in 1962. He served as Govt. Auditor in Accountant General’s Office  for 26 years  in India. He was working  with Dr. Kokila Parikh-A well-known  Obstretrician and Gynecologist of Houston for 18 years as  Accounts Manager. 

Mr. Navin Banker observes and explodes the triumphs and tragedies, Success and Sufferings, Problems and Pains, Struggles and Stresses of Asian-Americans which are reflected in his articles. He also interviewed many   Hindi Film  Actors-Actresses and  Gujarati  Drama Artists. 

He married  Kokila  Shah on May 13, 1963 and he is completing 50  years  of  his Happy Married Life  on May 13, 2013. He celebrated this occasion early by three weeks due to Non-Availibility of  Party-Hall. 

About 160 people enjoyed the delicious  vegetarian food  served by  Bhojan Restaurant. 

We wish Mr. Navin Banker and Kokila Banker, a Happy and Healthy Long Life.

 

 

 

‘બડે લુચ્ચે લગતે હો’ – નાટ્ય-અવલોકન

January 5th, 2014 Posted in અહેવાલ

નાટ્ય-અવલોકન- બડે લુચ્ચે લગતે હો

કલાકારો- રુપા દીવેટિયા, મલ્લીકા શાહ, નિમેષ શાહ, માર્ગી કુલકર્ણી,જિગ્નેશ મોદી. 

૨૯ માર્ચે, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, નિમેષ શાહ પ્રોડક્શનનું, મલ્લિકા શાહ નિર્મિત, નેશનલ પ્રમોટર પરિમલ બુટાલા અને હ્યુસ્ટન ખાતેના લોકલ પ્રમોટર શ્રી. વિરેન્દ્ર દેસાઇ પ્રસ્તુત આ નાટક ભજવાઇ ગયું.

મુખ્ય ભૂમિકામાં, ‘કુસુમ‘,’કસૌટી જિન્દગીકી‘,’બ્યાહ હમારી બહુકાજેવી ખ્યાતનામ સિરીયલોથી ફેમસ થઈ ગયેલા રુપા દિવેટીયા જુવાન દીકરા-દીકરીની માતાની ભૂમિકામાં, ભારતિય કુટુંબના સંસ્કાર અને પરંપરાને જાળવે એવા સંવાદો પૂરેપૂરા ભાવથી સંભળાવે છે. માતાના પાત્રમાં હોવાં છતાં, એ કોઇ  ધોળા વાળ કે વાંકી વળી ગયેલી ડોશી દેખાતા નથી. ઓન ધ કોન્ટ્રરી, પુનર્લગ્ન માટે તૈયાર એવી વિવિધ વસ્ત્રપરિધાનમાં સુંદર દેખાતી પ્રૌઢા જેવો ઠસ્સાદાર અભિનય કરે છે. પતિ અને પત્નીના ટૂચકાઓથી નાટકની શરુઆત થાય છે. પત્નીથી દબાઇ ગયેલા કહ્યાગરા કંથની ભૂમિકામાં નિમેષ શાહ શ્યામલના પાત્રમાં તડાફડી બોલાવી દે છે.

નાટકના લેખક નિમેષ શાહ અને મલ્લિકા શાહ આ અગાઉ હયુસ્ટનમાં રોક ઓન ફઈબા‘, મારી બાયડી,ભારે વાયડી‘, ‘પત્ની નચાવે,ભગવાન બચાવેજેવા કોમેડી નાટકો લઇને આવી ચૂક્યા છે.માર્ગી કુલકર્ણી પણ મીસીસને માથે બેસાડી રાખોનાટકમાંના એમના અભિનયને કારણે જાણીતું નામ છે. પણ આ નાટકમાં એમનું પાત્ર સહાયક જેવું ગૌણ છે એટલે એમને હાજરી પુરાવવા સિવાય કશું કરવાનું રહેતું નથી.રુપાળી પત્ની પ્રિયા (મલ્લિકા શાહ) ઘરના બધા કામો કહ્યાગરા કંથ શ્યામલ ( નિમેષ શાહ) પાસે અને સાસુમા સુશીલાબેન (રુપા દિવેટિયા) પાસે કરાવતી રહે છે. દીકરા-વહુની સાન ઠેકાણે લાવવા સુશીલાબેન, પોતાના મિત્ર ભદ્રેશ ઉર્ફે ભોપલાની ( જિગ્નેશ મોદી) મદદથી પુનર્લગ્નનું નાટક કરે છે અને બાળકોને પોતાની ભૂલ સમજાવે છે. 

