એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 » June » 04

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો □અહેવાલઃ ‘મહેક’ ટંકારવી

June 4th, 2015 Posted in સંકલન્

photo_102  photo_008

  ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો

રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો

અહેવાલઃ ‘મહેક ટંકારવી   

શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલહિકમાહ સેન્ટર ખાતે યુ.એસ..થી કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીની રજત જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન જેમાં બાટલીના ગઝલકારોની કાવ્યકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું અને Batley Bond અને Batley Buds જેમાં બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ મહેમાનો, કવિગણ તથા ઉપસ્થિત શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા પર ઘણી વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૦માં ફોરમની સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીનાં ૨૫ વર્ષોમાં ફોરમે દેશપરદેશના ઘણાં જાણીતા કવિઓને અહીં આમંત્રી તેમની ઉપસ્થિતિમાં અનેક મુશાયરાઓનું આયોજન કર્યું છે, સ્થાનિક કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા વર્કશોપ્સ (કાવ્ય શિબિરો) યોજી છે, કાવ્ય અને ગઝલસંગ્રહોનું પ્રકાશન કર્યું છે, અંગ્રેજ કવિઓને પણ પ્રવૃત્તિમાં સાંકળ્યા છે અને રીતે લોકોને ગઝલોહઝલોની લહાણી કરાવવા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીં બ્રિટનમાં અને ખાસ કરીને યોર્કશાયરમાં ગુજરાતી ભાષાની માવજત સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે.

અહમદ ગુલે મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે  ઔર કારવાઁ બનતા ગયા  જાણીતો શેર ટાંકીને પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. અહમદ ગુલની સેવાઓની કદર રૂપે પ્રસંગે તેમને તેમની પૌત્રી તરફથી ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર મહેક ટંકારવી કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે, તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે એમ કહી ગુલદાનના કવિઓની ગઝલોમાંથી કેટલાક શેરો તરન્નુમથી રજુ કરી જાણે મુશાયરાનું માહોલ સર્જી આપ્યું હતું. તેમણે ખાસ કરીને જેમની ગઝલોહઝલોના પડઘા હજી યોર્કશાયરની ખીણટેકરીઓમાં ગુંજે છે અને જેઓ પોતાની ગઝલોહઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહને પ્યારા થઇ ગયા છે તેવા મરહુમ હસન ગોરા ડાભેલી અને મુલ્લાં હથુરણીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિન્ગહામના કવિ પ્રફુલ્લ અમીને Batley Bond વિષે બોલતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષી આપણી નવી પેઢીઓને ધ્યાનમાં લઇ હવે બહુભાષી મુશાયરાઓ યોજવાનો સમય આવી ગયો છે. અંગ્રેજ કવિઓને પણ સાથે લઇને ચાલવાથી એકબીજા સાથે હળવાભળવાનો અને પરસ્પર વિચારોની આપલે કરવાનો મોકો મળી રહેશે. તેમણે સંગ્રહમાં સમાવિષ્ટ તમામ કવિઓને અંગ્રેજીમાં સુંદર કવિતાઓ પીરસવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યાર પછી Batley Budsf]=  ડેવીડ કૂપર અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના જુલિ હેઇગના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતી આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે investment in poets is an investment in our community. It binds together our communities. વિવિધ સમાજોને એકબીજાની નિકટ લાવવામાં સાહિત્ય અને કવિતા સારો એવો ભાગ ભજવી શકે છે.

ઝયનબ દાજીએ પોતાની અંગ્રેજી કવિતાનું વાંચન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. ત્યાર બાદ ૧૭ વ્યક્તિઓનું સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમના ઉમદા યોગદાન બદલ પ્લાક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના શ્રી વિપુલ કલ્યાણીએ બ્રિટનમાં ગુજરાતી ભાષા વિષે બોલતાં જણાવ્યું કે અહીંની અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓએ ગુજરાતી ભાષાને અહીં અંગ્રેજીના પ્રભુત્વવવાળા દેશમાં આજ પર્યંત જીવંત રાખવા ઘણું કર્યું છે. દુ: વાતનું છે કેે ગુજરાતથી હજારો માઇલ દૂર રહીને પણ રોજી રોટી કમાવાની સાથે સાથે ગુજરાતી ભાષા, સંસ્કૃતિસંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા પોતાની કલમ દ્વારા અહીંના કવિઓ, ગઝલકારો, વાર્તાકારો અને લેખકોએ જે મહેનત કરી છે તેની અત્યાર સુધી ગુજરાતમાં જોઇએ તેવી અને તેટલી નોંધ લેવાઇ નથી. ગુજરાતીના વર્ગો પહેલાં ચાલતા હતા જે હવે ચાલતા નથી, ગુજરાતીને અહીંની શાળા કોલેજોમાંથી પણ જાકારો આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા ઉપજે છે. આવા સંજોગોમાં ગુજરાતી આપણા ઘરોમાં બોલવાનું પણ ચાલુ રહે તો ગનિમત લેખાશે.

