એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » અદિતિ દેસાઇ- મહિલા નાટ્ય દિગ્દર્શકની મુલાકાત શ્રી. નવીન બેન્કર

અદિતિ દેસાઇ- મહિલા નાટ્ય દિગ્દર્શકની મુલાકાત શ્રી. નવીન બેન્કર

June 4th, 2015 Posted in અહેવાલ

અદિતિદેસાઇમહિલા નાટ્યદિગ્દર્શકની મુલાકાત

શ્રી. નવીન બેન્કર

ફેબ્રુઆરિમાર્ચ ૨૦૧૫ની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન મેં જે નાટકો જોયા એમાં કેટલાક નાટકો તો સાવ નોખી ભાત પાડતા નાટકો હતા, જેમાંનુ એક નાટક તેઅકૂપાર’. સૌરાષ્ટ્ર અને કચ્છનો માલધારી સમાજજંગલના દ્રષ્યો..સાવજની ત્રાડો

ખમીરવંતી છુંદણાવાળી અને મોટા મોટા બલોયા પહેરેલી ગ્રામ્ય સ્ત્રીઓની વાત કહેતા અકૂપારનાટકનો અર્થ થાય-‘કાચબો

આવા પ્રયોગશીલ નાટક નો ટીકીટ શો કરવો અને એનું પ્રોડકશન કરવું જિગરની વાત છે નાટક કર્યું એક સ્ત્રીદિગ્દર્શિકાએ. નાટ્યગુરુ શ્રી. જશવંત ઠાકરના દીકરી અદિતિએ.

હ્યુસ્ટનના શ્રી. કીરીટ મોદી  અને  ઇન્દીરાબેન મોદી પણ નાટક જોવા આવેલા. તેઓ પણ નાટક જોઇને ખુબ પ્રભાવિત થયેલા.

 નાટકની મુખ્ય ભૂમિકામાં અદિતિબેનની સ્વરુપવાન દીકરી દેવકી હતી અને પુરુષપાત્રમાં શ્રી. અભિનય બેન્કર.

નાટક પુરુ થયા પછી બેકસ્ટેજમાં હું ત્રણે કલાકારોને વ્યક્તિગત રીતે મળ્યો ત્યારે શ્રીમતિ અદિતિ દેસાઇ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે, મારા હ્યુસ્ટનના નાટ્યરસિક મિત્રો સમક્ષ રજૂ કરું છું. વિધિસર મુલાકાત હતી એટલી ચોખવટ કરી દઉં.

પ્રશ્ન–  અદિતિબેન, વર્ષો પહેલાં,આપના પિતાશ્રી શ્રી. જશવંત ઠાકરનો ઇન્ટર્વ્યૂ મેંનવચેતનમાટે લીધેલો અને ૧૯૭૧ના કોઇ અંકમાં ફોટાઓ સહિત તે પ્રસિધ્ધ થયેલો. વખતે આપ તો કદાચ આઠદશ વર્ષની ઉંમરના હશો એમ હું માનું છું. આજે આપને મળીને મને આનંદ થાય છે. આપના કેટલાક નાટકો-‘અભિજ્ઞાન શાકુંતલ’, નટસમ્રાટમેં જોયેલા. ચારપાંચ સિરિયલોમાં પણ આપનો અભિનય જોયાનું યાદ છેઆપની શરુઆતની નાટ્યકારકિર્દી વિશે કંઇ કહેશો ?

ઉત્તરનાટ્યશિક્ષણ પિતાશ્રી પાસેથી મળ્યું. ભરતનાટ્યપીઠ સંસ્થામાં શ્રેષ્ઠ નાટકો કર્યા.  રાજુ બારોટ અને સપ્તસિંધુ સંસ્થા સાથે પણ નાટકો કર્યા. ‘રાઇનો પર્વતરાયનાટક માટે મને ક્રીટીક એવોર્ડ પણ મળેલો. સો ઉપરાંત શેરી નાટકો કર્યાનાટ્યતાલીમની શિબિરો કરીને નવા નવા કલાકારોને તૈયાર કર્યા. નાટકો અંગે પુસ્તકો અને લેખો લખ્યા છે.

પ્રશ્ન નાટકની હિરોઇન દેવકી આપની પુત્રી છે એના વિશે મને કાંઇ માહિતી નથી તો મને વિશે કંઇ કહેશો ?

ઉત્તરદેવકી એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હોવા ઉપરાંત, રેડિયો મીર્ચી પર રેડિયોજોકી (એનાઉન્સર) તરીકે લોકચાહના પ્રાપ્ત કરી રહી છેઅને.. નાટકમાં તમે એનું હીર તો જોયું ને ?

પ્રશ્નઆપે આપેલી માહિતી બદલ આભાર.

ઉત્તરથેન્ક યૂનવીનભાઇ !

——-બેકસ્ટેજમાં સેટ્સ ખોલવાની ધમાલની કારણે અમારી વાતચીત ત્યાં અટકી ગઈ. અમે ત્રણે મુખ્ય કલાકારો સાથે તસ્વીરો ખેંચાવીને વિદાય લીધી હતી.

સાથે ત્રણે તસ્વીરો એટેચમેન્ટમાં મૂકી છે.

અસ્તુ

નવીન બેન્કર        લખ્યા તારીખ૨૦ એપ્રિલ ૨૦૧૫

***************************************************************

 

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.