૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન
૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન
ભજન- રચયિતા- શ્રી. સંજય ભટ્ટ
રાગ- વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે…
ધનવૈભવ તો તેને જ મળશે જે નીજની પીડા જાણે રે…
પરદેશે સુટકેસ ભરી જઈ, ધનસંચય કરી જાણે રે… ધનવૈભવ તો…
સકળ લોકમાં સૌને ડંડે, નિન્દા સૌની કરશે રે..
વાતવાતમાં જુઠુ બોલી, ખોટા વચનો દેશે રે…..ધનવૈભવ તો…
વક્ર દ્રષ્ટી ને તૃષ્ણા ધારી, પર સ્ત્રી જેની સાથ રે…
જીહ્વા થકી અસત્ય જ બોલે, પરધન મારે હાથ રે…..ધનવૈભવ તો….
મોહમાયામાં રાચે નિશદિન,સુરાપાન ચઢાવે રે…
શ્રીરામ શ્રીરામ મુખમાં ધારી, છુરી છુપાવી રાખે રે.. ધનવૈભવ તો…
મન લોભી ને કપટ સહિત જે, કામક્રોધમાં રાચે રે….
કલયુગે આ સત્ય જે સમજે, તેના કુળ ઇકોતેર તરશે રે….ધનવૈભવ તો….