લેસ્ટરની લેખિકા અને દેવિકાની વર્ષો જૂની નિકટની સહેલી નયના પટેલે જેમણે લગ્ન પછી વર, ઘર અને બાળકો સાથે પણ લખવાનું ચાલુ રાખ્યું છે તેવા મુખ્ય મહેમાન દેવિકા ધ્રુવનો પરિચય આપ્યો હતો. પોતાનું વકતવ્ય શરૂ કરતાં કવયિત્રી દેવિકા ધ્રુવે ચમત્કારોના આવિષ્કારની વાત કરતાં જણાવ્યું કે અહીંયાં આવવું પણ મારા માટે એક ચમત્કાર જેવું થયું છે. જ્યાં જ્યાં ભરાતો શબ્દનો દરબાર ત્યાં મન દોરાતું એમ કહી અહમદ ગુલનું આમંત્રણ મળતાં મેં અહીં આવવાનું નક્કી કર્યું અને ભાવભીના સ્વરે ઉમેર્યું કે આજે લાગણીનું તાપણું કરી બેઠેલા આવા દિલાવર લોકો વચ્ચે મને ઘર આંગણા જેવું લાગે છે. હું ફોરમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિષે સાંભળી અને નિહાળીને ઘણીજ પ્રભાવિત થઇ છું અને અહમદ ગુલને ખોબા ભરીને દરિયા જેટલી શુભાશિષ આપું છું, અભિનંદન પાઠવું છું. વિશ્વની ભાષાઓમાં સમૃદ્ધિની દ્દષ્ટિએ ગુજરાતી પચાસમા નંબરે આવે છે એમ જણાવી મા (ગુજરાતી) વહાલી પણ માસી (અંગ્રેજી) પણ ગમે છે એમ કહી તેમણે બેઉ ભાષાઓનું ગૌરવ કર્યું હતું. એમણે આદિલ મન્સૂરીને યાદ કરતાં કહ્યું કે મને ગઝલ લખવાની પ્રેરણા આદિલ પાસેથી મળી હતી.

છેલ્લે વિરામ અને ભોજન બાદ મુશાયરાની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક ઇમ્તિયાઝ પટેલે હાજર રહેલા ૨૦ જેટલા કવિઓને પૂરતા સમયના અભાવે ઝડપથી રજૂ કરવાનું કપરુ કામ ઉપાડી લીધું હતું. મહેમાન કવયિત્રી દેવિકા ધ્રુવ ઉપરાંત બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિન્ગ્હામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કરી શ્રોતાઓને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી જકડી રાખ્યા હતા.

શબ્બીર કાઝી આભારવિધિ કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો અને સુંદર સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવા બદલ ઇકબાલ ધોરીવાલાનો તથા કાર્યકમના આયોજનની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઇ તેને સરસ રીતે પાર પાડવા બદલ અહમદ ગુલ અને સાથીઓનો આભાર માન્યો હતો. સાંજના વાગ્યે શરૂ થયેલો કાર્યક્રમ રાતના ૧૧.૩૦ વાગ્યે સમાપ્ત થયો હતો.  

   

થોડુંક લોજીક , થોડુંક મેજીક – ( નાટ્ય અવલોકન ) અહેવાલ – શ્રી. નવીન બેન્કર ____________________

June 4th, 2015 Posted in અહેવાલ

થોડુંક લોજીક , થોડુંક  મેજીક  ( નાટ્ય અવલોકન)

અહેવાલ –            શ્રી. નવીન બેન્કર    તસ્વીર સૌજન્ય–  શ્રી. ગૌતમ જાની

————————————————————————–——

મહાગુજરાત દિનેએટલે કે પહેલી મે , હ્યુસ્ટનના  જુના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરમાં, ટીકુ તલસાણિયા, અલ્પના બુચ, મનન શુક્લ અને અમી ભાયાણી અભિનિત એક સુંદર, અર્થસભર, વિચારશીલ અને છતાં મોજથી માણી શકાય એવું નાટક જોયું.

