એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 » January » 04

અમારા પ્રસન્ન દામ્પત્ય-જીવનના ૫૦ વર્ષ-સુવર્ણજયંતિ મહોત્સવ

January 4th, 2014 Posted in મારા સંસ્મરણો

 

૧૩મી મે ૧૯૬૩

આજે ૧૩મી મે ૨૦૧૩ ને સોમવાર…વૈશાખ સુદ ત્રીજ..

એ જ તિથી..એ જ તારીખ …અને એ જ  વાર….વચ્ચે માત્ર પચાસ વર્ષનો સમય પસાર થઈ ગયોબાવીસ વર્ષનો છોકરો આજે બોત્તેર વર્ષનો બુઢ્ઢો થઈ ગયો જોશ..  ઉન્માદ પાગલપન..બધું ખત્મ થઇ ગયું……..

દિવસેપચાસ વર્ષ પહેલાં એક ગરીબ છોકરાના લગ્ન થયા હતાએના જેવી ગરીબ છોકરી સાથે

કોઈ વરઘોડો નીકળ્યો હતો..

કોઇ ફુલોથી શણગારેલી કાર હતી..

ઘરની સ્ત્રીઓ કોઇ બ્યૂટીપાર્લરમાં તૈયાર થવા નહોતી ગઇ..

સુશોભિત વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓનું વૃંદ લગ્નગીતો ગાતું ગાતું  વરઘોડાની પાછળ પાછળ ચાલતું નહોતું

વરરાજાએ સૂટ નહોતો પહેર્યો..ઘરના ધોયેલા  અને  રુડી ધોબણના હાથે ઇસ્ત્રી કરેલા સુતરાઉ સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પરિધાન કર્યા હતા.. ઘરના સભ્યો સહિત સાજનમાજનમાં પરાણે પચીસેક જાનૈયા હતા. સામે પક્ષે પણ એટલા માણસો કન્યાપક્ષે હતા.. એક તપેલામાંથી દૂધ કોલ્ડ્રીંક સર્વ કરાતું હતુ

કોઇ જમણવાર હતો.. અનેઉનાળાના ભરબપોરે કમોસમી માવઠુ થયું હતુંલગ્ન પતી ગયા પછી.

કદાચ કોઇએ કોમેન્ટ પણ કરી હોય– ‘ કુદરત પણ ચોધાર આંસુએ રડી રહી હતીઅને કોઇ સારો અર્થ લેનારે કહ્યું હોય-‘ કુદરતે ભરઊનાળે વરઘોડીયા પર અમીછાંટણા કરીને આશીર્વાદ આપ્યા હતા

દિવસે વહેલી સવારે સાંકડીશેરીની ઝુંપડીની પોળના છેકછેવાડેના ઘરમાં ચહલપહલ હતી..લલિતાપવાર જેવા સત્તાવાહી દાદીમા બૂમો પાડીને એમની વહુને કહેતા હતા– ‘અલી..જરા જલ્દી કરો..હમણા મ્યુનિસિસિપાલિટીનું પાણી બંધ થઈ જશે..જલ્દી જલ્દી નળો ભરી લે..નીચે ચકલી પર જઈને કપડાં ધોઇ નાંખો. આજે વધારે કપડાં ધોવા ના નાંખશો.’. પછી પોતે ઝટપટ સેવાવિધી પતાવી દીધી અને ઘરનાં અગિયાર માણસો માટેની રોટલીઓ માટે ઘઊંના લોટની કણકનો મોટો પેંડો બાંધવામાં મશગુલ થઈ ગયા હતા.

બપોરના બાર વાગતાંમાં તો ઘરનું બધું કામ પરવારીને  બધાં આગલા ખંડની ફર્શ પર, કશુંય પાથર્યા વગર લાંબા થઈને પડ્યા હતા. કોઇ બેન્ડવાજા વાગ્યા હતા.. કોઇ માઇક પર ગીતો ગવાયા હતા..

ચારેક વાગ્યાને સુમારે, બાબુકાકાની એમ્બેસેડર લઈને, ડ્રાઇવર  પરભુભાઈ આવી ગયા. ઘરના ચાર સભ્યો કારમાં ગોઠવાયા અને બાકીના પોતપોતાની રીતે ચાલતા ચાલતા કે રીક્ષામાં આસ્ટોડીયા, ખમાસા ચાર રસ્તા પાસે આવેલી, દશાનાગરની વાડીમાં પહોંચ્યા. કોઇ સાસુ નાક ખેંચીને પોંખવા વાળી નહોતીકોઇ સાળીઓ બૂટ સંતાડવાવાળી હતી. એકબીજા પર ફટાણા ગાઇને હસીમજાક કરનારા પણ હતાબન્ને પક્ષે વર અને કન્યાપક્ષની ખામીઓ પર ટીકા કરનારા ઘણાં હતાં.

હાય..હાય..છોકરો કારકુનની નોકરી કરે છે. એકસો એકસઠ રુપીયાનો પગાર અને અગિયાર જણાનો પરિવારછેનાની ચાર ચાર બહેનો અને એક ભાઈ, માબાપ, કાકા, વડસાસુ અને બે.. થઈને અગિયાર જણાનું પુરુ કરવાનું છે છોકરાએ. છોકરો ભણેલો છે બાકી’……વગેરે..વગેરે….

છોકરાપક્ષ વાળા પણ કહેતા-‘ છોકરીને મા નથી. બાપ ગાંડા જેવો છે..ભાઇબહેનો પણ નથીમામામાસી પણ નથી. છોકરી ,ફૈઓના ઘરના ટાંપાટૈયા કરીને બે રોટલી ખાઇને મોટી થઈ છે. ભણી યે નથી. આઠ ચોપડીનું ભણતર તે ભણતર કહેવાય ? બચારી વસ્તારીના ઘરના કામ કરી કરીને …..’ વગેરે..વગેરે

ગરીબ છોકરો અને ગરીબ છોકરીએ સંસાર માંડ્યોકોઇને ત્યારે એકબીજા માટે પ્રેમ કે આકર્ષણ જેવું હતું. એકબીજાના સ્વપ્ના નહોતા આવતા. સતત સહવાસમાં રહેવાના ઓરતા પણ નહોતા થતા. આખા દિવસની દૈનિક ક્રિયાઓમાંથી ફારેગ થયા બાદ, એક નાનકડી ઓરડીમાં, જમીન પર પાથરેલી ગોદડી પર, કોઇ ઉત્તેજના વગર ભેગા સુઇ જઈને શારીરિક સહવાસ કરીને, ઉંઘી જવાની આદત પડી ગઈ હતી. ફિલ્મોમાં દર્શાવાતા મધુરજનીના ઉત્તેજક દશ્યો કે પ્રેમાળ વાર્તાલાપ કે એવું બધું ક્યાંય હતું

હતી માત્ર શારીરિક જરુરિયાત….પરસ્પરનો પ્રેમ..લાગણી કશું હતું.. બધાનો  તો વખત વીતતાં, એકબીજાના સુખદુઃખમાં ભાગ લેતાં લેતાં, વર્ષો વિત્યા બાદ એહસાસ થયો. એક છત નીચે વર્ષો સુધી સાથે રહીને, એકબીજાના ગમાઅણગમાને જાણતા થયા. ક્યારેક લઢ્યાઝઘડ્યા, ક્યારેક રિસાયા, ક્યારેક અબોલા યે લીધા

પત્નીને, પિતાના અવસાન પછી, પિયર જેવું કાંઇ રહ્યું હતું પિયરનું ઘર કે માનો ખભો રડવા માટે હતો એટલે જાય તો પણ ક્યાં જાય ?

પતિ પણ સ્વભાવનો આકરો, ગુસ્સાવાળો, અન્ય રુપાળી સ્ત્રીઓના રુપમાં મોહ પામનારો એટલે પત્ની માટે કષ્ટદાયક પરિસ્થિતિ તો ઉભી થાય ! જીવનમાં એવા ઘણાં પડાવો આવ્યા જ્યારે લગ્નજીવન ખોરંભે ચડી જાય..

પણ એક વસ્તુ એવી હતી જેણે બન્નેને હંમેશાં જોડાયેલા રાખ્યા.

પત્ની જાણતી હતી કે એનો વર ભલે ગુસ્સાવાળો છે પણ લાગણીશીલ છે, દિલનો સારો છે  અને મને ક્યારેય છોડી નહીં દે.

