એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » નાટક ‘હું રિટાયર થયો’ના કલાકારો નો પરિચય

નાટક ‘હું રિટાયર થયો’ના કલાકારો નો પરિચય

August 19th, 2011 Posted in અહેવાલ

 
 નાટક  ‘હું રિટાયર થયો’ના  કલાકારો નો પરિચય કરાવવો છે.

હેમંત ભાવસારને તો બધા જ ઓળખે છે.સિનિયર સિટીઝન એસોસિયેશન હોય, જૈન સેન્ટરના કાર્યક્રમો હોય, કે ભારતથી પધારેલા મહાન સંગીતકારો હોય,હેમંતભાઇ સ્ટેજ પર મંજીરા સાથે હાજર હોય જ.’ કૈલાસકે નિવાસી’ ભજન તેમના કંઠે સાંભળવું એ એક લહાવો છે.કોઈ સ્વર્ગસ્થની સ્મ્રુતીસભામાં અવારનવાર આપણે તેમને જોયા-સાંભળ્યા છે.મેં આ કલાકારને છેક ૧૯૮૮થી હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના નાટકોમાં અભિનય કરતા જોયા છે.’પરણ-વા ‘, ‘પડદા પાછળ’ જેવા નાટકોમાં તેમના અભિનયને માણવાનો મને મોકો મળ્યો છે.રમોલા દલાલ અને હેમંત ભાવસારની જોડી હોય એ નાટક હીટ જ હોય એવી ૧૯૯૦ના ગાળામાં સમજ પ્રવરતી હતી.આ નાટકમાં હેમંત ભાવસાર તમને ખુબ હસાવશે અને તમારી આંખોના ખુણા ભીનાં પણ કરી દેશે.

ઉમાબેન નગરશેઠ ભારતની સંસ્ક્રુતિના એમ્બેસેડર ગણાય છે.ઘણાં ગુજરાતી નાટકોના દિગ્દર્શક અને મુખ્ય અભિનેત્રી હોવા ઉપરાંત ‘નાટ્ય-ઉપાસના’ના સંચાલક પણ છે.ઘણાં બધાં ન્રુત્ય પ્રોગ્રામોના તેઓ કોરિયોગ્રાફર પણ રહ્યા છે. ઘણાં  આરંગેત્રમના ગુરુ પણ છે.૧૯૯૭માં હ્યુસ્ટનમાં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’ના દિગ્દર્શક પણ ઉમાબેન હતા.’બુકાની બાંધેલો સ્નોમેન’ તેમનું યાદગાર નાટક હું ગણું છું.’ચોર’ અને ‘અંદર અંદર’ જેવા નાટકોમાં તેમણે  કોમેડી રોલ પણ કર્યા છે.આ નાટકમાં તેમણે એક વિશિષ્ટ રોલ કર્યો છે. ઉમાબેન હ્યુસ્ટનના કલાજગતનું એક રત્ન છે.રક્ષાબેન પટેલ પણ  HNV નું એક મોંઘેરુ નજરાણું છે. આ નાટકમાં  ‘મા’ તરીકે  એ એવા તો છવાઈ જાય છે કે એમના અમુક સંવાદો પર તો તમે આફરીન પોકારી ઉઠશો અને એમના અંતીમ દ્રષ્યમાં તમારી આંખ ભીની ના થાય તો તમે જાણજો કે તમારી અંદર સંવેદનશીલ હૈયું રહ્યું જ નથી .