નાટકના મૂળ લેખક છે શ્રી. રાજુ શીંદે. સ્નેહા દેસાઇએ તેનું ગુજરાતી રૂપાંતર કર્યું છે.

પંદર વર્ષ ઘરડાઘર માં , સ્વૈચ્છીક પણે રહીને પાછા પોતાના ઘરમાં આવેલા ૭૫ વર્ષની વયના એક વયસ્ક પુરુષ  છગનલાલ ત્રિવેદી ( ટીકુ તલસાણિયા) અને તેમના પૌત્ર ચિંતન ( મનન શુક્લ) વચ્ચેના મતભેદ કે મનભેદની વાત રજૂ કરતા નાટકમાં લીવીંગ રીલેશન્સની વાત પણ ખૂબીપૂર્વક કહેવાઇ છે. ચિંતન અને તેની ગર્લફ્રેન્ડ જેની ઉર્ફે જાનકી ( અમી ભાયાણી) ના લીવીંગ રીલેશન્સની સાથે સાથે દાદાના પણ પોતાની બાળસખી શકુ (અલ્પના બુચ) સાથેના લીવીંગ રીલેશન્સની કથા એવી તો રમૂજભરી રીતે વણી લેવાઇ છે કે નાટક ક્યારેક ખુબ હસાવે છે તો ક્યારેક આંખ ભીની પણ કરી મૂકે છે.

નાટકના અંતમાં હું જ્યારે ટીકુભાઇને મળવા સ્ટેજ પર ગયો ત્યારે તેમણે મને વિનંતિ કરી કે નાટકની વાર્તા તમારા રીવ્યૂમાં લખશો અને તમને જે સંવાદો ખૂબ ગમ્યા છે તે પણ ના લખશો. એટલે હું એની વાત નહીં કરું.

નાટકના દિગ્દર્શક શ્રી. અનુરાગ પ્રપન્નનું દિગ્દર્શન પ્રશંસનિય છે. દ્રષ્યોને નાટ્યાત્મક રાખવાની સૂઝ એમણે દાખવી છે.દરેક પાત્રની લાક્ષણિકતા પણ રજૂ થાય એની કાળજી એમણે દ્રષ્યોની ગોઠવણી અને પાત્રોની પસંદગીમાં રાખી છે. ઘરનો દિવાનખંડ અને 

બગીચાના બાંકડાના દ્રષ્યોની ગોઠવણી દાદ માંગી લે છે. અલ્પના બુચે પણ શકુંતલા કોઠારીના પાત્રના મનોજગત સાથે તદાકાર થઈને વાચાળ થયા વગર અભિનય કર્યો છે. ટીકુની વિચક્ષણતા અને રમૂજવૃત્તિ પ્રભાવક વ્યક્તિત્વ ઉભું કરે છે. ભૂમિકા ભજવતો કલાકાર જો સજ્જ હોય તો, સમગ્ર કૃતિ નિરસ બની જાય. ભૂમિકા જાણે ટીકુ માટે લખાઇ હોય એવી પ્રતિતી થાય એટલી હદ સુધી ભૂમિકાને તેમણે આત્મસાત કરી છે.પૌત્રની ભૂમિકામાં શ્રી. મનન શુક્લ  પોતાનો આક્રોશ સરસ રીતે વ્યકત કરી શક્યા છે અને તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં  બહેન અમી ભાયાણી પણ વાતાવરણને હળવુ રાખવામાં ખુબ મદદરુપ થયા છે.

કળાકારોની પસંદગી, ટીમવર્ક અને રંગભૂષાની પસંદગીથી નાટકના પાત્રો અને વાતાવરણ જીવંત લાગે છે.

નાટકમાં એકરમણિકપણ છે જે ક્યારેય સ્ટેજ પર આવતો નથી. બિલાડો છે.

અમુક અમુક દ્રષ્યો વખતે બેકગ્રાઉન્ડમાંથી ફિલ્મી ગીતની સદાબહાર પંક્તિઓ સંભળાય છે

અજીબ દાસ્તાં હૈ યે, કહાં  શુરૂ કહાં ખતમ….’

વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ ગઈ’…..

જિન્દગી કૈસી હય પહેલી હાય…’દાદાજી પોતાના પૌત્રને, એની દાદીના મ્રુત્યુ વખતના સંવાદો કહે છે ત્યારે દરેક    

પ્રેક્ષકની આંખ સજળ થઈ ઉઠે છે.

