એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » નાટ્યવિષયક સંસ્મરણો » કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર

કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર

કશુંક  ભાળી ગયેલો  માણસ-   સોક્રેટીસ  ( નાટ્ય અવલોકન )     રજુઆત- શ્રી.  નવીન બેન્કર

 

માર્ચ, ૨૦૧૫માં, અમદાવાદના એચ. કે. આર્ટ્સ કોલેજના નવા ઓડીટોરીયમમાં, હ્યુસ્ટનના સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ શ્રી. હસમુખ પટેલ અને મારા મિત્ર અને અભિનેતા શ્રી. કુમુદ રાવલના સૌજન્યથી, મને  આ નાટકના દિગ્દર્શક શ્રી. રાજુ બારોટ તરફથી આ ઐતિહાસિક નાટક જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
 
જે લોકો ગ્રીક તત્વચિંતક સોક્રેટીસની કથા જાણતા હોય, ઇસ્વીસન પૂર્વેની  ચોથી સદીના એથેન્સનો ઇતિહાસ જાણતા હોય, ગ્રીક સામ્રાજ્ય, તેના ગણરાજ્યોના સત્તાકારણ અને લોકશાહી માટેના પ્રયાસો અંગે જાણતા હોય એ લોકો  જ આ નાટકને સારી રીતે માણી શકે એવું આ નાટક હતું.લગભગ  ૪૦૦ પાનાની દર્શકની સાહિત્યકૃતિને બે કલાકની નાટ્યકૃતિમાં રુપાંતરિત કરી છે શ્રી. ભરત દવેએ. ચૌદ દ્રષ્યો અને પાંચ વૃંદગાનમાં ઘટનાઓ દર્શાવાય છે. મુખ્ય ભૂમિકામાં ખ્યાતનામ વૈદ્યરાજ શ્રી. પ્રવિણ હીરપરા સોક્રેટીસની ભૂમિકા ભજવે છે. તેની પત્ની ઝેન્તેપીના પાત્રમાં દીપ્તિ જોશી અભિનયના અજવાળા પાથરે છે.
 
અદાલતના સમૂહ દ્રષ્યો ખુબ અસરકારક રહ્યા.  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા શ્રી, ઇકબાલ પટેલ, ગોપાલ બારોટ, મૌલિક પાઠક, આ દ્રશ્યોમાં શોભતા હતા.  એથેન્સના ધનાઢ્ય ઘાતકી રાજપુરુષ એનેટ્સના પાત્રમાં શ્રી. નિસર્ગ ત્રિવેદી  અને ધૂર્ત મુત્સદ્દી તરીકે હેમન્ત સોની તથા સ્પાર્ટાના રાજા એજીસના પાત્રમાં શ્રી. ધ્રુવ ત્રિવેદી પણ તેમની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. નાટકમાં સ્થિતિ અને ગતિ બન્ને અનુભવી શકાતા હતા. ગ્રીક વેશભુષા, પગરખા, બખ્તર, ભાલા , અસરકારક રહ્યા. સફરજન અને દ્રાક્ષનો આસવ, ઓલીવની વાડીઓ, મધ અને જવનો રોટલો, જેવા ઉલ્લેખો ગ્રીસની ભૂમિ ઉભી કરવામાં સફળ રહ્યા. નાટ્યપ્રયોગની મર્યાદાઓ તેની ઉત્કૃષ્ટતા સામે ઢંકાઇ જતી હતી. નાટકના અંતે ગ્રીન રુમમાં જઈને મેં દિગદર્શક શ્રી. રાજુ બારોટ અને સોક્રેટીસ બનેલા વૈદ્ય પ્રવિણ હીરપરા સાથે તસ્વીર ખેંચાવી હતી ,જે આ સાથે એટેચ કરી છે.
 
 આ નાટક એક વિશિષ્ટ કહી શકાય તેવું નાટક છે, જેના રીપીટ પ્રયોગો ટીકીટબારી પર સફળ ન થાય. આ નાટક પણ ‘ ક્લાસ’ માટેનું નાટક છે.  ‘માસ’ માટેનું નથી. જે લોકોને સાહિત્ય, ઇતિહાસમાં રસ હોય એવા બુધ્ધીજીવીઓ માટેનું નાટક છે. 
 
હ્યુસ્ટનમાં ‘નમસ્કાર’ વાળા રાજેશભાઇ આ નાટક લાવે તો લોકો પૈસા પાછા માંગે. હેમન્ત ભાવસાર, ઉમા નગરશેઠ, શ્રી. કીરીટ મોદી, નિતીન વ્યાસ કે મુકુંદ ગાંધી જેવા જ માણી શકે એ ટાઇપનું આ નાટક છે. આપણું ‘કલાકુંજ’ ભજવી શકે એ ટાઇપનું આ નાટક નથી જ.
  રજૂઆત- નવીન બેકર    
લખ્યા તારીખ- ૨૦ એપ્રિલ ૨૦૧૫
***************************************************************
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.