પતિ પણ જાણતો હતો કે પત્ની જીદ્દી છે, ક્યારેક વાતને યોગ્ય રીતે સમજી શકતી નથી, પણ દિલની ભલી છે, ધાર્મિક છે, ખોટું કરે તેવી નથી, મને ખોટે રસ્તે જવા દે એવી નથી, લેવુમંત્રુ તો જરાય નથી. કોઇનું એક વાર ખાઇ આવે તો સામાને બે વાર ખવડાવે ત્યાં સુધી એને ચેન ના પડે. જીવનમાં હંમેશાં સંતોષી રહી છે. મારી હેસિયત બહારની કોઈ વસ્તુ ક્યારેય માંગી નથી. છેલ્લા થોડા વર્ષોથી, સાંભળવાની તકલીફને કારણે, ફિલ્મો કે નાટકો જોવામાં કે સિનિયર્સની મીટીંગો જેવા સ્થળે મને કંપની નથી આપતી પણ મને રોકતી પણ નથી અને હું ઘેર આવું ત્યાં સુધી , એકલી જમી પણ લેતી નથી.રાતના બાર કે એક વાગ્યા સુધી ભૂખી બેસી રહે પણ જમી ના લે.

મારી કોઇ ભૂલ થઈ જાય તો મને હક્કપૂર્વક લઢી નાંખે, બધાંના દેખતાં ખખડાવી નાંખે પણ પત્ની તરીકે નહીંમારીબકુતરીકેસંતાનના અભાવે, એનામાં પતિ પ્રત્યે પણ માતાનું વાત્સલ્ય ઉદભવે છે. નાના બાળકની, ભૂલ થતાં, એક માતા લઢે રીતે મને લઢે છે અને હું એના શબ્દો સામે નથી જોતો, એની લાગણી સમજું છું અને એની સાથે ઝઘડતો નથી.

જો કે, હજી મારા સ્વભાવની કમજોરીઓને કારણે હું એને અન્યાય કરી બેસું છું પણ એના પ્રત્યેની મારી લાગણીમાં ક્યારેય ઓટ નથી અવતી.

પચાસ વર્ષના લગ્નજીવનના ઘણાં બધાં સંભારણા, પ્રસંગો હજી હું લખવાનો છું. કેટલાક સત્ય પ્રસંગો તરીકે. અને જ્યાં જાહેરમાં સ્વીકાર કરી શકું એવી વાતો હશે તો એને કોઇ વાર્તા સ્વરુપે.

ગરીબ છોકરાએ સરકારી નોકરીમાં ૨૬ વર્ષ નોકરી કરી. કારકુનમાંથી સુપરવાઈઝર થયો અને ગવર્નમેન્ટ ઓડીટર તરીકે રીટાયર થયો. બહેનની સ્પોન્સર્શિપને કારણે અમેરિકા ગયા, ત્યાં પણ ૧૮ વર્ષ બહેનની ઓફીસમાં એકાઉન્ટ્સ મેનેજર તરીકે નોકરી કરી અને ૨૦૦૬માં  રીટાયર થયો. વિવિધ સોશ્યલ સંસ્થાઓમાં  વોલન્ટીયર  કામ કરીને , છાપાંઓમાં લેખો, વાર્તાઓ, વિવેચનો , અહેવાલો લખીને પ્રતિષ્ઠા મેળવી.

 અમેરિકાના એક જાણીતા શાકાહારી રેસ્ટોરન્ટમાં  લગ્નજીવનના પચાસ વર્ષની ઉજવણી કરી જેના અહેવાલો સ્થાનિક વર્તમાનપત્રોએ  ફોટાઓ સાથે છાપ્યા.

માનવી કશું નથીસમય બળવાન છે. તમે જેની કલ્પના પણ ના કરી હોય એવી તકો ઉભી થઈ જાય અને તમે ક્યાંના ક્યાંય પહોંચી જાવ.   તકદીર અને સમયના ખેલ છે બધા.

એક વાત તો ચોક્ક્સ કે  ભલે તમે પ્રેમ કર્યા વગર લગ્ન કર્યા હોય પણ એક છત નીચે પચાસ પચાસ વર્ષ સાથે વીતાવ્યા હોય, એકબીજાના સુખદુઃખમાં  ભાગ લીધો હોય અને પરસ્પર માટે આદર ધરાવતા હો, તો તમે એકબીજાને પ્રેમ કરો છો. ભલે, આપણે શબ્દો દ્વારાઆઇ લવ યૂના કહ્યું હોય !- જીવનમાં લપસી પડવાના નાનામોટા છમકલા થયા હોય તો પણ ગનીમત , .કે ?

નવીન બેન્કર

 

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) યોજ્યુંપ્રથમરાષ્ટ્રિયઅધિવેશન ( National Convention )

 

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) યોજ્યુંપ્રથમરાષ્ટ્રિયઅધિવેશન  ( National Convention ) 

અહેવાલ અને તસ્વીરો–  શ્રી. નવીન બેન્કર              

હ્યુસ્ટન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) તારીખ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ને શનિરવિના વીકએન્ડમાં, ભારતિય મૂળના સિનિયરો માટે એક ઐતિહાસિક એવા પ્રથમ રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન કર્યું હતું અને તેને સુંદર રીતે સફળ પણ બનાવ્યું. લગભગ ૭૫૦ સભ્ય  સંખ્યા ધરાવતું સિનિયર્સ મંડળ છેલ્લા ૨૭ વર્ષોથી હ્યુસ્ટનમાં કાર્યરત છે અને સિનિયર્સ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અમેરિકાના કોઇપણ શહેરમાં આટલી મોટી સભ્ય સંખ્યા ધરાવતું અને આટલું જૂનુ સિનિયર્સ મંડળ નથી. છેલ્લા થોડા વર્ષોથી, ટેક્સાસ રાજ્યના ચાર મુખ્ય શહેરોના (હ્યુસ્ટન, ડલાસ, ઓસ્ટીન અને સાન એન્ટોનિયો ) સિનિયર્સ મંડળો પોતપોતાના શહેરમાં, રાજ્યકક્ષાએ આવા અધિવેશનો યોજતા આવ્યા છે. પણ, નેશનલ લેવલે, સમગ્ર અમેરિકામાંથી સિનિયર્સને આમંત્રીને કન્વેન્શન કરવાનું બીડુ તો હ્યુસ્ટને પ્રથમ વાર ઉઠાવ્યું છે. ટેક્સાસના ચાર સ્ટેટ ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક સિનિયર્સ પોતપોતાના ખર્ચે, અધિવેશનમાં ભાગ લેવા આવ્યા હતા એમ અધિવેશનના સ્વપ્નદ્રષ્ટા અને  ISCA ના પ્રેસિડેન્ટ શ્રી. લલિતભાઇ ચિનોયે જણાવ્યું હતું. બન્ને દિવસ સવારના નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીના ભરચક કાર્યક્રમોમાં, લગભગ ૯૦૦ ઉપરાંત સિનિયરોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનુ સંચાલન શ્વેતા અરોરાએ સંભાળ્યું હતુ. અમેરિકન રાષ્ટ્રીય ગીત અને ભારતીય રાષ્ટ્રીય ગીત ગાઇને કાર્યક્રમની શરુઆત થઈ હતી. ભાવાવેશથી ગદગદિત થઇ ગયેલા શ્રી. લલિત ચિનોયે, ગળગળા અવાજે હાજર રહેલા સર્વે સભ્યોને આવકાર આપતાં,આભાર માન્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન કોન્સુલ જનરલ શ્રી. હરીશ પાર્વથાનેની ના પ્રાસંગિક પ્રવચન પછીસ્ટેફોર્ડ મેયર શ્રી.લિયોનાર્ડ સ્કારસેલા, જજ એડ એમ્મેટ, જેવા મહાનુભાવોએ પ્રાસંગિક આવકાર વચનો કહ્યા હતા.

સિટી કાઉન્સીલ મેમ્બર્સ શ્રી. હરીશ જાજૂ, સુગરલેન્ડના શ્રી. હિમેશ ગાંધી,સ્ટેફોર્ડના શ્રી. કેન મેથ્યુ અને કોંગ્રેસમેન શ્રી. અલ ગ્રીનના રીપ્રેઝન્ટેટીવ શ્રી. સામ મરચંટે પણ  હાજરી આપી હતી.