૨૫ વત્તા ૫૦ એટલે ૭૫ નોટ આઉટ દાદાજી તરીકે ટીકુ તલસાણિયા પાત્રને જીવી ગયા છે.

બગીચાના બાંકડા પર ૭૫ વર્ષના દાદાજી અને તેમની, ચાલીમાં રહેતી પાડોશણ સાથેની  કિશોરવયની કુમળી કુમળી લાગણીઓની વાતો જેવી વાતો મને લાગે છે દરેકે દરેક વયસ્ક સ્ત્રીપુરુષો અનુભવી ચૂક્યા હશે.

નાટકનો પ્રધાન સંદેશ છે– ‘માઇન્ડ ઇઝ કરપ્ટ. હૃદય જે કહે તે કરો. બુધ્ધીનું ના સાંભળોલીસન ટૂ વોટ યોર હાર્ટ સેઝઘડપણમાં હસવાનું બંધ થવું જોઇએ. હસવાનું બંધ થાય એટલે ઘડપણ આવે.’ 

સહકુટુંબ જોવા જેવું સ્વચ્છ નાટક હ્યુસ્ટનમાં લાવવા બદલ શ્રી. અજીત પટેલ અને નિશા મિરાણીને અભિનંદન. આર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રમોશન્સ વાળા નેશનલ પ્રમોટર શ્રી.શશાંક દેસાઇ પણ અભિનંદનના અધિકારી છે.

અસ્તુ.

નવીન બેન્કર  ૭૧૩૮૧૮૪૨૩૯    લખ્યા તારીખ//૨૦૧૫

સાથે કુલ પાંચ ફોટા છે– 

સૌથી ઉપરના ફોટામાં અહેવાલ લેખક શ્રી. નવીન બેન્કર અને ટીકુ તલસાણિયા દેખાય છે.

એટેચમેન્ટના ચાર ફોટાઓમાં () ટિકુ તલસાણિયા અને અલ્પના બુચ  બગીચાના બાંકડા પર  -()  અને () માં  નાટકના દ્રષ્યમાં ચારે કલાકારો.  ()  નાટકના ચારે કલાકારોટીકુ,અમી ભાયાણી , મનન શુક્લ અને અલ્પના બુચ

તસ્વીર સૌજન્યશ્રી. ગૌતમ જાની.

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.    

પાનખરે ખીલ્યાં ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

June 4th, 2015 Posted in અહેવાલ

પાનખરે ખીલ્યાં ફૂલ         નાટ્યઅવલોકન–  શ્રી. નવીન બેન્કર 

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવળ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

 

આ પ્રતિભા રાવળે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

 

સંગીતકાર બાપુજીની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. બાપુજીના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે. સરિતા ( દીકરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર બાપુજીને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી નામની એક સ્ત્રીમિત્ર છે જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ. નાટકના અંતમાં શુભ્ર ધવલવસ્ત્રો માં આશાવરીનો પ્રવેશ થાય છે. અને કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, બાપ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી બાપુજીના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવળ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. બાપુજીના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદ્દોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

 

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

 

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો.

 

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !       Enclosure- 4 Photographs
 

નવીન બેન્કર           ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

                 .

 

અદિતિ દેસાઇ- મહિલા નાટ્ય દિગ્દર્શકની મુલાકાત શ્રી. નવીન બેન્કર

June 4th, 2015 Posted in અહેવાલ

અદિતિદેસાઇમહિલા નાટ્યદિગ્દર્શકની મુલાકાત

શ્રી. નવીન બેન્કર

ફેબ્રુઆરિમાર્ચ ૨૦૧૫ની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન મેં જે નાટકો જોયા એમાં કેટલાક નાટકો તો સાવ નોખી ભાત પાડતા નાટકો હતા, જેમાંનુ એક નાટક તેઅકૂપાર’. સૌરાષ્ટ્ર અને કચ્છનો માલધારી સમાજજંગલના દ્રષ્યો..સાવજની ત્રાડો

ખમીરવંતી છુંદણાવાળી અને મોટા મોટા બલોયા પહેરેલી ગ્રામ્ય સ્ત્રીઓની વાત કહેતા અકૂપારનાટકનો અર્થ થાય-‘કાચબો

આવા પ્રયોગશીલ નાટક નો ટીકીટ શો કરવો અને એનું પ્રોડકશન કરવું જિગરની વાત છે નાટક કર્યું એક સ્ત્રીદિગ્દર્શિકાએ. નાટ્યગુરુ શ્રી. જશવંત ઠાકરના દીકરી અદિતિએ.