દરેક માતાને રક્ષાબેનના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ દેખાશે.મનોજ મહેતા ખુબસુરત ગઝલકાર, કવિ,ઉપરાંત અચ્છા અભિનેતા પણ છે.’કોઇને માથે કાળ ભમે છે’, ‘ચોર’  જેવા નાટકોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે.મનીષ શાહ પણ અચ્છા અભિનેતા છે.  HNV એ ૧૯૯૭માં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’માં ડોક્ટરના મુખ્ય પાત્રમાં તેમણે યાદગાર અભિનય કરેલો.તેમનો ભાઈ સંદીપ અને માતા ઇન્દુબેન શાહ પણ સારા કલાકારો છે.ઈન્દુબેનને તો આપણે સિનિયર્સર્ની મીટીંગોમાં ઘણી વાર સાંભળ્યા છે. રસેશ દલાલની ઓળખ આપવાની હોય જ નહીં.આજના દૌરમાં, હ્યુસ્ટનના એક સારા માસ્ટર ઓફ સેરીમની ( ઉદ્ઘોષક ) અને સેવાભાવી વોલન્ટીયર તરીકે સેવાઓ આપતા આપણે તેમને દરરોજ જોઈએ છીએ.યોગીનાબેન પટેલને ‘સ્વર્ણીમ ગુજરાત’ની ઉજવણી પછી યોગીના કરતાં ‘રંગલી’ તરીકે બધાં આ હસમુખી,રુપાળી, મોટીમોટી ભાવવાહી આંખોની સ્વામિની એવી મીઠડી છોકરીને ગુજરાતી સમાજના ઘણા કાર્યક્રમોમાં આપણે દોડતી જોઈ છે.આ નાટકમાં દીકરીના રોલમાં તેણે અભિનયના ત્રણ ડીફરંટ શેડ્સ દર્શાવ્યા છે.હાસ્ય, ગુસ્સો અને કરુણતા -એ ત્રણે શેડસમાં તેણે એવો તો સુંદર અભિનય કર્યો છે કે તમે આફરીન પોકારી ઉઠશો.HNV નું  અણમોલ રતન એટલે અરવીંદ ‘બાના’. ‘એક નાટકમાં અરવીંદભાઈએ ‘બાના’ના પારસી રોલમાં એવી તો કમાલ કરી કે લોકો તેમને ‘બાના’ તરીકે જ આજે પંદર વર્ષો પછી યે ઓળખે છે. BAPS (સ્વામિનારાયણ સંપ્રદાય)ના ચુસ્ત અનુયાયી અને સરળ હ્ર્દયના આ કલાકાર સારા અભિનેતા છે. આ નાટકમાં નાનકડા રોલમાં પણ એવી તો સુંદર અદાકારી દાખવી જાય છે કે બસ-લલિત  શાહ – HNV ના જૂના અને જાણીતા જોગી એટલે લલિતભાઈ શાહ.મને યાદ છે કે ૧૯૮૯માં તેમણે ‘કોઈને માથે કાળ ભમે છે’ એ નાટકમાં જગન્નાથની અવિસ્મરણીય ભૂમિકા ભજવેલી.એમનો પહાડી અવાજ એવો તો છવાઇ જાય છે કે જાણે માઈકની જરુર જ ન પડે.આ નાટકમાં પણ તેમની ભૂમિકા સુંદર છે.પંક્તી ગાલા નામની એક નાનકડી બેબી પણ પૌત્રીની ભૂમિકામાં સરસ અભિનય કરી જાય છે. અન્ય ગૌણ પાત્રોમાં કુલદીપ બારોટ નામનો એક જુવાન પણ છે.અને…હવે આવે છે મુખ્ય પાત્રમાં શ્રી. મુકુંદ ગાંધી.હ્યુસ્ટનમાં ગુજરાતી નાત્યકલાકારોનું મંડળ રચવાના સ્વપ્નદ્રષ્ટા….હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના ભિષ્મ પિતામહ…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ..ટ્રસ્ટી..સમાજના આગેવાન કાર્યકર..૧૯૯૧માં ‘પત્તાની જોડ’ જેવા ત્રિઅંકી નાટકમાં  ‘દાદાજી’ની અવિસ્મરણીય ભૂમિકા ભજવનાર આ વરીષ્ટ કલાકારે ગુજરાતી સમાજને અને હ્યુસ્ટનના સિનિયર સિટીઝન એસોસિયેશન માટે ફંડ ભેગુ કરી આપ્યું હતું.’હું જે કહીશ તે સત્ય જ કહીશ’ નાટકમાં તેમણે જગન્નાથની ભૂમિકા ભજવેલી અને પ્રેક્ષકો પર છવાઈ ગયેલા.અમારા આ નાટકમાં ગુજરાતી રંગભૂમિના લોકલાડીલા અભિનેતા , નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિની અવિસ્મરણીય ભૂમિકામાં મુકુંદભાઈ એવા તો છવાઈ જાય છે કે પ્રેક્ષકો એકીઅવાજે તેમને નટસમ્રાટ તરીકે સ્ટેન્ડીંગ ઓવેશન આપવા માટે મજબૂર બની જશે. નાટકની  એકે એક ફ્રેમમાં, એકે એક દ્રષ્યમાં સ્ટેજ પર તેમની હાજરી છે..તેમને મુખે બોલાયેલા એકે એક સંવાદો..એકે એક એકોક્તિઓ..પ્રેક્ષકોને હસાવે છે, રડાવે છે..પ્રેક્ષકો તેમના પાત્ર સાથે તાદાત્મ્ય સાધીને તેમના સુખ-દુખમાં ભાગીદાર બની જાય છે.મેં આ નાટકના વીસથી પણ વધુ રીહર્સલો જોયા છે..મારાથી પણ પાંચ-છ વર્ષે મોટા એવા આ વડીલ, કલાકારને જુવાનને શરમાવે એવી સ્ફુર્તીપુર્વક દોડાદોડી કરીને આયોજન કરતા જોયા છે અને હમેશા લઘુતાગ્રંથી અનુભવી છે.શ્રી. હેમંત ભાવસાર , HNVના પ્રેસિડેન્ટ શ્રી.અશોક પટેલ  અને ઉમાબેન નગરશેઠે આ નાટકના દિગ્દર્શનમાં ખુબ ઉપયોગી, કિંમતી સલાહસુચનો આપીને નાટકને ઉત્ક્રુષ્ટ બનાવવામાં અમુલ્ય  ફાળો આપ્યો છે.બસ…મિત્રો…આજે માત્ર આટલું જ. તમે બધાં આખો હોલ ભરી દો અને આપણે બધાં સાથે ઉભા થઈને આ નાટકના, આપણા હ્યુસ્ટનના, તમામ કલાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપીયે.

નવીન બેન્કર૭૧૩-૭૭૧-૦૦૫૦           E-mail Address : navinbanker@yahoo.com 

 
 

Navin Banker
Phone No: 713 771 0050

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.