ગુજરાતના ચીફ મીનીસ્ટર અને ૨૦૧૪ની ભારતની ચૂંટણીમાં બીજેપીના સત્તાવાર રીતે પ્રાઇમ મીનીસ્ટર તરીકે પ્રોજેક્ટ થયેલા શ્રી. નરેન્દ્ર મોદીનો શુભ સંદેશો પણ  ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઓબામા હેલ્થકેર તરીકે ઓળખાતા એફોર્ડેબલ હેલ્થકેર એક્ટની અસરો અંગે, વોશીંગટન ડી.સી. માં, ડીપાર્ટમેન્ટ ઓફ લેબરમાં કાર્યરત એવા શ્રી. પરાગ મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી આપી હતી.

પ્રવચનોના દૌર પછી, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના વિદ્યાર્થીઓએ ભાંગડા નૃત્ય અને ઓસ્ટીન ગ્રુપે ગરબાલોકનૃત્યોની રમઝટ મચાવીને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.

બપોરે લંચ પછી, હ્યુસ્ટન ISCA ના પ્રેસિડેન્ટશ્રી. લલિતભાઇએ અન્ય શહેરોના સિનિયર્સ મંડળોના પ્રેસિડેન્ટોનો પરિચય આપ્યો હતો અને તેમના વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

શ્રી. રમેશ ભુટાડાના પ્રવચન પછી, ‘ Sing for Seniors Talent Hunt’ ના ઉપક્રમે શ્રી. સુરેન્દ્ર તલવાર અને શ્રી. રવિ અરોરા આયોજિત સંગીત સ્પર્ધાના છેલ્લા ચાર સ્પર્ધકો વચ્ચે ફાઇનલ સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી, જેમાં શ્રી.મહેન્દ્ર કોરવીને પ્રથમ નંબરે આવેલા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે અન્ય બે પ્રતિસ્પર્ધીઓશ્રીમતી પુષ્પા દેસાઇ અને ૮૪ વર્ષની વયના શ્રી. તૈયબજીને પણ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.

હિન્દુ સ્વયંસેવક સંઘના ઉત્સાહી, તરવરીયા વિદ્યાર્થીઓએ સ્વામિ વિવેકાનંદના જીવન અને કવન અંગેની એક નાનકડી સ્કીટ પણ રજૂ કરી હતી. હ્યુસ્ટનના ઇસ્માઇલી ગ્રુપના  લોકલ ગાયકો દ્વારામટકી બેન્ડનો એક અતિ કર્ણપ્રિય અને નયનરમ્ય કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જે. વી. બી. પ્રેક્ષા મેડીટેશન સેન્ટરે પણઆઓ ખુશીયોં કે ફુલ ખિલાયેંરજૂ કરીને પ્રેક્ષકોને મુગ્ધ કરી દીધા હતા.

સાંજે સાત વાગ્યે ડીનર પછી, પ્રસંગે ખાસ અમદાવાદથી બોલાવાયેલા  શ્રી.અતુલ બ્રહ્મભટ્ટે ગઝલોનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. શ્રી. અતુલભાઇએ જગજીતસિંહની ગઝલો ઉપરાંત અન્ય ગાયકો દ્વારા ગવાયેલી તેમજ કેટલીક ફિલ્મી ગઝલો અને ગુજરાતી સુગમ સંગીતની કેટલીક સદાબહાર રચનાઓ રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી મૂક્યા હતા. તેમને તબલા પર શ્રી. ડેક્ષટર રઘુ આનંદ અને કીબોર્ડ પર શ્રી.કમાલ હાજીએ સાથ આપ્યો હતો.

આખા દિવસના કાર્યક્રમો ઉપરાંત, વિવિધ રુમોમાં સિનિયરોને ઉપયોગી એવા સેમિનારો તો ખરા . હાડકાને લગતા રોગો અંગે ડોક્ટર વિશાલ શાહનો વાર્તાલાપ, સોશ્યલ સિક્યોરિટી, રીટાયરમેન્ટ બેનીફીટ્સ, સપ્લીમેન્ટરી ઇન્કમ, લોન્ગ ટર્મ કેર, જેવા વિષયોના વાર્તાલાપોનો પણ રસ ધરાવનાર સિનિયરોએ લાભ લીધો હતો.

આમ, સવારના નવ વાગ્યાથી શરુ થયેલા આજના પ્રથમ દિવસના કાર્યક્રમો રાતના અગિયાર વાગ્યે વિરામ પામ્યા હતા.

કન્વેન્શનનોબીજોદિવસએટલેકે૧૫મીસપ્ટેમ્બર૨૦૧૩

કન્વેન્શનના બીજા દિવસની શરુઆત એક કલાકના યોગા કાર્યક્રમથી. થઇ.પછી બાર વાગ્યા સુધી સેમિનાર્સ. ‘ફેડરલ ઇન્કમટેક્સ’,ડીસએબિલીટી બેનીફિટ્સ,મેડીકેર અને મેડીકેઇડ,’વીલ, ટ્રસ્ટ અને એસ્ટેટ પ્લાનીંગ’, જેવા વિષયો પરના સેમિનાર્સ , સેમિનાર્સ માટેના રુમોમાં યોજવામાં આવ્યા હતા. ડોક્ટર આલોક કાલિયાએ ડાયાબિટીસ અંગે મનનીય પ્રવચન કર્યું હતું. હ્યુસ્ટનના જાણીતા અને માનીતા ડોક્ટર સુબોધ ભુચરે રમુજી વાતો કરી કરીને શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા.

બપોરે લંચ પછી, હ્યુસ્ટનના સિનિયરોએજામુન કે પેડનામનું એક સુંદર હેતુલક્ષી નાટક રજૂ કર્યું હતું. સચિવાલયના પ્રાંગણમાં એક જાંબુનું ઝાડ પડી જાય છે અને તેની નીચે એક મુફલીસ કવિ દબાઇને પડ્યો છે, જે મદદ માટે બુમો પાડે છે. ઇન્ડીયન બ્યુરોક્રસી કેવી રીતે કામ કરે છે તેના પર કટાક્ષ કરતા નાટકમાં, વિવિધ ડીપાર્ટમેન્ટો અને તેના લીડરો કેવી રીતે કેસને હેન્ડલ કરવામાં ટાઇમ વેડફે છે અને પેલો કવિ મૃત્યુ પામે છે એવી વાત હળવી રીતે કહેતા નાટકમાં મુખ્ય રોલ કરનાર બીનગુજરાતી કલાકાર શ્રી. વિભાસ ધુરંધરે ઉત્તમ અભિનય કર્યો હતો. ઇસ્માઇલી ગ્રુપના શ્રી. ફતેહ અલી ચતુરે નાટકનું દિગ્દર્શન કર્યું હતું.

સા રે માથી જાણીતા થયેલા અને એવોર્ડ વિજેતા શ્રી. સલિલ ભાડેકર અને  ડોક્ટર માનિક જોશીએડેક્ષટર રઘુ આનંદ અને કમાલ હાજીના સથવારે ગીતસંગીતનો એક અતિસુંદર કાર્યક્રમ પ્રેક્ષકોને પીરસ્યો હતો.

ઓસ્ટીન ગ્રુપના સિનિયરોએઠાકુર રંગલા સાથેઅનેમુંબઈ અને સુરતની શાકવાળીની સ્કીટ રજૂ કરીને પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યું હતું. ડલાસ ગ્રુપેકબીરવાણી, લોકગીતો અને કાઠિયાવાડી દુહાનો મ્યુઝિકલ કાર્યક્રમ રજૂ કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા હતા. ગરબા, એવોર્ડ્સ સેરીમની અને ડીનર પછી ફરી એક વખત અમદાવાદથી ખાસ પ્રસંગે આવેલ સંગીતકાર અતુલ બ્રહ્મભટ્ટે પ્રેક્ષકોને સ્ટેજ પર આમંત્રણ આપીને ગરબાના તાલે નચાવ્યા હતા અને રાત્રે અગિયાર વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

બન્ને દિવસના ચારે ટંકના સ્વાદીષ્ટ ભોજન  તથા ચાહનાસ્તાની જવાબદારી હ્યુસ્ટનના મદ્રાસ પેવેલિયનના સંચાલકો શ્રીમતિ અલ્પાબેન શાહ અને મહેશભાઇ શાહે  સફળતાપુર્વક સંભાળી હતી.