હ્યુસ્ટનના શ્રી. કીરીટ મોદી  અને  ઇન્દીરાબેન મોદી પણ નાટક જોવા આવેલા. તેઓ પણ નાટક જોઇને ખુબ પ્રભાવિત થયેલા.

 નાટકની મુખ્ય ભૂમિકામાં અદિતિબેનની સ્વરુપવાન દીકરી દેવકી હતી અને પુરુષપાત્રમાં શ્રી. અભિનય બેન્કર.

નાટક પુરુ થયા પછી બેકસ્ટેજમાં હું ત્રણે કલાકારોને વ્યક્તિગત રીતે મળ્યો ત્યારે શ્રીમતિ અદિતિ દેસાઇ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે, મારા હ્યુસ્ટનના નાટ્યરસિક મિત્રો સમક્ષ રજૂ કરું છું. વિધિસર મુલાકાત હતી એટલી ચોખવટ કરી દઉં.

પ્રશ્ન–  અદિતિબેન, વર્ષો પહેલાં,આપના પિતાશ્રી શ્રી. જશવંત ઠાકરનો ઇન્ટર્વ્યૂ મેંનવચેતનમાટે લીધેલો અને ૧૯૭૧ના કોઇ અંકમાં ફોટાઓ સહિત તે પ્રસિધ્ધ થયેલો. વખતે આપ તો કદાચ આઠદશ વર્ષની ઉંમરના હશો એમ હું માનું છું. આજે આપને મળીને મને આનંદ થાય છે. આપના કેટલાક નાટકો-‘અભિજ્ઞાન શાકુંતલ’, નટસમ્રાટમેં જોયેલા. ચારપાંચ સિરિયલોમાં પણ આપનો અભિનય જોયાનું યાદ છેઆપની શરુઆતની નાટ્યકારકિર્દી વિશે કંઇ કહેશો ?

ઉત્તરનાટ્યશિક્ષણ પિતાશ્રી પાસેથી મળ્યું. ભરતનાટ્યપીઠ સંસ્થામાં શ્રેષ્ઠ નાટકો કર્યા.  રાજુ બારોટ અને સપ્તસિંધુ સંસ્થા સાથે પણ નાટકો કર્યા. ‘રાઇનો પર્વતરાયનાટક માટે મને ક્રીટીક એવોર્ડ પણ મળેલો. સો ઉપરાંત શેરી નાટકો કર્યાનાટ્યતાલીમની શિબિરો કરીને નવા નવા કલાકારોને તૈયાર કર્યા. નાટકો અંગે પુસ્તકો અને લેખો લખ્યા છે.

પ્રશ્ન નાટકની હિરોઇન દેવકી આપની પુત્રી છે એના વિશે મને કાંઇ માહિતી નથી તો મને વિશે કંઇ કહેશો ?

ઉત્તરદેવકી એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હોવા ઉપરાંત, રેડિયો મીર્ચી પર રેડિયોજોકી (એનાઉન્સર) તરીકે લોકચાહના પ્રાપ્ત કરી રહી છેઅને.. નાટકમાં તમે એનું હીર તો જોયું ને ?

પ્રશ્નઆપે આપેલી માહિતી બદલ આભાર.

ઉત્તરથેન્ક યૂનવીનભાઇ !

——-બેકસ્ટેજમાં સેટ્સ ખોલવાની ધમાલની કારણે અમારી વાતચીત ત્યાં અટકી ગઈ. અમે ત્રણે મુખ્ય કલાકારો સાથે તસ્વીરો ખેંચાવીને વિદાય લીધી હતી.

સાથે ત્રણે તસ્વીરો એટેચમેન્ટમાં મૂકી છે.

અસ્તુ

નવીન બેન્કર        લખ્યા તારીખ૨૦ એપ્રિલ ૨૦૧૫

***************************************************************

 

 

કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું…

June 4th, 2015 Posted in અહેવાલ
pv     k
કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું.
 