રુપા દીવેટિયાને મુખે બોલાયેલા સંવાદો એ આ નાટકનું હાર્દ છે. નાટકમાં બીનજરુરી ટૂચકાઓ અને ઉખાણાઓની ભરમારને કારણે નાટક ક્યાંક ક્યાંક પકડ ગુમાવી બેસે છે અને કંટાળાજનક બની જાય છે.છતાં, લેખક-કલાકાર નિમેષ શાહ એની રજૂઆતથી સંકલન કરી શક્યા છે. સંન્નિવેશ, પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીત નભી જાય એવા છે. જાણીતા  હિન્દી ફિલ્મી ગીતોની ધૂનો પર ઠૂમકા લગાવવાનું હવે તો લગભગ બધા જ ગુજરાતી નાટકોમાં કોમન થઈ ગયું છે.. આ નાટકમાં પણ બધા જ કલાકારો પાસે જાણીતા આઇટમ સોન્ગ્સ પર કુલા મટકાવીને, ઠુમકા મરાવ્યા છે.

સેલ્સમેનના એક ગૌણ પાત્રમાં, શ્રી. પ્રદીપ મહેતા પણ હાજરી પૂરાવી ગયા. વિશાલ શાહનું પાર્શ્વસંગીત નભી જાય એવું છે.નાટકનો ટેમ્પો, છેક પ્રથમ અંકની સમાપ્તિ વખતે ભોપલા ( જિગ્નેશ મોદી)ના પ્રવેશ પછી જામે છે. બીજા અંકમાં તો જિગ્નેશ છવાઇ જ જાય છે.

આ એક એવું પ્રહસન છે કે જેનો મુખ્ય આધાર પાત્રાલેખન કે એવા બુધ્ધીગમ્ય તત્વોની અપેક્ષાએ કથાનકની કૃત્રિમ ગુંથણી અને પરિસ્થિતિઓનો લાભ લેવા પર વિશેષ છે.

ટૂંકમાં, ટૂચકાઓ, જોક્સ, ઉખાણાઓ, ઉપદેશો, સુત્રાત્મક સંવાદો ,ઠૂમકાઓ એ બધાની ભેળપૂરી એટલે બડે લુચ્ચે લગતે હો‘  નાટક.

 

નવીન બેન્કર ( હ્યુસ્ટન )

અન્નકૂટ ઉત્સવો અંગે

 અન્નકૂટ ઉત્સવો અંગે

મંદીરોમાં કરોડો રુપિયાના હીરા-ઝવેરાતના ખજાના અને અબજો રુપિયાની નોટોના બંડલો પડ્યા હોય છે..મંદીરને સોનાના કળશ ચડાવાય છે.. .કહેવાતા ભગવાનો, ગુરુઓ મર્સિડીસમાં,  ટોયોટા ગાડીઓમાં સફેદ વર્દીધારી ડ્રાઇવરો સાથે ફરે છે અને અમેરિકાની ટ્રીપો મારતા હોય છે. આ મંદીરોમાં અન્નકુટ યોજાય છે અને ભરેલા પેટવાળાઓ તે આરોગે છે અને પેટ ફુલાવે છે.

કોઇએ વિચાર્યું છે ખરું કે મંદીરોની પ્રાણપ્રતિષ્ઠા કરેલી  મૂર્તિઓમાં ખરેખર પ્રાણ હોય છે ખરા ? જો હોય તો સોળ સોળ વખત મહમદ ગઝનવીએ સોમનાથ લુંટ્યું ત્યારે મહાદેવજી કેમ ત્રિશુળ ઉપાડીને દોડ્યા નહીં ? પ્રાણપ્રતિષ્ઠા કરેલી પ્રભુની મુર્તિઓને, સિટીની પરમીટના અભાવે કેમ મહીનાઓ સુધી તાળા મારેલા દરવાજા પાછળ પુરાઇ રહેવું પડે છે ?

આ વીક-એન્ડમાં બધા મંદીરોવાળા પોતપોતાના મંદીરમાં અને શ્રધ્ધાળુ ભક્તો અને ભક્તાણીઓ પોતાના બંગલાઓમાં અન્નકૂટ-મહોત્સવો યોજશે અને ભરેલા પેટવાળાઓ  મીઠાઇઓ આરોગશે અને ભક્તિ કર્યાની ક્રુત્ક્રુત્યતા અનુભવશે…

( અલબત્ત, આ લખનાર  પણ પોતાની પત્નીની ધાર્મિક લાગણી ન દુખાય એ ખાતર એ અન્નકૂટોમાં જઈને, ખંજરી-કરતાલ વગાડીને સંગીતના તાલે ધૂણશે  અને અન્નકૂટોના મહાપ્રસાદને ટેસથી આરોગશે !!!!  