આટલા મોટા પ્રોજેક્ટને સફળતાપુર્વક પાર પાડવા માટે હ્યુસ્ટન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના કુશળ અને બાહોશ પ્રેસિડેન્ટ શ્રી. લલિત ચિનોય, કમીટી મેમ્બર્સ શ્રી. રવિ અરોરા, અરવિંદભાઇ પટેલ, શ્રી. સુધીર મથુરિયા, નિતીન વ્યાસ, દેવેન્દ્ર પટેલ ,શ્રી. અરુણ બેન્કર, શ્રી. વિનય વોરા, ટ્રસ્ટી શ્રીમતી સુધાબેન ત્રિવેદી, અને બીજા ઘણાં નામીઅનામી કાર્યકરો, શુભેચ્છકો, સ્પોન્સર્સ, ડોનર્સ વગેરે છેલ્લા માસથી ખુબ મહેનત કરી હતી. પ્રસંગે એક યાદગાર સોવેનિયર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેને માટે શ્રી. લલિતભાઇ અને  શ્રી.રવિ અરોરાએ એકલે હાથે ,દોડાદોડી કરીને , ખુબ જહેમત ઉઠાવી હતી 

અહેવાલ અને તસ્વીરો–  શ્રી. નવીન બેન્કર              

ચંદુલાલ સેલારકાનું દુઃખદ અવસાન

January 4th, 2014 Posted in મૃત્યુ વિષયક

ચંદુલાલ સેલારકાનું દુઃખદ અવસાન

ચંદુલાલ સેલારકાના દુઃખદ અવસાનથી મને અંગત રીતે ખુબ દુઃખ થયું છે. હું એમને ૪૫ વર્ષથી ઓળખું.એમની નવલકથા હૈયાને દૂર શું ? નજીક શું ?’ અને ફરી મળાય, ન મળાયવાંચીને અમે-એટલે કે હું અને મારા શ્રીમતીજી કોકિલા-એમના ભક્ત બની ગયા હતા. પછી તો એમની ઘણી ટૂંકી વાર્તાઓ પણ અમે સામયિકોમાં અવારનવાર વાંચીએ અને એમને પત્રો લખીએ. એ પણ દરેક પત્રનો જવાબ પ્રેમપુર્વક લખે. સ્વ.ચાંપશીભાઈ ઉદ્દેશીના નવચેતનમાં હું  નાટ્યકલાકારોની મુલાકાતો લખતો ત્યારે, ૧૯૭૧ કે ૧૯૭૨માં હું અને મારા પત્ની એમના ઘાટકોપરના નિવાસસ્થાને એમને મળવા ગયેલા અને એમનું આતિથ્ય માળેલું. એ ગાળામાં, મારી કેટલીક ટૂંકી વાર્તાઓ ચાંદની‘, આરામ, મહેંદી, કંકાવટી, સ્ત્રી, શ્રી  શ્રીરંગ ડાયજેસ્ટ જેવામાં પ્રસિધ્ધ થઈ ચૂકેલી. થોડીક પોકેટબૂકો પણ છપાયેલી. એના એડલ્ટ થીમને કારણે ચર્ચાસ્પદ પણ થયેલી. એમણે એના અનુસંધાનમાં મને કેટલીક શીખ પણ આપેલી અને પોતાની સાહિત્યયાત્રાની ઘણી વાતો પણ કરી હતી. વ્યક્તિગત રીતે, એ મારી પ્રથમ અને છેલ્લી રુબરુ મુલાકાત. પણ ફોન પર અમે ઘણીવાર વાતો કરતા.

હમણાં મહીનામાસ પહેલાં, મુંબઇના મારા સાહિત્યકાર મિત્ર ચંદ્રકાંત સંઘવી હ્યુસ્ટન આવેલા ત્યારે પણ એમના વિશે વાત થયેલી અને પછી, મેં હાસ્યલેખક શ્રી. અશોક દવે તથા રજનીકુમાર પંડ્યાને ઇ-મેઇલ લખીને એમના સમાચાર પુછેલા. એ બન્ને મિત્રોના પ્રત્યુત્તર આવી જતાં, મેં ચંદુભાઇને  ઘેર ઘાટકોપરમાં ફોન કરીને એમની સાથે ખાસ્સી લાંબી વાતો કરી હતી.  એમણે એમના પત્ની રંજનબેન, પુત્રવધુ અલ્પાબેન એમના બાળકો, બે દીકરા, દિશા, મિહિર,ઉજાસ વિનોદીની બધાંની ખુબ ખુબ વાતો કરી હતી. મેં એમનું ઇ-મેઇલ એડ્રેસ માંગ્યું, તો કહે, હું તો ઇ-મેઇલ વાપરતો નથી. પણ અમેરિકામાં નવીન વિભાકર નામના નવલકથાકાર રહે છે તેમની સાથે મારો સારો પરિચય છે.એમના હોટ્મેઇલના એડ્રેસ પર મને ઈ-મેઇલ લખીને મારા સમાચાર મેળવતા રહેજો. એમના પ્રથમ પત્ની સાથેના લગ્ન ૨૦મી એપ્રિલ ૧૯૫૦ને દિવસે થયેલા એની વાત, બાળકો નહીં થતાં, પત્નીના આગ્રહથી કરેલા બીજા લગ્ન, બન્ને પત્નીઓ કેવી રીતે સાથે સંપીને રહેલી એની વાતો, એક દીકરો સીંગાપુરમાં અને બીજો પોતાની સાથે રહે છે એની વાતો ખુબ રસ પુર્વક કરેલી. વચ્ચે વચ્ચે હાસ્યલેખક વિનોદ ભટ્ટનું પણ તેમણે સ્મરણ કરી લીધેલું. એમના હાર્ટએટેકની વાતોઅને બીજી ઘણી બધી વાતો આત્મિયતાપુર્વક કરેલી જે અંગે હવે પછી, હું મારા બ્લોગ પર એ સંસ્મરણો લખીશ.

 

એક ખુબ જ સારો માણસ, સારો મિત્ર, ઉમદા વિચારક , નવલિકાકાર,  નવલકથાકાર, કવિ, વિવેચક ગુજરાતી સાહિત્યે ગુમાવ્યો છે. આપણને બધાંને એનું તીવ્ર દુઃખ છે. પણ આપણે શું કરી શકીએ ? પરમકૃપાળુ પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે.

નવીન બેન્કર

હ્યુસ્ટન

૩૦ નવેમ્બર ૨૦૧૨

મારું ઘર હ્યુસ્ટન શહેર

ઓક્ટોબર ૨૦૧૩શુક્રવાર

ગુજરાતીસમાજઓફહ્યુસ્ટનનાસભ્યથવાનાફાયદા

મિત્રો,

આજે ગુજરાતી સમાજની મેમ્બરશીપ એપ્રિસિયેશન નાઇટ છે, જેને રાત્રિ બેફોર નવરાત્રિપણ કહે છે. ( સ્થળ  અને સમય– VPSS Temple Hall,at 8.30 P.M. )

ભારતથી, ખાસ નવરાત્રિ પ્રસંગે , પ્રોફેશનલી ગરબા કરાવતું ગ્રુપ, હ્યુસ્ટનના ગુજરાતીઓનું જાણીતું છે. બોલીવુડના ફીલ્મી ગીતો, કવ્વાલીઓ, ભાંગડા, ગરબા, રાસ સાથે ગુજરાતી સુગમ સંગીત એટલે સરળ ભાષામાં કહીયે તોઆંખનો અફીણી’, ‘નજરના જામ છલાવીને’, હું તો ગઇતી મેળેજેવા આપણા સદાબહાર ગીતોના એક્ષપર્ટ ગાયકો / ગાયિકાઓનું ગ્રુપ.

મેમ્બરશીપ નાઇટ વખતે, આગળ એક બે ટેબલ પર સમાજના નવા સભ્યોની નોંધણી થાય અને પછી સભ્યોને હોલમાં પ્રવેશ મળે.

સમાજની સભ્ય ફી અંગે મારા ખ્યાલ મુજબ ફેમિલી મેમ્બરશીપ ૬૦ ડોલર્સ છે અને સીંગલ મેમ્બરશીપ ૩૦ ડોલર્સ છે. છતાં અંગે નિશાબેન મીરાણી કે અજીત પટેલનો સંપર્ક સાધીને ખાત્રી કરી લેવી હિતાવહ છે.