હ્યુસ્ટનમાં એક પ્રેમાળ, લાગણીશીલ, જલારામબાપાના અનન્ય ભક્ત એવા એક કવિ-લેખક રહે છે. નામ એમનું પ્રદીપ બ્રહ્મભટ્ટ. કોઇ સંસ્થામાં કોઇ મહાનુભાવનું સન્માન થાય અગર કોઇ મહાનુભાવે કોઇ સિધ્ધી મેળવી હોવાના સમાચાર તેમને મળે એટલે, પોતાના નિવાસસ્થાને એ મહાનુભાવને નિમંત્રીને, પોતાના અંગત મિત્રમંડળ સાથે, તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવે. તેમના ધર્મપત્ની રમાબહેન પણ પતિના આ સેવાયજ્ઞમાં તનમનથી સહયોગ આપે. અને ગરમાગરમ તાજુ ભોજન આમંત્રિતોને પ્રેમથી જમાડે. સાહિત્યવર્તુળમાં બધા એમને ‘શીઘ્રકવિ’ તરીકે ઓળખે છે. તેમનો એક બ્લોગ પણ છે. મોટેભાગે ધાર્મિક કવિતાઓ અને સંસ્કારપ્રેરક લખાણો લખે છે.
 
તો… આ લાગણીશીલ કવિબાપાએ, મે માસના છેલ્લા અઠવાડીયામાં, હ્યુસ્ટનના બે મહાનુભાવોનું આવી રીતે સન્માન કર્યું.
 
૨૫ વર્ષથી નાસામાં ચીફ સાયન્ટીસ્ટ અને ડાયરેક્ટર ઓફ રીસર્ચ તરીકે સેવા આપતા, અને સુનિતા વિલિયમ્સ તથા કલ્પના ચાવલા જેવા એસ્ટોનોટ્સને તાલિમ આપનારા ડોક્ટર કમલેશ લુલ્લા કે જેઓએ ૨૦૦થી વધુ રીસર્ચ પબ્લીકેશન્સ અને  એસ્ટ્રોનોટ્સને લગતા દસેક જેટલા પુસ્તકોનું સંપાદન કર્યું છે, તેમને, ભારત સરકારે નવમી જાન્યુઆરિ ૨૦૧૫ના રોજ ગાંધીનગર મુકામે, મોસ્ટ પ્રેસ્ટીજીયસ એનઆરઆઇ  પ્રવાસી ભારતિય એવોર્ડ અને મેડલથી, ભારતના વાઇસ પ્રેસિડેન્ટના વરદ હસ્તે નવાજવામાં આવ્યા એ બદલ, ગયા મહિને ગુજરાતી સાહિત્ય સરિતાએ બહુમાન કર્યું હતું અને આ વખતે, કવિશ્રી. પ્રદીપ બ્રહમભટ્ટે સ્વરચિત કાવ્ય અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને , આમંત્રિત સરસ્વતિના સંતાનો અને કલમપ્રેમીઓની હાજરીમાં બહુમાન કર્યું હતું.
 
‘ગુજરાતી સાહિત્ય સરિતા’ના ઉત્થાન અને ઉત્કર્ષમાં જેમનો સિંહફાળો છે અને જેમણે હ્યુસ્ટનના ઘણાં સર્જકોને હાથમાં કલમ પકડતા કર્યા છે એવા શ્રી. વિજય શાહે પણ, બે-એરિયામાં  ગુજરાતી લીટરરી ગ્રુપ ‘બેઠક’ ના ઉપક્રમે, શુક્રવાર તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૫ ના રોજ, ‘ચાલો કરીએ સહિયારુ સર્જન’ કાર્યક્રમ અંતર્ગત એકસાથે ૧૨ પુસ્તકોના વિમોચનનું સુંદર આયોજન, મીલપીટાસ નગર ખાતેના ઇન્ડીયન કોમ્યુનિટી સેન્ટર ખાતે કર્યું એ અંગે  કવિશ્રી, પ્રદીપજીએ તેમનું પુષ્પગુચ્છ અને સ્વરચિત પ્રશસ્તિકાવ્ય અર્પણ કરીને સન્માન કર્યું હતું.
 
કાર્યક્રમના અંતે, સૌ આમંત્રિતો , રમાબહેન બ્રહ્મભટ્ટના ગરમાગરમ સમોસા, દાળવડા, મઠિયા અને અદરકવાલી ચાય નો રસાસ્વાદ કરીને છૂટા પડ્યા હતા.
 
