એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું…

કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું…

June 4th, 2015 Posted in અહેવાલ
pv     k
કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું.
 
હ્યુસ્ટનમાં એક પ્રેમાળ, લાગણીશીલ, જલારામબાપાના અનન્ય ભક્ત એવા એક કવિ-લેખક રહે છે. નામ એમનું પ્રદીપ બ્રહ્મભટ્ટ. કોઇ સંસ્થામાં કોઇ મહાનુભાવનું સન્માન થાય અગર કોઇ મહાનુભાવે કોઇ સિધ્ધી મેળવી હોવાના સમાચાર તેમને મળે એટલે, પોતાના નિવાસસ્થાને એ મહાનુભાવને નિમંત્રીને, પોતાના અંગત મિત્રમંડળ સાથે, તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવે. તેમના ધર્મપત્ની રમાબહેન પણ પતિના આ સેવાયજ્ઞમાં તનમનથી સહયોગ આપે. અને ગરમાગરમ તાજુ ભોજન આમંત્રિતોને પ્રેમથી જમાડે. સાહિત્યવર્તુળમાં બધા એમને ‘શીઘ્રકવિ’ તરીકે ઓળખે છે. તેમનો એક બ્લોગ પણ છે. મોટેભાગે ધાર્મિક કવિતાઓ અને સંસ્કારપ્રેરક લખાણો લખે છે.
 
તો… આ લાગણીશીલ કવિબાપાએ, મે માસના છેલ્લા અઠવાડીયામાં, હ્યુસ્ટનના બે મહાનુભાવોનું આવી રીતે સન્માન કર્યું.
 
૨૫ વર્ષથી નાસામાં ચીફ સાયન્ટીસ્ટ અને ડાયરેક્ટર ઓફ રીસર્ચ તરીકે સેવા આપતા, અને સુનિતા વિલિયમ્સ તથા કલ્પના ચાવલા જેવા એસ્ટોનોટ્સને તાલિમ આપનારા ડોક્ટર કમલેશ લુલ્લા કે જેઓએ ૨૦૦થી વધુ રીસર્ચ પબ્લીકેશન્સ અને  એસ્ટ્રોનોટ્સને લગતા દસેક જેટલા પુસ્તકોનું સંપાદન કર્યું છે, તેમને, ભારત સરકારે નવમી જાન્યુઆરિ ૨૦૧૫ના રોજ ગાંધીનગર મુકામે, મોસ્ટ પ્રેસ્ટીજીયસ એનઆરઆઇ  પ્રવાસી ભારતિય એવોર્ડ અને મેડલથી, ભારતના વાઇસ પ્રેસિડેન્ટના વરદ હસ્તે નવાજવામાં આવ્યા એ બદલ, ગયા મહિને ગુજરાતી સાહિત્ય સરિતાએ બહુમાન કર્યું હતું અને આ વખતે, કવિશ્રી. પ્રદીપ બ્રહમભટ્ટે સ્વરચિત કાવ્ય અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને , આમંત્રિત સરસ્વતિના સંતાનો અને કલમપ્રેમીઓની હાજરીમાં બહુમાન કર્યું હતું.
 
‘ગુજરાતી સાહિત્ય સરિતા’ના ઉત્થાન અને ઉત્કર્ષમાં જેમનો સિંહફાળો છે અને જેમણે હ્યુસ્ટનના ઘણાં સર્જકોને હાથમાં કલમ પકડતા કર્યા છે એવા શ્રી. વિજય શાહે પણ, બે-એરિયામાં  ગુજરાતી લીટરરી ગ્રુપ ‘બેઠક’ ના ઉપક્રમે, શુક્રવાર તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૫ ના રોજ, ‘ચાલો કરીએ સહિયારુ સર્જન’ કાર્યક્રમ અંતર્ગત એકસાથે ૧૨ પુસ્તકોના વિમોચનનું સુંદર આયોજન, મીલપીટાસ નગર ખાતેના ઇન્ડીયન કોમ્યુનિટી સેન્ટર ખાતે કર્યું એ અંગે  કવિશ્રી, પ્રદીપજીએ તેમનું પુષ્પગુચ્છ અને સ્વરચિત પ્રશસ્તિકાવ્ય અર્પણ કરીને સન્માન કર્યું હતું.
 
કાર્યક્રમના અંતે, સૌ આમંત્રિતો , રમાબહેન બ્રહ્મભટ્ટના ગરમાગરમ સમોસા, દાળવડા, મઠિયા અને અદરકવાલી ચાય નો રસાસ્વાદ કરીને છૂટા પડ્યા હતા.
 
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૯ મે, ૨૦૧૫

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.