સીનીયર્સ સિટીઝન્સ કે જેમણે ૬૫ વર્ષ પુરા કર્યા છે અને આજની તારીખમાં જેમને ૬૬મું વર્ષ ચાલે છે તેમણે સભ્ય ફી આપવાની નથી. આવા સિનીયરોને સભ્ય ગણીને, સભ્ય માટેની એન્ટ્રી ફી (એટલે કે ત્રણ કે આઠ ડોલર) માં ગરબા વખતે પ્રવેશ મળી શકે છે. જો કે, આજની એપ્રીસિયેશન નાઈટમાં તો સાવ ફ્રી.

હવે આપણે મૂળ વાત પર આવીએ.

માનો કે તમે ફેમિલીવાળા માણસ છો અને પતિપત્ની, બે બાળકો અને ઘરડા માબાપ છે. હવે જો ગરબામાં નોનમેમ્બર તરીકે વ્યક્તિ દીઠ ૨૦૨૦ ડોલર ભરીને નવે દિવસ આવવું હોય તો તમારે કેટલા દેવા પડે ?

ધારો કે તમે સીંગલ છો. નો એટેચમેન્ટ વાળામસ્ત, બિન્દાસ. ટીન એજર, અહીં જન્મેલા, અહીં ભણેલા અને વાતવાતમાંઆઉચ’, ‘ઓહ માય જીસસબોલનારા અને તમારે ગુજરાતી ભાષા કે ગુજરાતી સમાજ સાથે ન્હાવાનીચોવાનો સંબંધ નથી. તમને તમારા સમવયસ્ક જોડીદારો સાથે ટાંટીયા ઉછાળી ઉછાળીને સ્ટાઇલીશ રીતે ડાંડીયા ઘૂમાવતા ઘૂમાવતારોલોપાડી દેવાની કેલાઇન મારવામાં રસ છે. અનેતમારે માટે એક એવો ઉત્સવ છે કે જ્યાંથી તમે તમારૂ મનગમતુ પાત્ર શોધી શકો છો. આજે કોઇ ટીનએજરોને અંબે મા માં રસ નથી હોતો. મોટા ભાગનાને તો અંબેમા, કાળકા મા, કે બહુચરમા નો ભેદ પણ ખબર નથી હોતો. આરતીમાં ગવાતાચોથે ચતુરા ને પંચમેમાં શી સ્તૂતિ થાય છે કેટલા સમજે છે ! બધું તો આગુસે ચલી આતી પ્રથાઓ રહી ગઈ છે હવે. કરવું પડે એટલે કરવાનું. બાકી બધો ભક્તિભાવ ૬૦ વટાવી ગયેલા ડોસાડોસીઓના મનમાં હોય તો કોણ જાણે !

(આજે ૭૩ વર્ષની ઉંમરે હું પણ મારી પત્નીની લાગણી દુભાય એવી બીકને કારણે આરતીમાં ઉભો રહું છું બાકી મારા મનમાં ….શ્રીરામ..શ્રીરામ..)

કહેવાનો મતલબ છે કે તમે નોનમેમ્બર તરીકે દરરોજના વીસ ડોલર આપો એના કરતાં એકવાર વર્ષના ત્રીસ ડોલર ભરીને સીંગલ સભ્ય થઈ જાવ તો આજની મ્યુઝીકલ નાઈટના ૧૦ ડોલર અને પછી દરરોજ ગરબા વખતે ૨૦ને બદલે કે માં પ્રવેશ મેળવીને કેટલા બધા ડોલર બચાવી શકો ? અને પૈસાસાથીદારો સાથે જ્યાફત ઉડાડવામાં  કેટલું વળતર (!) અપાવે ???… શ્રીરામ..શ્રીરામ

હાસીંગલ મેમ્બરનેસમાજનું મુખપત્રદર્પણ મળે અને કદાચ ઇલેક્શનમાં તમે વોટ ના આપી શકો. પણ આમે કયો ટીનએજર ગુજરાતી વાંચી શકે છે ! અને..કોને બધું વાંચવામાં રસ છે ? અનેતમેદર્પણવાંચી શકો માટે તો હવેદર્પણ.ને અંગ્રેજીમાં કરી દીધું છે. દા.. દર્પણનો ઓક્ટોબર ૨૦૧૩નો નવરાત્રિ અંક જૂઓ.

કુલ પાનાં ૪૪  ( ૪૦ અંદરના વત્તા પાના ટાઇટલના)

ગુજરાતી લખાણ કુલ પાનાં ( પેઇજ ૧૧,૧૨,૧૩,૧૪,૨૭,૨૯ અને ૩૯) અને..તે બહારના લેખકોના છપાયેલા લેખોના કટીંગો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના આટઆટલા લેખકો /લેખિકાઓ હોવાં છતાં સમાજના મુખપત્રમાંજવા દો.. વિષે તો એક આખો સ્વતંત્ર લેખ લખી શકાય. શુભ તહેવારમાં ક્યાં થુંક ઉડાડવું !

અંગ્રેજી ભાષામાં પાનાં૩૭ ( મોટાભાગની જાહેરાતો ).

એટલે….સીંગલ મિત્રોતમારે તો ખાસ મેમ્બર થઈ જવું જોઇએ. તમારી પાસે ગ્રીનકાર્ડ ના હોય તો તો ખાસ મેમ્બર થવું જોઇએ. મેં ત્રીસ વર્ષ દરમ્યાન ગ્રીનકાર્ડ વગરના ઘણાં છોકરાછોકરીઓને, ગરબામાંથી લંગસ લડાવીને ડબલ થતા જોયા છે. તમારામાં થોડો દેખાવ, થોડી વાચાળતા, ગમે તે ગ્રુપમાં ઘુસ મારી દેવાની આવડત  અને.. ઉદારતા (!)  હોવી જરુરી છે. ઉદારતા શબ્દની જગ્યાએ મારે બીજો વધુ યોગ્ય શબ્દ લખવો હતો પણ સમાજના ઉન્નતભ્રુ લીડરોની  લાગણીને ઠેસ પહોંચે એટલે હું  થોડોક સોફેસ્ટીકેટેડ શબ્દ વાપરું છું.

હમણાં મેં VPSS ને બાંકડે બે સિનિયરોને વાત કરતા સાંભળ્યા.

અલ્યા ભઈ, હોંભળ્યુંસે કે આપણે સિનીયરોએ ગરબામાં તૈણ ડોલર દેવાના અને પેલા મોટા ગરબા વખતે આઠ દેવાના.

હા..હાસી વાત લ્યા ! પણ મોટા ગરબા વખતે પાર્કીંગના દહ દેવાના ને ! ‘

તે અલ્યા..આપણે મોટા ગરબામાં હું કરવા જવું પડે ? વરહે ચ્યોં કોઇ સિરીયલવાળી ફટાકડી આવવાનીસે…!

ભૈ….હું તો જવાનો મોટા ગરબામોં..પેલી શોંતાડી ગાડી ચલાવેસે ઇની હારે રાઈડ લૈ ને આપણે તો બંદા જવાના.. અને નેના ગરબા (એટલે VPSS વાળા)મોં આપડે અંદર જઈને હું કોમસે ? ગરબા હોંભળવાના સે ને ? આપણે તો ગરબે ફરવાનું નહી. ખાલી સોડીયુંને ઘુમતી જોવાની ને ! તે ..અલ્યા બોંકડે બેહીને જતી આવતી જોઇ લેવાની..અને પરહાદ તો હોલની બહાર આલેસે ને ?..ગરબા તો બોંકડે યે હંભળાયતૈણ ડોલર હું કરવા દેવાના ?…ગરબા તો જુવાનિયાઓનો ઉત્સવઆપડે યે અમદાવાદમાં ગરબા વખતે સાયકલો લઈ લઈને , ખાડીયામા ગોટીની શેરી  ને આસ્ટોડીયા ને મણીનગર ના ગરબા જોવા નોતા દોડતા ?.’

હવે રેવા દે વાતુતું તો સાલા પેલી લખુડીની વોંહે વોંહે શેરીએ શેરીએ ઘુમતોતો…. તે અલ્યા અમદાવાદ જાયસે ત્યારે તારી લખુડીના હમાચાર લેસે કે નહીં ?

હમણા તૈણ વરહ પહેલા ગ્યોતો ત્યારે લખુડી લાલમલાલ તો જાડીપાડી ભેંસ થૈ ગયેલી જોઇતી. હોંબેલા જેવા એના બાવડા અને આર્થરાઇટીસથી લંગડાતી ચાલ જોઇને અપની તો હવા નિકલ ગઈ.’