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૯ મે, ૨૦૧૫

હ્યુસ્ટન,સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠકનો અહેવાલ-શ્રી. નવીન બેન્કર

June 4th, 2015 Posted in અહેવાલ
 હ્યુસ્ટન,સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠકનો અહેવાલ-શ્રીનવીન બેન્કર
અહેવાલ– શ્રીનવીન બેન્કર.       તસ્વીર સૌજન્ય– શ્રીજય પટેલ.
 ગુ.સા.સ.-૧૫૪મી બેઠક-મે ૩૦ ૨૦૧૫
તારીખ ૩૦મી મે, ૨૦૧૫ને શનિવારે બપોરે  ૨ થી ૫ દરમ્યાન,  હ્યુસ્ટન સાહિત્ય સરિતાની  ૧૫૪ મી બેઠક,સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં યોજવામાં આવી હતી. આ વખતની બેઠકમાં એકનવીન પ્રયોગ કરવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ અને સુશ્રી દેવિકાબેન ધ્રુવ ના સહયોગથી આ વખતે હાયકુ અનેફોટોકુના સર્જન અંગે રજૂઆતો થઈ. જાણીતા કવિ શ્રી યોસેફ મેકવાન અને ગઝલકાર શ્રી ડો.કિશોર મોદીના હાઈકુની સમજણ આપતા લેખોના અભ્યાસને આધારે આનંદપૂર્વક આ કામની શરુઆત કરી તેની નોંધ અત્રે લેવામાં આવે છે.
ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી પછી સુત્રધાર શ્રી. નિખીલ મહેતાએ કાર્યક્રમનો દોર સંભાળીલીધો. શ્રી. નરેન્દ્ર વેદે, ટીવીના સ્ક્રીન પર પાવર પોઇન્ટથી, પાંચ-છ ચિત્રો દર્શાવ્યા અને દરેક સર્જકને પે્ન્સિલ, પેપર અને રબર આપીને, એ ચિત્ર પરથી હાયકુ લખવા કહ્યું.
એક ચિત્રમાં, વરસાદમાં કેળનું પાંદડુઓઢીને શાળાએ જતા બે બાળકો હતા, તો બીજા ચિત્રમાં ચારપાંચ યુવાન છોકરા
છોકરીઓ હવામાં ઉછળતા,નાચતા હતા. ત્રીજા ચિત્રમાં, બાંકડા પર પ્રેમીયુગલ હાથમાં હાથ પરોવીને બેઠું છે અને ઉપર વૃક્ષની ડાળીપર,એક પંખી બેઠેલું છે તથા યુવાન મોબાઇલ ફોન પર કદાચ એસએમએસ કરી રહ્યો છે. ચોથા ચિત્રમાં બેવાઘ બાઝે છે કે સંવનન કરે છે અને પાંચમાં ચિત્રમાં, ઉંચી દિવાલ પર, સીડી ગોઠવીને પ્રેક્ષકો દિવાલનીપાળી પર બેસીને બીજી બાજુ કાંઇક જોઇ રહ્યા છે.
આ ચિત્રો ( ફોટાઓ ) પર સર્જકોએ, પોતાના મનમાં જે વિચાર ઝબક્યો તેને શબ્દસ્થ કરી ૫-૭-૫ ના હાયકુના બંધારણ મુજબ હાયકુઓ રચીનેઆપ્યાં.દરેક સર્જકની સંવેદનાઅને અર્થઘટન અલગ અલગ હોય અને હાયકુ પણ જુદા જુદા લખાય. આ પ્રયોગમાં ભાગ લેનારા કવિઓ હતા- શ્રીમતિ શૈલા મુન્શા, શ્રીમતિઇન્દુબેન શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રી.ચીમન પટેલ, શ્રી.રમેશ શાહ, શ્રી. અશોક પટેલ, શ્રી.ફતેહ અલીચતુર, શ્રી.પ્રશાંત મુન્શા, શ્રી. નિખીલ મહેતા, એડવોકેટ રિધ્ધી દેસાઇ, વગેરે..
વગેરે..
હાયકુના બાહ્ય સ્વરુપમાં પ્રથમ લીટીમાં પાંચ અક્ષરો, બીજી લાઇનમાં સાત અને ત્રીજી લાઇનમાં ફરી પાંચ જઅક્ષરો મળીને કુલ સત્તર  અક્ષર થાય અને એક અર્થસભર શબ્દચિત્ર રજૂ થવું જોઇએ. તેમાંથી ઉઠતી વ્યંજનાકે ઉઠતો ધ્વનિ રણકાર સંભળાય અને દેખાય. ઓછામાં ઓછા શબ્દો વડે એક આખુ શબ્દચિત્ર ઉભુ થઈ જાયઅને ભાવકના મનમાં સંક્રાન્ત થઈ જાય એ હાયકુની ખુબી છે.