રાધે…રાધે..રાધે…

શ્રીરામ..શ્રીરામ…

અભિજીત સાવંત હ્યુસ્ટનમાં- ૧૩ મે ૨૦૧૨

January 5th, 2014 Posted in અહેવાલ

 

PRESS MATTER

યાદોંકી બારાત-                               અહેવાલ -નવીન બેન્કર

તારીખ ૧૩મી મે ૨૦૧૨ને રવિવારની રાત્રે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર (જૂના)માં ફર્સ્ટ આઈડોલ અભિજીત સાવંત ની નેતાગિરી હેઠળ યાદોંકી બારાતશિર્ષક હેઠળ, હિન્દી ફિલ્મોના જૂના ગીતોનો એક અતિસુંદર યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો.ખૂબસુરત યુવાન અભિજીત સાવંતે બ્લેક ડ્રેસમાં એન્ટ્રી મારીને એક અજનબીસે મુલાકાત હો ગઈ‘, હમેંતુમસે પ્યાર કિતના,યે હમ નહીં જાનતે‘,જેવા સદાબહાર ગીતોથી શરુ કરીને કિશોરકુમાર અને મન્ના ડે એ ગાયેલા જાણીતા ગીતોનો રસથાળ પિરસી દીધો.શ્રીકાંત નારાયણ નામના ગાયકે પણ મોહમ્મદ રફીના કંઠે ગવાયેલા ગીતો રજૂ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા-ખાસ કરીને શમ્મીકપૂરની ભૂમિકાવાળા રફીસાહેબના ગીતોએ તો શ્રોતાઓને પણ નાચતા કરી મૂક્યા હતા.દિપાલી સાઠે અને શ્રૂતિ રાણે નામની બે યુવાન ગાયિકાઓએ પણ લતા મંગેશકર અને આશા ભોંસલેના કંઠે ગવાયેલા જૂના ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.કવિતા નલવા નામની ઉંચી,ગોરી,પાતળી ખૂબસુરત યુવતિએ એંકર તરીકે દર્શકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.મીલીંદ દાભોલકરે ઇલેક્ટ્રીક ઓર્ગન પર,રીચાર્ડે ગીટાર પર, રવિ મોરે એ ઓક્ટોપેડ પર,સંતોષ મોરે એ ઢોલક પર અને શેખર સરફરે એ ડ્રમ પર સાથ આપીને સભાખંડને ગજવી દીધું હતું.સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે આઠના ટકોરે શરુ થયેલો કાર્યક્રમ બાર વાગ્યે પુરો થયો ત્યારે શ્રોતાઓ જૂની તર્જોને ગણગણતા વિખરાયા હતા.

આવો સુંદર બેમિસાલ કાર્યક્રમ રજૂ કરવા બદલ નેશનલ પ્રમોટર શ્રી. ચકુભાઇ અને લોકલ પ્રમોટર શ્રી. જગદીશ દવે  અભિનંદનના અધિકારી છે.

અહેવાલ -નવીન બેન્કર

 

બહેન સ્વરકિન્નરી સંગીતાને એક પત્ર

January 5th, 2014 Posted in મારા દિલની વાતો

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨

 

પ્રિય સંગી, 

આજે સવારના પહોરમાં, ઉઠતાંની સાથે જ ટીવી -ડીશ નેટવર્ક- પર, આજતક ચેનલ પર લતાજીઅંગેનો કાર્યક્રમ આવતો હતો, એ જોયો.લતાજીના ઘણાંબધાં જૂના ગીતો સાંભળ્યા. સતત તું જ યાદ આવ્યા કરી. જૂની પેઢીના સંગીતકાર ખેમચંદ પ્રકાશના ભાઇએ તારા માટે કહેલું વાક્ય મને યાદ આવ્યા કર્યું.

ખરેખર એ વાક્ય તદ્દન સાચું અને દિલથી બોલાયેલું લાગે છે.

કેટલાક ગીતો વખતે તો હું એટલો ભાવવિભોર થઈ જતો હતો કે મારી આંખમાંથી આંસુ સરતા હતા-શબ્દોના ભાવ માટે નહીં.પણ એ ગીત સાથે તારા અવાજની સરખામણી થવાથી. તારા અવાજમાં પણ એ જ મીઠાશ છે. કમનસીબે, એ દીશામાં આપણે કશું કરી શક્યા નહીં એના અફસોસને કારણે મને લાગી આવતું હતુ !  આજે ય ઘણાંને સાંભળીએ, કેટલાકના ગાયેલા ગીતોની ક્લીપીંગ્સ જોઇએ ત્યારે એમ થાય કે એ ગાયિકા સારુ ગાય છે, એને ઢાળ આવડે છે, પણ એના અવાજમાં અમારી સંગીતાના સ્વરની જન્મજાત મીઠાશ નથી. કદાચ, તારા અવાજ પ્રત્યેનો મારો પક્ષપાત પણ હોય.

એની વે….તને અવારનવાર યાદ કરું છું- દરેક સંગીતના કાર્યક્રમમાં.

કુશળતા ઇચ્છતો,

નવીન બેન્કર

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.