હેંડ હેંડ હાળા..તુ યે ચ્યોં હવે સલમાનખાન રહ્યો છું  કે હજુ બિપાશાઓ શોધે છે ! તુ યે હવે સતિષ કૌશીક બની ગયો છું…’

આટલી વાત સાંભળીને, રસેશ દલાલને એના નવા નાટકતીન બંદરની  સ્ક્રિપ્ટ આપીને  મેં  વિદાય  લીધી.

હ્યુસ્તન મારું  ”ઘર”  છે અને અમદાવાદ મારો વિસામો છે..

નવીન બેન્કર     ઓક્ટોબર ૨૦૧૩

**************************************************************

ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે

January 4th, 2014 Posted in અહેવાલ

 

ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે

અમદાવાદનીધબકારસંસ્થાના ઉપક્રમે, પાંચ કે વર્ષ પહેલાંકદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ વર્ષ દરમ્યાન તેમના લખાણોલઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરેઅવારનવાર ગુજરાતી સામયિકોકુમાર’, ‘અખંડ આનંદ’, ’ઉદ્દેશવિગેરેમાં  વાંચવામાં આવ્યા હતા એટલે શબ્દથી તો એમનો પરિચય થતો રહ્યો છે.

હ્યુસ્ટનની તેર વર્ષ જૂની, ગુજરાતી સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપીને નીલમબેન દોશી હ્યુસ્ટનની મુલાકાતે પધાર્યા હતા અનેસરિતાની ૧૩૪મી બેઠકમાં, સાહિત્યપ્રેમી ડોક્ટર દંપતિ રમેશભાઇ શાહ અને ઇન્દુબેન શાહના નિવાસસ્થાને હાજરી આપી હતી.

હ્યુસ્ટનની જાણીતી સ્ત્રીલેખિકાઓ શ્રીમતી શૈલા મુન્શા,દેવિકા ધ્રુવ, ઇન્દુબેન શાહ અને પ્રવિણા કડકિયાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ સુત્રધાર દેવિકાબેને નીલમબેનનું સ્વાગત કર્યું હતું અને શ્રી. વિજય શાહને નિલમબેનનો પરિચય આપવા માટે વિનંતિ કરી હતી. શ્રી. વિજય શાહે, લેપટોપ પર સ્લાઇડોના સહારે, નીલમબેનના પુસ્તકો, કોલમો, તેમને મળેલા એવોર્ડો, પારિતોષિકો અંગે માહિતી આપતાં કહ્યું કે નીલમ દોશીના પુસ્તકગમતાંનો ગુલાલને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘દીકરી મારી દોસ્ત’, ‘જન્મદિવસની ઉજવણી’, ‘સંબંધસેતુ’, ‘સાસુવહુ ડોટ કોમ’, અંતિમ પ્રકરણ’, ‘પાનેતરએમના પ્રકાશિત પુસ્તકો છે. લોકપ્રિય સ્ત્રી સાપ્તાહિકસ્ત્રીમાં, એમની કોલમ  ‘જીવનની ખાટીમીઠીપ્રકાશિત થતી રહી છે. સુરતમાં યોજાયેલ જ્ઞાનસત્ર (૨૦૧૨) દરમ્યાન નીલમબેન લિખિતઅંતીમ પ્રકરણનવલિકાસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથીબેસ્ટ બુક ઓફ યરનો અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોના રસાસ્વાદ, આકાશવાણી રેડીયો પરથી પ્રસારિત થતા રહે છે.

નીલમબેનના વક્તવ્ય પહેલાં, બેત્રણ સ્થાનિક લેખકોકવિઓની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.ઓસ્ટીનથી  ખાસ બેઠકમાં હાજરી આપવા આવેલ કવયિત્રી સરયુ પરીખે પોતાના બે નવા કાવ્યસંગ્રહો વિશે માહિતી આપી હતી. અને બે કાવ્યો વાંચી સંભળાવ્યા હતા. હાસ્ય, હાઇકુ અને હઝલના રાજા એવા સ્થાનિક હાસ્યલેખક અને ગઝલકાર શ્રી. ચીમનભાઇ પટેલે (‘ચમન’) સ્વરચિત બે, છંદબધ્ધ કાવ્યો સંભળાવ્યા હતા. ફતેહ અલી ચતુરે, હિન્દી કવિ સુરેન્દ્ર શર્માનું એક વ્યંગકાવ્ય રજૂ કર્યું હતું.

બેઠકનો દોર પોતાના હાથમાં લેતાં, નીલમબેને હ્યુસ્ટનની મુલાકાત ટાણે લખાયેલ સ્વરચિત કાવ્યની પંક્તિઓ સંભળાવી હતી. ટૂંકી વાર્તાકળાના નમૂના તરીકે પોતાની ત્રણ વાર્તાઓ  ‘સંજૂ દોડ્યો’, ‘એક ઔર ધરતીકંપ’, અનેઆઇ એમ સ્યોર’ ,વાંચી સંભળાવી હતી. વાર્તાઓ અંગે સાહિત્યરસિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને તે પછી નીલમબેને એની છણાવટ કરીને રસદર્શન કરાવ્યું હતું.

હ્યુસ્ટનના આદરણીય કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે રાબેતા મુજબ, નીલમ દોશી અંગે એક શીઘ્રકાવ્ય રચીને તેની કોપી નીલમબેનને અર્પણ કરી હતી.

૧૬મી જૂન અને રવિવારે સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન, હ્યુસ્ટનના જૈન સેન્ટર ખાતે પણ, નીલમ દોશીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. ‘જીવનના નાના સુખ’ એ વિષય પર બોલતાં, નીલમબેને મુલ્લા નસરુદ્દીનની એક વાત ‘સુખી થવાનો ઉપાય’ કરી અને કહ્યું કે સુખ એ આપણા મનની અંદર રહેલી પહેલી અનુભૂતિ છે. પૈસાની જરુર બધાને હોય પણ ક્યાંક તો ફુલસ્ટોપ મૂકવાનું જ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠાના વળગણથી મુક્ત થઈ જઇએ એ જ સુખ છે. આપણે તો સુખદુઃખનો ભાર વેંઢારતા પ્રવાસીઓ છીએ. પુરેપુરા જ્ઞાની હોય અથવા પુરેપુરા અજ્ઞાની હોય એ જ સાચા સુખી બની શકે.નાની નાની ઘટનાઓને ખુલ્લા મનથી આવકારીએ ત્યારે જ સુખની અનુભૂતિ થાય. સુખ અને દુઃખ, જેટલા મનમાં હોય છે એટલા જીવનમાં નથી હોતા. જે મળ્યું છે એ છોડીને, જે નથી મળ્યું એ મેળવવાનાં હવાતિયાં એટલે દુઃખ.

હકારાત્મક અભિગમને સમજાવતી એક પરદેશી ભાષાની વાર્તા રાજી રહેવાની રમત’ પણ નીલમબેને સંભળાવી. જૈન સેન્ટરના જિજ્ઞાસુઓના પ્રશ્નોના તેમણે પ્રત્યુત્તરો આપ્યા હતા.

એ જ દિવસે, સાંજે એક સાહિત્યપ્રેમી મિત્રના નિવાસસ્થાને યોજાયેલી નાનકડી બેઠકમાં કેટલાક સર્જક મિત્રો સાથે સાહિત્યગોષ્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક સર્જકે પોતાની કોઇ ને કોઇ કૃતિ રજૂ કરી હતી અને એના પર અન્ય સર્જકો પોતાના પ્રતિભાવ આપતા અને છેલ્લે નીલમ દોશી, એ કૃતિ ટૂંકી વાર્તા છે, લઘુનવલ માટેનું મટીરીયલ છે કે પછી એ માત્ર પ્રસંગકથા કે રેખાચિત્ર જ છે એની છણાવટ કરતા હતા. ટૂંકી વાર્તા અને લઘુકથા વચ્ચેની ભેદરેખા વિષે નીલમ દોશીએ વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું.  આ સાહિત્યગોષ્ટી, ઉચ્ચ બુધ્ધીમતા ધરાવતા, ખરેખરા સાચા લેખકોની બેઠક હતી એટલો નિર્દેશ કર્યા વગર રહેવાતું નથી. મેં ઘણી સાહિત્યશિબીરો અને મીટીંગોમાં હાજરી આપી છે અને જોયું છે કે મોટાભાગની એવી બેઠકોમાં કવિતાઓને નામે, જોડકણાં , અપદ્યાગદ્ય કાચા લખાણો, ઉપદેશાત્મક સુફીયાણી વાતો, ને એવું બધું રજૂ થતું હોય, ખોટેખોટી વાહ વાહ થતી હોય અને છેલ્લે ચાહનાસ્તો કરીને લોકો છુટા પડતા હોય. સાહિત્ય સાથે સ્નાનસૂતકનો ય સંબંધ ન હોય, અરે ! ગુજરાતી લખીવાંચી શકતા ન હોય  એવા લોકો મીટીંગમાં આગળ પલાંઠી વાળીને નેતા થઇને બેઠા હોય.