 હાયકુ પછી, આજના મુખ્ય વિષય ‘વંટોળ’ પર વિવિધ સર્જકોએ પોતાની સ્વરચિત રચનાઓ રજૂ કરી.ડોક્ટર ઇન્દુબેને ‘વંટોળ’ કાવ્ય વાંચ્યું. શૈલા મુન્શાએ પોતાનું કાવ્ય ‘પ્રકોપ’ રજૂ કર્યું. નરેન્દ્ર વેદે પોતાનીપત્ની જ્યોત્સના વેદનુ હાયકુ વાંચ્યું. દેવિકાબેન ધ્રુવે, અક્ષરમેળ  શિખરિણી છંદમાં ગુંથેલ ‘વિચાર-વંટોળ’કાવ્ય રજૂ કર્યું પછી તેમની તાજેતરની યુકે.ના સાહિત્યસર્જકો સાથેની, પોતાની મુલાકાતની અને કાર્યક્રમોનીવિગતવાર વાતો કરી. ત્યાંના ગુજરાતી રાઈટર્સ ફોરમ, ગુજરાતી એકેડેમી ઓફ યુ. કે, લેસ્ટર ગ્રુપ,ગુજરાતીરાઇટર્સ ગીલ્ડ વગેરે ગુજરાતી ગ્રુપ અંગેની  કાર્યવાહી અને કાર્યક્રમોની વાતો સાંભળીને હ્યુસ્ટન સાહિત્યસરિતાના સભ્યોને ઘણું જાણવા મળ્યું.
પીઢ સર્જક શ્રી. ધીરુભાઇ શાહે પણ હાયકુ વિશે કેટલીક માહિતી આપી હતી. શ્રી. નિખીલ મહેતાએ યજ્ઞેશદવેના પુસ્તક ‘જાપાનીઝ હાયકુ’ના પાછલા પાને, સ્વ. શ્રી. સુરેશ દલાલે હાયકુ  વિશે જે વિધાનો કર્યા છે તેવાંચી સંભળાવ્યા અને કવયિત્રી પન્ના નાયકના પુસ્તકમાંથી અવતરણો રજૂ કર્યા હતા. ફતેહ અલી ચતુરે,રાબેતા મુજબ શ્રોતાઓને હસાવે એવી વાતો કરી તથા અશોક ચક્રધરની હાસ્યરચના સંભળાવી. શ્રી. ચીમનપટેલે પણ પોતાનું એક  કાવ્ય રજૂ કર્યું હતું. હ્યુસ્ટનમાં ચાલતી સિનિયર સિટીઝન્સની એક બીજી સંસ્થા‘ક્લબસિક્સ્ટી ફાઇવ’ ના પ્રેસિડેન્ટ શ્રીમતિ પારુ મેક્ગાયરે પોતાની સંસ્થા અંગે વાતો કરીને, તેના સભ્ય થવાઆમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ નિયમિત રીતે, નિસ્વાર્થપણે, વિના મુલ્યે “ગુજરાત ગૌરવ” નામનું સામયિક પ્રકાશિત કરતાં અને સૌને વહેંચતા શ્રી નુરૂદ્દીન દરેડિયાએ પોતાના સંકલનમાંથી મનપસંદ મુક્તકો વાંચી સંભળાવ્યા હતાં.
છેલ્લે સંચાલકો દ્વારા ૮મી ઑગષ્ટના રોજ યોજાનાર કવિ શ્રી રઈશ મણિયારના આગામી કાર્યક્રમની જાહેરાત અને આભારવિધિ  કરવામાં આવી. કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. ફતેહ અલી ચતુર દ્વારા પિરસાયેલસમોસા, કચોરી, ચેવડો, જલેબી અને છાશનો હળવો નાસ્તો કરીને સૌ સર્જકો અને શ્રોતાજનો પ્રસન્નતા સહ વિખરાયા હતા.
એકંદરે આજની આ બેઠક સર્જન કાર્યને પ્રોત્સાહિત કરતી પ્રયોગશીલ રહી. પ્રતિકુળ હવામાન અને વ્યક્તિગત સંજોગોને કારણે ઓછી હાજરી હોવા છતાં આખી યે બેઠક હળવી,આનંદદાયી અને વિગતસભર રહી.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર   લખ્યા તારીખ- ૩૦ મે ૨૦૧૫
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ.
 
 
 

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.