આ બેઠકમાં ગણીને દસ જ વ્યક્તિ હતી પણ સાહિત્યને સમજી શકે અને કંઇક શીખી શકે એવા સર્જકો હતા. યજમાને ચુનંદા મહેમાનોને આમંત્રિત કરીને સાચા અર્થમાં સાહિત્યગોષ્ટી યોજી હતી.  અભિનંદન એ યજમાનને !

(અહેવાલ અને તસ્વીર સૌજન્યશ્રી. નવીન બેન્કર)

ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-

 

ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-

 

ગુજરાતી સાહિત્યના નીવડેલા, જાણીતા૪૭  જેટલા નાટ્યલેખકોના એકાંકી નાટકોના ત્રણ સંગ્રહો, હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં મને જોવા મળ્યા.

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે રઘુવીર ચૌધરી અને રતિલાલ બોરીસાગર જેવાના સંપાદનમાં આ ત્રણ ખજાનારુપ, જાણીતા અને વારંવાર ભજવાઇ ચૂકેલા એકાંકી નાટકોના સંગ્રહ પ્રસિધ્ધ કર્યા છે.

હ્યુસ્ટન જેવા શહેરમાં, કોઇ પ્રસંગે, કોઇ સંસ્થા, એકાંકી નાટકો ભજવવા માંગતી હોય છે અને સારુ એકાંકી ક્યાં છેની તપાસ શરુ થઈ જતી હોય છે એવા સમયે આ ત્રણ પુસ્તકો મદદરુપ થઈ શકે તેવા છે.

અત્યારના સમયમાં, ઘણા બધા કલાકારોને લઈને નાટકની પ્રેક્ટીસ કરવા માટે ભેગા થવું-એ મૂશ્કેલ અને ખર્ચાળ  કામ છે. એટલે એક ઘરમા પતિ-પત્ની બન્ને કલાકાર હોય અથવા એકાદ ખાસ મિત્ર કે પાડોશી નાટ્યપ્રવ્રુત્તી પ્રત્યે અભિરુચી ધરાવતા હોય તો, બે કે ત્રણ જ પાત્ર ધરાવતા, ૩૦ મીનીટના એકાંકીઓ પણ મને આ સંગ્રહોમાં વાંચવા મળ્યા. આવા કેટલાક નાટકોની એક નાનકડી સુચી અહીં લખું છું.

 

એકાંકીનું શિર્ષક                 લેખક             પાત્રોની સંખ્યા

સ્ટેશન માસ્તર            ધનસુખલાલ મહેતા     બે પુરુષ અને એક સ્ત્રી

ઝાંઝવા                   યશવંત પંડ્યા           એક પુરુષ અને બે સ્ત્રી

વન્સમોર                 ચુનીલાલ મડીયા        ચાર પુરુષ પાત્રો

ઇલાજ                     વિનોદ અધ્વર્યુ           એક સ્ત્રી અને ત્રણ પુરુષ

ચાલો, ઘર ઘર રમીએ    જ્યોતિ વૈદ્ય               એક પુરુષ- એક સ્ત્રી.

હુકમ, માલિક              ચિનુ મોદી               બે પુરુષ પાત્રો

અદાલતે ગીતા           મુકુંદરાય પંડ્યા           ત્રણ પુરુષ પાત્રો

કાહે કોયલ શોર મચાયે            લાભશંકર ઠાકર          એક પુરુષ અને એક સ્ત્રી

સ્મશાન સર્વીસ                    નિરંજન ત્રિવેદી          બે પુરુષ પાત્રો

આપણું એવું                       મધુ રાય                એક પુરુષપાત્ર સ્ટેજ પર અને

                                                           બીજું પાત્ર નેપથ્યમાંથી ટેલીફોન પર.

લોહી વરસતો ચંદ્ર                 મહેશ દવે                એક પુરુષ-એક સ્ત્રી.

ટેલીફોન                           હસમુખ બારાડી          એક પુરુષ-એક સ્ત્રી

દીવાલ                            સુભાષ શાહ              બે પુરુષ-એક સ્ત્રી

ઘર વગરના દ્વાર                   રવિન્દ્ર પારેખ            બે પુરુષ-એક સ્ત્રી

હેરપીન                            ઉત્તમ ગડા               એક પુરુષ- એક સ્ત્રી.

સ્પર્શ                               સોનલ વૈદ્ય              એક પુરુષ- એક સ્ત્રી.

                                                                                                        ( મહેમાન કલાકારો-નર્સ, વોર્ડબોય)

                                                                      સામગ્રી-સ્ટ્રેચર.

 આ નાટકો વાંચતાં વાંચતાં મારી દ્રષ્ટી સમક્ષ આપણા હ્યુસ્ટનના મુકુંદભાઇ ગાંધી, હેમંત ભાવસાર, ઉમાબેન નગરશેઠ, નિતીન વ્યાસ, ફતેહ અલી ચતુર, રક્ષાબેન પટેલ, દેવિકા અને રાહુલ ધ્રુવ જેવા કલાકારો તરવરતા રહ્યા હતા. હું જુવાન હતો ત્યારે કોઇ સારી નવલકથા વાંચુ ત્યારે એની પટકથા મારા માનસપટ પર અંકાવા લાગતી અને હું શેખચલ્લી બનીને વિચારતો કે જો હું આ કથા પરથી ફિલ્મ બનાવું તો આ પાત્રમાં સંજીવકુમાર, આ પાત્રમાં હેમા માલિની, આ પાત્રમાં બિન્દુડી (!) લઉં અને…પછી એ કથાને મારા મનમાં ભજવાતી જોતો. કહેવાની જરુર નથી કે એમાંના એકાદ પાત્રમાં હું મને ય ગોઠવી દેતો. અને બિન્દુ કે મુમતાઝ સાથેના પ્રણયદ્રશ્યો મનમાં ભજવતો. શ્રીરામ…શ્રીરામ….

ન્યુયોર્કના જાણીતા કલાકારો જલ્દી મારા માનસપટ પર નથી આવતા કારણ કે ઘણાં વર્ષોથી મેં આર.પી. શાહ, ભારતીબેન દેસાઇ કે રક્ષાબેન પંડ્યાને જોયા નથી. ઍટલે એમના ચહેરાઓ મને યાદ નથી આવતા. બાકી એ લોકો પણ સુપર્બ કલાકારો છે.

થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનના વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય હવેલી)ના ઉપક્રમે એક એકાંકી નાટક ભજવાવાનો પ્લાન થયેલો અને મેં યુવાન કલાકારોને લઈને પ્રેક્ટીસ પણ શરુ કરાવેલી ત્યારે પણ આવા જ કોઇ નાટકનું થીમ હું પણ શોધતો હતો.

આ લેખ હું કેટલાક નાટ્યપ્રેમી મિત્રોને મોકલી રહ્યો છું.

મિત્રો,  સારા નાટકો શોધવા માટે તમારે સાંજે જોબ પરથી છૂટ્યા બાદ અગર કોઇ શનિવારે ૫૦૦, મીકીની સ્ટ્રીટ પર ડાઉનટાઉનમાં આવેલી આ ભવ્ય લાયબ્રેરીની મુલાકાત લેવી જરુરી છે.ત્યાં, ફોરેઇન સેક્શનમાં, ગુજરાતી પુસ્તકોના ઘોડા પરથી આ પુસ્તકો શોધવાના. આ દેશમાં એટલી સરસ વ્યવસ્થા છે કે માત્ર તમારું ડ્રાયવર લાયસન્સ કે ફોટા સાથેનું કોઇ અધિકૃત ઓળખપત્ર બતાવો કે વિનામુલ્યે, ડીપોઝીટ વગર તમને પુસ્તકો આપે અને એ પુસ્તકો પાછા તમે શહેરની કોઇપણ લાયબ્રેરીની બ્રાંચમાં જમા કરાવી શકો. લાયબ્રેરીના દરવાજે મેટ્રોની છ બસો પણ આવે છે. હું પાર્કીંગના પૈસા બચાવવા, આ સિટી બસની ફ્રી સર્વીસનો જ લાભ લઊં છું. ( ફ્રી સર્વીસ માત્ર અમારા જેવા સીત્તેર વટાવી ગયેલાઓને જ મળે છે. બાકી સવા ડોલર ટીકીટ લાગે.)

હું, અઠવાડીઆના ત્રણ થી ચાર દિવસ, ચાર ચાર કલાક આ લાયબ્રેરીમાં વીતાવું છું પણ આજસુધીમાં મને એકેય ગુજરાતી વાંચક ત્યાં જોવા મળ્યો નથી.

શ્રીરામ..શ્રીરામ…

 

કોઇને કોઇ પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઇતી હોય તો મારો, ઈ-મેઈલ મારફતે  સંપર્ક સાધી શકે છે. મોટેભાગે હું  લાયબ્રેરી કે મૂવી થિયેટરમાં સમય ગાળતો હોઉં એટલે ઘરના ફોન પર મળું નહીં અને સેલફોન ઉપાડવાની આદત નથી.ચાલુ કારે, થિયેટરમાં, મીટીંગમાં સેલફોન ઉપાડતો નથી. બેસ્ટ વે ટૂ કોન્ટેક્ટ મી ઇઝ ઇન્ટરનેટ.

હ્યુસ્ટનમાં કવિશ્રી. વિવેક ટેલર- ૭ મે ૨૦૧૧

January 4th, 2014 Posted in અહેવાલ

 

તારીખ- ૮ મે ૨૦૧૧-બુધવાર

 હ્યુસ્ટનમાં  કવિશ્રી.વિવેક ટેલરના કાર્યક્રમ અંગે  નવીન બેન્કર

(મારો આ અહેવાલ છપાયેલો નથી.)

 

ગઈકાલે ડોક્ટર વિવેક ટેલરનો કાર્યક્રમ  હતો.પંદરેક આમંત્રિતો હતા.મુન્શા ફેમિલી,અલી ચતુર, મુકુંદભાઇ,રસેશભાઇ,રસિક મેઘાણી ફેમિલી સહીત, પ્રવિણાબેન કડકિયા, વિશાલ મોણપરા, નવીન બેન્કર,વિશ્વદીપ અને રેખાબેન બારડ વગેરે..હાજર હતા. યજમાન ભક્તકવિ શ્રી.પ્રદીપ બ્ર્હ્મભટ્ટે  શ્રી.વિવેક ટેઇલરને આવકાર આપતું અને ઉપસ્થિત સર્વે મહેમાનોને બિરદાવતું સ્વરચિત કાવ્ય વાંચી સંભળાવીને ફ્રેમમાં મઢેલી તેની કોપી તથા પોતાનો કાવ્યસંગ્રહ કે જેનું વિમોચન શ્રી. મોરારિબાપુના હસ્તે થયેલું તે દીપના અંધારે‘  કવિશ્રી.વિવેકભાઇ ટેલરને અર્પણ કર્યા હતા.

વિવેકભાઇએ પોતાની કેટલીક રચનાઓ સંભળાવી હતી.

મારી દુઆ સાચી જ છે  એ એક દિ ફળશે  તને

મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને

પથ્થર છું તારી રાહનો, ઠોકર નથી.ના.ના..નથી.

પગ મુકઉંચાઇ પગથિયાની સદા મળશે તને.

————————-

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

પ્રણયના સાત પગલાથી નવી કેડીઓ રચવાનું,

વફાનું બાંધી મંગળસુત્ર બંધાવાનું, પોતે પણ

વટાવી ઉંબરો હુંનો, ‘અમેના ઘરમાં વસવાનું.

—————————-

લઇ હાથ હાથમાં ભલે જીવ્યા ઘણા વરસ,

પહેલા દિવસની એ છતાં અકબંધ છે તરસ

ડગલે ને પગલે આપદા સો સો  ભલે નડી

જે ગઇ,  જે છેને જશે  એ જિંદગી સરસ.

————————-

                 એક કાવ્ય કંઇક ફૂલ અને કાંટા ને લગતુ હતુ જેનું અંતીમ ચરણ આવું હતું     પરખ ના હોય તો સઘળા ગુલાબ પણ કાંટા જ છે. વચ્ચે વચ્ચે છંદ અને લગાગા..ગાલગાગા..ને એવું બધું સમજાવતા જતા હતા.  (जो अपुनकी समजसे बाहर था )

વિવેક ટેલરે દેવિકાબેન ધ્રુવના કાવ્યના વખાણ કર્યા હતા અને સ્વમુખે એ કાવ્ય વાંચી સંભળાવ્યું હતું.  પ્રવીણા બેન કડકિયા,શૈલાબેન મુન્શા,વિશ્વદીપભાઇ બારડ ,રસિક મેઘાણી વગેરે મિત્રોએ પોતપોતાની રચનાઓનો આસ્વાદ કરાવ્યો હતો.

ફતેહ અલી ચતુરે પણ છેલ્લે અશોક ચક્રધરની હાસ્ય કવિતા ચુનાવસંભળાવી હતી.

છેલ્લે,યજમાન શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે અને રમાબેને દાળવડા,ભાજેપાંઊ,ગુલાબજાંબુ,જેવી સ્વાદીષ્ટ વાનગીઓ જમાડીને આમંત્રિતોને વિદાય આપી હતી.

નવીન બેન્કર

૮ મે ૨૦૧૧

અંધશ્રધ્ધા

અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ધામના પ્રચારાર્થે તથા મહાપ્રસાદનો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે.  જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ધામની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા અવતાર‘ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.

મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા અવતારવિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ખાવામાટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ઘેટાનું ટોળુઆ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક માતાજીના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.

આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.

કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના વેલફેરપર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા પ્રભુકહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ધામની લીઝ કોના  નામે છે ?’

એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.‘ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !‘)   હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી  જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.

હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને  આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.

શ્રીરામ…શ્રીરામ….

એક સંસ્મરણ

January 4th, 2014 Posted in મારા સંસ્મરણો

 

સંસ્મરણ

કુટુંબના બાળકોએ હ્યુસ્ટનના મહારાજાભોગ રેસ્ટોરન્ટમાં

ચાર પ્રસંગોની ઉજવણી કરી-

(૧)    નવજાત શિશુ નિખિલ શાહના, આ દુનિયામાં

       આગમનની વધામણી. (ડોક્ટર શેનિલ અને ડો. સપના શાહનો પુત્ર)

(૨)    ડોક્ટર આશીષ બેન્કર અને વ્યોમા બેન્કરના,

        એકાદ બે દિવસમાં જ જન્મનાર બેબી ( વૈશાલી)ના આગમનનું

       રીસેપ્શન.

(૩)   કુટુંબના વડીલ ડોક્ટર કોકિલા પરીખ અને પ્રકાશ પરીખની

       નજીકમાં જ આવનાર જન્મદિવસની ઉજવણી.

(૪)   કુટુંબના વરિષ્ટ સભ્ય નવીન અને કોકિલા બેન્કરના પચાસ

      વર્ષના  પ્રસન્ન દામ્પત્ય જીવનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી.

‘શોલે’કી સ્કીટમેં નવીન બેન્કર

કીસી ઝમાનેમેં હમનેહ્યુસ્ટનમેં, ફિલ્મ  શોલે કી સ્કીટ કી થી, જિસમેં આપકા યે દોસ્ત નવીન બેન્કર કાલીયા બના થા ઔર ડાયલોગ બોલતા થા  –સરદાર,મૈંને આપકા નમક ખાયા હૈ

ઔર ગબ્બરસિંહ ( ગિરીશ નાયક ) કહેતા હૈ- તો અબ ગોલી ભી ખા ‘.ઔર…ઉસકી ગોલી ખાકર  મૈં -યાનિ કાલિયા- ગિર જાતા થા.

 કાલિયા- શ્રી,નવીન બેન્કર

 બસંતી- શ્રીમતી કીની                

વીરુ   – શ્રી.રાજુ ભાવસાર                        

 ગબ્બરસિંહ- શ્રી. ગિરીશ નાયક (FFOI વાળા)           

કાલિયાકે પ્રોડ્યુસર ઔર ડાયરેક્ટર થે  માસ્ટરજી યાનિ કી શ્રી.ઇન્દ્રવદન ત્રિવેદીજી-ગુરુજી

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.